GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

   

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા: [પૂરો પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
સાયમન કમિશનમાં કુલ ………………………….. સભ્યો હતા.
A. બાર
B. સાત
C. પાંચ
ઉત્તર:
B. સાત

પ્રશ્ન 2.
અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે ………………………. નું અવસાન થયું.
A. લાલા લજપતરાય
B. મોતીલાલ નેહરુ
C. બાળગંગાધર ટિળક
ઉત્તર:
A. લાલા લજપતરાય

પ્રશ્ન 3.
ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ‘……………………..’ તરીકે ઊજવવામાં આવે છે.
A. સ્વરાજ્યદિન
B. પ્રજાસત્તાકદિન
C. સ્વાતંત્ર્યદિન
ઉત્તર:
B. પ્રજાસત્તાકદિન

પ્રશ્ન 4.
ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ ……………………… નો સત્યાગ્રહ શરૂ કર્યો.
A. અસહકાર
B. હિંદ છોડો
C. મીઠા
ઉત્તર:
C. મીઠા

પ્રશ્ન 5.
………………… દાંડીકૂચની તુલના ગૌતમ બુદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે કરી હતી.
A. શ્રી મહાદેવભાઈ દેસાઈએ
B. સુભાષચંદ્ર બોઝ
C. સરદાર વલ્લભભાઈ પટેલે
ઉત્તર:
A. શ્રી મહાદેવભાઈ દેસાઈએ

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 6.
‘…………………’ ની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્ત્વની ચળવળ હતી.
A. બંગભંગ
B. દાંડીકૂચ
C. અસહકાર
ઉત્તર:
B. દાંડીકૂચ

પ્રશ્ન 7.
ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ‘………………………’ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.
A. ત્રીજી
B. પહેલી
C. બીજી
ઉત્તર:
C. બીજી

પ્રશ્ન 8.
……………………….. કોંગ્રેસ છોડીને ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
A. સુભાષચંદ્ર બોઝે
B. સરદાર વલ્લભભાઈ પટેલે
C. ચિત્તરંજનદાસ મુનશીએ
ઉત્તર:
A. સુભાષચંદ્ર બોઝે

પ્રશ્ન 9.
સિંગાપુરના હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને ‘………………………’ નું હુલામણું નામ આપ્યું.
A. સરદાર
B. શાંતિદૂત
C. નેતાજી
ઉત્તર:
C. નેતાજી

પ્રશ્ન 10.
…………………….. ભારતનાં દેશી રાજ્યોનું ‘ભારતીય સંઘ’માં વિલીનીકરણ કર્યું.
A. પંડિત જવાહરલાલ નેહરુએ
B. સરદાર વલ્લભભાઈ પટેલે
C. માઉન્ટ બેટને
ઉત્તર:
B. સરદાર વલ્લભભાઈ પટેલે

પ્રશ્ન 11.
જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ……………………… ના હિમાયતી હતા.
A. સાંસ્થાનિક સ્વરાજ્ય
B. પૂર્ણ સ્વરાજ્ય
C. દેશી સ્વરાજ્ય
ઉત્તર:
B. પૂર્ણ સ્વરાજ્ય

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 12.
……………………… ના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.
A. સવિનય કાનૂનભંગ
B. અસહકાર
C. બંગભંગ
ઉત્તર:
A. સવિનય કાનૂનભંગ

પ્રશ્ન 13.
સુભાષચંદ્ર બોઝ ……………………. રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.
A. સિંગાપુર
B. ટોકિયો
C. બર્લિન
ઉત્તર:
C. બર્લિન

પ્રશ્ન 14.
સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે ‘……………………………..’ અને ‘……………………….’ નામ આપ્યાં.
A. શહીદ, સ્વરાજ્ય
B. આઝાદી, શહીદ
C. સ્વરાજ્ય, વતન
ઉત્તર:
A. શહીદ, સ્વરાજ્ય

પ્રશ્ન 15.
……………………….. ની યોજના અનુસાર બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.
A. વાઇસરૉય વેવેલ
B. વાઇસરૉય માઉન્ટ બેટન
C. સરદાર
ઉત્તર:
B. વાઇસરૉય માઉન્ટ બેટન

પ્રશ્ન 16.
……………………….. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા.
A. અબ્દુલ ગફાર ખાન
B. મૌલાના અબ્દુલકમાલ આઝાદ
C. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
ઉત્તર:
C. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે?
A. પ્રજાસત્તાકદિન તરીકે
B. સ્વાતંત્ર્યદિન તરીકે
C. સ્વરાજ્યદિન તરીકે
D. શહીદદિન તરીકે
ઉત્તર:
A. પ્રજાસત્તાકદિન તરીકે

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 2.
ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી?
A. પાલડીના કોચરબ આશ્રમથી
B. વર્ધાના પવનાર આશ્રમથી
C. સાબરમતીના સંન્યાસ આશ્રમથી
D. સાબરમતીના હરિજન આશ્રમથી
ઉત્તર:
D. સાબરમતીના હરિજન આશ્રમથી

પ્રશ્ન 3.
“કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
A. સુભાષચંદ્ર બોઝ
B. ગાંધીજીએ
C. પંડિત જવાહરલાલ નેહરુએ
D. વિનોબા ભાવેએ
ઉત્તર:
B. ગાંધીજીએ

પ્રશ્ન 4.
“હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.” આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?
A. સાબરમતીના હરિજન આશ્રમે
B. પાલડીના કોચરબ આશ્રમે
C. દાંડીના દરિયાકિનારે
D. વર્ધાના પવનાર આશ્રમે
ઉત્તર:
C. દાંડીના દરિયાકિનારે

પ્રશ્ન 5.
”કરેંગે યા મરેંગે.” ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું?
A. દાંડીયાત્રા વખતે
B. સવિનય કાનૂનભંગની ચળવળ વખતે
C. ‘હિંદ છોડો’ ચળવળ વખતે
D. અસહકારની ચળવળ વખતે
ઉત્તર:
C. ‘હિંદ છોડો’ ચળવળ વખતે

પ્રશ્ન 6.
‘સરહદના ગાંધી’ કોણ કહેવાયા?
A. મૌલાના આઝાદ
B. અબ્બાસ તૈયબજી
C. મહાદેવભાઈ દેસાઈ
D. અબ્દુલ ગફાર ખાન
ઉત્તર:
D. અબ્દુલ ગફાર ખાન

પ્રશ્ન 7.
સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?
A. ગોવિંદવલ્લભ પંત
B. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
C. સરદાર વલ્લભભાઈ પટેલ
D. પંડિત જવાહરલાલ નેહરુ
ઉત્તર:
B. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 8.
ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?
A. સ્કોનિલેની
B. સ્કોટનની
C. જનરલ ડાયરની
D. સાંડર્સની
ઉત્તર:
D. સાંડર્સની

પ્રશ્ન 9.
‘નેહરુ અહેવાલ’માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની ! માગણી કરવામાં આવી હતી?
A. સાંસ્થાનિક સ્વરાજ્ય
B. મર્યાદિત સ્વરાજ્ય
C. પૂર્ણ સ્વરાજ્ય
D. ફૉરવર્ડ સ્વરાજ્ય
ઉત્તર:
A. સાંસ્થાનિક સ્વરાજ્ય

પ્રશ્ન 10.
ઈ. સ. 1930માં કોંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માગણી કરી?
A. સાંસ્થાનિક સ્વરાજ્ય
B. પૂર્ણ સ્વરાજ્ય
C. દ્વિમુખી સ્વરાજ્ય
D. સમવાયી સ્વરાજ્ય
ઉત્તર:
B. પૂર્ણ સ્વરાજ્ય

પ્રશ્ન 11.
આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવીએ છીએ?
A. 2 ઑક્ટોબરના દિવસને
B. 30 જાન્યુઆરીના દિવસને
C. 15 ઑગસ્ટના દિવસને
D. 26 જાન્યુઆરીના દિવસને
ઉત્તર:
D. 26 જાન્યુઆરીના દિવસને

પ્રશ્ન 12.
ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી?
A. મીઠાના કાયદાનો ભંગ કરવા માટે
B. વિદેશી માલનો બહિષ્કાર કરવા માટે
C. ભારતને પૂર્ણ સ્વરાજ્ય અપાવવા માટે
D. દેશના નેતાઓની ધરપકડનો વિરોધ કરવા માટે
ઉત્તર:
A. મીઠાના કાયદાનો ભંગ કરવા માટે

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 13.
ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઈ?
A. 15 ઑગસ્ટ, 1921ના રોજ
B. 8 ઑગસ્ટ, 1942ના રોજ
C. 30 જાન્યુઆરી, 1932ના રોજ
D. 26 જાન્યુઆરી, 1930ના રોજ
ઉત્તર:
D. 26 જાન્યુઆરી, 1930ના રોજ

પ્રશ્ન 14.
આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
A. 15 ઑગસ્ટ, 1947ના રોજ
B. 15 ઑગસ્ટ, 1950ના રોજ
C. 30 જાન્યુઆરી, 1950ના રોજ
D. 26 જાન્યુઆરી, 1950ના રોજ
ઉત્તર:
D. 26 જાન્યુઆરી, 1950ના રોજ

પ્રશ્ન 15.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?
A. ત્રીજી
B. પહેલી
C. ચોથી
D. બીજી
ઉત્તર:
D. બીજી

પ્રશ્ન 16.
મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?
A. 12 માર્ચ, 1940ના દિવસે
B. 18 જુલાઈ, 1942ના દિવસે
C. 7 ઑગસ્ટ, 1942ની રાત્રે
D. 8 ઑગસ્ટ, 1942ની રાત્રે
ઉત્તર:
D. 8 ઑગસ્ટ, 1942ની રાત્રે

પ્રશ્ન 17.
કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો?
A. વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે બીમાર પડ્યા.
B. દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા.
C. સત્યાગ્રહીઓની સંખ્યા ખૂટી ગઈ હતી.
D. આ સત્યાગ્રહ દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ વધી ગઈ હતી.
ઉત્તર:
B. દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા.

પ્રશ્ન 18.
સુભાષચંદ્ર બોઝે ક્યો રાજકીય પક્ષ સ્થાપ્યો?
A. સ્વરાજ્ય પક્ષ
B. યંગ ઇન્ડિયા
C. ફૉરવર્ડ બ્લૉક
D. ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા
ઉત્તર:
C. ફૉરવર્ડ બ્લૉક

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 19.
સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું?
A. આઝાદ હિંદ
B. જયહિંદ
C. કેસરે હિંદ
D. ભારતમાતા
ઉત્તર:
B. જયહિંદ

પ્રશ્ન 20.
સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયાં નામ આપ્યાં?
A. શહીદ અને સ્વદેશ
B. શહીદ અને સ્વરાજ્ય
C. સ્વદેશ અને સ્વરાજ્ય
D. શહીદ અને દેવભૂમિ
ઉત્તર:
B. શહીદ અને સ્વરાજ્ય

પ્રશ્ન 21.
હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી?
A. વાઇસરૉય માઉન્ટ બેટને
B. વાઇસરૉય લિટને
C. વાઇસરૉય વેવલે
D. વાઇસરૉય એટલીએ
ઉત્તર:
A. વાઇસરૉય માઉન્ટ બેટને

પ્રશ્ન 22.
‘હિંદ સ્વાતંત્ર્યધારો’ કોણે પસાર કર્યો?
A. ભારતીય સંસદે
B. કામચલાઉ સરકારે
C. બ્રિટિશ પાર્લમેન્ટ
D. બંધારણસભાએ
ઉત્તર:
C. બ્રિટિશ પાર્લમેન્ટ

પ્રશ્ન 23.
ભારતનાં દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી?
A. સરદાર વલ્લભભાઈ પટેલે
B. ડૉ. રાજેન્દ્રપ્રસાદે
C. ગાંધીજીએ
D, પંડિત જવાહરલાલ નેહરુએ
ઉત્તર:
A. સરદાર વલ્લભભાઈ પટેલે

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 24.
પ્રો. અગ્રવાલ ક્યા રિપૉર્ટને વર્તમાન ભારતીય બંધારણની ‘લૂ પ્રિન્ટ’ કહે છે?
A. ગાંધી રિપૉર્ટને
B. સરદાર રિપૉર્ટને
C. નેહરુ રિપોર્ટને
D. ટિળક રિપૉર્ટને
ઉત્તર:
C. નેહરુ રિપોર્ટને

પ્રશ્ન 25.
“આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” એમ કોણે કહ્યું હતું?
A. સુભાષચંદ્ર બોઝે
B. જવાહરલાલ નેહરુએ
C. ગાંધીજીએ
D. મોતીલાલ નેહરુએ
ઉત્તર:
C. ગાંધીજીએ

પ્રશ્ન 26.
‘ચલો દિલ્લી’નું સૂત્ર કોણે આપ્યું હતું?
A. રણજીતસિંહે
B. ટીપુ સુલતાને
C. ગાંધીજીએ
D. સુભાષચંદ્ર બોઝ
ઉત્તર:
D. સુભાષચંદ્ર બોઝ

પ્રશ્ન 27.
અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?
A. કેબિનેટ મિશન યોજના
B. ક્રિસ મિશન યોજના
C. માઉન્ટ બેટન યોજના
D. ગાંધી-ઇરવિન યોજના
ઉત્તર:
C. માઉન્ટ બેટન યોજના

(બ) માગ્યા મુજબ ઉત્તર લખો: [1 ગુણ]

પ્રશ્ન 1.
બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?
GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ 1
A. ચૌરી ચૌરાનો બનાવ
B. મીઠાના કાયદાનો ભંગ
C. બંગાળના ભાગલા
D. ચલો દિલ્લી દાંડી
ઉત્તર:
B

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

(ક) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
A. ગાંધીજી અને વાઇસરૉય ઇરવિન વચ્ચે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ.
B. સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.
C. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી.
D. હિંદી રાષ્ટ્રીય મહાસભાએ સ્વતંત્રતાના શપથ લઈને પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવ્યો.
ઉત્તર:
B, D, C, A

પ્રશ્ન 2.
A. પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી.
B. સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.
C. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
D. કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો
નિર્ણય કર્યો.
ઉત્તર :
A, D, C, B

પ્રશ્ન 3.
A. મુંબઈમાં નૌકાવિગ્રહ થયો.
B. વાઇસરૉય માઉન્ટ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજના રજૂ કરી.
C. સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી.
D. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા.
ઉત્તર:
D, C, A, B

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) સાયમન કમિશનના બધા જ સભ્યો હિંદીઓ હતા.
ઉત્તર:
ખોટું

(2) શ્રી જવાહરલાલ નેહરુએ નેહરુ અહેવાલ તૈયાર કર્યો હતો.
ઉત્તર:
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

(3) ગાંધીજીએ સાબરમતીના હરિજન આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી.
ઉત્તર:
ખરું

(4) ‘હિંદ છોડો’ની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું: “કરેંગે યા મરેંગે.”
ઉત્તર:
ખરું

(5) ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.
ઉત્તર:
ખોટું

(6) સુભાષચંદ્ર બોઝ પઠાણના છૂપાવેશે કોલકાતાથી 28 માર્ચ, 1942ના રોજ ટોકિયો પહોંચ્યા.
ઉત્તર:
ખોટું

(7) મુસ્લિમ લીગે 16 ઑગસ્ટ, 1946નો દિવસ ‘સીધા પગલાદિન’ તરીકે પાળવાનો મુસ્લિમોને આદેશ આપ્યો.
ઉત્તર:

(8) સાયમન કમિશનનો વિરોધ કરતાં થયેલા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું.
ઉત્તર:
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

(9) જવાહરલાલ નેહરુને નેતાજી’નું હુલામણું નામ મળ્યું હતું.
ઉત્તર:
ખોટું

(10) મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે.
ઉત્તરઃ
ખરું

(11) સાયમન કમિશન પાંચ સભ્યોનું બનેલું હતું.
ઉત્તર:
ખોટું

(12) ‘ડોમિનિયન સ્ટેટ્સ’ એટલે જવાબદાર રાજતંત્ર.
ઉત્તર:
ખોટું

(13) જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા.
ઉત્તર:
ખરું

(14) ગાંધીજી દાંડીકૂચ દરમિયાન પદયાત્રા કરીને 5 એપ્રિલ, 1930ના દિવસે દાંડી પહોંચ્યા.
ઉત્તર:
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

(15) ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન અમદાવાદમાં સાડા ચાર મહિના સુધી બજારો બંધ રહ્યાં હતાં.
ઉત્તર:
ખોટું

(16) સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
ઉત્તર:
ખરું

(17) ઈ. સ. 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે ‘શહીદ’ અને ‘ભારતમાતા’ નામ આપ્યાં હતાં.
ઉત્તર:
ખોટું

(18) હિંદુસ્તાનના વિભાજન સમયે વાઇસરૉય તરીકે વેવેલ હતા.
ઉત્તર:
ખોટું

(19) ચક્રવર્તી સી. રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ હતા.
ઉત્તર:
ખરું

(20) જવાહરલાલ નેહરુએ હિંદ સ્વાતંત્ર્યધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહ્યો હતો.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

(1) ઈ. સ. 1920થી 1947ના સમયગાળાને કયાં આંદોલનોનો યુગ ગણવામાં આવે છે? – ગાંધીયુગનાં
(2) સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? – લાલા લજપતરાયનું
(3) ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? – સાંસ્થાનિક સ્વરાજ્ય
(4) કોના અધ્યક્ષપણા નીચે હિંદી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? – જવાહરલાલ નેહરુના
(5) 12 માર્ચથી 6 એપ્રિલ, 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? – દાંડીયાત્રા (દાંડીકૂચ)
(6) ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ કયા કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું? – મીઠાના
(7) ગાંધીજીએ દાંડીયાત્રા/દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી? – સાબરમતી હરિજન આશ્રમથી
(8) કોણે દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી? – શ્રી મહાદેવભાઈ દેસાઈએ
(9) ‘સરહદના ગાંધી’ તરીકે કોણ ઓળખાતું હતું? – અબ્દુલ ગફાર ખાન
(10) લંડનમાં મળેલી પ્રથમ ગોળમેજી પરિષદ શાથી નિષ્ફળ ગઈ? જ છે – કોંગ્રેસની ગેરહાજરીને લીધે

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

(11) બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કોણે હાજરી આપી? – ગાંધીજીએ
(12) કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવા માગતી નથી? – ક્રિપ્સ દરખાસ્તો
(13) 8 ઑગસ્ટ, 1942ની રાત્રે કોંગ્રેસ મહાસમિતિએ કયો ઠરાવ પસાર કર્યો? – ‘હિંદ છોડો’નો
(14) “આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” એમ કોણે કહ્યું હતું? – ગાંધીજીએ
(15) ‘કરેંગે યા મરેંગે’ એ કોનું સૂત્ર હતું? – ગાંધીજીનું
(16) ક્યા આંદોલન દરમિયાન અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યાં હતાં? – હિંદ છોડો’
(17) કયા દેશનેતાનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો? – સુભાષચંદ્ર બોઝનો
(18) સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? – રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં
(19) સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી? – ‘ફૉરવર્ડ બ્લૉકી’ની
(20) સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં કોની સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી? – હિટલર સાથે

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

(21) જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી? – રાસબિહારી બોઝ
(22) રાસબિહારી બોઝ ભારતની સ્વાધીનતા માટે કઈ ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો? – આઝાદ હિંદ ફોજ
(23) સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન કઈ રીતે પહોંચ્યા? – સબમરીન દ્વારા
(24) રાસબિહારી બોઝે આઝાદ હિંદ ફોજના વડા તરીકે કોની નિમણૂક કરી? – સુભાષચંદ્ર બોઝની
(25) સુભાષચંદ્ર બોઝને કયું હુલામણું નામ આપવામાં આવ્યું હતું? – ‘નેતાજી’
(26) ‘જય હિંદ’નું સૂત્ર કોણે આપ્યું હતું? – સુભાષચંદ્ર બોઝ
(27) સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝે કઈ સરકારની સ્થાપના કરી? – કામચલાઉ
(28) સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયાં નામ આપ્યાં? – ‘શહીદ’ અને ‘સ્વરાજ્ય’
(29) દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનનાં ક્યાં શહેરો પર અણુબૉમ્બવર્ષા કરી? – હિરોશિમા અને નાગાસાકી
(30) સુભાષચંદ્ર બોઝને કયા વિમાન મથકે અકસ્માતથી વિમાનમાં આગ લાગી હતી? – તાઈપાઈ

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

(31) હિંદના વાઇસરૉય તરીકે વેવેલની જગ્યાએ કોની નિમણૂક થઈ? – માઉન્ટ બેટનની
(32) કોણે નાછૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો? – ગાંધીજીએ
(33) અખંડ હિંદના બે ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી? – વાઇસરૉય માઉન્ટ બેટને
(34) જુલાઈ, 1943માં બ્રિટિશ પાર્લમેન્ટ કયો ધારો પસાર કર્યો? – હિંદ સ્વાતંત્ર્યધારો
(35) હિંદ સ્વાતંત્ર્યધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને પસંદ કર્યા? – માઉન્ટ બેટનને
(36) હિંદ સ્વાતંત્ર્યધારા મુજબ પાકિસ્તાને પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને પસંદ કર્યા? – જનાબ જિન્ડાને –
(37) કયા ધારાથી હિંદની પરાધીનતાનો અંત આવ્યો? – હિંદ સ્વાતંત્ર્યધારાથી
(38) બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરૉય કોણ હતા? – માઉન્ટ બેટન
(39) સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે કોણ નિયુક્ત થયું હતું? – ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
(40) હિંદના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? – માઉન્ટ બેટન
(41) ભારતનાં 562 જેટલાં દેશી રજવાડાંઓને ભારતસંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન કોણે ઉકેલ્યો? – સરદાર વલ્લભભાઈ પટેલે

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

યોગ્ય જોડકાં બનાવો [ પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ)

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1930 1. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા
2. ઈ. સ. 1942 2. મુંબઈનો નૌકાવિગ્રહ
3. ઈ. સ. 1943 3. દાંડીકૂચ
4. ઈ. સ. 1946 4. ‘હિંદ છોડો’ ચળવળ
5. નેહરુ અહેવાલ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1930 3. દાંડીકૂચ
2. ઈ. સ. 1942 4. ‘હિંદ છોડો’ ચળવળ
3. ઈ. સ. 1943 1. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા
4. ઈ. સ. 1946 2. મુંબઈનો નૌકાવિગ્રહ

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. નેહરુ અહેવાલ 1. સુભાષચંદ્ર બોઝ
2. દાંડીકૂચ 2. મોતીલાલ નેહરુ
3. ‘ફૉરવર્ડ બ્લૉક’ના સ્થાપક 3. જવાહરલાલ નેહરુ
4. હિંદના છેલ્લા બ્રિટિશ વાઈસરૉય 4. ગાંધીજી
5. માઉન્ટ બેટન

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. નેહરુ અહેવાલ 2. મોતીલાલ નેહરુ
2. દાંડીકૂચ 4. ગાંધીજી
3. ‘ફૉરવર્ડ બ્લૉક’ના સ્થાપક 1. સુભાષચંદ્ર બોઝ
4. હિંદના છેલ્લા બ્રિટિશ વાઈસરૉય 5. માઉન્ટ બેટન

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી 1. 12 માર્ચ, 1930ના – રોજ
2, દાંડીકૂચને પ્રારંભ 2. ગાંધીજી
3. ‘કરેંગે યા મરેંગે’નું સૂત્ર ૩. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
4. હિંદના પ્રથમ હિંદી ગવર્નર 4. 26 જાન્યુઆરી, 1930ના રોજ
5. 26 જાન્યુઆરી, 1950ના રોજ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી 4. 26 જાન્યુઆરી, 1930ના રોજ
2, દાંડીકૂચને પ્રારંભ 1. 12 માર્ચ, 1930ના – રોજ
3. ‘કરેંગે યા મરેંગે’નું સૂત્ર 2. ગાંધીજી
4. હિંદના પ્રથમ હિંદી ગવર્નર ૩. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1927 1. મુંબઈમાં નૌકાસૈનિકોએ બળવો કર્યો
2. ઈ. સ. 1931 2. સાયમન કમિશનની નિમણૂક થઈ
3. ઈ. સ. 1942 3. ગાંધી-ઇરવિન સમજૂતી થઈ
4. ઈ. સ. 1947. 4. સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા
5. બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1927 2. સાયમન કમિશનની નિમણૂક થઈ
2. ઈ. સ. 1931 3. ગાંધી-ઇરવિન સમજૂતી થઈ
3. ઈ. સ. 1942 4. સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા
4. ઈ. સ. 1947. 5. બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
નેહરુ અહેવાલ
ઉત્તર:
સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિંદી વજીર બર્કનોડે, જણાવ્યું કે હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિંદી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નેહરુના પ્રમુખપદે નેહરુ કમિટીની રચના કરી. આ કમિટીએ બંધારણ અંગે જે અહેવાલ આપ્યો તે નેહરુ અહેવાલ’ તરીકે પ્રસિદ્ધ છે.

પ્રશ્ન 2.
દાંડીકૂચ
ઉત્તર:
સવિનય કાનૂનભંગના આંદોલનના એક ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ(ગાંધી આશ્રમ)થી નવસારી જિલ્લાના દાંડી બંદરના કિનારા સુધી પદયાત્રા કરી, જે ‘દાંડીકૂચ’ના નામે પ્રસિદ્ધ બની.

પ્રશ્ન 3.
સવિનય કાનૂનભંગ
ઉત્તર:
‘સવિનય કાનૂનભંગ’ એટલે સરકારના અન્યાયી કાયદાનો 3 શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો.

પ્રશ્ન 4.
ગોળમેજી પરિષદો
ઉત્તર:
બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે જે પરિષદો બોલાવી તે ‘ગોળમેજી પરિષદો(Round Table Conferences)ના નામે ઓળખાય છે. લંડનમાં મળેલી પહેલી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો નહોતો, તેથી તે નિષ્ફળ ગઈ હતી. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યા હતા. પરંતુ તે પરિષદ પણ નિષ્ફળ ગઈ હતી.

પ્રશ્ન 5.
ફૉરવર્ડ બ્લૉક
ઉત્તરઃ
સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ‘ ખાસ મેળ બેસતો નહોતો. ગાંધીજી સાથે મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી દીધી અને ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા પક્ષની રે સ્થાપના કરી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 6.
માઉન્ટ બેટન યોજના
ઉત્તર:
વાઇસરૉય માઉન્ટ બેટનના મતે હિંદના ભાગલા કરવા સિવાય કોઈ ઉપાય હવે બાકી બચતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ માઉન્ટ બેટનની વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. આ સંજોગોમાં લાંબી ચર્ચા-વિચારણાના અંતે વાઇસરૉય માઉન્ટ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી. આ યોજના માઉન્ટ બેટન યોજના’ના નામે ઓળખાય છે.

કારણો આપી વિધાનો પૂરાં કરોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી, કારણ કે……
ઉત્તર:
ઈ. સ. 1919ના મૉન્ટ-ફર્ડ (મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ) સુધારાના અમલનો અભ્યાસ કરી, ભારતના વહીવટી તંત્ર માટે નવા સુધારાઓની જરૂરિયાત અંગે અભ્યાસ કરવાનો હતો.

પ્રશ્ન 2.
ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો, તે કારણ કે….
ઉત્તરઃ
સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા.

પ્રશ્ન 3.
ગાંધીજીએ દાંડીકૂચ કરી, કારણ કે…
ઉત્તર:
ગાંધીજી સવિનય કાનૂનભંગની ચળવળના ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માગતા હતા.

પ્રશ્ન 4.
બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો યોજી, કારણ કે
ઉત્તર:
બ્રિટિશ સરકાર ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે ચર્ચા કરવા માગતી હતી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 5.
બ્રિટિશ સરકારે યોજેલી પહેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ, કારણ કે
ઉત્તર:
બ્રિટિશ સરકારે નવેમ્બર, 1930માં યોજેલી પહેલી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ મહાસભાના પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા.

પ્રશ્ન 6.
કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો, કારણ કે…
ઉત્તર :
દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા.

પ્રશ્ન 7.
લાલા લજપતરાયનું અવસાન થયું, કારણ કે
ઉત્તર:
લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસમાં અંગ્રેજ અમલદાર જ્હૉન સાંડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાયને લાઠીઓ વડે જીવલેણ સખત ફટકા માર્યા હતા.

પ્રશ્ન 8.
ઈ. સ. 1929માં રાવી નદીના તટે લાહોર ખાતે યોજાયેલ હિંદી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, કારણ કે..
ઉત્તર:
આ સમયે હિંદી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ વગેરે યુવા નેતાઓ સક્રિય હતા. તેઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા.

પ્રશ્ન 9.
બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ, કારણ કે……
ઉત્તર:
બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે એકમાત્ર ગાંધીજી હાજર રહ્યા, પરંતુ આ પરિષદમાં બ્રિટિશ પક્ષે બંધારણના ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજકારી મુદ્દો ઉઠાવતાં ગાંધીજી નિરાશ થયા હતા.

પ્રશ્ન 10.
સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી અને ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી, કારણ કે
ઉત્તરઃ
સુભાષચંદ્રના ઉદાત્ત વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી સુભાષચંદ્રને ગાંધીજી સાથે મતભેદ સર્જાયો હતો.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી કયા ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા?
ઉત્તરઃ
લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી વીર ભગતસિંહ, સુખદેવ, શિવરામ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 2.
‘નેહરુ અહેવાલ (રિપૉટ)’ કોણે તૈયાર કર્યો?
ઉત્તર:
પંડિત મોતીલાલ નેહરુના પ્રમુખપદે રચાયેલી નેહરુ કમિટીએ નેહરુ અહેવાલ (રિપૉટ)’ તૈયાર કર્યો.

પ્રશ્ન 3.
નેહરુ અહેવાલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
ઉત્તરઃ
નેહરુ અહેવાલમાં સાંસ્થાનિક સ્વરાજ્ય (ડોમિનિયન સ્ટેટ્સ), સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્તવય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રશ્ન 4.
કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ક્યારે અને ક્યાં પસાર કર્યો?
ઉત્તર:
કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ 31 ડિસેમ્બર, 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા અધિવેશનમાં પસાર કર્યો.

પ્રશ્ન 5.
ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઈ?
ઉત્તર:
26 જાન્યુઆરી, 1930ના દિવસે ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી થઈ.

પ્રશ્ન 6.
સમગ્ર ભારતમાં 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે કયા | દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
સમગ્ર ભારતમાં 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

પ્રશ્ન 7.
સવિનય કાનૂનભંગ એટલે શું?
અથવા
સંકલ્પના સમજાવોઃ સવિનય કાનૂનભંગ
ઉત્તરઃ
સવિનય કાનૂનભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 8.
સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે અને શા માટે શરૂ કરવામાં આવી?
ઉત્તરઃ
સવિનય કાનૂનભંગની લડત ગાંધીજીના નેતૃત્વ નીચે પૂર્ણ સ્વરાજ્ય મેળવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી.

પ્રશ્ન 9.
દાંડીકૂચનો આરંભ ક્યારે થયો?
ઉત્તર:
દાંડીકૂચનો આરંભ 12 માર્ચ, 1930ના રોજ થયો.

પ્રશ્ન 10.
દાંડીકૂચ કોણે, ક્યારે અને ક્યાંથી શરૂ કરી હતી?
ઉત્તરઃ
12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ પોતાના સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી દાંડીકૂચ શરૂ કરી હતી.

પ્રશ્ન 11
દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ કઈ પ્રતિજ્ઞા લીધી?
ઉત્તર :
દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ આ પ્રતિજ્ઞા લીધી : “કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.”

પ્રશ્ન 12
દાંડીકૂચનો અંત કઈ તારીખે આવ્યો?
ઉત્તર :
6 એપ્રિલ, 1930ના રોજ વહેલી સવારે દાંડીકૂચનો અંત આવ્યો.

પ્રશ્ન 13.
શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને કોની સાથે સરખાવી હતી?
ઉત્તર:
શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી હતી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 14.
દાંડીકૂચ દરમિયાન કયા કયા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું?
ઉત્તરઃ
દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ વગેરે રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

પ્રશ્ન 15.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી?
ઉત્તરઃ
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.

પ્રશ્ન 16.
8 ઑગસ્ટની રાત્રે મુંબઈમાં મળેલી કોંગ્રેસની અખિલ હિંદ મહાસમિતિએ કયો ઠરાવ પસાર કર્યો?
ઉત્તરઃ
8 ઑગસ્ટની રાત્રે મુંબઈમાં મળેલી કોંગ્રેસની અખિલ હિંદ મહાસમિતિએ ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કર્યો.”

પ્રશ્ન 17.
‘હિંદ છોડો’ લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજુરોએ, કેટલા દિવસ હડતાલ પાડી?
ઉત્તર:
‘હિંદ છોડો લડત દરમિયાન અમદાવાદની કાપડની 75 મિલોના એક લાખ ચાલીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી.

પ્રશ્ન 18.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે, ક્યાં થયો હતો?
ઉત્તર:
સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓરિસ્સા (ઓડિશા) રાજ્યના કટક શહેરમાં થયો હતો.

પ્રશ્ન 19.
સુભાષચંદ્ર બોઝે કયો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો?
ઉત્તર :
સુભાષચંદ્ર બોઝે ‘ફૉરવર્ડ બ્લૉક’ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 20.
સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને કયાં નામ આપ્યાં?
ઉત્તર :
સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે 3 ‘શહીદ’ અને ‘સ્વરાજ્ય’ નામ આપ્યાં.

પ્રશ્ન 21.
‘આઝાદ હિંદ ફોજે’ ભારતની પૂર્વ સરહદે કયા કયા પ્રદેશો જીત્યા હતા?
ઉત્તર:
‘આઝાદ હિંદ ફોજે’ ભારતની પૂર્વ સરહદે પ્રોમ, કોહિમા (હાલના નાગાલેન્ડની રાજધાની), ઇમ્ફાલ (હાલના મણિપુરની રાજધાની) વગેરે પ્રદેશો જીત્યા હતા.

પ્રશ્ન 22.
20 ફેબ્રુઆરી, 1947ના રોજ બ્રિટનના વડા પ્રધાન એટલીએ કઈ જાહેરાત કરી?
ઉત્તર:
20 ફેબ્રુઆરી, 1947ના રોજ બ્રિટનના વડા પ્રધાન એટલીએ જાહેરાત કરી કે, કેબિનેટ મિશન યોજના મુજબ રચાયેલી હિંદ સરકારને હિંદની તમામ સત્તાઓ સોંપી જૂન, 1948 સુધીમાં બ્રિટિશ સરકાર ભારતમાંથી વિદાય લેશે.

પ્રશ્ન 23.
વેવલ પછી ભારતના વાઇસરૉય તરીકે કોને નીમવામાં આવ્યા?
ઉત્તર:
વેવલ પછી ભારતના વાઇસરૉય તરીકે માઉન્ટ બેટનને નીમવામાં આવ્યા.

પ્રશ્ન 24.
બંધારણ સભાની રચના કરવા માટે ક્યારે ચૂંટણીઓ કરવામાં આવી? તેમાં કોંગ્રેસે અને મુસ્લિમ લીગે કેટલી કેટલી બેઠકો મેળવી?
ઉત્તર:
બંધારણ સભાની રચના કરવા માટે જુલાઈ, 1946માં ચૂંટણીઓ કરવામાં આવી. તેમાં કોંગ્રેસે 210 સામાન્ય બેઠકોમાંથી 201 બેઠકો અને મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી.

પ્રશ્ન 25.
હિંદ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નેહરુ અને સરદારને શું સમજાવ્યું?
ઉત્તર:
હિંદ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નેહરુ અને સરદારને સમજાવ્યું કે, “અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ સરકાર કરતાં કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથેની સુદઢ સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે.”

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 26.
હિંદ સ્વાતંત્ર્ય ધારા મુજબ ભારતીય સંઘે અને પાકિસ્તાને પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને કોને પસંદ કર્યા?
ઉત્તર:
હિંદ સ્વાતંત્ર્ય ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાને ગવર્નર જનરલ મહંમદઅલી જિન્ડાને પસંદ કર્યા.

પ્રશ્ન 27.
બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી?
ઉત્તર:
ફેબ્રુઆરી, 1948માં બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી.

પ્રશ્ન 28.
ભારતને આઝાદી મળી એ સમયે દેશમાં લગભગ કેટલાં દેશી રાજ્યો (રજવાડાં) હતાં?
ઉત્તર:
ભારતને આઝાદી મળી એ સમયે દેશમાં લગભગ 562 દેશી રાજ્યો (રજવાડાં) હતાં.

પ્રશ્ન 29.
દેશી રાજ્યોનો ભારતીય સંઘ સાથે જોડાણનો પ્રશ્ન કોના પ્રયાસોથી હલ થયો?
ઉત્તર:
દેશી રાજ્યોનો ભારતીય સંઘ સાથે જોડાણનો પ્રશ્ન એ સમયના ભારતના ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી હલ થયો.

નીચેનાં વિધાનોનાં કારણો આપો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો.
ઉત્તર:

  1. ઈ. સ. 1919ના મૉન્ટ-ફર્ડ મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ) સુધારાના અમલનો અભ્યાસ કરી, ભારતના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર, 1927માં બ્રિટિશ સરકારે સર જ્હૉન સાયમનના અધ્યક્ષપદે સાયમન કમિશનની નિમણૂક કરી.
  2. એ કમિશન બ્રિટિશ પાર્લમેન્ટના સાત સભ્યોનું બનેલું હતું અને એ બધા જ સભ્યો અંગ્રેજો હતા.
  3. હિંદીઓનાં દુઃખદ હિંદીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિંદી સભ્યોએ સામેલ કરવાની છે. ભારતીયોએ ભલામણ કરી હતી. પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહિ.
  4. સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 2.
(ઈ. સ. 1929માં) લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્ત્વ છે.
ઉત્તર:

  1. (31 ડિસેમ્બર, 1929માં) જવાહરલાલ નેહરુના પ્રમુખપદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્ય’નો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો.
  2. 26 જાન્યુઆરી, 1930ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવવામાં આવ્યો.
  3. એ પછી દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવો એમ આ અધિવેશનમાં ઠરાવવામાં આવ્યું.
  4. આમ, 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશને સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક આપ્યો. તેથી તેનું ઘણું ઐતિહાસિક મહત્ત્વ છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
ઈ. સ. 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ.1919ના મૉન્ટ-ફડ(મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડીના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દસ વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈ. સ.1927માં અર્થાત્ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.

પ્રશ્ન 2.
ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો?
ઉત્તર:
ભારતમાં સાયમન કમિશનનો વિરોધ આ પ્રમાણે થયો:

  1. સાયમન કમિશનના સભ્યો મુંબઈ બંદરે ઊતર્યા તે દિવસે સમગ્ર દેશમાં હડતાલો અને સભા-સરઘસો દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો.
  2. ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેખાવકારોએ ‘સાયમન પાછો જા’નાં સૂત્રોવાળા કાળા વાવટા ફરકાવ્યા.
  3. દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ, ટિયરગૅસ અને ગોળીબારનો ઉપયોગ કરી દમન આચર્યો.
  4. ઉત્તર પ્રદેશમાં પંડિત જવાહરલાલ અને ગોવિંદવલ્લભ પંત પર લાઠીચાર્જ થયો. તેમાં ગોવિંદવલ્લભ પંત વિકલાંગ થયા અને જવાહરલાલ ઘાયલ થયા.
  5. લાહોરમાં લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જ થયો. લાઠીચાર્જની ઈજાઓને કારણે પાછળથી તેમનું અવસાન થયું.

પ્રશ્ન 3.
લાલા લજપતરાયનું અવસાન શાથી થયું?
ઉત્તર:
લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હૉન સાંડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય પર લાઠીઓના સખત ફટકા માર્યા. લાઠીચાર્જની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું.

પ્રશ્ન 4.
દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી? શા માટે?
ઉત્તર:
દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી.
સવિનય કાનૂનભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવેલી.

પ્રશ્ન 5.
વાઇસરૉય માઉન્ટ બેટને હિંદ અને પાકિસ્તાનના પ્રદેશોની વહેંચણી કઈ રીતે કરી?
ઉત્તરઃ
વાઇસરૉય માઉન્ટ બેટને પંજાબ, હિંદુ બહુમતી વિસ્તારોને ભારત સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને તેમજ વાયવ્ય સરહદ પ્રાંત, બલૂચિસ્તાન અને સિલ્હટ વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડ્યા. આ રીતે તેમણે હિંદ અને પાકિસ્તાનના પ્રદેશોની વહેંચણી કરી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

પ્રશ્ન 6.
ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી?
ઉત્તર:
ભારતના ભાગલાને પરિણામે ભારતને હલ કરવાની સમસ્યાઓ

  1. લશ્કરોની વ્યવસ્થા,
  2. મિલકતોને લગતા પ્રશ્નો,
  3. લેણાં અને દેવાનો હિસાબ,
  4. નિરાશ્રિતોનો પુનર્વસવાટ,
  5. જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા,
  6. ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને
  7. નદીઓની જળવહેંચણી.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો: [પ્રત્યેકના 4 ગુણ]

પ્રશ્ન 1.
ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો?
ઉત્તર:
જુલાઈ, 1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માગણી પ્રબળ બનાવી.

  • બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઑગસ્ટ, 1946નો દિવસ મુસ્લિમોને ‘સીધા પગલાંદિન’ તરીકે મનાવવાનો
    આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યાં.
  • આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે, પાકિસ્તાનની માગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી.
  • મુસ્લિમ લીગ અને મહંમદઅલી જિન્હાનો હઠાગ્રહ; 9 ડિસેમ્બર, 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી, 1947ના રોજ મુસ્લિમ લીગે કે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ.
  • તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. “અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથેની સુદઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે.”: માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજનાની ચર્ચા કરી.
  • ગાંધીજીએ નાછૂટકે અને ભારે હૈયે હિંદના ભાગલાની યોજનાનો , સ્વીકાર કર્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *