GSEB Class 9 Social Science Notes Chapter 12 ભારતીય લોકશાહી

This GSEB Class 9 Social Science Notes Chapter 12 ભારતીય લોકશાહી covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતીય લોકશાહી Class 9 GSEB Notes

→ ભારત વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું લોકશાહી દેશ છે, વિશ્વના બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે.

→ ચૂંટણી લોકશાહીનું અનિવાર્ય અંગ છે. ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે.

→ ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર છે, સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં ‘વ્યક્તિદીઠ એક મત’નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.

→ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના, જેનું મતદારયાદીમાં નામ નોંધાયેલું હોય એવા, ભારતના નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે,

→ ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર હોવાથી મોટા ભાગના મતદારો મતદાન કરે છે

GSEB Class 9 Social Science Notes Chapter 12 ભારતીય લોકશાહી

→ ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો હક જ નહિ, પવિત્ર ફરજ પણ છે.

→ ચૂંટણી લોકશાહીનો આધારરતંભ છે, લોકશાહીમાં ચૂંટણી દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશનું શાસન સોંપે છે, ચૂંટણી લોકશાહીને જીવંત રાખે છે.

→ રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણીનું મૂલ્ય ઘણું ઊંચું છે. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે, ચૂંટણી લોકશાહીનો પ્રાણ હોવાથી તેની પ્રક્રિયામાં પારદર્શકતા હોવી જરૂરી છે.

→ આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે. મતદાન દ્વારા વિજેતા બનનાર નાગરિક લોકપ્રતિનિધિ બને છે.

→ લોકશાહીમાં લોકમત મુજબ જ રાજ્યવહીવટ ચાલે છે. લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ ઉપયોગી છે. પ્રબળ, જાગ્રત અને સંગઠિત લોકમત લોકશાહીમાં અત્યંત નોંધપાત્ર ભાગ ભજવે છે.

→ મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં ફાળો ‘ આપતાં બે મુખ્ય માધ્યમો છે.

→ દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેનાં ચચપિત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો છે,

→ રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવાં દશ્ય-શ્રાવ્ય સાધનો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે.

→ વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ લોકશાહી શાસનવ્યવસ્થાના મુખ્ય બે પ્રકાર છે,

→ ભારતમાં સંસદીય લોકશાહી છે; જ્યારે યુ.એસ.એ.માં પ્રમુખીય લોકશાહી છે. સંસદીય લોકશાહીમાં સરકાર સંસદને સંપૂર્ણપણે જવાબદાર છે; જ્યારે પ્રમુખીય લોકશાહીમાં પ્રમુખ અને તેમનું પ્રધાનમંડળ સેનેટને જવાબદાર હોતું નથી.

→ ચૂંટણીઓ લોકશાહીની તેમજ લોકમતની પારાશીશી ગણાય છે. દેશમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ થાય એ ખૂબ જરૂરી છે.

→ લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકોનું સમર્થન મેળવીને જ સત્તા પર આવી શકાય છે અને રહી શકાય છે.

→ ભારતમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ વાયત્ત અને સ્વતંત્ર ચૂંટણીપંચ કરે છે. ચૂંટણીપંચ સંસદ, રાજ્યોની ધારાસભાઓ, રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી કરે છે.

→ ચૂંટણીપંચ દેશમાં કે રાજ્યમાં કેટલીક વાર પેટાચૂંટણી અને મધ્યસત્ર ચૂંટણી યોજે છે.

→ ભારતમાં મતદાન ગુપ્ત મતદાન પદ્ધતિથી થાય છે. આધુનિક સમયમાં મતદાન પદ્ધતિમાં વીજાશુ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. EVM (Electronic Voting Machine) sa છે. હમણાં નકારાત્મક મત આપવા માટે મશીનમાં ‘નોટા'(નન ઑફ ધી બોવ)ની સગવડ કરવામાં આવી છે,

→ લોકશાહીમાં રાજકીય વિવિધ પક્ષો હોય છે. રાજ કીય પક્ષો વિના લોકશાહી ચાલી શકે નહિ. ચૂંટણીમાં બહુમતી મેળવનાર પક્ષ સરકાર રચે છે.

GSEB Class 9 Social Science Notes Chapter 12 ભારતીય લોકશાહી

→ ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે. ભારતમાં કેટલાક મૌય રાષ્ટ્રીય પક્ષો છે, તો કેટલાક નાના પ્રાદેશિક પક્ષો છે, રાષ્ટ્રીય પક્ષો દેશવ્યાપી હોય છે, જ્યારે પ્રાદેશિક પક્ષો કોઈ એક રાજ્ય કે પ્રદેશ પૂરતા
મર્યાદિત હોય છે.

→ લોકશાહીમાં વિરોધપક્ષોનું મૂલ્ય ખૂબ ઊંચું છે, વિરોધપકો સંસદમાં અને ધારાગૃષ્ઠોમાં રચનાત્મક ભૂમિકા ભજવી લોકશાહીનું રફાલ કરે છે. સત્તાપક્ષ અને વિરોધપક્ષના સમતોલ સંબંધો પર લોકશાહીની સફળતાનો આધાર છે, અસરકારક અને સબળ વિરોધપક્ષ જીવંત લોકશાહી માટે અનિવાર્ય છે. લોકશાહીરૂપી રથ સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષ એ બે પૈડાં પર ચાલતો રહે છે,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *