GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ

   

Gujarat Board GSEB Textbook Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ Textbook Exercise and Answers.

સંસાધનોનું જતન અને સંરક્ષણ Class 7 GSEB Solutions Social Science Chapter 14

GSEB Class 7 Social Science સંસાધનોનું જતન અને સંરક્ષણ Textbook Questions and Answers

1. નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી કે સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
સંસાધનોને મુખ્ય કેટલાં જૂથોમાં વહેંચવામાં આવે છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
A. બે

પ્રશ્ન 2.
નીચેનામાંથી સિંચાઈનાં માધ્યમો કયાં છે?
A. કૂવા
B. નહેર
C. તળાવ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન ૩.
ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે?
A. ગુજરાતમાં
B. અસમમાં
C. અંદમાન-નિકોબારમાં
D. હરિયાણામાં
ઉત્તર:
C. અંદમાન-નિકોબારમાં

પ્રશ્ન 4.
નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે?
A. શાહમૃગ
B. સુરખાબ
C. સ્નો પાર્ટરીચ
D. પંગ્વિન
ઉત્તર:
B. સુરખાબ

GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ

પ્રશ્ન 5.
લડાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે?
A. યાક
B. ઘુડખર
C. શિયાળ
D. ગાય
ઉત્તર:
A. યાક

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ

પ્રશ્ન 1.
સહરાના રણમાં લોકો શાની ખેતી કરે છે?
ઉત્તર:
સહરાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે.

પ્રશ્ન 2.
ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ ક્યા નામે ઓળખાય છે?
ઉત્તર:
ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી ૬ બનેલું પૃથ્વીનું પડ રંગોલિથ’ નામે ઓળખાય છે.

પ્રશ્ન 3.
પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
ઉત્તરઃ
પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ (વૃષ્ટિ) છે.

પ્રશ્ન 4.
ગુજરાતની નદીઓમાં જોવા મળતું કર્યું પ્રાણી લુપ્તા થવાને આરે છે?
ઉત્તર:
ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળબિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે.

પ્રશ્ન 5.
ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ’ તરીકે ઓળખાય છે?
ઉત્તર:
ભારતનો લડાખના ઠંડા રણનો પ્રદેશ ‘નાના તિબેટ’ તરીકે ઓળખાય છે.

GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ

3. (અ) ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
કચ્છનું રણ
GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ 1
ઉત્તર:
કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે ગુજરાત રાજ્યની ઉત્તર-પશ્ચિમે આવેલું છે. તેની પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તર-પૂર્વે રાજસ્થાન રાજ્ય આવેલું છે. કચ્છના રણના બે ભાગ છેઃ

  • મોટું રણ અને
  • નાનું રણ. કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે.

તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે. આ રણપ્રદેશો ખંડીય છાજલી ઊંચકાવાથી રચાયા હોવાનું મનાય છે. કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. કચ્છનો રણપ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે. કચ્છના મોટા રણ કરતાં નાનું રણ જલદી સુકાઈ જાય છે. પાણી સુકાતાં જમીન પર ક્ષારનો પોપડો જામે છે. જે “સફેદ રણ’નું સ્વરૂપ ધારણ કરે છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે. અહીં વરસાદ 3 બહુ ઓછો પડે છે.

પ્રશ્ન 2.
જળ-સંસાધનની જાળવણી અથવા જળ-સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો.
ઉત્તરઃ
જળ-સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે :

  • જળ-સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે.
  • બીજી જરૂર છે જળસંચયની. જળસંચય અને જળસંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું.
  • ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા.
  • નદીઓના પાણીને રોકીને જળસંચયન કરવું. આ માટે નદીઓ પર બંધો બાંધવા.
  • વૃષ્ટિજળને રોકી તેને એકઠું કરવું. આ માટે શોષકૂવા બનાવવા તેમજ ખેત-તલાવડીઓ બનાવવી. નાની નદીઓ પર બંધારા બાંધવા.
  • લોકોમાં જાગૃતિ લાવી, જળ-સંસાધનની જાળવણી માટે લોકભાગીદારી વધારવી.
  • બાગ-બગીચા, શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો.
  • જળાશયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવાં.
  • ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીના વપરાશ અંગે દેખરેખ રાખવી.

પ્રશ્ન 3.
ભૂમિ-સંસાધન
ઉત્તર:
સામાન્ય રીતે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે કે જેની ઉપર વનસ્પતિ ઊગે છે. – જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે. ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ’ કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી જેવાં જૈવિક દ્રવ્યો ભળતાં “જમીન’ બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેના પ્રકાર પર આધારિત છે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને તેના પ્રકાર મુજબ આઠ પ્રકારમાં વહેંચવામાં આવી છે:

  • કાંપની જમીન,
  • રાતી અથવા લાલ જમીન,
  • કાળી જમીન,
  • લેટેરાઇટ જમીન,
  • રણ પ્રકારની જમીન,
  • પર્વતીય જમીન,
  • જંગલ પ્રકારની જમીન અને
  • દલદલ પ્રકારની જમીન.

પ્રશ્ન 4.
લડાખનું રણ
ઉત્તર:
ભારતની ઉત્તરે જમ્મુ અને કાશ્મીરની બાજુમાં લડાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. લડાખ એ ભારતનું ઠંડું રણ છે. લડાખને ખાપા-ચાન પણ કહે છે, જેનો ‘હીમભૂમિ’ એવો અર્થ થાય છે. લડાખની ઉત્તરે કારાકોરમ પર્વતશ્રેણી અને દક્ષિણે કારગિલ છે. જમ્મુ અને કે જાસ્કર પર્વતશ્રેણી આવેલી કમીર છે. સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે. ઊંચાઈને કારણે લડાખની હવા ખૂબ પાતળી જિમ્મુ અને કશ્મીર તથા લડાખી છે. અહીંની આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળામાં – દિવસનું તાપમાન 0° સેથી ઉપર રહે છે, જ્યારે રાત્રે તાપમાન 3 – 30° સેથી પણ નીચે જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. લડાખનું ઠંડું રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી છે. અહીં માત્ર ટૂંકું ઘાસ જોવા મળે છે.

GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ 2

GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ

પ્રશ્ન 5.
વન્ય જીવ-સંરક્ષણ
ઉત્તર:
પ્રાચીન સમયમાં મૌર્યયુગના સમ્રાટ અશોકના સમયમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્ય જીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટા ભાગનાં રાજ્યો માટે “સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે.
વન્ય જીવોના સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ:

  • વન્ય જીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ.
  • વખતોવખત વન્ય જીવોની વસ્તીગણતરી કરવી જોઈએ.
  • જંગલો વન્ય જીવોનું નિવાસસ્થાન છે. તે વન્ય જીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ.
  • લોકોને વન્ય જીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તેઓને વન્ય જીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ.
  • જંગલમાં દાવાનળ (જંગલની આગ) ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સજાગ રહેવું જોઈએ.
  • વન્ય જીવોને તબીબી સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ.
  • વન્ય જીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ.
  • પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ.
  • જંગલમાં વન્ય જીવોને પાણી, ખોરાક, નિવાસ વગેરે તેમની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
  • જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોનાં પોલાણોમાં પક્ષીઓ રહેતાં હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે.

(બ) નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
સંસાધન એટલે શું?
ઉત્તર:
પૃથ્વી પર મળતાં હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનીજો જેવાં માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી તત્ત્વોને-પદાર્થોને સંસાધન કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો મર્યાદિત છે. તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે.

પ્રશ્ન 2.
જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે?
ઉત્તર:
જંગલોનું આર્થિક મહત્ત્વ નીચે પ્રમાણે છે :

  • જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવાં મજબૂત અને ઇમારતી લાકડાં મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે.
  • દેવદાર અને ચીડ જેવાં વૃક્ષોનાં પોચાં લાકડાંમાંથી રમતગમતનાં સાધનો, ચા અને દવાના પૅકિંગની પેટીઓ; દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે.
  • વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલાં, ટોપલી, રમકડાં, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે.
  • જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે.
  • ખેરના લાકડામાંથી કાથો મળે છે.
  • ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસનાં પાનમાંથી ઔષધીય તેલ મળે છે.
  • ચંદનનાં વૃક્ષોમાંથી ચંદનનું લાકડું (સુખડ) તેમજ સુખડનું તેલ મળે છે.
  • સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે.

પ્રશ્ન 3.
સહરાના રણનાં વનસ્પતિ અને પ્રાણીજગત વિશે લખો.
ઉત્તર:
સહરાના રણની વનસ્પતિ સહરા રણપ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણપ્રદેશમાં મુખ્યત્વે કેકટસ (એક પ્રકારનો થોર), કાંટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીનાં વૃક્ષો પુષ્કળ થાય છે.
GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ 3
સહરા રણનું પ્રાણીજગતઃ સહરાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે ‘રણનું વહાણ’ કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટાં-બકરાં, ઘોડા, ખચ્ચર, ગધેડાં વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત, રણપ્રદેશમાં શિયાળ, ઝરખ, વીંછી, કાચિંડા, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે.

GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ

પ્રશ્ન 4.
જળતંગી એટલે શું?
ઉત્તર:
જળતંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા છ દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી, વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યૂબવેલો દ્વારા બહાર કઢાતાં ભૂમિગત જળસ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8 % શહેરોમાં અને લગભગ 50 % ગામડાંમાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રશ્ન 5.
જમીન-ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે?
ઉત્તર:
જમીન-ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છેઃ

  1. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું.
  2. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાંની તરાહથી (રીતેથી) વાવેતર કરવું.
  3. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું.
  4. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા.
  5. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી.
  6. ખેતરોમાં પડ-ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે.

4. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેનાં સ્થળો દર્શાવોઃ

(1) લડાખ
(2) કચ્છનું રણ
(૩) નર્મદા નદી, સાબરમતી નદી
(4) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહો
GSEB Solutions Class 7 Social Science Chapter 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ 4

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *