GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

GSEB Class 12 Biology માનવ-પ્રજનન Text Book Questions and Answers

પ્રશ્ન 1.
ખાલી જગ્યા પૂરોઃ

(a) માનવ ……………….. પ્રજનન દશવિછે. (અલિંગી/ લિંગી)
ઉત્તર:
લિંગી

(b) માનવ ……………….. છે. (અંડપ્રસવી, અપત્યપ્રસવી, અપત્ય અંડપ્રસવી)
ઉત્તર:
અપત્યપ્રસવી

(c) માનવમાં ……………………. ફલન જોવા મળે છે. (બાહ્ય, અંતઃ)
ઉત્તર:
અંતઃ

(d) નર અને માદા જનનકોષો ……………………… હોયછે. (દ્વિકીય, એકકીય)
ઉત્તર:
એકકીય

(e) ફલિતાંડ એ ………………….. હોય છે. (દ્વિકીય, એકકીય)
ઉત્તર:
દ્વિકીય

(f) પરિપક્વ પુટિકામાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયાને ……………………. કહે છે.
ઉત્તર:
અંડકોષપાત

(g) અંડપાતને પ્રેરતા અંતઃસ્રાવને ……………………….. કહે છે.
ઉત્તર:
LH

(h) નર અને માદા જનનકોષના જોડાણને ……………………………. કહે છે.
ઉત્તર:
ફિલન

(i) ફલન ………………………… માં થાયછે.
ઉત્તર:
ઇથમસ અને તુંબિકીના જોડાણ સ્થાન

(j) ફલિતાંડના વિભાજન દ્વારા નિર્મિત …………………….. કે જે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે.
ઉત્તર:
મોરુલા (ગર્ભકોષ્ઠી કોષો)

(k) ગર્ભ અને ગર્ભાશય વચ્ચેના વેક્યુલર સંકોચન પેદાકરતી રચનાને ………………………. કહે છે.
ઉત્તર:
જરાયુ

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 2.
નર પ્રજનનતંત્રનીનામનિર્દેશનવાળી આકૃતિદોરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 1

  1. નરપ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ (rete testis), શુક્રવાહિકાઓ (vasa efferentia), અધિવૃષણ નલિકા (epididymis) અને સમાવેશ થાય છે.
  2. શુક્રપિંડની શુકઉત્પાદક નલિકાઓ, વૃષણજાળ મારફતે શુક્રવાહિકાઓમાં ખૂલે છે.
  3. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડોની પશ્ચ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખૂલે છે.
  4. અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ (Loops) બનાવે છે.
  5. તેની સાથે શુક્રાશય (seminal vesicle)ની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગ (urethra)માં અલનનલિકા તરીકે ખૂલે છે.
  6. આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે. મૂત્રજનનમાર્ગ શિશ્નમાંથી પસાર થાય તે પહેલાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિનીનલિકા સાથે જોડાય છે.
  7. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગ મુખ (urethral meatus)થી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર ખૂલે છે.

પ્રશ્ન 3.
માદા પ્રજનનતંત્રનીનામનિર્દેશનવાળી આકૃતિદોરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 2

  1. અંડવાહિનીઓ (oviducts) કે ગર્ભાશયની નળી (fallopian tubes) ગર્ભાશય અને યોનિમાર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે.
  2. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની (ગર્ભાશયની નળી) આશરે 10-12 સેમી લાંબી હોય છે.
  3. તેના અંડપિંડની નજીક રહેલા ગળણી આકારના ભાગને અંડવાહિનીનિવાપ (infundibulum) કહે છે.
  4. અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવ ધરાવે છે. જેને ફિસ્ત્રી (fimbriae) કહે છે. જે અંડપાત બાદ મુક્ત થતા
    અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે.
  5. અંડવાહિની નિવાપ તુંબિકા (ampulla)થી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ (isthmus) સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે.

પ્રશ્ન 4.
શુક્રપિંડ અને અંડપિંડદરેકનાં મુખ્યબેકાર્યો લખો.
ઉત્તર:
શુક્રપિંડનાં કાર્યો:
(i) શુક્રકોષોનું નિર્માણ
(ii) ટેસ્ટોસ્ટેરોન અંત:સ્રાવનો સ્રાવ

અંડપિંડનાં કાર્યો:
(i) અંડકોષનું નિર્માણ
(ii) ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ

પ્રશ્ન 5.
શુક્રઉત્પાદકનલિકાની રચના વર્ણવો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 3

  1. નરપ્રજનનતંત્રનિતંબ (Pelvis) પ્રદેશમાં આવેલ છે.
  2. તેમાં શુક્રપિંડની એક જોડની સાથોસાથ સહાયકનલિકાઓ ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે.
  3. શુક્રપિંડોઃ શુક્રપિંડ ઉદરગુહાની બહાર આવેલી વૃષણકોથળીમાં આવેલાં છે. શુક્રપિંડનો વિકાસ, જ્યારે તે ઉદરગુહામાં હોય ત્યારે જ શરૂ થઈ જાય છે. ત્યારબાદ તેઓ નીચે વૃષણકોથળીમાં ઊતરી આવે છે.
  4. વૃષણકોથળી શુક્રકોષજનન માટે જરૂરી શુક્રપિંડોનું નીચું તાપમાન (શરીરના સામાન્ય તાપમાન કરતાં 2-2.5°C નીચું) જાળવવામાં મદદ કરે છે.
  5. પુખ્તમાં દરેક શુક્રપિંડ, અંડાકાર આશરે 4થી 5 સેમી લાંબું અને આશરે 2થી3 સેમી પહોળું હોય છે.
  6. શુક્રપિંડો સઘન આવરણ વડે આવરિત હોય છે.
  7. શુક્રોત્પાદક નલિકાઓ દરેક શુક્રપિંડ આશરે 250 ખંડો ધરાવે છે. જેને શુક્રપિંડીય ખંડિકાઓ (testicular lobules) કહે છે.
  8. પ્રત્યેક ખંડિકામાં એકથી ત્રણ શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગૂંચળામય શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે. જે આંતરાલયશુક્રકોષો ઉત્પન્ન કરે છે.
  9. દરેક શુક્રોત્પાદકનલિકા પર તેની અંદરની બાજુએ બે આદિશુક્રકોષો પ્રકારના કોષો ધરાવે છે. જેને નરજનનકોષો (male germ cells) ક આદિશુક્રકોષો (spermatogonia) સરટોલી કોષો (sertoli cells) કહે છે.
  10. નરજનન કોષો અર્ધીકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ દોરાઈ જાય છે. જ્યારે સરટોલી કોષો જનનકોષોને પોષણ પૂરું પાડે છે.
  11. શુક્રોત્પાદક નલિકાઓના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહે છે, જે નાની રુધિરવાહિનીઓ અને આંતરાલીય કોષો (interstitial cells) અથવા લેડિગ કોષો (Leydig cells)ધરાવે છે.
  12. લેડિગ કોષો એન્ડ્રોજન (androgens)થી ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્રાવ કરે છે. તેને નરજાતીય
    અંતઃસ્રાવટેસ્ટોસ્ટેરોન કહે છે. અહીં રોગપ્રતિરક્ષા માટે સક્ષમ કોષો પણ આવેલા હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 4

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 6.
શુક્રકોષજનન એટલે શું? શુક્રકોષજનનની ક્રિયાવિધિ સંક્ષિપ્તમાં વર્ણવો.
ઉત્તર:
શુક્રપિંડમાં અપરિપક્વનરજનનકોષો (આદિશુક્રકોષો) એ શુક્રકોષજનન (spermatogenesis) દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
તે યૌવનના આરંભ (Puberty)થી શરૂ થાય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 5
શુક્રકોષજનનની પ્રક્રિયા એ સળંગ પ્રક્રિયા છે. તેના મુખ્ય બે તબક્કા જોવા મળે છે :
(1) પ્રશુક્રકોષનું નિર્માણ અને
(2) શુક્રકાયાન્તરણ (spermetogenesis).

(1) પ્રશુક્રકોષનું નિર્માણ: જેનરજનનકોષો (આદિશુક્રકોષો) શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે પ્રાથમિકજનનકોષ તરીકે ઓળખાય છે. આ પ્રાથમિક જનનકોષો શુક્રકોષોના નિર્માણ માટે નીચેના ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે.
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 6
(i) ગુણન તબક્કોઃ આદિ શુક્રકોષો (spermatogonium) શુક્રોત્પાદક નલિકાઓ (seminiferous – lobules)ની દીવાલની અંદર જોવા મળે છે. જે સમસૂત્રીભાજન (mitotic division) દ્વારા ગુણન પામી સંખ્યામાં વધે છે. આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે.

(ii) વૃદ્ધિ તબક્કો : આ તબક્કામાં આદિ શુક્રકોષો મોટા જથ્થામાં પોષકદ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્રિત કરે છે. હવે દરેક આદિ શુક્રકોષો પ્રાથમિક પૂર્વશુક્રકોષ તરીકે ઓળખાય છે. જે પોષણ આપતા સરટોલી કોષોમાંથી પોષણ મેળવે છે.

(iii) પરિપક્વ તબક્કો પ્રાથમિક પૂર્વ શુક્રકોષો (Primary Spermatocytes) કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે પ્રથમ અર્ધસૂત્રીભાજન પૂર્ણ કરી, બે સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે. જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષો (Secondary Spermatocytes) કહે છે જે ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે.

દ્વિતીયપૂર્વશુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રીભાજનમાં પ્રવેશી ચાર સમાન એકકીય પ્રશુક્રકોષો (spermatics) ઉત્પન્ન કરે છે.

(2) શુક્રકોયાંતરણ : પ્રશુક્રકોષોનું શુક્રકોષોમાં (spermatozoa / sperm)માં રૂપાંતર થવાની ક્રિયાને શુકકાયાંતરણ (spermiogenesis) કહે છે.
શુક્રકોષનું શીર્ષ સરટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા (સ્પર્મીએશન spermiation) કહે છે

પ્રશ્ન 7.
શુક્રકોષજનનના નિયમન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોનાં નામ આપો.
ઉત્તર:
GnRH (ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંતઃસ્ત્રાવ), FSH – LH ટેસ્ટોસ્ટેરોન વગેરે.

પ્રશ્ન 8.
શુકકાયાન્તરણ અને સ્પર્મીએશનની વ્યાખ્યા આપો.
ઉત્તર:
શુક્રાયાન્તરણ : પ્રશુક્રકોષોની શુક્રકોષોમાં રૂપાંતર થવાની ક્રિયાને શુક્રકોયાન્તરણ કહે છે.
સ્પર્મીએશન : શુક્રોત્પાદક નલિકાઓમાંથી શુક્રકોષો મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.

પ્રશ્ન 9.
શુક્રકોષનીનામનિર્દેશનવાળી આકૃતિદોરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 7

  1. શુક્રકોષ શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડીથી બનેલ સૂક્ષ્મદર્શીય રચના છે.
  2. રસપટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે.
  3. શુક્રકોષનું શીર્ષ વિસ્તૃત એકકીય કોષકેન્દ્ર ધરાવે છે. તેનો અગ્રછેડો ટોપી જેવી રચના શુક્રાગ્ર (Acrosome)થી ઘેરાયેલછે.
  4. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉસેચકો (હાઇલ્યુરોનીડેઝ વગેરે)થી ભરેલ હોયછે.
  5. શુક્રકોષનો મધ્યભાગ અસંખ્ય કણાભસૂત્રો ધરાવે છે, જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે. જે ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટે સાનુકૂળતા પૂરી પાડે છે.
  6. પુરુષ લગભગ 200થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો મૈથુન દરમિયાન ત્યાગ (અલન) કરે છે.
  7. આમાંના સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ તથા તેમાંના ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.

પ્રશ્ન 10.
શુક્રાશયરસના મુખ્ય ઘટકો કયા છે?
ઉત્તર:
શુક્રાશય રસ (seminal plasma) બનાવે છે કે જે ક્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાંક ઉસેચકોથી સભર હોય છે.

પ્રશ્ન 11.
નર સહાયકનલિકાઓ અને ગ્રંથિઓનાં મુખ્ય કાર્યો જણાવો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 1

  1. નરપ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ (rete testis), શુક્રવાહિકાઓ (vasa efferentia), અધિવૃષણ નલિકા (epididymis) અને સમાવેશ થાય છે.
  2. શુક્રપિંડની શુકઉત્પાદક નલિકાઓ, વૃષણજાળ મારફતે શુક્રવાહિકાઓમાં ખૂલે છે.
  3. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડોની પશ્ચ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખૂલે છે.
  4. અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ (Loops) બનાવે છે.
  5. તેની સાથે શુક્રાશય (seminal vesicle)ની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગ (urethra)માં અલનનલિકા તરીકે ખૂલે છે.
  6. આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે. મૂત્રજનનમાર્ગ શિશ્નમાંથી પસાર થાય તે પહેલાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિનીનલિકા સાથે જોડાય છે.
  7. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગ મુખ (urethral meatus)થી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર ખૂલે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 12.
અંડકોષજનન એટલે શું ? અંડકોષજનનનો સંક્ષિપ્ત અહેવાલ આપો.
ઉત્તર:

  • પરિપક્વમાદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન (Oogenesis) કહે છે.
  • અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે, જયારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (Oogonia -આદિ પૂર્વઅંડકોષ) નિર્માણ પામે છે.
  • જન્મ બાદ વધારાના આદિ પૂર્વઅંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 8

  • પ્રાથમિક પૂર્વઅંડકોષો: આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અધિકરણની પૂર્વાવસ્થા-1 માં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વઅંડકોષ કહે છે.
  • પ્રાથમિક પુટિકાઓ: દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે, તેને પ્રાથમિક પુટિકા (Primary follicle) કહે છે.
  • મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000-80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
  • દ્વિતીયકપુટિકાઓઃ પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો (theca-આવરણ)થી આવરિત હોય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.
  • તૃતીયકપુટિકા: દ્વિતીયક પુટિકાઓ તરત તૃતીયક પુટિકામાં ફેરવાય છે. જે એન્ટ્રમ (antrum) કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે.
  • હવે અંદરનું સ્તર અંત:આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાયછે. હવે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ પામે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજનછે. પરિણામે મોટા કદનું એકદ્વિતીયકપૂર્વઅંડકોષ અને નાના કદનો પ્રાથમિકક્ષુવકાય નિર્માણ પામે છે.
  • દ્વિતીયકપૂર્વઅંડકોષ પ્રાથમિક પૂર્વઅંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે.
  • તૃતીયકપુટિકાવે, પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા (graafian follicle)માં ફેરવાય છે.
  • દ્વિતીયક પૂર્વઅંડકોષતેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેનેઝોના પેલ્યુસિડા (zonepellucida) કહે છે.
  • ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત (ovulation) કહે છે.
  • નીચેની આકૃતિમાં શુક્રકોષજનન અને અંડકોષજનન વચ્ચેનો તફાવત જોઈ શકાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 9

પ્રશ્ન 13.
અંડપિંડમાંથી પસાર થતાછેદનીનામનિર્દેશનવાળી આકૃતિદોરો.
ઉત્તર:

  • પરિપક્વમાદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન (Oogenesis) કહે છે.
  • અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે, જયારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (Oogonia -આદિ પૂર્વઅંડકોષ) નિર્માણ પામે છે.
  • જન્મ બાદ વધારાના આદિ પૂર્વઅંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 8

  • પ્રાથમિક પૂર્વઅંડકોષો: આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અધિકરણની પૂર્વાવસ્થા-1 માં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વઅંડકોષ કહે છે.
  • પ્રાથમિક પુટિકાઓ: દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે, તેને પ્રાથમિક પુટિકા (Primary follicle) કહે છે.
  • મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000-80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
  • દ્વિતીયકપુટિકાઓઃ પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો (theca-આવરણ)થી આવરિત હોય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.
  • તૃતીયકપુટિકા: દ્વિતીયક પુટિકાઓ તરત તૃતીયક પુટિકામાં ફેરવાય છે. જે એન્ટ્રમ (antrum) કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે.
  • હવે અંદરનું સ્તર અંત:આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાયછે. હવે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ પામે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજનછે. પરિણામે મોટા કદનું એકદ્વિતીયકપૂર્વઅંડકોષ અને નાના કદનો પ્રાથમિકક્ષુવકાય નિર્માણ પામે છે.
  • દ્વિતીયકપૂર્વઅંડકોષ પ્રાથમિક પૂર્વઅંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે.
  • તૃતીયકપુટિકાવે, પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા (graafian follicle)માં ફેરવાય છે.
  • દ્વિતીયક પૂર્વઅંડકોષતેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેનેઝોના પેલ્યુસિડા (zonepellucida) કહે છે.
  • ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત (ovulation) કહે છે.
  • નીચેની આકૃતિમાં શુક્રકોષજનન અને અંડકોષજનન વચ્ચેનો તફાવત જોઈ શકાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 9

પ્રશ્ન 14.
ગ્રાફિયન પુટિકાનીનામનિર્દેશનવાળી આકૃતિદોરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 10

પ્રશ્ન 15.
નીચેનાનાં કાર્ય જણાવો.
(a) કોપર્સલ્યુટિયમ
(b) એન્ડોમેટ્રિયમ
(c) શુક્રાગ્ર
(d) શુક્રકોષપૂંછડી
(e) ફિબ્રી
ઉત્તર:
(a) કૉપર્સ લ્યુટિયમ તે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જે પ્રસૂતિની જાળવણી માટે જરૂરી છે.

(b) ઍન્ડોમેટ્રિયમ: તે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે. જે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો કરે છે અને ગર્ભકોષ્ઠના સ્થાપન માટે તેને તૈયાર કરે છે.

(c) શુક્રાગ્ર : શુક્રકોષને અંડકોષમાં ફલન માટે પ્રવેશ કરવા હાઇડ્રોલાયટિક ઉત્સુચક ધરાવે છે.

(d) શુક્રકોષની પૂંછડીઃ તે શુક્રકોષના પ્રચલનમાં મદદ કરે છે.

(e) ફિખ્રી : અંડપિંડની નજદીક રહેલ ગળણી આકારના ભાગને અંડવાહિની નિવાપ કહે છે. અંડવાહિની નિવારની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધા ધરાવે છે જેને ફિખ્રી કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 16.
સાચાં ખોટાં વિધાનો ઓળખો. દરેક ખોટાં વિધાનને સુધારો અને તેને સાચુંકરોઃ

(a) સરટોલીકોષો એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરે છે.(સાચું,ખોટું)
ઉત્તર:
ખોટું. સરટોલી કોષો જનનકોષોને પોષણ પૂરું પાડે છે.

(b) શુક્રકોષસરટોલીકોષોમાંથી પોષણ મેળવે છે. (સાચું,ખોટું)
ઉત્તર:
સાચું

(c) લેડિગકોષો અંડપિંડમાં મળી આવે છે.(સાચું/ખોટું)
ઉત્તર:
ખોટું. લેડિગકોષો શુક્રપિંડમાં મળી આવે છે.

(d) લેડિગકોષો એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરે છે.(સાચું,ખોટું)
ઉત્તર:
સાચું

(e) અંડકોષજનનકોપર્સલ્યુટિયમમાં થાય છે.(સાચું/ખોટું)
ઉત્તર:
ખોટું. અંડકોષજનન અંડપિંડમાં થાય છે.

(f) ઋતુચક્ર ગર્ભાવસ્થા દરમિયાન બંધ થાય છે.(સાચું,ખોટું)
ઉત્તર:
સાચું.

(g) યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા જાતીય અનુભવનું આધારભૂત સૂચકનથી. (સાચું,ખોટું)
ઉત્તર:
સાચું

પ્રશ્ન 17.
ઋતુચક્ર એટલે શું ? કયા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
ઉત્તર:
માનવની માદામાં (સ્ત્રીઓમાં) ઋતુસ્ત્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાયલે પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે. ઋતુચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી (Menstrual phase) થાય છે. તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને જે 3-5 દિવસો સુધી ચાલે છે. ઋતુસ્રાવ, ગર્ભાશયનું અંતઃસ્તર (endometrial) અને રુધિરવાહિનીઓના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે. જે યોનિમાર્ગમારફતે બહાર ધકેલાય છે.

અંડકોષ ફલિત હોતો નથી ત્યારે જ દેખાય છે.

નિયમન કરતા અંતઃસ્ત્રાવોઃ અગ્રપિગ્યુટરી ગ્રંથિના FSH અને LH, અંડપિંડના અંતઃસ્ત્રાવ-ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન.

પ્રશ્ન 18.
પ્રસૂતિ એટલે શું ? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?
ઉત્તર:

  1. મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિના હોય છે. જેને ગર્ભાધાન-સમય (ગર્ભાવધિકાળ – gestation period) કહે છે.
  2. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશય શક્તિશાળી (vigorous) સંકોચન પ્રેરે છે, જેને કારણે ગર્ભનો બહાર નિકાલ (expulsion) / પ્રસવ થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયાને (બાળજન્મ) પ્રસૂતિ કહે છે.
  3. જટિલ ચેતાઅંતઃસ્ત્રાવી (neuroendocrine) પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે.
  4. પ્રસૂતિના સંકેતો સંપૂર્ણ વિકસિત ભૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે અને જરાયુ હળવા ગર્ભાશયના સંકોચન પ્રેરે છે. જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા (foetalejection reflex) કહે છે.
  5. આ પ્રક્રિયા માતાની પિચુટરી ગ્રંથિમાંથી ઑક્સિટોસિનનો સ્રાવ પ્રેરે છે.
  6. ઑક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે. જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે.
  7. જેના બદલામાં તે ઑક્સિટોસિનના વધુ સ્રાવને ઉત્તેજે છે.
  8. ગર્ભાશય સંકોચન અને ઑક્સિટોસિનના સ્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુ અને વધુ શક્તિશાળી સંકોચનને ઉત્તેજે છે.
  9. આ બાળકને જન્મનળી દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે-પ્રસૂતિ.
  10. બાળજન્મ બાદ તરત જજરાય પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે.

પ્રશ્ન 19.
આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી?
ઉત્તર:

  1. સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્રો XX પ્રકારનાં હોય છે. એ જ રીતે પુરુષમાં XY લિંગી રંગસૂત્રો હોય છે.
  2. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય અંડકોષો આલિંગી રંગસૂત્ર ધરાવે છે.
  3. જયારે નર જનનકોષો (શુક્રકોષો)માં લિંગ રંગસૂત્ર કાં તો X અથવા Y ધરાવે છે. આથી 50 % શુક્રકોષો X રંગસૂત્ર ધરાવે છે. જ્યારે બાકીના 50%Yરંગસૂત્રધરાવે છે.
  4. નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડકાં તો XX કે XY ધરાવે છે. તેનો આધાર Xધરાવતાં કે Y રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેની પર છે.
  5. ફલિતાંડ XX રંગસૂત્રો ધરાવે છે તે માદા (છોકરી) બાળમાં વિકસે છે. જ્યારે XY રંગસૂત્રો ધરાવતા ફલિતાંડ નર (છોકરા)માં વિકસે છે.
  6. આમ, બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે નહીં કે માતા દ્વારા.

વિશેષ જાણકારી (More Information):

  1. ફલનક્રિયા દરમિયાન થતા ફેરફારો યોનિમાર્ગમાં ઠલવાયેલા વીર્યમાંના શુક્રકોષ, ગર્ભાશય દ્વારા અંડવાહિની તરફ ગતિ કરે છે.
    તેમની આ ગતિમાં યોનિમાર્ગ અને ગર્ભાશયની દીવાલનાં સંકોચનો સહાયક બને છે.
  2. અંડવાહિનીની દીવાલોનો ચીકણો સ્રાવ પણ આ ક્રિયામાં મદદ કરે છે. આ ક્રિયા લગભગ 5થી 6 કલાકસમય લે છે.
  3. દ્વિતીયપૂર્વઅંડકોષ અસંખ્ય શુક્રકોષો વડે ઘેરાયછે.
  4. દ્વિતીયપૂર્વઅંડકોષ અંડપડ અને જેલીસ્તર વડે ઘેરાયેલ હોય છે.
  5. શુક્રકોષના શુક્રાગ્રમાં આવેલા વિવિધ ઉત્સચકો જેમાંનો એક હાઇલ્યુરોનીડેઝ શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે.
  6. શુક્રકોષનું શીર્ષ અને મધ્ય ભાગ દ્વિતીય પૂર્વઅંડકોષમાં પ્રવેશે કે તરત જ શુક્રકોષના શીર્ષમાં રહેલ કોષકેન્દ્રને હવે નરપ્રકોષકેન્દ્ર કહે છે
  7. શુક્રકોષનો પ્રવેશ દ્વિતીયપૂર્વઅંડકોષમાં તાત્કાલિક કેટલાંક ફેરફારો પ્રેરે છે.
  8. અંડપડજીવરસથી સહેજ છૂટું પડે છે તેને હવે ફલનપડકહે છે. આ પડઅન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે.
  9. શુક્રકોષના પ્રવેશથી અંડકોષનું પરિપક્વન વિભાજન થાય છે અને માદા પ્રકોષકેન્દ્રનું નિર્માણ થાય છે.
  10. આમ એક શક્રકોષ અન એક અડકામાં ફલનમાં સંકળાયેલ છે.
  11. નરપ્રકોષકેન્દ્ર અને માદા પ્રકોષકેન્દ્રના સંમિલનથી દ્વિકીય ફલિતાંડ (યુગ્મનજ) કોષકેન્દ્ર બને છે.
  12. ફલિત અંડકોષને ફલિતાંડ કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 20.
માનવ અંડપિંડમાંથી દર મહિને કેટલા અંડકોષો (ઇંડાં) મુક્ત થાય છે ? તમે શું વિચારો છો કે જ્યારે માતા સમાન (જોડિયાં) (identical twins) બાળકોને જન્મ આપે ત્યારે કેટલા અંડકોષ મુક્ત થતા હશે? જો જોડિયાં બાળકો ભ્રાતૃ(ભાઈ ભાઈ જેવું) હોય, તો તમારા જવાબમાં ફેરફાર થશે?
ઉત્તર:

  1. માદાના અંડપિંડમાંથી પ્રત્યેક માસે એક અંડકોષ ઉત્પન્ન થાય છે.
  2. સમાન જોડીયાં બાળકોમાં બે અંડકોષ મુક્ત થાય છે અને ફલન પામે છે.

પ્રશ્ન 21.
તમે શું વિચારો છોકે માદાકૂતરાએ 6 બચ્ચાંને જન્મ આપ્યો હોય, તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષોમુક્ત થાય? –
ઉત્તર:
6 અંડકોષ

GSEB Class 12 Biology માનવ-પ્રજનન NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
નીચે આપેલાં વિધાનોપૈકી અસત્યવિધાનપસંદ કરોઃ
(A) વિહંગ અને સસ્તનમાં અંતઃફલન થાય છે.
(B) કોલોસ્ટ્રમ એન્ટિબોડિઝ અને પોષકદ્રવ્યો ધરાવે છે.
(C) સસ્તનોમાં પોલિસ્પર્મી (બહુશુક્રકોષીયતા) અંડકોષની સપાટીમાં રાસાયણિક પરિવર્તનો દ્વારા અવરોધાય છે.
(D) સ્ત્રીમાં ગર્ભસ્થાપન મોટા ભાગે ફલન પછીના સાતમા દિવસે થાય છે.
જવાબ
(C) સસ્તનોમાં પોલિસ્પર્મી (બહુશુક્રકોષીયતા) અંડકોષની સપાટીમાં રાસાયણિક પરિવર્તનો દ્વારા અવરોધાય છે.
પોલીસ્પર્મીમાં જયારે અંડકોષનું એક કરતાં વધુ શુક્રકોષ દ્વારા ફલન થાય છે. ત્યારે ફલન દરમિયાન અંડકોષમાં શુક્રકોષનો સ્પર્શ થતાં અંડકોષના કોષરસપટલનું દ્વિધ્રુવીકરણ થાય છે કે જેથી વધારાના શુક્રકોષો દાખલ થતાં નથી. બાકીના વિધાનો સાચાં છે.
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 11

પ્રશ્ન 2.
નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન ઓળખો:
(A) ઇસ્ટ્રોજનના ઊંચા સ્તરને કારણે અંડપિંડીય સક્રિયતામાં વધારો થાયછે.
(B) મુગ્ધાવસ્થા અને પછીના સમયમાં અંડપિંડીય કોષો વિસ્તરણ પામવાની શરૂઆત કરે છે અને ક્રિયાશીલ અંડકોષનું નિર્માણ નિયમિત ચક્રમાં કરતા રહે છે.
(C) શુદોત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતાં શુક્રકોષો ઉચ્ચસ્તરીય ચલિતતા દર્શાવે છે.
(D) માસિકચક્રમાં પશ્ચ અંડપતનીય તબક્કા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું સ્તર ઊંચું હોય છે.
જવાબ
(D) માસિકચક્રમાં પશ્ચ અંડપતનીય તબક્કા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું સ્તર ઊંચું હોય છે.

પ્રશ્ન 3.
નર પ્રજનનતંત્રને અનુલક્ષીને નીચે આપેલ પૈકી કઈ એક રચના અસંગત છે?
(A) વૃષણાલિકા
(B) અધિવૃષણનલિકા
(C) શુક્રવાહિની
(D) અસ્થમસ
જવાબ
(D) અસ્થમસ

  • ઇચ્છમસ એ માદા પ્રજનનતંત્રનો ભાગ છે. માદા પ્રજનનતંત્રમાં અંડવાહિની ચાર ભાગ દર્શાવે છે. એટલે કે અંડવાહિની નિવાપ, તુંબિકા, અસ્થમસ અને ગર્ભાશયનો છેડાનો ભાગ.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 2

  • શુક્રપિંડની આકૃતિઃ

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 12

પ્રશ્ન 4.
વીર્યનો પ્રવાહી ભાગ, શુક્રરસમાટે જવાબદાર રચનાઓ?
(i) શુક્રાશય
(ii) પ્રોસ્ટેટ ગ્રંથિ
(iii) મૂત્રમાર્ગ
(iv) બબોયુરેથ્રલ ગ્રંથિ
(A) i અને ii
(B) i, ii અને iv
(C) ii, iii અને iv
(D) i અને iv
જવાબ
(B) i, ii અને iv

  • નર સહાયક ગ્રંથિઓમાં પ્રોસ્ટેટ તેમજ જોડમાં આવેલ શુક્રાશય અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ આવેલ છે. આ ગ્રંથિઓનો સ્રાવ વીર્ય ધરાવે છે. આ વીર્યમાં પુષ્કળ પ્રમાણમાં ફ્રુક્ટોઝ, કૅલ્શિયમ અને કેટલાંક ઉન્સેચકો ધરાવે છે.
  • બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સ્રાવ શિશ્નને લુબ્રિકેટ કરવામાં મદદ કરે છે. મૂત્રજનનમાર્ગ એ એક વાહિની છે કે નર પ્રજનનતંત્રમાં શિશ્નની મધ્યમાંથી પસાર થાય છે અને વીર્ય (શુક્રકોષો) અને પ્રવાહી ઉત્સર્ગ દ્રવ્ય મૂત્રને પસાર થવા દેવા માટેનો સામાન્ય માર્ગ ધરાવે છે. માદામાં મૂત્રમાર્ગને પ્રજનનતંત્રને લગતાં કોઈ કાર્યનથી.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 5.
શુક્રકોષો ક્યાંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે?
(A) શુક્રોત્પાદકનલિકાઓ
(B) શુક્રવાહિની
(C) અધિવૃષણનલિકા
(D) પ્રોસ્ટેટ ગ્રંથિ
જવાબ
(A) શુક્રોત્પાદકનલિકાઓ
સરટોલીના કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાઓના પોલાણમાં મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે. શુક્રોત્પાદક નલિકાઓમાંથી અસ્થાયી સંગ્રહ માટે શુક્રકોષો શુક્રવાહિની દ્વારા અધિવૃષણ નલિકામાં
જાય છે.

પ્રશ્ન 6.
તંદુરસ્ત સ્ત્રીના અંડપિંડમાં સામાન્ય રીતે પુખ્ત ગ્રાફિયન પુટિકા લગભગઆ સમયે જોવા મળે છે?
(A) માસિકચક્રના 5 – 8 દિવસે
(B) માસિકચક્રના 11 – 17 દિવસે
(C) માસિકચક્રના 18 – 23દિવસે
(D) માસિકચક્રના 24 – 28 દિવસે
જવાબ
(B) માસિકચક્રના 11-17 દિવસે

  • માદા માનવમાં ઋતુચક્ર 28થી 29 દિવસો સુધી ચાલે છે. ફોલિક્યુલર (પ્રોલિફરેટીવ) તબક્કામાં ફોલિકલ સ્ટિમ્યુલેટીંગ હોર્મોન (RSH)ની અસર હેઠળ પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી પુખ્ત ગ્રાફિયન પુટિકાઓમાં રૂપાંતર પામે છે. આ ફોલિક્યુલર તબક્કો 14 દિવસો સુધી ચાલે છે.
  • LH અને FSHજેવાં ગોનેડોટ્રોપીનનો સ્રાવ ક્રમિક રીતે આ તબક્કામાં વધે છે અને ઇસ્ટ્રોજનનો સ્રાવવૃદ્ધિ પામતી પુટિકાઓ દ્વારા વધે છે ત્યારે LH અને FSH મહત્તમ સ્તરમાં ઋતુચક્રની મધ્યમાં 14મા દિવસે ધારણ કરે છે.
  • LHનો વધુ સ્રાવ કે જેને LHનો વધારો કહે છે, તે ગ્રાફિયન પુટિકા તૂટી જવા માટે પ્રેરે છે અને તે દ્વારા અંડકોષને મુક્ત કરે છે. એટલે કે તે અંડકોષપાતને પ્રેરે છે. આ અંડકોષનો તબક્કો લ્યુટિઅલ તબક્કા દ્વારા આગળ વધે છે કે જે દરમિયાન ફોલિક્યુલર કોષો મોટા બની કૉપર્સ લ્યુટિયમ બનાવે છે.

પ્રશ્ન 7.
શુક્રકોષના શુક્રાગ્રની પ્રક્રિયાકોને લીધે સર્જાય છે?
(A) અંડકોષનાઝોના પેલ્યુસીડા સાથે તે સંપર્કમાં આવવાથી.
(B) સ્ત્રીના ગર્ભાશયના પર્યાવરણ સાથેની પ્રક્રિયા થવાથી.
(C) પુરુષના અધિવૃષણ પર્યાવરણમાં પ્રક્રિયાઓ થવાથી.
(D) ગર્ભાશયમાં એન્ડ્રોજન્સનિર્માણ પામે છે.
જવાબ
(C) પુરુષના અધિવૃષણ પર્યાવરણમાં પ્રક્રિયાઓ થવાથી.
ત્રણ ગ્લાયકોપ્રોટીન (ZP3) પૈકીનો એક શુક્રકોષ ગ્રાહક તરીકે કાર્ય કરે છે અને શુક્રકોષના શીર્ષની સપાટી ઉપર આવેલ પૂરક અણુ સાથે જોડાય છે. શુક્રકોષના શીર્ષને ગ્રાહક અણુ ZP3 સાથે થતું જોડાણ શુક્રકોષના શુક્રાગ્રને તેના હાઇડ્રોલાયટિક ઉસેચક (શુક્રકોષલાયસીન) મુક્ત કરવા પ્રેરે છે.

શુક્રકોષમાંથી મુક્ત થતો લાયસીન નીચે પ્રમાણે ધરાવે છે :

  1. હાલ્યુરોનીડેઝ, તે ફોલિક્યુલર (પુટિકા)ના કોષોના હાલ્યુરોનીક ઍસિડનું જળવિભાજન કરે છે.
  2. કોરોનામાં પ્રવેશતો ઉન્સેચક, દ્વિતીય અંડકોષની ફરતે આવેલા કોરોના રેડીયાટાના ભાગના આધારક ભાગોનું જળવિભાજન પ્રેરે છે.
  3. ઝોના લાયસીન અથવા એક્રોસીન ઝોના પેલ્યુસીડાનું પાચન કરવા પ્રેરે છે.

ઉપરોક્ત બધા ઉસેચકો, કોરોના રેડીયાટા અને ઝોના પેલ્યુસીડાને ઓગાળે છે અને શુક્રકોષને અંડકોષના કોષરસપટલ સુધી પહોંચાડે છે. શુક્રકોષના શીર્ષમાં થતાં ઉપરોક્ત ફેરફારોની અસરને શુક્રાગ્રની પ્રક્રિયા કહે છે.

પ્રશ્ન 8.
નીચે આપેલ પૈકી કઈ એક રચના પુરુષની સહાયક પ્રજનન ગ્રંથિ નથી?
(A) શુક્રાશય
(B) તુમ્બિકા
(C) પ્રોસ્ટેટ
(D) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
જવાબ
(B) તુંબિકા

  • તુંબિકા અંડવાહિનીના ચાર ભાગો પૈકીની એક છે. અંડવાહિનીઓ (ફેલોપિયન નલિકાઓ) ગર્ભાશય અને યોનિમાર્ગ માદા સહાયક નલિકાઓ તરીકે જોવા મળે છે.
  • પ્રત્યેક અંડવાહિની 10થી 12 સેમી લાંબી છે અને અંડપિંડથી ગર્ભાશય સુધી લંબાયેલ છે. પ્રત્યેક અંડવાહિની ચાર વિસ્તારો ધરાવે છે. એટલે કે અંડવાહિની નિવાપ, તુંબિકા, ઇથમસ અને ગર્ભાશયનો ભાગ, તુંબિકા પ્રદેશ લાંબો, પહોળો અને પાતળી દીવાલવાળો અંડવાહિની નિવાપની નજદીક આવેલ ભાગ છે.

પ્રશ્ન 9.
શુક્રકોષજનન દ્વારા આદિશુક્રકોષ કોષ-વિભાજનમાંથી પસાર થઈને શુક્રકોષોનું નિર્માણ કરે છે. ઉપર્યુક્ત વિધાનના સંદર્ભે કયું એક વિધાન સાચું છે?
(A) આદિ શુક્રકોષો 46 રંગસૂત્રો ધરાવે છે અને હંમેશાં અર્ધીકરણ પ્રકારનું કોષવિભાજન ધરાવે છે.
(B) પ્રાથમિક પૂર્વશુક્રકોષો સમવિભાજન દ્વારા વિભાજન પામે છે.
(C) દ્વિતીય પૂર્વ શુક્રકોષો 23 રંગસૂત્રો ધરાવે છે અને દ્વિતીય અર્ધીકરણ પ્રકારનું વિભાજન ધરાવે છે.
(D) શુક્રકોષોમાંથી, પ્રશુક્રકોષોમાં રૂપાંતરણ પામે છે.
જવાબ
(B) પ્રાથમિક પૂર્વશુક્રકોષો સમવિભાજન દ્વારા વિભાજન પામે છે.

  • શુક્રપિંડમાં અપરિપક્વ નર જનનકોષો શુક્રકોષજનનની પ્રક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રોત્પાદક નલિકાની અંદરની દીવાલ ઉપર આવેલ જનનકોષો સમવિભાજન દ્વારા વિભાજન પામીને સંખ્યામાં વધે છે.
  • જનન અધિચ્છદીય કોષોમાં આવેલ જનનકોષો દિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. જનન અર્ધચ્છદના દ્વિકીય કોષોને પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કહે છે. સમયાંતરે તે અર્ધીકરણ દર્શાવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો પ્રથમ અર્ધીકરણ વિભાજન પામે છે અને બે એકસરખાં કોષો ઉત્પન્ન કરે છે, કે જેઓને દ્વિતીય પૂર્વશુક્રકોષો કહે છે કે જેઓ પ્રત્યેકને 23 રંગસૂત્રો હોય છે.
  • દ્વિતીય પૂર્વ શુક્રકોષો બીજા અર્ધીકરણના તબક્કામાંથી પસાર થઈને ચાર એકસરખા એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રકાયાન્તરણની પ્રક્રિયા દ્વારા પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતર પામે છે.

પ્રશ્ન 10.
નીચે આપેલ શુક્રકોષના ભાગ અને તેને સંબંધિત કાર્યની સાચી જોડ બનાવી, યોગ્ય સારો વિકલ્પ પસંદ કરો:

કોલમ – I કોલમ – II
(A) શીર્ષ (i) ઉન્સેચકો
(B) મધ્યભાગ (ii) શુક્રકોષની ચલિતતા
(C) એક્રોઝોમ(શુક્રાગ્ર) (iii) ઊર્જા
(D) પૂંછડી (iv) જનીનિકદ્રવ્ય

(A) (A – ii) (B – iv) (C – i) (D – iii)
(B) (A – iv) (B – iii) (C – i) (D – ii)
(C) (A – iv) (B – i) (C – ii) (D – iii)
(D) (A – ii) (B – i) (C – iii) (D – iv)
જવાબ
(B) (A – iv) (B – i) (C – i) (D – ii)

  • શુક્રકોષની રચનામાં શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી આવેલ છે. શુક્રકોષનું શીર્ષ લંબાયેલ એકકીય કોષકેન્દ્ર ધરાવે છે. તેનો અગ્રભાગ એક્રોસોમ નામે ઓળખાતા ટોપી જેવા ભાગ શુક્રાઝથી આવરિત હોય છે. શુક્રાગ્રમાં ઉત્સચકો આવેલ હોય છે. તે અંડકોષના ફલનમાં મદદ કરે છે.
  • મધ્યભાગમાં અસંખ્ય કણાભસૂત્રો આવેલ હોય છે કે જે પૂંછડીના હલનચલન માટે શક્તિ પૂરી પાડે છે કે જે ફલન માટે શુક્રકોષની પ્રચલનક્ષમતા પૂરી પાડે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 7

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 11.
નીચેનાપૈકીનું કયું એક23 રંગસૂત્રો ધરાવે છે?
(A) આદિ શુક્રકોષો
(B) ફલિતાંડ
(C) દ્વિતીય પૂર્વઅંડકોષ
(D) આદિપૂર્વઅંડકોષ
જવાબ
(C) દ્વિતીયપૂર્વઅંડકોષ

  • દ્વિતીય પૂર્વ અંડકોષમાં 23 રંગસૂત્રો હોય છે. અંડપિંડમાં અંડકોષજનનની પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક પૂર્વ અંડકોષના અર્ધીકરણથી થતાં વિભાજનથી તે ઉત્પન્ન થાય છે.
  • માદાની પૂર્વ ગર્ભાવસ્થામાં આવેલ ગર્ભીય અંડપિંડમાં અંડકોષજનન થાય છે અને અંડમાતૃકોષની ચોક્કસ સંખ્યામાં, માદા બાળકના જન્મ પહેલાં નક્કી થયેલ હોય છે. માદા બાળકના જન્મ બાદ બીજા માદા અંડમાતૃકોષ ઉમેરવામાં આવતા નથી.
  • આદિ શુક્રકોષો એ અપરિપક્વ નર પ્રજનનકોષો છે. તે શુક્રકોષો ઉત્પન્ન કરે છે. પ્રત્યેક આદિશુક્રકોષ દ્વિતીય (2n) હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. શુક્રકોષોનું એકકીય કોષકેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષકેન્દ્ર બંને સંયુશ્મન પામી દ્વિકીય (2n) ફલિતાંડ બનાવે છે, તેમાં 46 રંગસૂત્રો હોય છે.
  • ગર્ભના વિકાસ દરમિયાન, અંડપિંડના જનન અધિચ્છદના કેટલાંક કોષો સમવિભાજન પામી આદિ અંડકોષો તરીકે ઓળખાતા જનનકોષો ઉત્પન્ન કરે છે: આદિ અંડકોષો દ્વિકીય (2n) હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે.

પ્રશ્ન 12.
યોગ્ય જોડકાં જોડો અને સારો વિકલ્પ પસંદ કરોઃ

કોલમ – I કોલમ – II
(A) ગર્ભપોષક સ્તર (i) ગર્ભકોષ્ઠનું એડ્ડોમેટ્રિયમમાં સ્થાપિત થવું
(B) વિખંડન (ii) કોષોના સમૂહગર્ભતરીકે વિભેદનપામેછે.
(C) આંતરિકકોષ સયૂહ (iii) ગર્ભકોષ્ઠનું બાહ્યસ્તર એન્ડોમેટ્રિયમ સાથે જોડાય.
(D) ગર્ભસ્થાપન (iv) ફલિતાંડનું સમવિભાજન

(A) (A – ii) (B – i) (C – iii) (D – iv)
(B) (A – iii) (B- iv) (C – ii) (D – i)
(C) (A – iii) (B – i) (C – ii) (D – iv)
(D) (A – ii) (B – iv) (C – iii) (D -i)
જવાબ
(B) (A – iii) (B – iv) (C – i) (D – i)

પ્રશ્ન 13.
નીચે આપેલ અંતઃસ્ત્રાવો પૈકી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાય દ્વારા
ગ્રાવપામતો નથી?
(A) hCG
(B) ઇસ્ટ્રોજન
(C) પ્રોજેસ્ટેરોન
(D) LH જવાબ
(D) LH

  • LH લ્યુટીનાઇઝિંગ હોર્મોન (અંતઃસ્ત્રાવ) અગ્રપિસ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. જરાયુ એક અંગ છે કે જે વિકાસ પામતાં જરાયું (ગર્ભ) અને ગર્ભાશયની દીવાલ સાથે જોડાય છે. જરાય પોષક ઘટકો પહોંચાડવાનું, ઉત્સર્ગ દ્રવ્યો (નકામા ઘટકો) ગર્ભના રુધિરમાંથી દૂર કરવાનું અને વાયુઓની આપ-લે માત્રુધિર દ્વારા થાય છે.
  • જરાય અંતઃસ્ત્રાવી પેશી તરીકે કાર્ય કરે છે અને અસંખ્ય અંતઃસ્ત્રાવો જેવાં કે, હ્યુમન કોરિઓનિક ગોનેડોટ્રોપિન (hCG); હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન hPL ઇસ્ટ્રોજેન્સ, પ્રોજેસ્ટેરોન વગેરે.

પ્રશ્ન 14.
મૂત્રમાર્ગમાં ખૂલતી અને શુક્રાશયમાંથી શુક્રવાહિનીને ગ્રહણ કરતી નલિકા કઈ છે?
(A) અધિવૃષણનલિકા
(B) અલનનલિકા
(C) બહિર્વાહીનલિકા
(D) મૂત્રવાહિની
જવાબ
(B) અલન નલિકા

  • શુક્રવાહિની એ અધિવૃષણ નલિકાના અંતિમ ભાગનો આગળનો ભાગ છે. તે લગભગ 40 સેમી. લાંબી અને શરૂઆતના ભાગે સાધારણ રીતે ગૂંચળાદાર છે. પરંતુ તે ઉદરના પ્રદેશમાં પોલાણમાં ઇવિનલનલિકા મારફતે પ્રવેશે છે.
  • અત્રે તે મૂત્રાશય ઉપરથી પસાર થાય છે ત્યારે તે મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે અને શુક્રાશયમાંથી નીકળતી વાહિની સાથે જોડાય છે અને મૂત્રજનન માર્ગમાં ખૂલે છે અને અલન નલિકા તરીકે કાર્ય કરે છે. આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ તેમજ શુક્રપિંડમાંથી શુક્રકોષનું વહન બહારની તરફ મૂત્રજનન વાહિની દ્વારા કરે છે.

પ્રશ્ન 15.
યુરેથ્રલમીટસકોના સંદર્ભમાં છે?
(A) મૂત્રજનનનલિકા
(B) શુક્રવાહિનીનું મૂત્રમાર્ગમાં ખૂલતું છિદ્ર
(C) મૂત્રજનનવાહિનીનું બહાર ખૂલતું છિદ્ર
(D) મૂત્રજનનવાહિનીને ફરતે આવેલ સ્નાયુઓ
જવાબ
(C) મૂત્રજનનવાહિનીનું બહાર ખૂલતુંછિદ્ર
મૂત્રજનનવાહિની મૂત્રાશયમાંથી ઉત્પન્ન થાય છે અને શિશ્નમાંથી પસાર થઈ મૂત્રજનનવાહિનીના બહારની બાજુએ આવેલ છિદ્ર સુધી લંબાયેલ હોય છે. શુક્રાશયની નલિકા સાથે શુક્રવાહિની ખૂલવાનું છિદ્ર પણ મૂત્રજનનવાહિનીમાં સ્કૂલન નલિકા તરીકે ખૂલે છે.

પ્રશ્ન 16.
મોરલાઅવસ્થાનો વિકાસમય તબક્કો કયો છે?
(A) ફલિતાંડ અને ગર્ભકોષ્ઠન વચ્ચેનો
(B) ગર્ભકોષ્ઠી અને આંત્રકોઠી વચ્ચેનો
(C) ગર્ભસ્થાપન પછીનો
(D) ગર્ભસ્થાપન અને પ્રસૂતિ વચ્ચેનો
જવાબ
(A) ફલિતાંડ અને ગર્ભકોષ્ઠન વચ્ચેનો

  • શુક્રકોષોનું એકકીય કોષકેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષકેન્દ્ર સંયુગ્મન પામી દ્વિકીય ફલિતાંડ બનાવે છે. ફલિતાંડ અંડવાહિનીના ઇચ્છમસમાંથી પસાર થઈ ગર્ભાશય તરફ આગળ વધે છે ત્યારે સમવિભાજનથી વિખંડન શરૂ થાય છે અને 2, 4, 8, 16 બાળકોષો ઉત્પન્ન થાય છે તેને ગર્ભકોષ્ઠીખંડો કહે છે.
  • 8થી 16 ગર્ભકોઠી ખંડો ધરાવતાં ગર્ભને મોરુલા કહે છે. મોરલા વિભાજન પામવાનું ચાલુ રાખે છે અને ગર્ભકોષ્ઠી કોથળીમાં રૂપાંતર પામે છે, કે જે ગર્ભાશયના સૌથી અંદરના સ્તર એન્ડોમેટ્રિયમમાં ખૂંપેલ સ્થિતિમાં જોવા મળે છે તેને ગર્ભસ્થાપન કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 17.
અંડપતન સમયે અંડકોષનું પટલીય આવરણ કર્યું એક છે?
(A) કોરોના રેડિએટા
(B) ઝોન રેડિએટા
(C) ઝોના પેલ્યુસીડા
(D) કોરીઓન
જવાબ
(A) કોરોના રેડિએટા

  • અંડકોષ, આંતરિક પાતળા પારદર્શક અકોષીય આવરણ ઝોના પેલ્યુસીડા અને બહારની બાજુએ જાડા આવરણ કોરોના રેડિએટા દ્વારા આવરિત હોય છે.
  • ફલન સમયે શુક્રકોષ સૌપ્રથમ કોરોના રેડિએટા અને ઝોના પેલ્યુસીડાના સંપર્કમાં આવે છે, કે જે દ્વારા તે અંડકોષના કોષરસપટલના સંપર્કમાં આવે છે.

પ્રશ્ન 18.
નીચે આપેલપૈકી કયું એક અસંગત છે?
(A) ગૌણ ભગોઇ
(B) ફિબ્રી
(C) અંડવાહિનીનિવાપ
(D) અસ્થમસ
જવાબ
(A) ગૌણ ભગોષ્ઠ

  • માદામાં સહાયક નલિકાઓ, અંડવાહિનીઓ (અંડવાહિની નિવાપ); ગર્ભાશય અને યોનિમાર્ગ છે. પ્રત્યેક અંડવાહિની, પ્રત્યેક અંડપિંડની ફરતે આવેલ ભાગથી લંબાઈને ગર્ભાશય સુધી આવેલ હોય છે. અંડપિંડની નજદીક આવેલ ભાગ નિવાપ આકારનું અંડવાહિની નિવાપ આવેલ છે.
  • અંડવાહિનીની ધાર ઉપર આવેલ આંગળી જેવાં પ્રવર્થો આવેલ હોય છે કે જેને ફિખ્રી (પલ્મો) કહે છે. અંડવાહિની પછી અંડવાહિનીનો પહોળો ભાગ તુંબિકા (એમ્યુલા) આવેલ હોય છે. અંડવાહિનીનો છેલ્લો ભાગ ઇથમસ જયારે ગૌણ ભગોષ્ઠ એ માદાનું બાહ્ય જનનાંગછે.

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
નીચે આપેલ ઘટનાઓ માનવ-પ્રજનનની છે. તેને સાચા ક્રમમાં ગોઠવો.
વીર્યસેચન, જન્યુજનન, ફલન, પ્રસૂતિ, ગર્ભઅવધિકાળ, ગર્ભસ્થાપન
ઉત્તર:
માનવમાં પ્રજનન ક્રિયાઓમાં નીચેનો સમાવેશ થાય છે.

  1. જન્યુજનન (નેમેટોજિનેસીસ) → જન્યુઓ (પ્રજનન કોષો)નું નિર્માણ (નરમાં શુક્રકોષ અને માદાઓમાં અંડકોષ) :
  2. વીર્યસેચન → માદા પ્રજનનમાર્ગમાં શુક્રકોષોનું વહન
  3. ફલન → નર અને માદા પ્રજનનકોષોનું સંમિલન.
  4. ગર્ભસ્થાપન→ (ઇનપ્લાન્ટેશન) → ઉત્પન્ન થયેલ ગર્ભકોષ્ઠનું નિર્માણ, વિકાસ અને ગર્ભાશયની દીવાલમાં સ્થાપન
  5. ગર્ભઅવધિકાળ → માદાના શરીરમાં ગર્ભવિકાસ.
  6. પ્રસૂતિ → બાળકનો જન્મ

પ્રશ્ન 2.
નીચે શુક્રકોષનો વહનમાર્ગ આપેલો છે. નીચે આપેલ ખાનાઓમાં શબ્દની પૂર્તિ કરોઃ
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 13
ઉત્તર:

  • A = શુક્રવાહિકાઓ, B = શુક્રવાહિનીઓ
  • શુક્રપિંડની શુક્રવાહિનીઓ મારફતે શુક્રવાહિનીઓમાં ખૂલે છે. શુક્રવાહિની શુક્રપિંડમાંથી બહાર આવી અધિવૃષણ નલિકામાં આવે છે અને પ્રત્યેક શુક્રપિંડની પૃષ્ઠ સપાટીએ આવેલ હોય છે. અધિવૃષણ નલિકા શુક્રવાહિની તરફ દોરે છે.
  • શુક્રવાહિની ઉદર પ્રદેશમાં દાખલ થાય છે અને મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે. તે શુક્રાશયમાંથી એક નલિકા પ્રાપ્ત કરે છે અને મૂત્રજનનવાહિનીમાં ખૂલે છે અને સ્મલન નલિકા તરીકે હોય છે. આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ કરે છે અને શુક્રકોષોનું શુક્રપિંડમાંથી મૂત્રજનન વાહિની મારફતે બહારની તરફ શુક્રકોષોનું વહન કરે છે.

પ્રશ્ન 3.
માનવમાદાના પ્રજનનતંત્રમાં ગ્રીવાની ભૂમિકાશી છે?
ઉત્તર:

  1. ફન્ડસ (ગર્ભાશયનો ઉપરનો પાયાનો ભાગ) તે પહોળું, વળેલ, ઘુમ્મટ આકારનો ઉપરનો વિસ્તાર છે કે જે અંડવાહિનીને પ્રાપ્ત કરે છે.
  2. દેહ (body): તે ગર્ભાશયનો મુખ્ય ભાગ છે. તે અંડવાહિનીના સ્તરની નીચેથી શરૂ થાય છે અને નીચે તરફ ગર્ભાશયની દીવાલો અને પોલાણ સાંકડા બને ત્યાં સુધી આગળ વધે છે.
  3. ઇથમસતે નીચે આપેલ સાંકડો ગળાનો ભાગ છે.
  4. ગ્રીવા : તે અત્યંત નીચેનો ભાગ છે. ઇથમસથી નીચે તરફ વિસ્તરેલ અને યોનિમાર્ગમાં ખૂલે ત્યાં સુધીનો ભાગ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 11

પ્રશ્ન 4.
ગર્ભાવસ્થા દરમિયાન શામાટે માસિકચક્રની ગેરહાજરી હોય છે?
ઉત્તર:

  • ઋતુસ્ત્રાવ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સ્તર તૂટી જવાથી અને તેની રુધિરવાહિનીઓ તૂટી જવાથી રુધિર પ્રવાહી સ્વરૂપે યોનિમાર્ગમાંથી બહાર આવે છે. મુક્ત થયેલ અંડકોષનું ફલન ન થવાને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.
  • ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રના બધા જ તબક્કાઓ બંધ થાય છે અને કૉપર્સ લ્યુટિયમ વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની દેખભાળ માટે જરૂરી હોય છે. આ ફેરફારો ગર્ભધારણ દરમિયાન ઋતુસ્ત્રાવ થવા દેતાં નથી.
  • નોંધઃ ઋતુસ્ત્રાવન થવો તે ગર્ભધારણની શક્યતા દર્શાવી શકે છે. ઋતુસ્ત્રાવન થવો તે કેટલાંક કારણો જેવાં કે તાણ અને નબળી તંદુરસ્તી જવાબદાર છે.

પ્રશ્ન 5.
માદા પ્રજનન અંગો અને તેના સંલગ્ન કાર્ય કોલમ -A અને B માં આપેલછે. ખાલી રહેલખાનાં પૂરોઃ

કોલમ – A કોલમ – B
અંડપિંડો અંડપતન
અંડવાહિની (A)
(B) ગર્ભાધાન
યોનિ જન્મ

ઉત્તર:

  • A = ફલન, B = ગર્ભાશય
  • માદા પ્રજનનતંત્રમાં અંડપિંડની એક જોડ, અંડવાહિનીઓની એક જોડ, ગર્ભાશય, યોનિમાર્ગ, બાહ્યજનનાંગો અને સ્તનગ્રંથિઓનો સમાવેશ થાય છે.
  • અંડપિંડોમાં અંડકોષોના નિર્માણ જેવાં બાહ્ય કાર્યો અને અંતઃસ્ત્રાવી કાર્યો તરીકે માદા જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવાનું કાર્ય છે.
  • અંડવાહિની (ફેલોપિયન નલિકા) અંડપિંડમાંથી ગર્ભાશય સુધી અંડકોષનું વહન કરવાનું કાર્ય કરે છે. તેમજ ફલન માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. ગર્ભાશય એ એક મોટું ઊંધા નાસપતિ આકારનું સ્થિતિસ્થાપક કોથળી જેવું ગર્ભવિકાસ માટે વિશિષ્ટ રીતે વિકાસ પામેલ છે.
  • યોનિમાર્ગ મૈથુનક્રિયા માટે, શિશ્નને ગ્રહણ કરવા માટે, ઋતુસ્ત્રાવને જવાદેવા માટે, પ્રસૂતિ સમયે જન્મમાર્ગ તરીકે કાર્ય કરે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 6.
પ્રસૂતિ માટેના સંકેતો ક્યાંથી સર્જાય છે. – માતા કે ભૂણમાંથી ? પ્રસૂતિ સાથે સંકળાયેલ મુખ્ય અંતઃસ્રાવનું નામ જણાવો.
ઉત્તર:

  • પ્રસૂતિ એ સંયુક્ત ચેતા અંતઃસ્ત્રાવી નિયંત્રણ અને સહનિયમન દ્વારા થતી પ્રક્રિયા છે. પ્રસૂતિના સંકેતો પૂર્ણ રીતે વિકાસ પામતાં ગર્ભમાંથી અને જરાયુ દ્વારા ઉત્પન્ન થાય છે કે જે ગર્ભાશયના ધીમા સંકોચન રૂપે ઉત્પન્ન થાય છે કે જેને ગર્ભના બહાર નીકળવા માટેની પ્રતિક્રિયા કહે છે.
  • પ્રસૂતિમાં ભાગ ભજવતો અંતઃસ્ત્રાવ ઑક્સિટોસીન છે કે જે ગર્ભાશયના સ્નાયુઓ ઉપર અસર કરે છે અને ગર્ભાશયના તીવ્ર સંકોચનો ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા ગર્ભાશયમાંથી જન્મમાર્ગ દ્વારા બાળકને બહાર લાવે છે.

પ્રશ્ન 7.
પુરુષની ફળદ્રુપતામાં અધિવૃષણનલિકાનું મહત્ત્વ શું છે?
ઉત્તર:

  • અધિવૃષણ નલિકા શુક્રકોષને પુખ્તતા ધારણ કરવામાં, વધુ માત્રામાં પ્રચલન ક્ષમતા પ્રાપ્ત કરવામાં અને ફલનની ક્ષમતા ધારણ કરવામાં મદદ કરે છે. અધિવૃષણ નલિકા શુક્રવાહિનીમાં શુક્રકોષો દાખલ થાય તે પહેલાં થોડા સમય માટે શુક્રકોષોનો સંગ્રહ કરે છે.
  • અધિવૃષણ નલિકા થોડા થોડા સમયે શુક્રપિંડમાંથી શુક્રકોષો બહાર કાઢવા માટે પેરિસ્ટાલિક અને સેગમેન્ટિંગ સંકોચનો દર્શાવે છે.

પ્રશ્ન 8.
શુક્રકોષજનનની ક્રિયામાં સંકળાયેલા અંતઃસ્ત્રાવોનાં નામ અને તેમનાં કાર્યો જણાવો. અંતઃસ્ત્રાવી ગ્રંથિનાં નામ આપો કે જેમાંથી તેઓ મુક્ત થાય છે.
ઉત્તર:

  1. શુક્રકોષજનનની શરૂઆત યૌવનના આરંભની ઉંમરે હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંતઃસ્ત્રાવ GnRH માં નોંધપાત્ર વધારો થવાથી થાય છે.
  2. GnRH ના સ્તરમાં વધારો થવાથી પિયૂટરી ગ્રંથિને અસર કરે છે. જેથી બે ગોમેઝોટ્રોપિન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ (LH) અને ફોલિકલસ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ (FSH) ના સ્ત્રાવને ઉત્તેજે છે.
  3. LH લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજે છે.
  4. એન્ડ્રોજન શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. FSHસરટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકોયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાંક કારકોના સ્રાવને ઉત્તેજે છે.

પ્રશ્ન 9.
જનન માતૃકોષોનું રૂપાંતરણ પુખ્ત અંડપુટિકામાં થાય છે. તે માટે શ્રેણીબદ્ધ તબક્કા દર્શાવો. નીચે આપેલ પગથિયાંને અનુસરીને ખાલીખાનાપૂરોઃ
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 14
ઉત્તર:

  • A = પ્રાથમિક પૂર્વ અંડકોષ B = દ્વિતીય પુટિકા C = દ્વિતીય પૂર્વ અંડપુટિકા
  • જનન અધિચ્છદના કોષોમાંથી દ્વિતીય અંડકોષો ઉત્પન્ન થાય ત્યાં સુધી વારંવાર વિભાજન પામે છે. અંડકોષો વૃદ્ધિ પામીને પ્રાથમિક પૂર્વ અંડકોષો બનાવે છે. પ્રત્યેક પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે ગ્રેન્યુલોસા કોષો આવેલ હોય છે અને તે પ્રાથમિક પુટિકા તરીકે ઓળખાય છે. પ્રાથમિક પુટિકાઓની ફરતે ગ્રેન્યુલોસા કોષોના વધુ સ્તરો ગોઠવાય છે અને તેને દ્વિતીય પુટિકાઓ તરીકે ઓળખાય છે.
  • દ્વિતીય પુટિકાઓ તુરત તૃતીય અને ચતુર્થ પુટિકાઓમાં ફેરવાય છે કે જે લાક્ષણિક રીતે એન્ટ્રમ તરીકે ઓળખાતું પ્રવાહી ભરેલ પોલાણ જોવા મળે છે અને એક પ્રાથમિકધ્રુવીય કાય ઉત્પન્ન થાય છે.
  • ચતુર્થ પુટિકા ફરીથી પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. અંડપિંડમાંથી અંડકોષપાતની પ્રક્રિયા દ્વારા ગ્રાફિયન પુટિકા હવે તૂટી જઈ અંડકોષ કે દ્વિતીય પૂર્વઅંડકોષ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 10.
પ્રજનન દરમિયાન, દ્વિકીયરંગસૂત્રો (2n) સંખ્યા ઘટીને જન્યુઓમાં અડધી થાય છે એટલે કે (n) થાય છે અને ફરી પાછી મૂળભૂત રંગસૂત્રોની દ્વિકીય (2n) સંખ્યા સંતતિમાં પુનઃસંગ્રહ થાય છે. આ ઘટનાઓ દર્શાવતી પ્રક્રિયાઓ કઈ છે?
ઉત્તર:
જન્યુકોષજનનની પ્રક્રિયા દરમિયાન અર્ધીકરણ (અર્ધસૂત્રી ભાજન) : દ્વારા રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે અને ફલનની પ્રક્રિયા દ્વારા નર અને માદા જન્યુઓના સંયુગ્મન દ્વારા રંગસૂત્રોની મૂળ સંખ્યા (21) જળવાય છે.

પ્રશ્ન 11.
પ્રાથમિક પૂર્વ અંડકોષ અને દ્વિતીય પૂર્વ અંડકોષ વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર:
ગર્ભાવસ્થામાં અંડપિંડમાં માતૃઅંડકોષ અર્ધીકરણના પૂર્વાવસ્થાનાના: તબક્કામાં હોય છે ત્યારે પ્રાથમિક પૂર્વઅંડકોષ બને છે. તરુણાવસ્થામાં એકકીય પ્રાથમિક પૂર્વ અંડકોષ પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરતાં એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ બને છે અને અર્ધીકરણ પૂર્ણ થતાં માદા જન્ય (અંડકોષ) ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 12.
સ્ત્રીના પ્રજનનમાર્ગમાં તુમ્બિકા-ઇચ્છમસીય સંધાન (Ampullary : Isthamic Junction)ની અગત્યશી છે?
ઉત્તર:
અંડવાહિનીમાં ઇચ્છમસ (ઇથમસ) અને એમ્યુલા (તુંબિકા)ને જોડતા પ્રદેશમાં અંડકોષ અને શુક્રકોષના ફલનની ક્રિયા થાય છે.
નોંધઃ તુંબિકા અને ઇથમસના જોડાણના પ્રદેશમાં અંડકોષ અને શુક્રકોષ એકસાથે સંયુગ્મન પામે તો ફલનની ક્રિયા થાય છે. બધી જ મૈથુનની ક્રિયા ફલન અને ગર્ભધારણ શક્ય બનાવતું નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 13.
પોલિસ્પર્મી(બહુશુક્રાણુતા)ને અવરોધવા માટે ઝોના પેલ્યુસીડાકેવી રીતે મદદરૂપ થાય છે?
ઉત્તર:
જ્યારે શુક્રકોષ, અંડકોષમાં દાખલ થાય છે ત્યારે તે કોષરસપટલમાં ફેરફારો ઉત્પન્ન કરે છે કે જેથી વધારાના શુક્રકોષોને ઝોના પેલ્યુસીડા અટકાવે છે. આમ તે એક શુક્રકોષ અંડકોષનું ફલન શક્ય બનાવે છે. વધુ શુક્રકોષોને (Polyspermy) અટકાવે છે.

પ્રશ્ન 14.
માસિકચક્ર દરમિયાન LH ના પ્રમાણમાં થતા વધારાનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
માસિકચક્રની મધ્યમાં LHના સૌથી વધુ સ્રાવને લીધે 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટી જાય છે અને તેને કારણે અંડકોષ મુક્ત થાય છે. આ સમયે ગ્રાફિયન પુટિકાના બાકીના ભાગો કૉપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. કૉપર્સ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનના વધુ જથ્થાનો સ્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની જાળવણી માટે જરૂરી બને છે, આવા એન્ડોમેટ્રિયમ ફલન પામેલ અંડકોષના સ્થાપન માટે અને ગર્ભધારણની બાકીની પ્રક્રિયાઓ માટે જરૂરી છે.

પ્રશ્ન 15.
કયા પ્રકારનું વિભાજન પ્રભુકકોષોનું નિર્માણ દ્વિતીય પૂર્વ શુક્રકોષોમાંથી કરે છે?
ઉત્તર:
દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધીકરણનું વિભાજન પામતાં ચાર સરખાં પ્રકારના એકકીય શુક્રકોષ ચતુષ્ક ઉત્પન્ન કરે છે કે જેમાંથી
પ્રશુક્રકોષો નિર્માણ પામે છે.
નોંધઃ
પ્રાથમિક શુક્રકોષો પ્રથમ અર્ધીકરણ વિભાજન (અર્ધસૂત્રીભાજન)
પામે ત્યારે દ્વિતીયપૂર્વશુક્રકોષો ઉત્પન્ન થાય છે.

કજવાબી પ્રકારના પ્રશ્નો.

પ્રશ્ન 1.
સ્ત્રી તેના જીવનકાળ દરમિયાન બે અનુભવ કરે છે:
(1) માસિકચક્રનો પ્રારંભ(menarche) અને
(2) માસિકચક્રમાંથી મુક્તિ (menopause) – આ બંને ઘટનાઓની અગત્યજણાવો.
ઉત્તર:

  • માનવમાં યૌવનાવસ્થા કે તરુણાવસ્થા (9થી 15વર્ષ) એ ઋતુચક્રની શરૂઆત થાય છે. તેને માન્સ મેનાર્ક કહે છે. જ્યારે લગભગ 50 વર્ષની ઉંમરે ઋતુચક્ર બંધ થાય છે કે જેને મેનોપોઝ કહે છે. માન્યું કે એનાર્ક પુખ્તાવસ્થા અને બાળકધારણ કરવા માટે માદા પ્રજનન તંત્રની તૈયારી સૂચવે છે.
  • તે અંડપિંડોની ક્ષમતા સૂચવે છે કે પુખ્ત અંડકોષ (માદા જનનકોષ) ઉત્પન્ન કરે છે, કે જે શુક્રકોષ દ્વારા ફલન પામી શકે અને ગર્ભાશય ગર્ભની વૃદ્ધિ અને વિકાસ ધારણ કરવા શક્તિમાન હોય છે.
  • મેનોપોઝ બાળક ધારણ કરવાની ઉંમર નથી તેવું સૂચવે છે. આ ઉંમરે તંદુરસ્ત અંડકોષો પૂરા પાડવાની ક્ષમતા ઓછી હોય છે. અંડપિંડો દ્વારા ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવોના સ્તર ઓછાં કે બંધ થાય છે અને ઋતુચક્ર બંધ થાય છે. ગર્ભાશય વધુ સમય સુધી ગર્ભના વિકાસ માટે તૈયાર નહીં રહે.

પ્રશ્ન 2.
(a) એક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષોનું નિર્માણ થાય છે?
(b) ફલિતાંડનું પ્રથમ વિખંડન ક્યાં જોવા મળે?
ઉત્તર:
(a) પ્રાથમિક શુક્રકોષપ્રથમ અર્ધીકરણ વિભાજન દ્વારા બે એકસરખા એકકીય કોષો, દ્વિતીયક પૂર્વ શુક્રકોષો પ્રત્યેકમાં n = 23 રંગસૂત્રો) ઉત્પન્ન કરે છે. દ્વિતીય પૂર્વશુક્રકોષો, દ્વિતીય અર્ધીકરણ વિભાજન પામીચાર એકસરખા પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે.

(b) ફલન પછીના 30 કલાકના સમયમાં જયારે ફલિતાંડ અંડવાહિનીના ઇથમસમાંથી ગર્ભાશય તરફ પસાર થાય છે ત્યારે વિખંડન તરીકે ઓળખાતું સમવિભાજન શરૂ થાય છે અને ગર્ભકોષ્ઠી ખંડો રચે છે.

પ્રશ્ન 3.
ગર્ભાધાનમાં કોર્પસ લ્યુટિયમનું જીવન લાંબું હોય છે. જો ફલનની ક્રિયા ન થાય, તો તે 10 થી 12 દિવસો સુધી સક્રિય રહે છે. – આ વિધાનની સમજૂતી આપો.
ઉત્તર:
તૂટી ગયેલ પામેલ ગ્રાફિયન પુટિકાઓ કૉપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે અને વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની સારસંભાળ માટે જરૂરી છે. આવું એન્ડોમેટ્રિયમ ફલન પામેલ અંડકોષ (ફલિતાંડ)ના ગર્ભકોષ્ઠી ખંડોના સ્થાપન માટે અને ગર્ભધારણની બીજી ઘટનાઓ માટે જરૂરી બને છે. આ કારણે ગર્ભધારણની સ્થિતિમાં કૉપર્સ લ્યુટિયમની લાંબી જિંદગી છે. પરંતુ ફલનની ગેરહાજરીમાં એન્ડોમેટ્રિયમની સારસંભાળ જરૂરી નથી. આથી કૉપર્સ લ્યુટિયમ 10થી 12 દિવસમાં વિઘટન પામે છે.

પ્રશ્ન 4.
ભૂણ-નિકાલની પરાવર્તી ક્રિયા એટલે શું? તે પ્રસૂતિને કેવી રીતે પ્રેરે છે તે સમજાવો.
ઉત્તર:

  • પૂર્ણ રીતે વિકસિત ભૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થતાં સંકેતોને આધારે ભૂણને બહાર કાઢવાના સંકોચનોનો સમાવેશ થઈ ગર્ભાશયમાં હલકાં સંકોચનો પ્રેરાય છે.
  • આ ટ્રિગર્સ માતૃ પિસ્યુટરી ગ્રંથિમાંથી ઑક્સિટોસીનનો સ્રાવ મુક્ત થાય છે. ઑક્સિટોસીન ગર્ભાશયના સ્નાયુઓ ઉપર અસર કરી શક્તિશાળી સંકોચન પ્રેરે છે કે જે ફરીથી ઑક્સિટોસીનના વધારાના સ્રાવને પ્રેરે છે.
  • ગર્ભાશયના સંકોચનો અને ઑક્સિટોસીનના સ્રાવની એકસાથે થતી સંયુક્ત અસરો દ્વારા શક્તિશાળી અને શક્તિશાળી સંકોચનો દ્વારા ગર્ભાશયમાંથી બાળકને જન્મનલિકામાંથી બહાર દોરી જાય છે.

પ્રશ્ન 5.
જરાયુના અંતઃસ્ત્રાવી કાર્યસિવાયનાં અન્ય કાર્યો કયા છે?
ઉત્તર:

  • વિકાસ પામતાં ગર્ભ અને માતૃશરીર વચ્ચે જરાય એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. જરાય અંતઃસ્ત્રાવી પેશી કાર્ય કરી અનેક અંતઃસ્ત્રાવો જેવાં કે (1) હ્યુમન કોરિઓનિક ગોનેડોટ્રોપિન (hCG) (2) હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન (hPL) (3) ઇસ્ટ્રોજન અને (4) પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે.
  • અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાય પોષક ઘટકો અને ઑક્સિજન ગર્ભમાં પહોંચાડવાનું તેમજ ગર્ભદ્વારા ઉત્પન્ન થયેલ કાર્બનડાયૉક્સાઇડ અને ઉત્સર્ગદ્રવ્યો તેમજ નકામા પદાર્થો દૂર કરવાનું કાર્ય કરે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 6.
બાળકના જન્મ પછી તરત જ શરૂઆતના સમયગાળા દરમિયાન શા માટે ડોકટર સ્તનપાન કરાવવાનું સૂચન કરે છે?
ઉત્તર:
દૂધસ્રાવના શરૂઆતના દિવસોમાં સ્રવતું દૂધ નવતન્ય (colostrum) તરીકે ઓળખાય છે કે જે ઘણાં ઍન્ટિબૉડી (ખાસ કરીને IgA) ધરાવે છે. આ ઍન્ટિબૉડી (IgA) નવા જન્મેલા બાળકોને રોગો સામે પ્રતિચાર કેળવવા (મેળવવા) માટે જરૂરી છે. નવા જન્મેલા બાળકના શરૂઆતના દિવસોમાં તંદુરસ્ત બાળકના વિકાસ માટે દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.

પ્રશ્ન 7.
માસિકચક્રના પુટકીયતબક્કા દરમિયાન અંડપિંડ અને ગર્ભાશયમાં થતી ઘટનાઓ કઈ છે?
ઉત્તર:

  • માસિકચક્રના મુખ્ય તબક્કાઓ, ઋતુઅવસ્થા, ફોલિક્યુલર તબક્કો, ઓવ્યુલેટોરી (અંડકોષપાત – અંડપતન)નો તબક્કો અને લ્યુટિઅલ તબક્કો.
  • ફોલિક્યુલર તબક્કો ઋતુસ્ત્રાવને અનુસરે છે. આ અવસ્થા દરમિયાન અંડપિંડમાં આવેલ પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી પૂર્ણ રીતે વિકસિત ગ્રાફિયન પુટિકા બનાવે છે અને સાથે સાથે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ પ્રોલિફરેશન દ્વારા નવું બને છે. અંડપિંડ અને ગર્ભાશયમાં થતાં ફેરફારો પિયૂટરી ગ્રંથિ અને અંડપિંડના અંતઃસ્ત્રાવના સ્તરમાં થતાં ફેરફારો દ્વારા થાય છે.
  • જનનપિંડના અંતઃસ્ત્રાવો (LH અને FSH) ફોલિક્યુલર તબક્કામાં વધે છે. તે ફોલિક્યુલર વિકાસ અને વિકાસ પામતી પુટિકાઓ દ્વારા વિકાસ દરમિયાન ઇસ્ટ્રોજનનો સ્રાવ થાય છે.
  • બંને LH અને FSH ઋતુચક્રની મધ્યમાં (લગભગ 14મા દિવસે) મહત્તમ સ્તર (Peaklevel) પ્રાપ્ત કરે છે. LHના ઝડપી ાવના કારણે ગ્રાફિયન પુટિકા તૂટી જઈને અંડકોષપાતની પ્રક્રિયા થાય છે.

પ્રશ્ન 8.
માસિકચક્ર દરમિયાન અંડપિંડમાં થતા ફેરફારો નીચે આપેલ ચાર્ટ દ્વારા દર્શાવવામાં આવેલ છે. ખાલી ખાનાંમાં તે ઘટના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ સૂચવે છે તેનું સાચું નામખાલીખાનાંમાં પૂરોઃ
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 15
ઉત્તર:

  • a = LHઅને FSH, b = LH, c = પ્રોજેસ્ટેરોન
  • ફોલિક્યુલર તબક્કામાં, ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવો, LH અને FSH ધીમે ધીમે વધે છે અને ફોલિક્યુલરની વૃદ્ધિ તેમજ ઇસ્ટ્રોજનનો સ્રાવ પ્રેરે છે. તેમજ LAનો ઝડપીગ્નાવતેના મહત્તમ સ્તરે, ઋતુચક્રના મધ્યસ્તરે (14મા દિવસે) ગ્રાફિયન પુટિકા તૂટી જઈ અંડકોષ ઉત્પન્ન થાય છે. ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કૉપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. આ કૉપર્સ યુટિયમ પ્રોજેસ્ટેરોનનો વધુ સ્રાવ ઉત્પન્ન કરે છે કે જે પ્રસૂતિ દરમિયાન એન્ડોમેટ્રિયમની જાળવણી માટે જરૂરી છે.

પ્રશ્ન 9.
અંડકોષજનનનો રેખાંકિતચાર્ટ(વર્ણન વગર) દર્શાવો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 16

પ્રશ્ન 10.
પ્રાથમિક અંડપુટિકામાંથી ગ્રાફિયન પુટિકાના નિર્માણ સુધીના તબક્કા દરમિયાન આદિપૂર્વઅંડકોષોમાં થતાં ફેરફારોનોંધો.
ઉત્તર:

  • જનનઅધિચ્છદના કોષો ઝડપથી વિભાજન પામી ઘણા દ્રિકીય અંડકોષો (diploidoegonia)બને છે. અંડકોષો વૃદ્ધિ પામી પ્રાથમિક પૂર્વઅંડકોષો બનાવે છે.
  • પ્રત્યેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ગ્રેન્યુલોસા કોષો (કણો ધરાવતાં ; કોષો)ના ઘણાં સ્તરો દ્વારા આવરિત બને છે. તેને પ્રાથમિક પુટિકા કહેછે.
  • પ્રાથમિક પુટિકાઓ ગ્રેન્યુલોસા કોષો (કણો ધરાવતાં કોષો)ના ઘણાં સ્તરો દ્વારા આવરિત બને છે અને દ્વિતીય પુટિકાઓ તરીકે ઓળખાય છે. આ દ્વિતીય પુટિકાઓ તુરત જ ચતુર્થ પુટિકાઓમાં ; ફેરવાય છે, કે જેમાં પ્રવાહી ભરેલ પોલાણ જોવા મળે છે કે જેને એન્ટ્રમ કહે છે.
  • ચતુર્થ પુટિકામાં આવેલ પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધસૂકીભાજન પામી દ્વિતીય પૂર્વ અંડકોષમાં અને એકકીય પ્રાથમિક ધ્રુવકાય બને છે. ચતુર્થ પુટિકા પુખ્ત પુટિકા કે ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે કે જે તૂટી જઈ દ્વિતીય પૂર્વઅંડકોષને અંડપિંડની બહાર મુક્ત કરે છે. આ પ્રક્રિયાને અંડકોષપાત કહે છે.

દીર્ણજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
માસિકચક્રના પુટકીય તબક્કા અને અંડપિંડીય તબક્કા દરમિયાન પિટ્યુટરીના ગોટેગોટ્રોપિન્સની ભૂમિકા શી છે ? સ્ટિરોઇડલ અંતઃસ્ત્રાવોના સ્રાવનાપરિપ્રેક્ષ્યમાં સમજાવો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 17

  • માદા પ્રાઇમેટ (ઉદા. વાનરો, એપ્સ અને માનવ)માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે.
  • પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે. જેને રજોદર્શન (menarche) પણ કહે છે.
  • માનવની માદામાં સ્ત્રીઓમાં) ઋતુસ્ત્રાવ સરેરાશ 28-29 દિવસોના અંતરાલમાં પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ (menstruation)થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ઘટનાને ઋતુચક્ર કહે છે.
  • દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ (ovum) મુક્ત થાય છે (અંડપાત – ovulation).
  • ઋતુચક્ર અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે.
  • સુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવાં કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે.
  • આ ચક્રની ઘટનાઓ 28 દિવસમાં નીચે પ્રમાણે ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકાય:
  • ઋતુસ્ત્રાવ તબક્કો (Menstrual Phase) (દિવસ 1-5) : રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તૂટી જાય છે. તેને કારણે રુધિરનો સ્રાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે. તે 3-5 દિવસ ટકે છે.
  • આ સમય દરમિયાન આશરે 50 mlથી 150 ml રુધિર વ્યય પામે છે. આ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહે છે. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચકનિશાની છે.
  • કેટલાંક અન્ય કારણો જેવાં કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.
  • પુટિકીય તબક્કો (Follicular Phase) (દિવસ 6-14): આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથે-સાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર (proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે.
  • અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે.
  • ગોનેડોટ્રોપિન્સ (LH અને FSH)નો સ્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્રાવને ઉત્તેજે છે.
  • ચક્રની મધ્યમાં (આશરે 14મા દિવસે) LH અને FSHબંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે.
  • LH નો ઝડપી સ્રાવ તેને ચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે. જે ગ્રાફિયન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષમુક્ત થાયછે (અંડકોષપાત).
  • લ્યુટિઅલ (Luteal) સ્રાવી તબક્કો (દિવસ 15થી 28): અંડકોષપાત (અંડપાત તબક્કો – ovulatory phase) બાદ સ્રાવી (લ્યુટિઅલ-luteal) તબક્કો આવે છે. તે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કૉપર્સલ્યુટિયમમાં ફેરવાયછે.
  • કૉપર્સલ્યુટિયમમોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે.
  • ગર્ભાશયનું આવું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે.
  • ગર્ભધારણ દરમિયાનઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી.
  • જો ફલન (Fertilization)ન થયું હોય તો કૉપર્સલ્યુટિયમ વિઘટિત થાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર (એન્ડોમેટ્રિયમ)
    વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે. જે નવા ચક્રની નિશાની છે.
  • માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે જેને મેનોપોઝ (menopause) કહે છે.
  • ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મેનોપોઝવચ્ચે લંબાયેલ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 2.
શુક્રકોષજનન કરતાં અંડકોષજનન દરમિયાન થતા અર્ધીકરણનું વિભાજન ભિન્ન છે. તે કેવી રીતે અને શા માટે, તેની સમજૂતી આપો.
ઉત્તર:
અંડકોષજનન, શુક્રકોષજનન કરતાં નીચેની બાબતમાં અલગ પ્રકારનું હોય છે.

શુક્રકોષજનન અંડકોષજનન
(1) શુક્રકોષો બનવાની ક્રિયા તરુણાવસ્થામાં થાય છે. (1) આદિઅંડકોષો જન્મ પહેલાં ન બને છે.
(2) એક જ સમયે ઘણાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. (2) પ્રત્યેક મહિને, એકજ સમયે એક જ અંડકોષ ઉત્પન્ન થાય થાય છે.
(3) બે સંપૂર્ણ અર્ધીકરણ વિભાજન પછી, એક જ સરખા પ્રકાર અને કદના ચાર કોષો ઉત્પન્ન થાય છે. (3) પ્રોફેઝ – I દરમિયાન અર્ધીકરણ – I રોકાય છે અને પાછળની અવસ્થામાં બધા જ કોષરસ સાથેનો એક મોટો કોષ અને ત્રણ નાના કદના કોષો ઉત્પન્ન થાય છે.
(4) તેઓ પલ્મો ધરાવતાં અને ચલિત કોષમાં પુખ્ત બને છે. (4) પુખ્ત અંડકોષો પલ્મો વિહીન અને અચલિત હોય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 9

કારણોઃ

  1. અસમાન કોષવિભાજન દ્વારા અંડકોષને બાકીના ત્રણ ધ્રુવકાયો કરતાં ઘણો મોટો બનાવે છે. કારણ કે અંડકોષમાં ઘણો કોષરસ અને ઘણી અંગિકાઓ હોય છે. તેને બચવા માટેની ઘણી તકો હોય છે.
  2. નર લાખોની સંખ્યામાં નાના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જયારે માદા ફક્ત એક જ અંડકોષ પ્રત્યેક મહિનામાં ઉત્પન્ન કરે છે અને તે બીજા અર્ધીકરણના વિભાજન માટે ફલન પૂર્વેના થોડા સમય માટે રાહ જુએ છે. શક્તિ બચાવવા માટેનો એક પ્રકાર છે.
  3. શુક્રકોષ નાનો અને ચલિત છે. કારણ કે તેને નર પ્રજનનતંત્રમાંથી માદા પ્રજનનતંત્ર તરફ જવાનું હોય છે. મોટા અંડકોષમાં પુષ્કળ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક હોય છે. આથી ફલન પછી તુરત જ વિકાસ પામે છે.

પ્રશ્ન 3.
ફલિતાંડ ગર્ભસ્થાપન સુધીમાં કેટલાક વિકાસમય તબક્કાઓમાંથી પસાર થાય છે. પ્રત્યેક અવસ્થાનું ટૂંકમાં આકૃતિ સહિત વર્ણન કરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 11

  • ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે, ત્યારે તેમાં સમવિભાજન (mitotic division) શરૂ થાય છે, જેને વિખંડન (cleavage) કહે છે અને 2,4,8, 16બાળકોષોનું નિર્માણ કરે છે જેને ગર્ભકોષ્ઠી કોષો (blastomeres) કહેછે.
  • 8-16ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરલા (Morula) કહે છે.
  • મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ આગળ વધતું હોય છે તેમ તેમ તે ગર્ભકોઇ કોથળી (blastocyst)માં રૂપાંતરિત થાય છે.
  • ગર્ભકોઇ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષકકોષો (trophoblast) કહેવાય છે અને પોષકકોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષસમૂહ કહે છે.
  • આ તમામ ફેરફારો એક અઠવાડિયાના ગાળામાં થાય છે.
  • ગર્ભકોઇ કોથળીમાં રહેલ (blastocyst) પ્રવાહીનું સર્જન ગર્ભપોષક સ્તરના કોષો દ્વારા થાય છે.
  • ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સચકોનો સ્રાવ થાય છે. જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપન શક્ય બનાવે છે.
  • ગર્ભાશયકોષો (uterine cells) ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોઇ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભકોઇ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે જેને ગર્ભસ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ (ગર્ભાવસ્થા) તરફ દોરી જાય છે. જેને ગર્ભસ્થાપન કહે છે અને તે તેને ગર્ભધારણ (ગર્ભાવસ્થા) તરફ દોરી જાય છે.

પ્રશ્ન 4.
માનવ માદા (સ્ત્રી)ના પ્રજનનતંત્રની સ્પષ્ટ આકૃતિ દોરો અને તેની સાથે સંકળાયેલ ભાગોનું નિર્દેશન કરો:
(a) જાન્યુનું નિર્માણ
(b) ફલનનું સ્થાન
(c) ગર્ભસ્થાપનનું સ્થાન
(d) પ્રસવમાર્ગ.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 2

  1. અંડવાહિનીઓ (oviducts) કે ગર્ભાશયની નળી (fallopian tubes) ગર્ભાશય અને યોનિમાર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે.
  2. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની (ગર્ભાશયની નળી) આશરે 10-12 સેમી લાંબી હોય છે.
  3. તેના અંડપિંડની નજીક રહેલા ગળણી આકારના ભાગને અંડવાહિનીનિવાપ (infundibulum) કહે છે.
  4. અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવ ધરાવે છે. જેને ફિસ્ત્રી (fimbriae) કહે છે. જે અંડપાત બાદ મુક્ત થતા
    અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે.
  5. અંડવાહિની નિવાપ તુંબિકા (ampulla)થી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ (isthmus) સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન

પ્રશ્ન 5.
સ્તનગ્રંથિની રચના યોગ્ય આકૃતિ સાથે વર્ણવો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 3 માનવ-પ્રજનન 18

  1. સ્તનગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદગ્રંથિ છે. જે પૈક્ટોરિઆલિસ મેજર મસલ્સ (pactorialis major muscles)ની ઉપર પથરાયેલી છે.
  2. ક્રિયાશીલ સ્તનગ્રંથિ (સ્તન) એ સસ્તનોની બધી માદાઓની લાક્ષણિકતા છે.
  3. તે જોડમાં આવેલ રચના છે.
  4. સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી (Fat) ધરાવતી રચના છે.
  5. બાહ્યાકારદૃષ્ટિએ દરેક સ્તન ઊપસેલી રચના છે. જેની મધ્યમાં નિપલ આવેલી હોય છે.
  6. નિપલ એ રંજકદ્રવ્યો ધરાવતી ઘેરા ગુલાબી કે આછા કથ્થાઈ રંગની ત્વચાથી ઘેરાયેલી રચના છે. જેને પરિવેશ (areola) કહે છે.
  7. પ્રત્યેકસ્તનની ગ્રંથિમય પેશી 15-20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે કે જે કૂપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે.
  8. કૂપિકાના કોષો દ્વારા સ્રવતું દૂધ, કે જે કૂપિકાના પોલાણ (ગુહા)માં સંગ્રહ પામે છે.
  9. કૂપિકાઓ સ્તનનલિકાઓમાં ખૂલે છે.
  10. પ્રત્યેક ખંડનીનલિકાઓ ભેગી મળી સ્તનનળી બનાવે છે.
  11. ઘણી સ્તનનળીઓ ભેગી મળી પહોળી સ્તનતુંબિકા બનાવે છે. જે દુગ્ધનળી (lactiferous duct) સાથે જોડાયેલ હોય છે. જેના દ્વારા દૂધ બહાર આવે છે.

વિશેષ જાણકારી (More Information):
સ્ત્રીઓમાં સહાયક પ્રજનન ગ્રંથિઓ:

  1. પ્રજનનમાર્ગનું છિદ્ર મૂત્રમાર્ગના છિદ્ર, યોનિમાર્ગના છિદ્ર અને પેરાયુરેથલ અને બર્થોલીન ગ્રંથિઓની વાહિનીઓને ઢાંકે છે.
  2. પેરાયુરેથ્રલ ગ્રંથિઓ ગર્ભાશયના મુખની બંને બાજુએ આવેલી છે. આ ગ્રંથિઓ નરની પ્રોસ્ટેટ ગ્રંથિને સમમૂલક છે અને શ્લેષ્મનો સ્રાવ કરે છે. તેઓને સ્કેને (skene)ની ગ્રંથિઓ કહે છે.
  3. બર્થોલીન ગ્રંથિઓ યોનિદ્વારની બંને બાજુએ આવેલ છે. તે નરની કાઉપર ગ્રંથિની સમમૂલક છે અને સમાગમ દરમિયાન યોનિમાર્ગના મુખને ઊંજણ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *