GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ Important Questions and Answers.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 1.
સ્વાથ્યની ‘સારી તરલ’ વિશેની પરિકલ્પના કઈ રીતે ખોટી પુરવાર થઈ ?
ઉત્તર:

  • સ્વાથ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી, જેમાં દેહના કેટલાક વાત, પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહેતું હતું.
  • પ્રાચીન ગ્રીકના હિપ્પોક્રેટસ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર પણ આ વાતને સમર્થન આપતા હતા.
  • એવું માનવામાં આવતું હતું કે, “કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજવાળા હતા અને તેમને તાવ રહેતો હતો. આ પ્રકારના તારણ પાછળ માત્રશુદ્ધ વિચારધારા હતી.
  • પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વેએ કરેલ રુધિર-પરિવહનની શોધ અને થરમૉમિટરના ઉપયોગ દ્વારા નિદર્શન કર્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું. જેનાથી સ્વાથ્યની “સારી તરલ’ વિશેની પરિકલ્પના ખોટી પુરવાર થઈ.
  • પછીના વર્ષોમાં, જીવવિજ્ઞાને દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે અને તેના દ્વારા પ્રતિકાર તંત્ર આપણું સ્વાથ્ય જાળવી રાખે છે.

પ્રશ્ન 2.
આપણું સ્વાધ્યકઈ બાબતોથી પ્રભાવિત થાય છે?
ઉત્તર:
આપણું સ્વાસ્થ નીચેની ત્રણ બાબતોથી પ્રભાવિત થાય છેઃ

  1. જનીનિક ખામીઓ કે જેના દ્વારા ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે અને ખામીઓની અસરો બાળકને જન્મથી જ તેના માતાપિતા પાસેથી વારસામાં મળે છે.
  2. ચેપ
  3. આપણી જીવનશૈલી જેમાં ખોરાક જે આપણે ખાઈએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, આરામ અને વ્યાયામ કે જે શરીરને આપણે આપીએ છીએ. આદતો જે આપણે ધરાવીએ છીએ અથવા તેનો અભાવ હોય છે.

પ્રશ્ન 3.
‘સ્વાથ્ય’ શબ્દ સમજાવો તેમજ સારું સ્વાધ્યકઈ રીતે જાળવી શકાય છે?
ઉત્તર:

  • સ્વાચ્ય શબ્દ લોકો દ્વારા વારંવાર વપરાય છે. જેનો અર્થ માત્ર “રોગની અનઉપસ્થિતિ’ કે ‘શારીરિક સ્વસ્થતા નથી. તેને સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લેવામાં આવે છે.
  • જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ સક્ષમતાથી કામ કરી શકે છે. જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે.
  • સ્વાથ્ય એ આયુષ્ય વધારે છે તેમજ શિશુ અને માતાના મૃત્યુદરમાં ઘટાડો કરે છે.
  • સારું સ્વાથ્ય જાળવી રાખવા માટે સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ ખૂબ જ અગત્યના છે.
  • શારીરિક અને માનસિક સ્વાથ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીનકાળથીયોગના અભ્યાસને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
  • રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરનાં વિવિધ કાર્યો પર તેમની અસરો, ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ, ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, વાહકોનું નિયંત્રણ તેમજ આરોગ્યપ્રદ ખોરાક અને પાણીના સ્રોતોની જાળવણી વગેરે સારું સ્વાથ્ય મેળવવા અને જાળવી રાખવા જરૂરી છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 4.
રોગશું છે? તેના પ્રકારો જણાવો.
ઉત્તર:

  • જ્યારે શરીરમાં એક કે વધુ અંગો કે તંત્રોનાં કાર્યોની પ્રતિકૂળ અસરો થાય, જેને કારણે કેટલાંક ચિહનો કે લક્ષણો જોવા મળે છે, ત્યારે આપણે કહીએ છીએ કે આપણે સ્વસ્થ (તંદુરસ્તો નથી એટલે કે આપણને રોગ થયો છે.
  • રોગોને મુખ્યત્વે બે સમૂહોમાં વહેંચવામાં આવે છેઃ
  • (1) ચેપી રોગ જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય તેને ચેપી રોગ કહે છે.
  • ચેપી રોગો સામાન્ય છે અને આપણે ક્યારેક તેના શિકાર થઈએ છીએ.
  • આ રોગો વિવિધ પ્રકારના વાહકો જેવાકે વાઇરસ, બૅક્ટરિયા, ફૂગ, પ્રજીવ અને કૃમિઓ દ્વારા ફેલાય છે. એઇડ્ઝ જેવા ચેપી રોગ જીવલેણ હોય છે.
  • (2) બિનચેપીરોગઃ આરોગો જે વ્યક્તિઓમાં વિકસે છે, તે તેમના પૂરતા જ મર્યાદિત રહે છે અને અન્ય વ્યક્તિમાં ફેલાતા નથી.
  • બિનચેપી રોગોમાં કેન્સર મૃત્યુનું મુખ્ય કારણ છે.
  • નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન પણ આપણા સ્વાથ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે.

પ્રશ્ન 5.
રોગકારકોમનુષ્યને કઈ રીતે નુકસાન પહોંચાડે છે?
ઉત્તર:

  1. મનુષ્યમાં રોગો સર્જવા માટે અનેક સજીવો જેવાં કે બૅક્ટરિયા, વાઇરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ જવાબદાર છે. આવા રોગપ્રેરક સજીવોને રોગકારક કહેવાય છે.
  2. બધા પરોપજીવીઓ રોગકારક છે, કારણ કે તેઓ યજમાનનાદેહમાં કે દેહ ઉપર રહીને તેને નુકસાન પહોંચાડે છે.
  3. રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી, ગુણન પામી, આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે. પરિણામે બાહ્યાકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય છે.
  4. રોગકારકો માટે જરૂરી છે કે તેઓયજમાનના અંતઃપર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે.
  5. ઉદાહરણ તરીકે જે રોગકારક આંત્રમાર્ગમાં પ્રવેશે છે તેઓ જઠરના નિમ્ન pH માં જીવંત રહેવા અને ભિન્ન પાચક ઉત્સચકોનો પ્રતિરોધ કરવાની ક્ષમતા હોવી જોઈએ.

પ્રશ્ન 6.
ટાઇફોઈડ વિશે સમજાવો.
ઉત્તર:

  1. સાલ્મોનેલા ટાઇફીએ રોગકારક જીવાણુ છે જેમનુષ્યમાં ટાઇફૉઈડનો તાવ પ્રેરે છે.
  2. સામાન્ય રીતે આ રોગકારક દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે અને ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચે છે.
  3. આ રોગ દરમિયાન સતત વધુ તાવ (39° સે થી 40° સે), નબળાઈ, પેટમાં દુઃખાવો, કબજિયાત, માથું દુઃખવું અને ભૂખ ન લાગવી તેમજ તીવ્રતાની સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણાં પડવા અને મૃત્યુ પણ સંભવિત છે.
  4. આ રોગનું નિદાન વિડાલ ટેસ્ટ દ્વારા થાય છે.
  5. મેડિકલ ક્ષેત્રે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મેરી મેલોન છે. જેમનું ઉપનામ ટાઇફૉઈડ મેરી છે. જે વ્યાવસાયિક રીતે રસોયણ હતા અને તેણીના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની રહ્યા.

પ્રશ્ન 7.
ન્યુમોનિયારોગવિશે સમજાવો.
ઉત્તર:

  1. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હીમોફિલસ ઇન્ફલ્યુએન્ઝા જેવા જીવાણુ મનુષ્યમાં ન્યુમોનિયાપ્રેરવા માટે જવાબદાર છે.
  2. જે ફેફસામાંના વાયુકોષ્ઠોને સંક્રમિત કરે છે. જેને પરિણામે વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાતા, શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાયછે.
  3. આ રોગનાં લક્ષણોમાં તાવ, ઠંડી, કફ અને માથું દુઃખવું વગેરે છે.
  4. તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે.
  5. સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલા બિંદુકો અથવા એરોસોલ્સ (વાયુલિયો) શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી થાય છે.

પ્રશ્ન 8.
શરદીનો ફેલાવો, ચિહ્નો તેમજ તેનારોગકારક વાઇરસનું નામ જણાવો.
ઉત્તર:

  1. ઘણા વાઇરસમનુષ્યમાં રોગકારક હોય છે.
  2. જેમાંનો એક સમૂહરિશ્નોવાઇરસ (rhinovirus), જેમનુષ્યમાં સૌથી સંક્રમિત રોગ સામાન્ય શરદી ફેલાવે છે.
  3. તે નાક અને શ્વસનમાર્ગને સંક્રમિત કરે છે જ્યારે ફેફસાને સંક્રમિત કરતા નથી.
  4. સામાન્ય લક્ષણો તેના સામાન્ય લક્ષણોમાં નાક બંધ થવું અને તેમાંથી સ્રાવ થવો, ગળું સુકાવવું, ઘસારો, કફ, માથું, દુઃખવું, થાક લાગવો વગેરે જે3-7 દિવસ સુધી જોવા મળે છે.
  5. ફેલાવોઃ દર્દીની ખાંસી કે છીંક દ્વારા નીકળતાં બિંદુકો જ્યારે સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં અંદર લેવાથી કે પેન, પુસ્તક, પ્યાલો, દરવાજાના હેન્ડલ, કયૂટરનાં કી-બોર્ડ કે માઉસ વગેરે દ્વારા તેનો ફેલાવો થાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 9.
મેલેરિયારોગવિશે માહિતી આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 1

  • માનવમાં કેટલાક રોગો પ્રજીવો દ્વારા થાય છે. જેમ કે મેલેરિયા એ પ્લાઝમોડિયમનામના સૂક્ષ્મ પ્રજીવ દ્વારા થાય છે.
  • પ્લાઝમોડિયમની ભિન્ન જાતિઓ (P.vivax, P.malaria, P.falciparum)વિવિધ પ્રકારના મેલેરિયા માટે જવાબદાર છે.
  • આમાંથી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ઘાતક પણ હોઈ શકે છે.
  • સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે પ્લાઝમોડિયમ સ્પોરોઝુઓઇટ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશે છે.
  • શરૂઆતમાં આ પરોપજીવી યકૃત કોષોમાં ગુણન પામે છે અને પછી રક્તકણો પર આક્રમણ કરે છે જેને અનુસરીને દર 3થી 4 દિવસે ઠંડી લાગે છે અને વધુ તાવ પ્રેરાય છે.
  • આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી મચ્છરના શરીરમાં પ્રવેશે છે. જયાં તેમનો વિકાસ આગળ થાય છે ત્યાં તેઓ ગુણન પામીને સ્પોરોઝુઓઇટ સર્જે છે.
  • જે મચ્છરની લાળગ્રંથિમાં સંગ્રહિત થાય છે અને જયારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી તેના શરીરમાં પ્રવેશે છે અને તેનો વિકાસ થાય છે.
  • આમ, મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બેયજમાનની જરૂર પડે છે-મનુષ્ય અને મચ્છર. માદા એનોફિલિસ મચ્છર આ રોગના વાહક છે.

વિશેષ જાણકારી (More Information):
પ્લાઝમોડિયમનું જીવનચક્ર
(1) માનવમાં જીવનચક્ર માનવમાં પ્લાઝમોડિયમનું જીવનચક્ર ત્રણ તબક્કામાં જોવા મળે છેઃ

(a) પ્રિ-ઇરિથ્રોસાઇટીક ચક્રઃ

  • માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થોડીક માત્રામાં લાળ માનવશરીરમાં દાખલ થાય છે.
  • લાળમાં રહેલા સ્પોરોઝુઓઇટમાનવરુધિરમાં દાખલ થાય છે. ત્રાક આકારના સ્પોરોઝુઓઇટરુધિરમાંથી યકૃતકોષમાં દાખલ થાય છે.
  • યકૃત કોષમાં ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે, જેને ક્રિપ્ટોસાઇઝોન્ટ કહે છે.
  • ક્રિપ્ટોસાઇઝોન્ટમાં વિશિષ્ટ પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે જેને સાઇઝોગોની કહે છે.
  • ક્રિપ્ટોસાઇઝોન્ટહવે ક્રિપ્ટોમેરોઝુઓઇટમાં ફેરવાયછે.

(b) એક્સોઈરીથ્રોસાઇટીક ચક્ર:

  1. ક્રિપ્ટોમેરોઝુઓઇટ નવા યકૃતકોષમાં દાખલ થઈ વૃદ્ધિ પામી ગોળાકાર બને છે. આ અવસ્થાને મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ કહે છે.
  2. જે અલિંગી પ્રજનન દ્વારા મેટાક્રિપ્ટોમેરોઝુઓઈટમાં ફેરવાય છે જે યકૃતકોષને તોડી રુધિરમાં દાખલ થાય છે.

(c) એન્ડો-ઈરિથ્રોસાઈટીક ચક્રઃ

  1. આ ચક્ર રક્તકણમાં જોવા મળે છે.
  2. મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટ રક્તકણમાં દાખલ થઈ ગોળાકાર બને છે. જે એક ટ્રોફોઝુઓઇટ તરીકે ઓળખાય છે.
  3. ટ્રોફોઝુઓઇટમાં ખોટા પગ ઉદ્ભવે છે. આ અવસ્થા એમીલોઇડ અવસ્થા તરીકે ઓળખાય છે.
  4. પરોપજીવી ઉન્સેચકનો સ્ત્રાવ કરી રક્તકણમાં રહેલા હિમોગ્લોબિનનું હિમ અને ગ્લોબિનમાં વિઘટન કરે છે.
  5. ગ્લોબિન એ પરોપજીવીનો ખોરાક બને છે જ્યારે હિમ ઝેરી પદાર્થ હિમોઝોઇનમાં ફેરવાય છે.
  6. પરોપજીવી હવે ગોળાકાર બને છે જેને સાઇઝોન્ટ કહે છે. સાઇઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા મેરોઝુઓઇટમાં ફેરવાય છે.
  7. મેરોઝુઓઈટ ત્યાર બાદ ગેમેટોસાઇટમાં ફેરવાય છે.
  8. જે ગેમેટોસાઇટ કદમાં નાના અને તેનું કોષકેન્દ્ર મોટું હોય તેને નર ગેમેટોસાઇટ કહે છે જ્યારે માદાગેમેટોસાઇટનું કદ મોટું અને કોષકેન્દ્રનાનું હોય છે.

(2) મચ્છરમાં જીવનચક્ર:

  1. માદા એનોફિલિસ મચ્છર ગેમેટોસાઇટ ધરાવતા માનવનું રુધિર ચૂસે ત્યારે તે પાચનમાર્ગમાં દાખલ થાયછે.
  2. નરગેમેટોસાઇટને હવે માઇક્રોગેટ અને માદા ગેમેટોસાઇટને મેગાગે મીટ તરીકે ઓળખાય છે.
  3. બંને ગમીટનું જોડાણ થઈ ફલન બાદ તે ફલિતાંડમાં ફેરવાય છે.
  4. ફલિતાંડ ત્રાકાકાર બને છે જેને ઉકાઈનેટ તરીકે ઓળખવામાં આવે છે.
  5. ઉકાઇનેટ ઉસીસ્ટમાં ફેરવાયછે, જે લિંગી પ્રજનન દ્વારા સ્પોરોઝોઇટમાં ફેરવાયછે.
  6. આ સ્પોરોઝોઇટલાળગ્રંથિમાં દાખલ થાય છે. આ સ્પોરોઝોઇટને વધુ વિકાસ માટે માનવરુધિરમાં દાખલ થવું પડે છે.
  7. જ્યારે આ મચ્છર માનવને કરડે ત્યારે તેના લોહીમાં લાળની સાથે સ્પોરોઝુઓઇટ દાખલ થાય છે. આમ, માનવમાં ફરીથી જીવનચક્રની શરૂઆત થાય છે.

પ્રશ્ન 10.
અમીબીઆસિસકે અમીબીયમરડો રોગવિશે સમજાવો.
ઉત્તર:

  1. પણ મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવ પ્રજીવ ઍન્ટઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા અમીબીઆસિસ કે અમીબીય મરડો થાય છે.
  2. તેનાં લક્ષણોમાં કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ, મળમાં અતિશ્લેખ અને રુધિરની ગાંઠોયુક્ત જોવા મળે છે.
  3. ઘરમાખીઓ આ રોગની યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે.
  4. આ રીતે મળદ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આરોપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે.

પ્રશ્ન 11.
એસ્કેરીઆસીસ(કૃમિજન્યરોગ) વિશે સમજાવો.
ઉત્તર:

  1. કરમિયું એ સામાન્ય ગોળકૃમિ છે અને મનુષ્ય માટે રોગકારક છે.
  2. આંત્રમાર્ગીય પરોપજીવી કરમિયું એ એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગો માટે જવાબદાર છે.
  3. રોગનાં લક્ષણોમાં આંતરિક રક્તસ્રાવ, સ્નાયુમય દુખાવો, તાવ, એનીમિયા અને આંત્રમાર્ગ અવરોધાય છે.
  4. ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીનાં ઈંડાં બહાર આવે છે.
  5. માટી, પાણી તેમજ વનસ્પતિઓને દૂષિત કરે છે. સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે.

પ્રશ્ન 12.
હાથીપગો રોગ સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 2

  • વૃકેરેરિયા (W. bancroft અને W. malayi) ફિલારીઅલ કૃમિ (હાથીપગાનું કૃમિ) છે.
  • જેઓ પશ્ચઉપાંગોની લસિકાવાહિનીઓમાં ધીમે-ધીમે દીર્ઘકાલીન સોજો સર્જી વર્ષો સુધી તેઓ યજમાનમાં રહે છે. જેથી આ રોગને હાથીપગો કે ફિલારિઆસિસ કહે છે.
  • ઘણીવાર આ રોગથી જનનાંગો પણ પ્રભાવિત થાય છે, જેથી ઘણી મોટી વિકૃતિઓ સર્જાઈ શકે છે.
  • રોગવાહક માદા મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં ફેલાય છે.

વિશેષ જાણકારી (More Information):

  • ફિલારિઅલકૃમિલાંબી દોરી જેવું સફેદ શરીરવાળું અને બંને છેડે અણીદાર હોય છે.
  • પુખ્ત નર અને માદા અનુક્રમે 40 મિમી અને 80 મિમી લાંબા હોય છે.
  • તેઓ મનુષ્યની લસિકાવાહિની અને લસિકા ગાંઠમાં રહે છે, મનુષ્યતેનો પ્રથમયજમાન છે.
  • કૃમિઅપત્યપ્રસવી છે. માદાબાળકૃમિને જન્મ આપે છે જેને સૂક્ષ્મ ફિલારીઆ કહે છે.
  • પછી તે ઊંડી રુધિરવાહિનીઓમાં સ્થળાંતર કરે છે. જે ક્યુલેક્સ ફેટિઝન મચ્છર દ્વારા ચુસાયછે જે મધ્યસ્થયજમાન અને વાહક છે.
  • અહીં તેઓ લગભગ 10 દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે અને મચ્છરનાં મુખાંગોમાં સ્થળાંતરણ પામે છે.
  • જ્યારે ચેપી મચ્છર મનુષ્ય યજમાનને કરડે છે ત્યારે ઇયળ તેની ત્વચામાં પ્રવેશે છે. તેઓ મચ્છરે ચામડીમાં કરેલા છિદ્ર દ્વારા નવા યજમાનમાં પ્રવેશે છે.
  • રુધિરમાંથી તેઓ લસિકાવાહિનીઓ અને લસિકાગ્રંથિઓમાં વહન પામે છે. અહીં તે એક વર્ષમાં પુખ્ત થાય છે. પુખ્ત કૃમિ 5થી8. વર્ષ જીવેછે.
  • દીર્ઘકાલીન સ્થિતિમાં કૃમિલસિકાવાહિનીઓને બંધ કરે છે, જેના કારણે હાથ, પગ, પગના તળિયા, સ્તન અને વૃષણકોથળી જેવા અસરકારકભાગો સૂજી જાય છે. જે ત્વચા અને અધિચ્છદીય પેશીના જાડા થવાના કારણે થાય છે.
  • પગ વિસ્તૃત થવાના કારણે તેને હાથીપગો નામ આપેલ છે.

પ્રશ્ન 13.
દાદર/દરાજકેરિંગવર્મવિશે સમજાવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 3

  1. માઇક્રોસ્પોરમ, ટ્રાયકોફાયટોન અને એપિડફાયટોન જેવી ફૂગ મનુષ્યમાં દાદર (ringworm) માટે જવાબદાર છે કે જે મનુષ્યમાં મોટા ભાગના ચેપી રોગો પૈકી એક છે.
  2. શરીરના વિવિધ ભાગો જેવાકે ત્વચા, નખ અને શિરોત્વચા (scalp) વગેરે પર તે શુષ્ક, શલ્કીય જખમ (scaly lesions) સ્વરૂપે દેખાય છે.
  3. આવા જખમમાં તીવ્ર ખંજવાળ આવે છે. હૂંફાળું અને ભેજયુક્ત વાતાવરણ ફૂગમાં વૃદ્ધિ પ્રેરે છે.
  4. ગડીયુક્ત ત્વચા સ્થાને જેમ કે જાંઘપ્રદેશ તેમજ પગની આંગળીઓ આવા વિસ્તારો છે જ્યાં તે વૃદ્ધિ પામે છે.
  5. દાદર સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાંસકાનો ઉપયોગ કરવાથી થાય છે.

પ્રશ્ન 14.
ચેપી રોગોનો અવરોધ અને નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે?
ઉત્તર:

  • અનેક ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ જનસમુદાયસ્વચ્છતા જાળવવી અગત્યની છે.
  • વ્યક્તિગત સ્વચ્છતામાં શરીરને ચોખ્ખું રાખવું, પીવા માટે શુદ્ધ પાણી, ખોરાક, શાકભાજી વગેરેના સેવનનો સમાવેશ થાય છે.
  • જનસમુદાય સ્વચ્છતામાં નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ, જળાશયો, કુંડ, ખાળકૂવા, ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ તેમજ ચોખ્ખા રાખવા તદુપરાંત લોકઉપભોગ્ય (public catering)માં પણ સ્વચ્છતાનાં ધારાધોરણનું પાલન થાય તે જોવું જરૂરી છે.
  • આવા ઉપાયો વિશિષ્ટરૂપે એવા સ્થાનો પર અનિવાર્ય છે કે જ્યાં ચેપી રોગકારકો ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાતા હોય જેવાકે ટાઇફોઈડ, અમીબીઆસિસ, એસ્કેરીઆસિસ વગેરે.
  • ન્યુમોનિયા અને શરદી જેવા હવા પ્રેરિત રોગોમાં ચેપી વ્યક્તિના ગાઢ સંપર્ક તેમજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
  • કીટકો દ્વારા ફેલાતા રોગ જેવાં કે મેલેરિયા અને ફિલારિઆસિસમાં રોગવાહકો અને તેમનાં પ્રજનનસ્થળોનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે.
  • આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણીને જમા ન થવા દેવું, ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરોના ડિમ્ભને ખાઈ જતી ગેમ્બસિયા માછલીનો ઉપયોગ કરવો, ખાડા, ડ્રેનેજ (પાણીનો નિકાલ), દલદલ (કાદવ) જેવાં સ્થાનોએ કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. આ ઉપરાંત દરવાજા અને બારીઓમાં જાળીલગાવવી જેથી મચ્છરોનો પ્રવેશ અટકાવી શકાય.
  • ભારતમાં મોટા પાયે હાલમાં રોગવાહક (Aedes – એડીસ મચ્છર) દ્વારા ફેલાયેલ ડેબ્યુ અને ચિકનગુનિયા જેવા વ્યાપકરૂપમાં ફેલાયેલ રોગોના સંદર્ભમાં આવા ઉપાયો મહત્ત્વપૂર્ણ છે.
  • જીવવિજ્ઞાનક્ષેત્રે થયેલ પ્રગતિને કારણે આપણને અનેક ચેપી રોગોની ટક્કર ઝીલવા માટેના કારગત પ્રયાસો આપણને પ્રાપ્ત થયા છે.
  • રસી અને પ્રતિરક્ષાકરણ જેવા કાર્યક્રમોને કારણે શીતળા જેવો જીવલેણ રોગ જડમૂળથી દૂર થયો છે.
  • રસીના ઉપયોગથી પોલિયો, ડિગ્યેરિયા, ન્યુમોનિયા અને ટિટેનસ જેવા અનેક ચેપી રોગોને મહદંશે નિયંત્રિત કરી શકાયા છે.
  • જૈવ તકનીકી દ્વારા નવી અને વધુ સુરક્ષિત રસીઓ બનાવી શકાઈ છે.
  • ઍન્ટિબાયૉટિક્સ તેમજ અન્ય દવાઓના સંશોધન દ્વારા ચેપી રોગોનો પ્રભાવી રૂપથી ઉપચાર કરવા માટે સક્ષમતા કેળવાયછે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 15.
પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.
ઉત્તર:

  • દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે.
  • આપણું શરીર મોટા ભાગના આ બાહ્યકારકો (પરજાત કે પ્રતિજન) સામે રક્ષણ મેળવી લે છે. પ્રતિકારતંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા કહેવાય છે.
  • પ્રતિકારકતા બે પ્રકારની છેઃ
    1. જન્મજાત પ્રતિકારકતા અને
    2. ઉપાર્જિત પ્રતિકારકતા.

પ્રશ્ન 16.
જન્મજાતપ્રતિકારકતા સમજાવો.
ઉત્તર:

  • જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ રક્ષણ છે જે જન્મસમયે હાજર જ હોય છે.
  • આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો (અંતરાયો -Barriers) સર્જાવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રતિકારકતામાં ચાર પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે.
  • (i) શારીરિક અંતરાય આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે, જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે. શ્વસનમાર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલ અધિચ્છદ પેશીનું શ્લેષ્માવરણ પણ શરીરમાં પ્રવેશવા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે.
  • (ii) દેહધાર્મિક અંતરાયઃ જઠરમાંના અમ્લ (ઍસિડ), મુખમાંની લાળ, આંખોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે.
  • (iii) કોષાંતરીય અંતરાયઃ આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો (WBCs) જેવાં કે બહુરૂપી કેન્દ્રીય ચેતકણ (poly morphonuclearleukocytes-PMNL તટસ્થકણો) અને એકકેન્દ્રીય કણો તેમજ રુધિરમાં રહેલા લસિકાકોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો (Natural Killer lymphocytes) ઉપરાંત પેશીઓમાં બૃહદ્દકોષો એ જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે.
  • (iv) કોષરસીય અંતરાય: વાઈરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોના કહેવાતા પ્રોટીનનો સ્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરે છે.

પ્રશ્ન 17.
ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો.
અથવા
એન્ટિબોડીની આણ્વિક ચના આકૃતિ સહ સમજાવો.
ઉત્તર:

  • ઉપાર્જિત રોગપ્રતિકારકતા વિશિષ્ટ છે તે સ્મૃતિ આધારિત છે.
  • આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે પહેલો પ્રતિચાર આપે છે. જેને નિમ્નતીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર કહે છે.
  • ત્યાર બાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર આપે છે. જેનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે.
  • પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકાકોષો દ્વારા થાય છે : B – લસિકા કોષો, T-લસિકા કોષો.
  • રોગકારકોના પ્રતિચાર સમયે B – કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. જેથી તે રોગકારકો સામે લડી શકે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય (એન્ટિબૉડી) કહેવાય છે.
  • T-કોષો ઍન્ટિબૉડી સર્જતા નથી. પરંતુ B-કોષોને ઍન્ટિબૉડીના નિર્માણમાં સહાય કરે છે.
  • પ્રત્યેક ઍન્ટિબૉડીની આણ્વિક રચનામાં ચાર પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલ છે – બે નાની હળવી શૃંખલાઓ અને બે ભારે શૃંખલાઓ માટે તેનેH2L2 સ્વરૂપે દર્શાવાય છે.
  • આપણા શરીરમાં વિવિધ પ્રકારના ઍન્ટિબૉડી સર્જાય છે- IgA, IgM, IgE, IgGવગેરે.
  • ઍન્ટિબૉડી રુધિરમાં જોવા મળે છે, માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય છે. જે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકારોમાંનો એક છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 4

  • ઍન્ટિબૉડી અણુની સંરચના ઍન્ટિબૉડી મધ્યસ્થી તેનો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા (cellmediated immunity-CMI) છે.
  • T-લસિકા કોષો CMIનું માધ્યમ બને છે.
  • જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવાં અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે છે ત્યારે એકમાત્ર ઉપચાર પ્રત્યારોપણ હોય છે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય છે.
  • કોઈ પણ સ્રોત – પશુ, અન્ય પ્રાઇમેટ કોઈ પણ મનુષ્યજાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી. કારણ કે તરત કે પછી દર્દીનું શરીરને અંગને નકારશે.
  • કોઈ પણ આરોપણ/પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિઆવશ્યક હોય છે અને તે પછી પણ રોગીને પોતાના જીવનપર્યત પ્રતિકાર-અવરોધકોને લેવા પડે છે.
  • શરીર “સ્વજાત’ અને ‘પરજાત’નો ભેદ પારખવા સક્ષમ છે અને કોષી – મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે.

વિશેષ જાણકારી (More Information):

  • ઍન્ટિબૉડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પણ કહેવાય છે. તેને ટૂંકમાં Igપણ કહે છે.
  • શરીરમાં વિવિધ પ્રકારના B-કોષો આવેલા હોય છે.
  • કોઈપણ ઍન્ટિજન જ્યારે શરીરના પ્રવાહીમાં પ્રવેશે ત્યારે કેટલાકB-કોષો તેના સંપર્કમાં આવે છે.
  • B-કોષોનું કોષરસપડતે ઍન્ટિજન પ્રત્યે સંવેદી બને છે. સંવેદિત B-કોષો તેના જેવા જ અસંખB- કોષોનું સર્જન કરે છે.
  • કેટલાકB-કોષ પ્લાઝમા કોષોમાં વિકાસ પામે છે અને ઍન્ટિજન સામેચોક્કસઍન્ટિબૉડી સર્જે છે.
  • કેટલાકB-કોષ ઓછા દરે વિભાજન પામી ક્લોન સાતત્ય જાળવે છે, આવા કોષોને સ્મૃતિકોષો કહે છે.
  • તે કોષો દ્વારા ઍન્ટિબૉડી ઍન્ટિજન સાથે જોડાઈને ઍન્ટિજન – ઍન્ટિબૉડી સંકુલ રચે છે. જેમાં મુખ્ય ત્રણ ઘટનાનો સમાવેશ થાય છે:
  • એગ્લેટિનેશન ઍન્ટિબૉડી બેક્ટરિયા, વાઇરસ અને અન્ય પરજાત દ્રવ્યો વગેરે ઍન્ટિજનના સંપર્કમાં આવતા તેની સાથે સંકળાઈને તેને બિનહાનિકારક, અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપિત કરે છે તેને એગ્લેટિનેશન કહે છે.
  • ઓસોનાઇઝેશનઃ ખાસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિનના અણુઓ ઍન્ટિજનની સપાટી પર છવાઈ જઈને આવરણ રચે છે. ભક્ષકકોષો આવાઅણુઓને ઓળખી તેનું ભક્ષણ કરીને નાશ કરે છે. આ ક્રિયાને સોનાઇઝેશન કહે છે.
  • નિષ્ક્રિયકરણ ઍન્ટિબૉડી બૅક્ટરિયા, વાઇરસ વગેરે દ્વારા ઉત્પન્ન થતા વિષદ્રવ્યોને બિનઅસરકારક બનાવી તેમનો નાશ કરે છે. આ ઘટનાને નિષ્ક્રિયકરણ કહે છે.

પ્રશ્ન 18.
સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાવો.
ઉત્તર:

  1. જ્યારે યજમાન ઍન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાનના દેહમાં ઍન્ટિબૉડીનું સર્જન થાય છે.
  2. ઍન્ટિજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે.
  3. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે.
  4. પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવાએ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે.
  5. જ્યારે શરીરમાં તૈયાર ઍન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે.
  6. દુષ્પગ્નવણ (Lactation – ધાવણ)ના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્રવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રોમમાં ઍન્ટિબૉડીIgAવિપુલ માત્રામાં હોય છે જે શિશુને રક્ષિત કરે છે.
  7. ગર્ભાવધિકાળ દરમિયાન ભૂણને પણ જરાય દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક ઍન્ટિબૉડી પ્રાપ્ત થાય છે જે નિષ્ક્રિય પ્રતિકારકતાનાં કેટલાક ઉદાહરણ છે.

પ્રશ્ન 19.
રસીકરણ વિશે માહિતી આપો.
અથવા
રસીકરણ અને પ્રતિકારકતા સમજાવો.
ઉત્તર:

  1. પ્રતિકારકતા કે રસીકરણનો સિદ્ધાંત પ્રતિકાર તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે.
  2. રસીકરણમાં રોગપ્રતિકારક પ્રોટીન (રોગકારકનું ઍન્ટિજેનિક પ્રોટીન) કે નિષ્ક્રિય નબળા રોગકારક રસી) તૈયાર કરી શરીરમાં દાખલ કરાયછે.
  3. આ ઍન્ટિજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા ઍન્ટિબૉડી વાસ્તવિકચેપ દરમિયાન રોગકારકોની અસર નાબૂદ કરે છે.
  4. આરસી પણ સ્મૃતિ આધારિત Bઅને T કોષો સર્જે છે. જે રોગકારકોને ઝડપથી ઓળખી, વિપુલ માત્રામાં એન્ટિબૉડીનું સર્જન કરી હુમલાખોર ઍન્ટિજનને હરાવી દે છે.
  5. જ્યારે કોઈ વ્યક્તિ એવા કોઈ ઘાતક જીવાણુઓથી સંક્રમિત થાય છે ત્યારે તેને તાત્કાલિક ધોરણે ઍન્ટિબૉડીની આવશ્યકતા હોય છે.
  6. જેમ કેટિટેનસ (ધનુર)માં વ્યક્તિના શરીરમાં તૈયાર ઍન્ટિબૉડી કે ઍન્ટિટોક્સિનવિષકારક પદાર્થદાખલ કરવામાં આવે છે.
  7. સર્પદંશ જેવા કિસ્સામાં પણ રોગિષ્ઠને ઇજેક્શન આપવામાં આવે છે. તેમાં સર્પવિષ વિરુદ્ધ તૈયાર ઍન્ટિબૉડી હોય છે. આ પ્રકારની પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે.
  8. પુનઃસંયોજિત DNA ટેકનોલૉજી દ્વારા જીવાણુ કે યીસ્ટમાં રોગકારકની ઍન્ટિજેનિક પોલિપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે.
  9. ઉદાહરણ તરીકે હિપેટાઇટીસ-બીની રસીયીસ્ટમાંથી બનાવવામાં આવે છે.

પ્રશ્ન 20.
એલર્જી શું છે? સમજાવો.
ઉત્તર:

  • જ્યારે તમે કોઈ નવી જગ્યાએ ગયા હશો અને અચાનક કોઈ પણ કારણ વગર છીંક, કફને લીધે ગળામાં સસણી બોલવી વગેરે જેવા અનુભવો થયા હશે અને તમે આસ્થાનેથી દૂર જાઓ છો તો આ લક્ષણ ગાયબ થઈ જાય છે.
  • આપણામાંના કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઉપર્યુક્ત પ્રતિક્રિયા પરાગરજ, જીવાતો પ્રત્યેની ઍલર્જીના કારણે આવું થાય છે. જે અલગ-અલગ સ્થાનોએ ભિન્ન પ્રકારની હોય છે.
  • પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને ઍલર્જી કહે છે. એવા પદાર્થો, જેમના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય છે તેને ઍલર્જી પ્રેરકો કહેવાય છે.
  • ઍલર્જી પ્રેરકો માટે સર્જાતાં ઍન્ટિબૉડી IgE પ્રકારના હોય છે.
  • ઍલર્જીના સામાન્ય ઉદાહરણોમાં ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, પ્રાણીઓનો ખોડો વગેરે છે.
  • ઍલર્જીનાં લક્ષણોમાં છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરેનો સમાવેશ થાય છે. ઍલર્જી થવાનું કારણ માસ્ટકોષોમાંથી ગ્નવતા હિસ્ટેમાઇન અને સેરેટોનીન રસાયણો છે.
  • ઍલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત ઍલર્જીન્સના સંપર્કમાં લાવવામાં આવે છે અથવા ઍલર્જીન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે.
  • ઍન્ટિહિસ્ટેમાઈન, એડ્રિનાલિન અને સ્ટેરોઇડ જેવા ઔષધો દ્વારા ઍલર્જીનાં લક્ષણોને ઝડપથી ઘટાડી શકાય છે.
  • પરંતુ આધુનિક જીવનશૈલીના ફળસ્વરૂપ લોકોમાં પ્રતિકારકતા ઘટી છે અને ઍલર્જીન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે.
  • ભારતનાં મોટા શહેરોમાં મોટા ભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ ઍલર્જી અને અસ્થમા (દમ)નો શિકાર બની રહ્યા છે.
  • આનું કારણ, બાળકના જીવનની શરૂઆતથી જ તેઓને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવું તે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 21.
પ્રતિકારકતા સમજાવો.
ઉત્તર:
ઉચ્ચકક્ષાના પૃષ્ઠવંશીઓમાં, સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે. જોકે હજી સુધી તેનો આધારસમજી શકાયો નથી. તેને બે ઉપસિદ્ધાંતોથી સમજી શકાય.

  1. ઉચ્ચકક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે.
  2. કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને સ્વપ્રતિરક્ષા (auto-immune) રોગ કહે છે. સંધિવા એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે.

પ્રશ્ન 22.
શરીરમાં રોગપ્રતિકારકતંત્રસમજાવો.
અથવા
લસિકાઅંગો વિશે માહિતી આપો.
ઉત્તર:

  • મનુષ્યના પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો, પેશીઓ, કોષો અને ઍન્ટિબૉડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે.
  • આપણું પ્રતિકારક તંત્રવિશિષ્ટ છે જે પરજાત ઍન્ટિજનને ઓળખે છે. તેનો પ્રતિચાર આપે છે તેમજ તેને યાદ રાખે છે.
  • પ્રતિકારકતંત્રમાં ઍલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારક્તા અને અંગપ્રત્યારોપણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
  • લસિકા અંગો: આએવાં અંગો છે જયાં લસિકા કણોનું સર્જન કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે.
  • પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાયમસનો સમાવેશ થાય છે. જ્યાં અપરિપક્વ લસિકાકણો, ઍન્ટિજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાયછે.
  • પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવાં કે બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડાના પેયર્સની
    ખંડિકાઓ (નાના આંતરડાની દીવાલમાં લસિકા પેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે) અને આંત્રપુચ્છમાં સ્થળાંતરિત થાય છે.
  • દ્વિતીય લસિકા અંગો લસિકાકણોને ઍન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે. પ્રાથમિકલસિકા અંગોઃ
    1. અસ્થિમજ્જા અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગછે, જેમાં લસિકાકણ સહિત બધા રુધિર કોષો સર્જાય છે.
    2. થાયમસઃ થાયમસ એ ખંડમય અંગ છે, જે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે. કાયમસ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ નાના કદની બને છે. થાયમસ અને અસ્થિમજ્જા બંને T-લસિકા કોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે.

દ્વિતીયલસિકાઅંગોઃ
GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 5

  • બરોળઃ બરોળ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. તે મુખ્યત્વે લસિકાકણો અને ભક્ષક કોષો ધરાવે છે. બરોળ ઇરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે.
  • લસિકા ગાંઠઃ લસિકા ગાંઠ લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. લસિકાગાંઠ લસિકા અને એશીય જળમાં રહેલ સૂક્ષ્મ જીવો કે અન્ય ઍન્ટિજનોને જકડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ ઍન્ટિજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે.
  • લસિકાપેશીઃ શ્વસનમાર્ગ, પાચનમાર્ગ અને મૂત્રજનનમાર્ગ જેવા અગત્યના માગના અસ્તરમાં લસિકાપેશી આવેલ છે જેને શ્લેષ્મ સંકલિત લસિકાપેશી (mucosal associated lymphoid tissue – MALT) કહે છે. તે લસિકા ગાંઠોનું રેખાંકિત નિરૂપણ મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50ટકા જેટલું પ્રમાણ ધરાવે છે.

પ્રશ્ન 23.
એઇરોગસમજાવો તેમજ તેના ફેલાવાનાં કારણો, નિદાન અને તેને અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તર:

  • એઇટ્સ (AIDS)નું પૂર્ણ નામ ઍક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ (Acquired Immuno Deficiency Syndrome) છે. જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઊણપથી થતો રોગ, જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે. જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 6

  • સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ છે. આ રોગ સૌપ્રથમ 1981માં નોંધાયો હતો અને છેલ્લાં 25 વર્ષોમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે, તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
  • એઇટ્સ, હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાઇરસ (Human Immuno Deficiency Virus – HIV)થી થાય છે. તે રિટ્રોવાઇરસ સમૂહનો વાઇરસ છે, જે આવરણથી રક્ષિત RNAજનીન દ્રવ્ય ધરાવે છે.
  • એઈડ્રેસ ફેલાવા માટેનાં કારણો:
    1. ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી
    2. દૂષિત રુધિર અને તેની નીપજોના ઉપયોગથી
    3. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સીરિજને કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી
    4. રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી.
  • HIV/AIDS માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, તે માત્ર દેહપ્રવાહી દ્વારા ફેલાય છે.
  • આથી આ પણ મહત્ત્વનું છે કે, શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વસ્થતા માટે HIV/AIDS ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવી.
  • ચેપ લાગવો અને એઇસનાં લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશાં અંતરાલ હોય છે. આ અવધિથોડાક મહિનાથી લઈને કેટલાંક વર્ષો (સામાન્યતઃ 5થી 10 વર્ષ સુધીનો હોય છે.
  • વાઇરસનીયજમાનકોષમાં ક્રિયાવિધિ વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાઇરસ મેક્રોફેજમાં પ્રવેશે છે.
  • જ્યાં વાઇરસનું RNAજનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સચકની મદદથી વાઇરલDNAમાં સ્વયંજનન પામે છે.
  • આ વાઇરલ DNA યજમાન કોષના DNA માં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જવાઇરસના અણુઓ પેદા કરે છે.
  • આમ, મેક્રોફેઝવાઇરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે HIVના કારખાના તરીકે વર્તે છે.
  • આદરમિયાન, HIV મદદકર્તાT-લસિકા કોષો (TH)માં પ્રવેશે છે અને સ્વયંજનન પામીવાઇરસની સંતતિઓ સર્જે છે.
  • આ રીતે નવા સર્જાયેલા વાઇરસરુધિરમાં મુક્ત થાય છે જે અન્ય મદદકર્તાT-લસિકા કોષો પર હુમલો કરે છે.
  • આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદકર્તાT-લસિકાકોષોની સંખ્યા ઘટે છે.
  • આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • મદદકર્તા T-લસિકા કોષોની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બૅક્ટરિયા ખાસ કરીને માઇક્રોબૅક્ટરિયમ, વાઇરસ, ફૂગતેમજ ટેક્સો પ્લાઝમા જેવા પરોપજીવીઓના ચેપનો શિકાર બને છે.
  • રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે તે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે.
  • એઇસનું નિદાન: AIDS ના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટી એલિઝા (enzyme linked immuno sorbent assay – ELISA).
  • ઍન્ટિરિટ્રોવાઇરસ ઔષધો દ્વારા AIDSનો ઉપચાર આંશિકરીતે થઈ શકે છે.
  • આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે, પરંતુ રોકી શકતી નથી, જે અનિવાર્ય છે.
  • એઇસને અટકાવવાના ઉપાયો: એઇગ્સને મટાડી શકાતો નથી, સાવધાની જ શ્રેષ્ઠવિકલ્પ છે.
  • આ ઉપરાંત, HIVનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિ (conscious behaviours pattern)થી ફેલાય છે, નહિ કે ન્યુમોનિયા કે ટાઈફૉઈડ જેવા રોગોની જેમ અજાણતા.
  • રુધિરાધાન, નવજાત શિશુ (માતામાંથી) વગેરેમાં ચેપનબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે.
  • એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે અને માટે સાચે જ કીધું છે કે “અવગણનાને કારણે નમરો.”
  • આપણા દેશમાં રાષ્ટ્રીય એઇસનિયંત્રણ સંસ્થાન-નેશનલ એઇસ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન (NACO) અને અન્ય બિનસરકારી સંસ્થાઓ-નોન ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન્સ (NGOs) પણ લોકોને એઇડ્મની જાગૃતિ આપવા કાર્યરત છે.
  • WHOપણ HIV નાચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે.
  • બ્લડબેંન્કના રુધિરને HIV મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલસોયઅને સીરિજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, નિરોધનું મફત વિતરણ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, HIV સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
  • HIVનો ચેપ હોવો કે એઇડ્યું હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ. કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે છે.
  • સમાજમાં HIV/AIDS પ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે, તેમજ તેમને અપરાધી દૃષ્ટિથી જોવા ન જોઈએ.
  • જયાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહિ જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેકગણો થવાની સંભાવના છે.
  • આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સકવર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 24.
કેન્સર વિશે સામાન્ય માહિતી આપીકેન્સરની ગાંઠનાપ્રકાર અને કેન્સર થવાનાં કારણો જણાવો.
અથવા
સાધ્યગાંઠ અને અસાધ્ય ગાંઠ વચ્ચેનો ભેદ જણાવી સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવતાકારકો સમજાવો.
ઉત્તર:

  • કૅન્સર ભયંકર રોગમાંનો એક છે, કે જેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે.
  • ભારતમાં દસ લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે તેમાંના ઘણાં લોકો તેનાથી મૃત્યુ પામે છે.
  • કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોનું કૅન્સર કોષોમાં રૂપાંતર, તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે.
  • આપણા શરીરમાં, કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે.
  • કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે. સામાન્ય કોષો સંપર્કનિષેધના ગુણધર્મદર્શાવે છે.
  • આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. કેન્સર ગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે. તેથી કૅન્સર કોષો સતત કોષવિભાજન પામી, કોષોનો સમૂહ સર્જે છે જેને ગાંઠ કહે છે.
  • આવી ગાંઠબે પ્રકારની હોયછે: સાધ્ય અને અસાધ્ય ગાંઠ.
  • સાધ્ય ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે.
  • અસાધ્ય ગાંઠ એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે જેને નિઓપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો કહે છે, જે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે.
  • આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યામારી નાખે છે (સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્ત્વોથી વંચિત રાખે છે).
  • આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂ કરે છે.
  • અસાધ્ય ગાંઠનો આ રોગવ્યાપ્તિ (metastasis)નો ગુણધર્મખૂબ જ ભયજનક છે.
  • કેન્સર થવાનાં કારણોઃ સામાન્ય કોષોને કૅન્સરગ્રસ્ત નિઓપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે. – કેન્સર ફેલાવતા કારકોને કૅન્સરજન્સ કહે છે.
  • X- કિરણો અને ગામા કિરણો જેવાં આયનિક કિરણો અને UV જેવા બિનઆયનિક કિરણો DNA ને ઇજા કરે છે. તેમજ તેમને નિઓપ્લાસ્ટિકમાં ફેરવે છે.
  • તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કૅન્સરજન પદાર્થો ફેફસામાં કૅન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે.
  • કૅન્સર પ્રેરતા વાઇરસને ઓન્કોજેનિક વાઇરસ કહે છે અને તેમના જનીનને વાઇરલ ઓન્કોજિન્સ કહેવાય છે.
  • આ ઉપરાંત, સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ અથવા પ્રોટોઓન્કોજિન્સ આવેલા હોય છે જે ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે અને સામાન્ય કોષોને કૅન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે.

પેટપ્રશ્નઃ કેન્સરની ચકાસણી અને નિદાન તેમજ તેની સારવાર સમજાવો.
ઉત્તર:

  • કેન્સરની ચકાસણી અને નિદાન કેન્સર સમયસર વહેલાં ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બન્યો છે.
  • કૅન્સરની ચકાસણી પેશીના બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજિકલ અભ્યાસને આધારે થઈ શકે છે, જ્યારે લ્યુકેમિયા રુધિરનું કેન્સર) જેવા કિસ્સાઓમાં રુધિર અને અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે.
  • બાયોપ્સીમાં સંભવિત પેશીનો એક ટુકડો લઈ, તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજિસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે.
  • શરીરનાં આંતરિક અંગોના કૅન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી (X-કિરણોનો ઉપયોગ), CT (computed tomography) અને MRI(magnetic resonance imaging) જેવી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.
  • કમ્યુટેડ ટોમોગ્રાફી x-કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે.
  • MRI માં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલૉજિકલ અને દેહધાર્મિક ફેરફારો જાણી શકાય છે.
  • કેટલાક નિશ્ચિત કૅન્સરના પરીક્ષણ માટે કૅન્સર નિર્દિષ્ટ પ્રતિજનસામે ઍન્ટિબૉડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
  • આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કૅન્સરના નિદાન માટે આણ્વિય જીવવિજ્ઞાનની તકનીકીનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે.
  • આ જનીનોની ઓળખ, કે જે વ્યક્તિને નિશ્ચિત કૅન્સર સામે પૂર્વવત્ (predispose) કરી શકે છે અને કેન્સરને અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે.
  • એવી વ્યક્તિઓ જેમને કેટલાક કૅન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે તેવી વ્યક્તિઓને તેમનાથી દૂર જ રહેવું સલાહભર્યું છે (દા.ત., તમાકુના ધુમાડાથી થતું ફેફસાંનું કેન્સર).
  • કેન્સરની સારવાર કૅન્સરની સારવાર માટે સામાન્યતઃ શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરવામાં આવે છે.
  • વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતકરૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઇજા ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.
  • કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધોનો ઉપયોગ કૅન્સરગ્રસ્ત કોષોને નાશ કરવા માટે કરવામાં આવે છે. આમાંના કેટલાક ચોક્કસ ગાંઠમાટે નિશ્ચિત હોય છે.
  • મોટા ભાગની દવાઓની આડઅસર હોય છે. જેવી કે વાળ ઊતરવા, એનીમિયા વગેરે.
  • મોટે ભાગે કૅન્સરમાં શસ્ત્રક્રિયા વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે.
  • ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાયછે. માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવા કે જી-ઇન્ટરફેરોન આપવામાં આવે છે જેથી તેમનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય છે અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ બને છે.

પ્રશ્ન 25.
નશાકારક પદાર્થો વિશે માહિતી આપો.
ઉત્તર:

  • આંકડાકીય સર્વેક્ષણ પરથી જાણી શકાય છે કે કેફી પદાર્થો અને આલ્કોહૉલનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે જેના કારણે ઘણી નુકસાનકારક અસરો ઉદ્દભવે છે.
  • યુવાનોને આવી ભયજનક વર્તણૂકથી સુરક્ષિત કરવા તેમને યોગ્ય શિક્ષણ અને સલાહ અપાય તે જરૂરી છે જેથી તેઓ એક તંદુરસ્ત જીવશૈલીને અનુસરી શકે.
  • સામાન્ય રીતે વપરાતા નશાકારકોમાં અફીણ, ચરસ અને કોકેઈનનો ઉપયોગ થાય છે. મોટા ભાગના આમાંના સપુષ્પી વનસ્પતિઓ અને કેટલીક ફૂગમાંથી મેળવવામાં આવે છે.
  • (i) અફીણઃ અફીણ એ એવું કેફી દ્રવ્ય છે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરાંત્રિય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ સાથે જોડાણ સાધે છે.
  • (ii) હેરોઈન હેરોઇન જેને સ્મક કહે છે. તે રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોર્ફિન છે જે સફેદ, વાસહીન, કડવું, સ્ફટિકમય સંયોજન છે.
  • જે મોર્ફિનનના એસિટાયલેશનથી મેળવવામાં આવે છે કે જેને ખસખસ (papaver somniferum) વનસ્પતિનાદુગ્ધ (ક્ષીર)માંથી મેળવવામાં આવે છે. – જે સામાન્ય રીતે તેને નાસિકા દ્વારા કે ઇજેક્શન દ્વારા લેવામાં આવે છે.
  • હેરોઇન તણાવશામક છે અને શરીરનાં કાર્યોને ધીમા પાડે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 7

  • (iii) કેનાબિનોઇસ કેનાલિનોઇસ એ રસાયણોનો સમૂહ છે, જે મગજમાંના કેનાલિનોઇડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 8

  • કુદરતી કેનાલિનોઇડ, ભાંગ (કેનાલિસ સટાઈવા) વનસ્પતિના પુષ્પવિન્યાસમાંથી મેળવવામાં આવે છે.
  • કેનાલિસના ટોચના પુષ્પ, પર્ણ અને રેઝિન (રાળ)નો વિવિધ સંયોજનોમાં ઉપયોગ કરી મેરીઝુઆના, હસીસ, ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે.
  • સામાન્યતઃ અંતઃશ્વસન અને મુખ-અંતઃગ્રહણ દ્વારા લેવાતા માદક દ્રવ્ય શરીરના હૃદ પરિવહનતંત્રને અસર કરે છે.
  • (iv) કોકા આલ્કલોઇડ અથવા કોકેઇનઃ કોકેઇન જે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા (ઇરિથ્રોઝાયેલમ કોકા)માંથી મેળવવામાં આવે છે. જે ચેતાપ્રેષકદ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 9

  • કોકેઇન જેને સામાન્ય રીતે કોક’ કે “ક્રેક’ કહીએ છીએ, તેને નાસિકા વાટે લેવામાં આવે છે. તે મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક છે, જે ઉત્સાહની અનુભૂતિ કરાવે છે અને ઊર્જામાં વધારો કરે છે.
  • તેની વધુ માત્રા ભ્રામકતા પ્રેરે છે. અન્ય આવી ભ્રામકતા પ્રેરક વનસ્પતિઓ એટ્રોપા ખેલાડોના અને ધતૂરો છે. કેટલાક રમતવીરો પણ કેનાલિનોઇડનો દુરુપયોગ કરતા થયા છે.
  • (v) બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝપાઈનઃ બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝેપાઇન અને તેના જેવી અન્ય ડ્રગ્સ જે હતાશા અને અનિદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેઓનો પણ દુરુપયોગ થાય છે.
  • (vi) મોર્ફિનઃ મોર્ફિન એ અસરકારક શાંતિદાયક કે દર્દશામક ઔષધ છે અને જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
  • (vii) તમાકુ ધૂમ્રપાન પણ આ તીવ્ર નશાકારક પદાર્થોના તીવ્ર ઉપયોગનો રસ્તો ખોલી આપે છે. તમાકુનો ઉપયોગ મનુષ્ય 400 વર્ષો કરતાં પણ વધુ સમયથી કરતો આવ્યો છે.
  • તમાકુનો ઉપયોગ ધૂમ્રપાન, ચાવવામાં અથવા છીંકણી તરીકે થાય છે.
  • તમાકુમાં ઘણા રાસાયણિક પદાર્થો હોય છે જેમાંનો એક આલ્કલોઇડનિકોટીન છે.
  • નિકોટીન દ્વારા એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજના મળતા, તે એપ્રિનાલિન અને નોર એડ્રિનાલિનને રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે અને રુધિરનું દબાણ તથા હૃદયના ધબકારા બંનેમાં વધારો કરે છે.
  • ધૂમ્રપાન એ ફેફસાં, મૂત્રાશય અને ગળાના કેન્સરમાં, બ્રોન્કાઇટિસ, એમ્ફિસેમા, કોરોનરી સંબંધી હૃદયનો રોગ અને જઠરમાં ચાંદુ પડવું વગેરેમાં ઝડપથી વધારો પ્રેરે છે.
  • તમાકુના ચાવવાથી મુખગુહાનાં કૅન્સરનું જોખમ વધે છે. ધૂમ્રપાન રુધિરમાં કાર્બન મોનૉક્સાઈડ (CO)નું પ્રમાણ વધારે છે અને હિમ (સમૂહ) બંધિત ઑક્સિજનની સાંદ્રતાને ઘટાડે છે, જેને પરિણામે શરીરમાં ઑક્સિજનની ઊણપ સર્જાય છે.
  • જ્યારે વ્યક્તિ સિગારેટનું પેકેટ ખરીદે છે ત્યારે એવું નથી બનતું કે તેની નજર સિગારેટના પેકેટ પર છાપેલી કાનૂની ચેતવણી પર તેનું ધ્યાન ન જાય. ધૂમ્રપાનથી સાવચેત કરે છે અને દર્શાવે છે કે તે કેવી રીતે સ્વાથ્ય માટે હાનિકારક છે.
  • આમ છતાં પણ યુવાનો અને વૃદ્ધો બંનેમાં આજકાલ ધૂમ્રપાનનું ચલણ વધ્યું છે. યુવાનો અને વૃદ્ધો બંનેએ ધૂમ્રપાન અને તમાકુ
    ચાવવાની આદતથી દૂર રહેવું જોઈએ.
  • દરેક બંધાણીને સલાહ અને ચિકિત્સાસંબંધી માર્ગદર્શન આપી આ આદતમાંથી છૂટકારો આપવો જોઈએ.

પ્રશ્ન 26.
શામાટે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ જોવા મળે છે?
ઉત્તર:

  • કિશોરાવસ્થાનો અર્થ “એક સમયગાળો” અને “એક પ્રક્રિયા બને છે, જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં જાતે પ્રભાવીપણે સહભાગી બની શકવા પરિપક્વ બને છે.
  • વ્યક્તિની ઉંમરના 12થી 18વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે. બીજા શબ્દોમાં તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનારસેતુ છે.
  • તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફારો જોવા મળે છે. આમ, તરુણાવસ્થા એ વ્યક્તિનો માનસિક અને મનોવૈજ્ઞાનિકવિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે.
  • જિજ્ઞાસા, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ તથા પ્રયોગ કરવાની ઇચ્છા વગેરે આવાં સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો તેમજ આલ્કોહૉલના સેવન માટે મજબૂર કરે છે.
  • બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે.
  • નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બની જાય છે. પછી તરુણો સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે.
  • કેટલાક તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે.
  • યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહૉલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીરગંભીરતાને પ્રગતિશીલતાનું પ્રતીક છે. આ બધી આદતો જસેવન કરવા માટેનું મુખ્ય કારણ છે.
  • ટેલિવિઝન, ચલચિત્રો, સમાચારપત્રો, ઇન્ટરનેટજેવાં માધ્યમો પણ તેને વેગ આપે છે.
  • કિશોરોમાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવનાં અન્ય કારણોમાં કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણના અભાવનો પણ સમાવેશ થાય છે.

પ્રશ્ન 27.
બંધાણી અને પરાધીનતા શું છે? સમજાવો.
ઉત્તર:

  • દેખીતી રીતે કેફી પદાર્થો લાભદાયી છે એવી સમજને કારણે તેનો ઉપયોગ વારંવાર થાય છે.
  • સૌથી મહત્ત્વની વાત એ છે કે, આલ્કોહોલ અને ડ્રગ્સની પ્રકૃતિ જે વ્યસની બનાવવાની છે તેમ છતાં તેઓ આ વાત સમજી શકતા નથી.
  • વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો ધરાવે છે. જેમ કે, ઉલ્લાસની અનુભૂતિ અને ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓને કારણે વ્યક્તિ કેફી પદાર્થો અને આલ્કોહૉલ સાથે સંકળાયછે.
  • જેથી વ્યક્તિ જ્યારે તેની જરૂર હોતી નથી કે તેનો ઉપયોગ સ્વયં વિનાશને પ્રેરે છે, છતાં તેનો ઉપયોગ કરે છે.
  • કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલા સંવેદનાગ્રાહકોની સહનશીલતાનો આંક ઊંચો જાય છે. જેને કારણે નશાકારક પદાર્થો કે આલ્કોહોલની ઉચ્ચ માત્રા જ સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે છે, કે જેથી તેને વધુ માત્રામાં લેવાની આદત પડી જાય છે.
  • નશાકારક પદાર્થોનું એકવારનું પણ સેવન વ્યક્તિને બંધાણી તરફ દોરી જાય છે.
  • આ રીતે નશાકારક પદાર્થો અને આલ્કોહૉલની વ્યસની કે બંધાણી ક્ષમતાને એક દુર્બસની કે નીતિભ્રષ્ટ મિત્રવર્તુળ તરફ દોરી જાય છે કે જેથી આ પદાર્થોનું નિયમિત સેવન કરતું હોય છે તથા આચક્રમાંથી બહાર નીકળવું તેના હાથની વાત રહેતી નથી.
  • આમ, યોગ્ય માર્ગદર્શન કે પરામર્શનના અભાવથી વ્યક્તિ વ્યસની કે તેનો બંધાણી બની જાય છે અને તેના ઉપયોગથી પરાધીન બને છે.
  • પરાધીનતાને લીધે શરીરનું અમુકદિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય છે.
  • જો નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલ એકાએક ત્યાગ કરવાને લીધે તેને વિડ્રોઅલ સિન્ડ્રોમ થાય છે. જેને લીધે બેચેની, કંપારી, ઉબકા અને પરસેવો વગેરે લક્ષણો જોવા મળે છે.
  • જ્યારે ફરીથી તેનો ઉપયોગ થાય ત્યારે આનાથી રાહત મળી શકે છે. કેટલાક કિસ્સામાં વિડ્રોઅલ સિન્ડ્રોમ ગંભીર બને છે અને જીવન માટે જોખમી પણ બને છે જેથી વ્યક્તિને દાક્તરી સારવાર આપવાની આવશ્યકતા પણ ઊભી થાય છે.
  • પરવશતાને કારણે દર્દી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે જરૂરી ધન રાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડોને દાવ પર લગાવી દે છે. જેને પરિણામે અનેક સામાજિક વ્યવસ્થાપનની મુશ્કેલીઓ સર્જાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 28.
નશાકારકપદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.
ઉત્તર:

  • નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનથી તાત્કાલિક પ્રતિકૂળ અસરો વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, વિધ્વંસ કે જંગલીપણું અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે.
  • નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા અથવા મગજમાં રક્તસ્રાવને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુતરફ ધકેલાય છે. – નશાકારક પદાર્થોનું સંયોજન કે આલ્કોહૉલ સાથે તેમનું સેવન તેની વધુ માત્રા છે અને તે મૃત્યુ પણ પ્રેરે છે.
  • યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહૉલની કુટેવનાં ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કૉલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો, વજન અને ભૂખમાં વધઘટ.
  • નશાકારક પદાર્થો/આલ્કોહૉલના સેવનથી દુરોગામી અસરો પણ હોઈ શકે છે. જો બંધાણીને નશાકારક પદાર્થો, આલ્કોહૉલ ખરીદવા પૈસા ન મળે તો ચોરી કરવા પ્રેરાય છે.
  • તેની પ્રતિકૂળ અસરો માત્રડ્રગ્સ/આલ્કોહૉલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત હોતી નથી.
  • ક્યારેક ડ્રગ્સ કે આલ્કોહોલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્ર માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે છે. જે બંધાણી ડ્રગ્સને અંતઃશિરા દ્વારા (નીડલ કે સીરિંજની મદદથી સીધું શિરામાં ઇજેક્શન) લે, તો તેને એઇડ્યું અને હિપેટાઇટીસ – B (ઝેરી કમળો) થવાની શક્યતા રહે છે.
  • આ રોગ માટેના વિષાણુ ચેપી સોય કેસરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાયછે.
  • એઇડ્યું અને હિપેટાઇટીસ – Bબંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને અંતે તે ઘાતક હોય છે. બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે.
  • તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે છે. જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનથી આદત પડી જાય છે.
  • ડ્રગ્સ અને આલ્કોહૉલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃત (cirrhosis – વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ)ને હાનિ પહોંચે છે.
  • સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરીત અસરો પ્રેરે છે.
  • ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારુ પ્રદર્શન કરી શકે તે માટે તેનો ઉપયોગ કરે છે.
  • રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટેરોઇલ્સ, ડાયયુરેટિક (મૂત્રવર્ધક) દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ, માંસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતાને વધારવા કરે છે, જેથી તેમનું ખેલ પ્રદર્શન શક્તિશાળી બને.
  • મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી નરજાતિનાં લક્ષણો, આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર-ચઢાવ, માનસિક તણાવ, અનિયમિત માસિકચક્ર, ચહેરા અને શરીર પર રુવાંટીનીવૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો, અવાજ ઘેરો બનવો વગેરે જેવી આડઅસરો જોવા મળે છે.
  • જ્યારે પુરુષમાં ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ-ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ઘટાડો, શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી વગેરે લક્ષણો જોવા મળે છે.
  • આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ અને લાંબા અસ્થિઓનાં વૃદ્ધિકેન્દ્રો અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે વૃદ્ધિ કુંઠિત થાય છે.

પ્રશ્ન 29.
નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તર:

  • ઇલાજ કરતાં અટકાવવધુ સારો છે. “preventionis better than cure” આ કહેવત અહીંસાચી ઠરે છે.
  • આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે.
  • માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહૉલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય.
  • આ સંદર્ભે શિક્ષક અને માતા-પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય ત્યાં આવા આલ્કોહૉલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે.
  • નીચે જણાવેલ કેટલાક ઉપાયો તરુણીમાં આલ્કોહૉલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે.
  • (i) સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું દરેક છોકરા છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે. તેનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ.
  • બાળકને તેની ઇચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહિ. પછી ભલે તે ભણવા માટે, ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય.
  • (ii) શિક્ષણ અને પરામર્શન: સમસ્યાઓ અને તનાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો જ એક ભાગ છે એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ.
  • એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિ વગેરે દિશામાં વાળવી જોઈએ.
  • (iii) માતાપિતા તેમજ સમવયસ્કોની મદદ લેવીઃ માતાપિતા તેમજ સમવયસ્કો પાસેથી તરત મદદ લેવી જોઈએ. જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ.
  • યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે.
  • (iv) ભયજનક સંકેતો તરફ દૃષ્ટિ : સજાગ માતાપિતા અને શિક્ષકોએ ઉપર્યુક્ત ભયજનક સંકેતોને ઓળખી, તેની ચર્ચા કરવી જોઈએ.
  • કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહૉલનું સેવન કરતા માલૂમ પડે તો કોઈ પણ ખચકાટવિના તેના માતાપિતા અને શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. – ત્યાર બાદ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલાં કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળશે.
  • (v) વ્યાવસાયિક અને આરોગ્યવિષયક સલાહ લેવી જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ/આલ્કોહૉલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે.
  • આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે.

તફાવત આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
ચેપી રોગઅને બિનચેપીરોગ
ઉત્તર:

ચેપી રોગ બિનચેપી રોગ
(1) આ રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે, માટે તેને ચેપી રોગ કહે છે. (1) આ રોગ કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાતો નથી, માટે તેને બિનચેપીરોગ કહે છે.
(2) તેઓ કોઈ ચોક્કસ રોગકારકો દ્વારા થાય છે. (2) આરોગ આનુવંશિક કારકો, કોઈ તત્ત્વની ઊણપ કે નશાકારક પદાર્થોની કુટેવને લીધે થાય છે.
(3) આરોગો વિવિધ પરિબળો જેવા કે હવા, પાણી અને વિવિધ વાહકો દ્વારા ફેલાય છે. (3) આરોગમોટે ભાગે પિતૃપેઢીમાંથી બાળપેઢીમાં આવે છે.
(4) દા.ત., કૉલેરા, મેલેરિયા, એઇડ્રસ વગેરે. (4) દા.ત., ડાયાબીટિસ, ગોઇટર, કૅન્સર વગેરે.

પ્રશ્ન 2.
સક્રિયપ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા
ઉત્તર:

સક્રિયપ્રતિકારકતા નિષ્ક્રિય પ્રતિકારકતા
(1) સક્રિય પ્રતિકારકતા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે , ઍન્ટિજનસામે યજમાનનાદેહમાં ઍન્ટિબૉડીનું સર્જન થાય. (1) નિષ્ક્રિય પ્રતિકારકતા દરમિયાન શરીરમાં તૈયાર ઍન્ટિબૉડીને દાખલ કરવામાં આવે છે.
(2) સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે. (2) નિષ્ક્રિય પ્રતિકારકતાઝડપી હોય છે.
(3) તેની કોઈ આડઅસર જોવા મળતી નથી. (3) અમુકવખતે આડઅસર જોવા મળે છે.
(4) દા.ત., પોલિયો માટે રસીકરણ (4) દા.ત., ટિટેનસ ઍન્ટિટોક્સિન દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારકતા

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 3.
સાધ્યગાંઠ અને અસાધ્ય ગાંઠ
ઉત્તર:

સાધ્ય ગાંઠ અસાધ્ય ગાંઠ
(1) આ ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી. (1) આ ગાંઠના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે અને નવી ગાંઠોના સર્જનને પ્રેરે છે.
(2) ચોક્કસ કદ પ્રાપ્ત થયા પછી તેની વૃદ્ધિ અટકે છે. (2) તેની વૃદ્ધિ સતત ચાલુ રહે છે.
(3) તે શરીરમાં ઓછી જીવલેણ છે. (3) તે ખૂબ જ ભયજનક અને જીવલેણ છે.
(4) સાધ્ય ગાંઠનું નિદાન અસાધ્ય ગાંઠની સરખામણીમાં સરળ છે. (4) અસાધ્ય ગાંઠનું નિદાન ખૂબ જ કઠિન છે.

પ્રશ્ન 4.
B- લસિકાકોષ અનેT-લસિકાકોષ
ઉત્તર:

B – લસિકાકોષ T – લસિકાકોષ
(1) B-લસિકા કોષો અસ્થિમજ્જામાં પરિપક્વ થાય છે. (1) T-લસિકા કોષો થાયમસ ગ્રંથિમાં પરિપકવ થાય છે.
(2) તે એન્ટિજનસામે ઍન્ટિબૉડીનું નિર્માણ કરે છે. (2) તે સીધા જઍન્ટિજન સામે લડે છે અથવા B-લસિકા કોષોને એન્ટિબૉડી ઉત્પન્ન કરવા પ્રેરે છે.
(3) તેઓ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિક્રિયા દર્શાવતા નથી. (3) તેઓ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિક્રિયા  દર્શાવે છે.
(4) તેઓ તરલ પ્રતિકારકતા પ્રતિચાર દર્શાવે છે. (4) તેઓ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા દર્શાવે છે.

પ્રશ્ન 5.
જન્મજાતપ્રતિકારકતા અને ઉપાર્જિતપ્રતિકારકતા
ઉત્તર:

જન્મજાતપ્રતિકારકતા ઉપાર્જિતપ્રતિકારકતા
(1) જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ હોય છે. (1) ઉપાર્જિત પ્રતિકારકતા ચોક્કસ હોય છે.
(2) તે જન્મ સમયથી જ હાજર હોય છે. (2) તે કોઈ ચોક્કસ રોગકારકનાજવાબ માટે મેળવેલ હોયછે.
(3) વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે. (3) ઍન્ટિબૉડીનીસ્મરણ શક્તિનો સમાવેશ થાય છે.
(4) દા.ત., ત્વચા એ એક અવરોધ તરીકે વર્તે છે. (4) દા.ત., રસીકરણ પછી ઍન્ટિબૉડીનો જવાબ

પ્રશ્ન 6.
કેન્સરગ્રસ્ત કોષ અને સામાન્યકોષ
ઉત્તર:

કેન્સરગ્રસ્તકોષ સામાન્યકોષ
(1) કૅન્સરગ્રસ્ત કોષ અનિયંત્રિત રીતે વિભાજન પામે છે. (1) સામાન્ય કોષો નિયંત્રિત રીતે વૃદ્ધિ પામે છે.
(2) તેમનો આકાર અનિયમિત હોય છે. (2) તેમનો આકાર નિયમિત હોય છે.
(3) તેમનું કોષકેન્દ્રમોટુઅને ઘાટું હોય છે. (3) તેમનું કોષકેન્દ્રયોગ્ય પ્રમાણમાં હોય છે.
(4) તેઓ વિભાજિત થાય છે પરંતુ વિભેદીકરણ પામતા નથી. (4) સામાન્ય કોષો વિભાજન થઈ વિભેદીકરણ પામેછે.

વૈજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
અસાધ્ય ગાંઠનો રોગવ્યાપ્તિનો ગુણધર્મખૂબ જ ભયજનક છે.
ઉત્તર:
અસાધ્ય ગાંઠના કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામી, આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે. તેમજ ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારી નાખે છે. આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવે છે માટે અસાધ્ય ગાંઠનો રોગવ્યાપ્તિનો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 2.
એઇગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગન કરવો જોઈએ.
ઉત્તર:
AIDS માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી. તે માત્ર દેહપ્રવાહી દ્વારા ફેલાય છે. શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વાસ્થતા માટે એઇડ્યગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવો જોઈએ.

પ્રશ્ન 3.
નશાકારક દવાઓ માટે કાયદાનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.
ઉત્તર:
ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ ફળ અને બીજમાંથી વિવિધ પ્રકારના ઔષધો મેળવવામાં આવે છે કે જે શસ્ત્રક્રિયા તેમજ અન્ય ચિકિત્સાલક્ષી ક્રિયાઓમાં ઉપયોગ થાય છે. જ્યારે આ ઔષધો ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદ્દેશ્યથી લેવામાં આવે છે. ત્યારે વ્યક્તિના શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગરબડ કે વિક્ષેપ સર્જાય છે તેમજ આવા પદાર્થોનો ઉપયોગ કરનાર વ્યક્તિ તેનો બંધાણી બની જાય છે માટેનશાકારક દવાઓ માટે કાયદાનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *