GSEB Class 9 Social Science Notes Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

This GSEB Class 9 Social Science Notes Chapter 11 ભારતનું ન્યાયતંત્ર covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતનું ન્યાયતંત્ર Class 9 GSEB Notes

→ ભારતીય સંધરાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે.

→ ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. એ પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે.

→ ભારતના બંધારશ્ન મુજબ સવાઁચ અદાલત દેશની સૌથી ઊંચી ન્યાયિક સંસ્થા છે.

→ આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત દિલ્લીમાં છે. & સર્વોચ્ચ અદાલતમાં વરિષ્ઠ ન્યાયાધીશ સહિત 29 ન્યાયાધીશો છે, આ ન્યાયાધીશોની નિમણૂંક રાષ્ટ્રપ્રમુખ કરે છે. સંસદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરી શકે છે.

GSEB Class 9 Social Science Notes Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

→ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સીનિયોરિટીના ધોરણે થાય છે,

→ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની લાયકાતો અને તેમના હોદા પરથી દૂર કરવાની મહાભિયોગની પદ્ધતિ બંધારણ નક્કી કરે છે.

→ સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, અપીલ (વિવાદ) ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર એમ ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવ્યું છે.

→ સર્વોચ્ચ અદાલત નાગરિક-નાગરિક વચ્ચેના, નાગરિક અને સરકાર વચ્ચેના, રાજ્ય-રાજ્ય વચ્ચેના તથા રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિવાદો ઉકેલવાનું કાર્ય કરે છે.

→ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે. તેમને ભારતની કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી.

→ સવૉચ અદાલત ભારતના બંધારણનું અને નાગરિકોના મૂળભૂત – અધિકારોનું રક્ષણ કરે છે.

→ સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદલતો નઝીરી અદાલત (Court of Records) તરીકે પણ કામ કરે છે.

→ ભારતનાં ઉત્તર-પૂર્વનાં અસમ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અજ્ઞાચલ પ્રદેશ – આ સાત રાજ્યો માટે અસમમાં એક જ વડી અદાલત છે. આ ઉપરાંત, પંજાબ અને હરિયાણા વચ્ચે અને આંધ્ર પ્રદેશ અને તેલંગડ્યા વચ્ચે પણ એક જ વડી અદાલત છે, આ રાજ્યો સિવાય ભારતના દરેક રાજ્યમાં એક વડી અદલત છે,

→ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અન્ય ન્યાયાધીશોની નિમલૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.

→ વડી અદાલતના કાર્યક્ષેત્રને મૂળભૂત અધિકારક્ષેત્ર, વિવાદી (અપીલ) અધિકારક્ષેત્ર, વહીવટી અધિકારક્ષેત્ર અને નઝીરી અદાલત એમ ચાર પ્રકારોમાં વહેંચવામાં આવ્યું છે.

→દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે. આ અંદાલતોના ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કરે છે.

→ દીવાની દવા ચલાવનાર અદાલતને જિલ્લા અદાલત અને તેના ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ કહે છે; જ્યારે ફૉજદારી દવા ચલાવનાર અદાલતને સેશન્સ અદાલત અને તેના ન્યાયાધીશને સેશન્સ ન્યાયાધીશ કહે છે.

→ જિલ્લા અદાલતો તાબાની – નીચલી અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરીને ચુકાદા આપે છે,

→ દીવાની અદાલતો રૂપિયા એક લાખ સુધીના સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા ધરાવે છે.

→ ફોજદારી અદાલતોમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટ તથા મામલતદાર અને ઍઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ કોર્ટે 3 વર્ષથી 10 વર્ષ સુધીની કેદની સજા તથા ૪ 5,000થી વધારે રકમના દંડની તેમજ હત્યાના મુકદમામાં જન્મટીપ કે મૃત્યુદંડની સજા કરવાની સત્તા ધરાવે છે.

→ જિલ્લામાં સ્મોલ કૉઝ કોર્ટ, ફૅમિલી કોર્ટ, લેબર કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોય કોર્ટ, ટ્રિબ્યુનલો (ખાસ અદાલતો) વગેરે કોર્ટે પણ હોય છે.

GSEB Class 9 Social Science Notes Chapter 11 ભારતનું ન્યાયતંત્ર

→ આપણા બંધારણમાં ન્યાયતંત્રને સરકારનાં બીજાં બે અંગો – કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, જેથી તે નિષ્પક્ષ, તટસ્થ અને નિર્ભિક બનીને ન્યાય આપી શકે.

→ સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે.

→ જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે, બને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને એ અંગે જરૂરી આદેશો આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *