GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

Gujarat Board GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો Important Questions and Answers.

GSEB Class 9 Science Important Questions Chapter 14 અન્તસ્ત્રોતોમાં સુધારણા

વિશેષ પ્રશ્નોત્તર
તફાવત આપોઃ

પ્રશ્ન 1.
હવાઈ પ્રદૂષણ અને જળ-પ્રદૂષણ

હવાઈ પ્રદૂષણ  જળ- પ્રદૂષણ
1. વાતાવરણની હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાને હવાઈ પ્રદૂષણ કહે છે.  1. જલાવરણમાં હાનિકારક પદાર્થોના ઉમેરાને જળ – પ્રદૂષણ કહે છે.
2. પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કૅન્સર, હૃદયરોગ, ઍલર્જી જેવા રોગ થવાની સંભાવના વધે છે.  2. પ્રદૂષિત પાણી પીવાથી કૉલેરા, ટાઇફૉઇડ, કમળો જેવા રોગ થવાની સંભાવના રહે છે.
3. હવાઈ પ્રદૂષણથી ઍસિડવર્ષા, ધુમ્મસની સમસ્યા સર્જાય છે.  3. જળ -પ્રદૂષણથી પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનો ઘટાડો, પાણીના તાપમાનમાં ફેરફારની સમસ્યા સર્જાય છે.
4. હવાઈ પ્રદૂષણ માટે અશ્મી બળતણનો વધતો વપરાશ અને વૃક્ષોનો નાશ જવાબદાર છે.  4. જળ -પ્રદૂષણ માટે પાણીને સક્ષમ દ્રાવકનો ગુણધર્મ જવાબદાર છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.
ગ્રીનહાઉસ અસર અને ઓઝોન સ્તરનું વિઘટન
ઉત્તર:

ગ્રીનહાઉસ અસર  ઓઝોનસ્તરનું વિઘટન
1.ગ્રીનહાઉસ અસરથી વેશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.  1. ઓઝોન સ્તરના વિઘટનથી સૂર્યનાં હાનિકારક વિકિરણો(UV કિરણો)નો પૃથ્વીના પર્યાવરણમાં પ્રવેશ થવા લાગ્યો છે.
2. તે માટે વાતાવરણમાં CO2નું વધારે પ્રમાણ જવાબદાર છે.  2. તે માટે વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર CFC જવાબદાર છે.
3. વધુ વૃક્ષો ઉગાડી CO2નું પ્રમાણ ઘટાડી ગ્રીનહાઉસ અસરને નિયંત્રિત કરી શકાય છે.  3. CFC જૈવિક પ્રક્રિયા વડે વિઘટન પામતું ન હોવાથી તેનો વપરાશ અને ઉત્પાદન બંધ કરવું તે જ એકમાત્ર ઉપાય છે.

નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ

પ્રશ્ન 1.
વાતાવરણમાં વિવિધ ક્રિયાઓ દ્વારા co2 ઉમેરાતો હોવા છતાં વાતાવરણમાં તેનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.
ઉત્તરઃ
સુકોષકેન્દ્રી સજીવકોષોમાં અને ઘણા આદિકોષકેન્દ્રી સજીવકોષોમાં જારક શ્વસનની ક્રિયા દ્વારા સર્જાતો CO2 અને અશ્મી બળતણના દહનથી સર્જાતો CO2 વાતાવરણમાં ઉમેરાતો જાય છે. આમ છતાં, વાતાવરણમાં CO2 ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેનું મુખ્ય કારણ લીલી વનસ્પતિ દ્વારા થતી પ્રકાશસંશ્લેષણ ક્રિયા છે. પ્રકાશસંશ્લેષણમાં CO2નો ઉપયોગ કરી લૂકોઝનું નિર્માણ કરાય છે. આ ઉપરાંત ઘણાં બધાં દરિયાઈ પ્રાણીઓ દરિયાના પાણીમાં ઓગળેલ CO2માંથી કાર્બોનેટ બનાવી તેમનું કવચ બનાવે છે. આમ, વાતાવરણમાં CO2નું પ્રમાણ નિયંત્રિત થાય છે.

પ્રશ્ન 2.
ચંદ્ર અને પૃથ્વી સૂર્યથી સમાન અંતરે હોવા છતાં ચંદ્ર અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં મોટો તફાવત જોવા મળે છે.
અથવા
ચંદ્ર પર દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફરક છે જ્યારે પૃથ્વીના દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફરક નથી.
ઉત્તર:
આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો મહત્ત્વનો છે. વાતાવરણના વાયુ ઉષ્માના મંદવાહક હોવાથી સરેરાશ તાપમાનને

દિવસ દરમિયાન સ્થિર રાખે છે. વાતાવરણ દિવસ, સમય અને તાપમાનમાં થતા અચાનક વધારાને પણ અટકાવે છે. રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને પણ ધીમી પાડે છે. આથી રાત્રિના તાપમાનમાં થતો નોંધપાત્ર ઘટાડો અટકે છે.

પૃથ્વી પર વાતાવરાળ આવેલું દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત સર્જાતો નથી. પરંતુ ચંદ્ર પર વાતાવરણનો અભાવ હોવાથી દિવસ અને રાત્રિના તાપમાનનું યોગ્ય નિયંત્રણ જળવાતું નથી. આથી ચંદ્ર પર તાપમાન 190 °Cથી 110°C રહે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 3.
દરિયાઈ પવનો દિવસે અને જમીનના પવનો રાત્રે સર્જાય છે.
ઉત્તર:
જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 7ના ઉત્તરમાં દરિયાઈ પવનો અને જમીનના પવનોની સમજૂતી.

પ્રશ્ન 4.
પાણી વગર જીવન શક્ય નથી.
ઉત્તર:
જુઓ ‘સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન (2)નો ઉત્તર.

પ્રશ્ન 5.
અશ્મી બળતણનો તાકીદે ઉપયોગ ઘટાડવો જરૂરી છે.
ઉત્તર:
કોલસા અને પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મી બળતણમાં 3 નાઇટ્રોજન અને સલ્ફર હોય છે. અશ્મી બળતણનું દહન થાય ત્યારે છે. નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ ઉત્પન્ન થઈ વાતાવરણમાં ઉમેરાય ? છે. આ વાયુઓ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. તેઓ વાતાવરણમાં વરસાદના પાણીમાં ભળી ઍસિડવર્ષા કરે છે. અશ્મી બળતણના દહનથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું જાય છે, તે ગ્રીનહાઉસ અસર સર્જે છે. અશ્મી બળતણના દહનથી હવામાં વિલંબિત કણોનું પ્રમાણ વધતાં વાતાવરણ ધૂંધળું બને છે. આ સમસ્યાઓના નિયંત્રણ માટે અશ્મી બળતણનો તાકીદે ઉપયોગ ઘટાડવો જરૂરી છે.

પ્રશ્ન 6.
શિમ્બી કુળની વનસ્પતિઓના ઉછેર માટે નાઈટ્રોજનયુક્ત ખાતર ઉમેરવા જરૂરી નથી.
ઉત્તર:
શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા (રાઇઝોબિયમ) બૅક્ટરિયા વિશિષ્ટ પ્રકારની સંરચના – મૂળચંડિકા બનાવે છે. મૂળચંડિકામાં આ બૅક્ટરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને નાઈટ્રેટ, નાઇટ્રાઇટ સરળતાથી પ્રાપ્ત કરાવે છે. શિખી વનસ્પતિઓ કુદરતી રીતે નાઇટ્રોજન પ્રાપ્ત કરતી હોવાથી તેમના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવા જરૂરી નથી.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 7.
ભૂમિ-નિર્માણમાં પર્યાવરણનાં અજૈવ પરિબળોની વિઘટક અસરો મહત્ત્વનો ભાગ ભજવે છે.
ઉત્તર:
પૃથ્વીનું સૌથી બહારનું પડ ભૂમિ તરીકે ઓળખાય છે. ભૂમિ-નિર્માણમાં પર્યાવરણનાં અજૈવ પરિબળો સૂર્યપ્રકાશ, પાણી, પવન વગેરે મહત્ત્વનો ભાગ ભજવે છે. સૂર્યપ્રકાશની ઉષ્માથી દિવસે ગરમ થતાં પથ્થરોનું વિસ્તરણ થાય છે અને રાત્રિ દરમિયાન ઠંડા થતાં સંકોચન પામે છે. પરિણામે પથ્થરોમાં તિરાડો સર્જાય છે. આ તિરાડોમાં પાણી પ્રવેશતાં તે પહોળી થાય છે. ઝડપથી વહેતું પાણી પથ્થરોના નાના-મોટા કણોને નીચે લઈ જાય છે, ત્યારે પથ્થરો સાથે ઘસાતાં આ કણો નાના કદના થઈ ભૂમિકણીમાં ફેરવાય છે. પવનની અસરથી પણ પથ્થરો ઘસારો અનુભવે છે અને નાના કણોનું નિર્માણ થાય છે. આમ, ભૂમિ-નિર્માણમાં અજૈવ પરિબળો પથ્થરો પર વિઘટક અસરો સર્જી ભૂમિકણોનું નિર્માણ કરે છે.

પ્રશ્ન 8.
મહાનગરોમાં શિયાળાની સવારમાં વાહન અકસ્માતો વધે છે.
ઉત્તર:
મહાનગરોમાં વાહનવ્યવહાર વધારે હોય છે. વાહનોમાં પેટ્રોલિયમ પદાર્થોનો અમી બળતણરૂપે ઉપયોગ થાય છે. અશ્મી બળતણના દહનથી વાતાવરણમાં નિલંબિત કણો (દહન પામ્યા વગરના કાર્બન કણ) હાઇડ્રોકાર્બનરૂપે જમા થાય છે. નિલંબિત કણોની માત્રામાં વધારો થતાં વાતાવરણ ધૂંધળું બને છે. શિયાળાની ઋતુમાં આ કણો પાણી સાથે સંઘનન પામી ધુમ્મસ સર્જે છે. આથી થોડે દૂર સુધી જોવામાં પણ મુશ્કેલી પડે છે. આથી મહાનગરોમાં શિયાળાની સવારમાં વાહન અકસ્માતો વધે છે.

પ્રશ્ન 9.
શ્વસન અને પ્રકાશસંશ્લેષણ ક્રિયા કાર્બનચક્ર અને ઑક્સિજનચક્રમાં ખૂબ જ મહત્ત્વની છે.
ઉત્તરઃ
શ્વસન ક્રિયા બધા જ સજીવોમાં જોવા મળે છે. તેમાં શર્કરા(ગ્યુકોઝ)નું મોટા ભાગે O2ના ઉપયોગ દ્વારા દહન થતાં CO2 મુક્ત થાય છે. પ્રકાશસંશ્લેષણ ક્લોરોફિલ ધરાવતા સજીવોમાં જ જોવા 3 મળે છે. આ ક્રિયામાં CO2નો ઉપયોગ થાય છે અને શર્કરા(ગ્યુકોઝ)નું નિર્માણ તેમજ O2 મુક્ત થાય છે.

આમ, ઑક્સિજનચક્રમાં O2ના ચક્રીયકરણમાં O2નો વપરાશ કરતી ક્રિયા શ્વસન અને O2ના સ્ત્રોત તરીકે પ્રકાશસંશ્લેષણ છે. જ્યારે કાર્બનચક્રમાં Cના ચક્રીયકરણમાં CO2નો વપરાશ કરતી ક્રિયા પ્રકાશસંશ્લેષણ અને CO2ના સ્ત્રોત તરીકે શ્વસન છે.
આથી શ્વસન અને પ્રકાશસંશ્લેષણ ક્રિયા કાર્બનચક્ર અને ઑક્સિજનચક્રમાં ખૂબ જ મહત્ત્વની છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

જોડકાં જોડો

પ્રશ્ન 1.

વિભાગ I
(ભૂમિ-નિર્માણ માટે જવાબદાર બાબતો)
વિભાગ II
(અસરો)
1. સૂર્ય-ઉષ્મા a. ખડકોની સપાટી પાઉડર સ્વરૂપમાં
2. પવન b. ખડકોની તિરાડો પહોળી કરે
3. પાણી c. નાના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય
4. લાઇકેન d. ખડકોમાં તિરાડો પડે

ઉત્તર:

વિભાગ I
(ભૂમિ-નિર્માણ માટે જવાબદાર બાબતો)
વિભાગ II
(અસરો)
1. સૂર્ય-ઉષ્મા d. ખડકોમાં તિરાડો પડે
2. પવન c. નાના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય
3. પાણી b. ખડકોની તિરાડો પહોળી કરે
4. લાઇકેન a. ખડકોની સપાટી પાઉડર સ્વરૂપમાં

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.

વિભાગ I  વિભાગ II
1. એમોનીકરણ  a. નાઇટ્રોજન ઑક્સાઇડનું સર્જન
2. નાઇટ્રીકરણ  b. એમોનિયાનું સર્જન
3. વીજળીના ચમકારા  c. વાતાવરણમાં નાઈટ્રોજન મુક્ત થાય
4. ડિનાઇટ્રિફિકેશન  d. NO2, NO3 નું સર્જન

ઉત્તરઃ

વિભાગ I  વિભાગ II
1. એમોનીકરણ  b. એમોનિયાનું સર્જન
2. નાઇટ્રીકરણ  d. NO2, NO3 નું સર્જન
3. વીજળીના ચમકારા  a. નાઇટ્રોજન ઑક્સાઇડનું સર્જન
4. ડિનાઇટ્રિફિકેશન  c. વાતાવરણમાં નાઈટ્રોજન મુક્ત થાય

પ્રશ્ન 3.

વિભાગ I  વિભાગ II
1. કાર્બોનેટ  a. કેટલાક બૅક્ટરિયા માટે ઝેર સમાન
2. નાઈટ્રોજન  b. આલ્કલૉઈડ અને યુરિયામાં
3. CFC  c. કેટલાંક દરિયાઈ પ્રાણીઓના બાહ્ય કવચ
4. તત્ત્વીય ઑક્સિજન  d. ઓઝોનનું વિઘટન

ઉત્તરઃ

વિભાગ I  વિભાગ II
1. કાર્બોનેટ  c. કેટલાંક દરિયાઈ પ્રાણીઓના બાહ્ય કવચ
2. નાઈટ્રોજન  b. આલ્કલૉઈડ અને યુરિયામાં
3. CFC  d. ઓઝોનનું વિઘટન
4. તત્ત્વીય ઑક્સિજન  a. કેટલાક બૅક્ટરિયા માટે ઝેર સમાન

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 4.

વિભાગ I વિભાગ II
1. હવાઈ પ્રદૂષણ a. વૈશ્વિક તાપમાનનો વધારો
2. જળ-પ્રદૂષણ b. અળસિયાંનો નાશ
3. ભૂમિ-પ્રદૂષણ c. દ્રાવ્ય ઑક્સિજનનો ઘટાડો
4. ગ્રીનહાઉસ અસર d. ઍસિડવર્ષા

ઉત્તરઃ

વિભાગ I વિભાગ II
1. હવાઈ પ્રદૂષણ d. ઍસિડવર્ષા
2. જળ-પ્રદૂષણ c. દ્રાવ્ય ઑક્સિજનનો ઘટાડો
3. ભૂમિ-પ્રદૂષણ b. અળસિયાંનો નાશ
4. ગ્રીનહાઉસ અસર a. વૈશ્વિક તાપમાનનો વધારો

પ્રશ્ન 5.

વિભાગ I  વિભાગ II
1. મૂળચંડિકા  a. હવાઈ પ્રદૂષણનો નિર્દેશક
2. અળસિયાં  b. નાઇટ્રોજન સ્થાપન
3. લાઈકેન  c. નાની વનસ્પતિ
4. મૉસ  d. હ્યુમસ બનાવવામાં મદદરૂપ

ઉત્તર:

વિભાગ I  વિભાગ II
1. મૂળચંડિકા  b. નાઇટ્રોજન સ્થાપન
2. અળસિયાં  d. હ્યુમસ બનાવવામાં મદદરૂપ
3. લાઈકેન  a. હવાઈ પ્રદૂષણનો નિર્દેશક
4. મૉસ  c. નાની વનસ્પતિ

નીચેના માત્ર રેખાંકિત ચાર્ટ દોરો:

પ્રશ્ન 1.
કાર્બનચક્ર
ઉત્તરઃ
જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 38માં આકૃતિ 14.6.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.
ઑક્સિજનચક્ર
ઉત્તરઃ
જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 40માં આકૃતિ 14.7.

પ્રશ્ન 3.
નાઈટ્રોજનચક્ર
ઉત્તરઃ
જુઓ ‘પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 37માં આકૃતિ 14.5. પ્રશ્નોત્તર

પ્રસ્તાવના

પ્રશ્ન 1.
પૃથ્વી ગ્રહ પર શા માટે જીવન આવેલું છે? [2 ગુણ)
ઉત્તરઃ
જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહાર(ખોરાક)ની જરૂરિયાત હોય છે. પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઊર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુઓ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે. પૃથ્વી પરનું જીવન આ બધાં પરિબળો પર આધારિત છે અને આ પરિબળો સરળતાથી ઉપલબ્ધ છે. આથી પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે.

પૃથ્વી પર આ સ્ત્રોતો કયા છે?
પ્રશ્ન 2.
પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોનાં નામ આપી, તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. 12 ગુણ
ઉત્તર:
પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોઃ હવા (વાયુ), જળ (પાણી) અને ભૂમિ
અજૈવ ઘટકો વડે રચાતા આવરણઃ

  • વાતાવરણ (વાયુ, આવરણ) સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે.
  • જલાવરણઃ પૃથ્વીનો 75 % ભાગ પાણીનો બનેલો છે. તેમાં ડું ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. આ સમગ્રને જલાવરણ કહે છે.
  • મૃદાવરણઃ પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે. તેને મૃદાવરણ કહે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 3.
જીવાવરણ કોને કહે છે? જીવાવરણના જૈવિક ઘટક અને અજેય ઘટકો જણાવો. 12 ગુણ
ઉત્તર:
જીવાવરણ: જીવનને આશ્રય ને આધાર આપતા પૃથ્વીનાં ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે, તેને જીવાવરણ કહે છે.
જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે, જ્યાં આ ત્રણેય આવરણો આવેલાં હોય છે.
જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો (વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો) અને અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 4.
શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી?
ઉત્તરઃ
પૃથ્વી પર જીવન છે, કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની 3 જેમ ઢાંકતી હવાનું આવરણ – વાતાવરણ આવેલું છે. હવામાં સજીવ જીવનના નિભાવ માટે નાઇટ્રોજન, ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડ આવેલા છે. જેમાં 21 % ઑક્સિજન અને 0.03 % કાર્બન ડાયૉક્સાઇડ રે છે. પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે.

શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયૉક્સાઈડ 95 થી 97 % છે. સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઑક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી.

પ્રશ્ન 5.
co2 મુક્ત કરતી બે ક્રિયાઓ જણાવી, વાતાવરણમાં co2 ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેનાં બે મુખ્ય કારણો જણાવો.
અથવા
co2 ત્યાગ કરતી અને co2 નો ઉપયોગ કરતી બે-બે ક્રિયાઓ જણાવો.
ઉત્તર:
co2 મુક્ત કરતી ક્રિયાઓ:
1. સુકોષકેન્દ્રી (યુકેરિયોટિક) કોષો અને ઘણા આદિકોષકેન્દ્રી (પ્રોકેરિયોટિક) કોષોની ક્રિયાશીલતા માટે ઊર્જા મેળવવા લૂકોઝનું 02 ની હાજરીમાં મંદદહન કરાય છે, તેને કોષીય શ્વસન કહે છે. આ ક્રિયામાં CO2 મુક્ત થાય છે.
C6H12O6 + 6O2 + 6H2O → 6CO2 + 12H2O + ઊર્જા

2. દહન (Combution) પ્રક્રિયામાં O2 વપરાય છે અને CO2 મુક્ત થાય છે. માનવની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ (બળતણ)
સળગાવી ઊર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે.
વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં CO2 હોવાનાં મુખ્ય કારણો 3 નીચે પ્રમાણે છે:

co2નો ઉપયોગ કરતી ક્રિયાઓઃ
1. પ્રકાશસંશ્લેષણ દરમિયાન 3 લીલી વનસ્પતિઓ કાર્બન ડાયૉક્સાઇડનું સ્થાપન કરી લૂકોઝ નિર્માણ રૂ કરે છે.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 1

2. ઘણાં દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય CO2 નો ઉપયોગ થાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 6.
આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો.
ઉત્તર:
આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો:
1. વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદ વાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે.

2. વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે અને રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે. તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી.

દા. ત., ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલાં છે, છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી તાપમાન – 190 °C થી 110 °c રહે છે.
આમ, વાતાવરણના અભાવે તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે.

પ્રશ્ન 7.
વિસ્તૃત રીતે સમજાવો હવાની ગતિ [4 ગુણી
અથવા
પવન કેવી રીતે સર્જાય છે તે સમજાવી, દિવસ અને રાત્રિ દરમિયાન તેની દિશા જણાવો.
અથવા
વિસ્તૃત નોંધ લખો: જમીન અને દરિયાઈ પવનો
અથવા
વિગતવાર ઉત્તર આપો પવન કેવી રીતે બને છે? 2 ગુણ
ઉત્તરઃ
ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે. આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે.

પવન(લહેરો)નું સર્જનઃ જ્યારે સૂર્યનાં કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તેમાંનાં અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે. બાકીનાં મોટા ભાગનાં કિરણોનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન થાય છે. આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે. પરિણામે હવામાં પવન(લહેરો)નું નિર્માણ થાય છે.
જમીન પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ર ઠંડી થાય છે.
[નોંધઃ પવન કેવી રીતે બને છે? આ પ્રશ્નનો ઉત્તર અહીં 3 સુધી લખવો.].

દરિયાઈ પવન (લહેરો): દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. આ ગરમ હવા ઉપરની તરફ ઊઠે છે. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ઘીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે. દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવન(લહેરો)ની દિશા સમુદ્રથી જમીન તરફ 3 હોય છે.

જમીનના પવન લહેરો): રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે. પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી શીતળ થાય છે. આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે. આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવન(લહેરો)ની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 3

નોધ: આ આકૃતિ માત્ર સમજૂતી માટે છે.
આમ, હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે અને પવન તરીકે અનુભવાય છે. જ્યાં બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવત હોય ત્યાં હવા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે.

[નોંધઃ દરિયાઈ અને જમીનના પવનોબલહેરો)ની સમજૂતીમાં માત્ર બંને પવનો(લહેરો)ની સમજૂતી લખવી.]

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 8.
તટીય ક્ષેત્રોના વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણનાં ક્ષેત્રો શા માટે સર્જાય છે? [1 ગુણ)
ઉત્તર:
તટીય ક્ષેત્રોમાં દિવસે જમીન ઝડપથી ગરમ થતાં ત્યાં રહેલી હવા ગરમ થઈ ઉપર તરફ જતાં નીચા દબાણના ક્ષેત્ર અને રાત્રિ દરમિયાન જમીન ઝડપથી ઠંડી પડતાં ઊંચા દબાણના ક્ષેત્ર સર્જાય છે.

પ્રશ્ન 9.
તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે?
ઉત્તર:
તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા જમીન તરફથી દરિયા તરફની હોય છે.

પ્રશ્ન 10.
વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે?
અથવા
ટૂંક નોંધ લખો: વરસાદ
ઉત્તરઃ
પૃથ્વી પરના જળસ્રોતમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય છે ત્યારે ખૂબ વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે. આ બાષ્પ હવામાં રહે છે. પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓના કારણે વાતાવરણમાં જાય છે.
સૂર્ય-ઉખાથી હવા પણ ગરમ થાય છે. આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય છે.

જેમ જેમ હવા ઉપર તરફ ઊઠે છે તેમ તેમ તેનું વિસ્તરણ થતાં હું તે ઠંડી પડે છે. ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ નાનાં બિંદુઓમાં 5 ફેરવાય છે. હવામાં તરતા ધૂળના રજકણો અને અન્ય દ્રવ્યો પાણીનાં 2 નાનાં બિંદુઓને તેમની ફરતે એકત્રિત કરે છે. મોટા પ્રમાણમાં પાણીનાં નાનાં બિંદુઓ એકત્રિત થતાં વાદળો બંધાય છે. પાણીનાં નાનાં બિંદુઓની સંઘનનની પ્રક્રિયાથી પાણીનાં બિંદુઓ કદમાં વધે છે. પાણીનાં બિંદુઓનું વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે.
ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય ત્યારે હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.

પ્રશ્ન 11.
હવાનું પ્રદૂષણ એટલે શું? હવાનું પ્રદૂષણ કેવી રીતે? થાય છે? તેની હાનિકારક અસરો જણાવો.
અથવા
હવાની ગુણવત્તા કેવી રીતે ઘટે છે અને આ ગુણવત્તામાં ઘટાડો કઈ અસરો કરે છે તે જણાવો.
ઉત્તર:
હવાનું પ્રદૂષણ હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહે છે.
હવાનું પ્રદૂષણ કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મી બળતણના દહનથી થાય છે. અશ્મી બળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઈડ ઉત્પન્ન થઈ હવામાં ભળે છે. અશ્મી બળતણના દહન દ્વારા સળગ્યા વગરના કાર્બન કણ કે પદાર્થ (હાઇડ્રોકાર્બન) નિલંબિત કણો સ્વરૂપે હવામાં ઉમેરાય છે. આ પ્રદૂષકો હવામાં ઉમેરાતાં હવાની ગુણવત્તા ઘટે છે.

હવાના પ્રદૂષણની હાનિકારક અસરો:
1. હવામાં ઉમેરાતા નાઈટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ, ઍલર્જી જેવા રોગો થવાની સંભાવના વધે છે.

2. હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને ઍસિડવર્ષા કરે છે. તેનાથી ત્વચા પર, ભૂમિ અને પાણીમાં વસતા સજીવો પર હાનિકારક અસર થાય છે.

3. હાઈડ્રોકાર્બન પ્રદૂષકો નિલંબિત કણો સ્વરૂપે વધારે માત્રામાં હું હોય ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવે છે. શિયાળામાં વિલંબિત કણો સાથે પાણી સંઘનિત થઈ ધુમ્મસ બનાવે છે, જે વાહન અકસ્માત વધારે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 17.
પૃથ્વી પર પાણીનું વિતરણ સમજાવો.
ઉત્તર:
પૃથ્વીની સપાટીનો મોટો ભાગ પાણી ધરાવે છે. પાણી સપાટી ઉપરાંત ભૂમિમાં અને કેટલાક પ્રમાણમાં પાણીની બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં હોય છે.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 2

પ્રશ્ન 18.
પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત શું હોય છે?
અથવા
પ્રાણીઓમાં પાણીનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત/મહત્ત્વઃ

  1. પ્રાણીઓમાં બધી કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે.
  2. આપણા શરીરમાં કે કોષોમાં થતી બધી પ્રક્રિયાઓ માટે જરૂરી પદાર્થો પાણીમાં દ્રાવ્ય (ઓગળેલા) હોય છે.
  3. શરીરના એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન (વહન) દ્રાવ્ય અવસ્થામાં થતું હોવાથી પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે.
  4. સ્થળજ પ્રાણીઓને જીવન ટકાવવા માટે મીઠા (શુદ્ધ) પાણીની જરૂર રહેલી છે, કારણ કે ખારા પાણીમાં રહેલા ક્ષારનું વધારે પ્રમાણે તેમના શરીર સહન કરી શકતા નથી.

પ્રશ્ન 19.
પાણીની પ્રાપ્યતાનું શું મહત્ત્વ છે તે જણાવો.
ઉત્તરઃ
પાણીની પ્રાપ્યતાનું મહત્ત્વઃ

  • પાણીની પ્રાપ્યતા પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ બનાવે છે.
  • તે માત્ર સજીવસંખ્યાનું નિર્ધારણ કરતા નથી, પરંતુ જે-તે વિસ્તારની જૈવવિવિધતાનું પણ નિર્ધારણ કરે છે.
  • પાણીની પ્રાપ્યતા જે-તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે.
  • જે-તે સ્થળે જીવનની સંભાવના નક્કી કરતો મહત્ત્વપૂર્ણ સ્રોત પાણી છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 20.
જળ-પ્રદૂષણ એટલે શું? જળ-પ્રદૂષણ કેવી રીતે થાય છે તે જણાવો.
ઉત્તરઃ
પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં તે ઉપયોગ માટે નકામું બને તેને જળ-પ્રદૂષણ કહે છે.
જળ-પ્રદૂષણ મુખ્યત્વે માનવ-પ્રવૃત્તિઓ વડે થાય છે, જે નીચે મુજબ છે:

  1. ખેતરોમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને કીટકનાશકોનો કેટલોક ભાગ પાણીમાં જતાં પાણી પ્રદૂષિત થાય છે.
  2. શહેર કે નગરના ગટર/નાળાના ગંદા પાણી નદી, જળાશયોમાં ઠલવાતાં ડિટરજન્ટ, સુએઝ કચરો, રોગકારકો (બૅક્ટરિયા, વાઇરસ, પ્રજીવ વગેરે) પાણીમાં ભળી પાણી પ્રદૂષિત કરે છે.
  3. ઉદ્યોગોમાં સર્જાતો કચરો જળસોતમાં ઠલવાતાં રાસાયણિક ઝેરી દ્રવ્યો પાણીમાં ભળી પાણી પ્રદૂષિત કરે છે.
  4. કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો પાવર પ્લાન્ટ, થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે અને અંતે ગંદા ગરમ પાણીને જળાશયમાં પાછું વહેવડાવવામાં આવે છે. આ ગરમ પાણી ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે.
    જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર અસર થાય છે.

પ્રશ્ન 21.
જળ-પ્રદૂષણની અસરો સમજાવો.
ઉત્તર:
જળ-પ્રદૂષણની અસરો નીચે મુજબ છે :
1. જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતરો ભળવાથી અથવા કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલા પારા(મરક્યુરી)ના ક્ષાર જેવા ઝેરી પદાર્થો અથવા ગટરના ગંદા પાણી ભળવાથી કૉલેરા કે ટાઇફૉઇડ જેવા રોગ ફેલાવનારા બૅક્ટરિયા પાણીમાં ઉત્પન્ન થાય છે. આવું પ્રદૂષિત પાણી પીવા માટે કે અન્ય ઉપયોગમાં લેવાતા સ્વાથ્ય પર હાનિકારક અસરો સર્જાય છે.

2. જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઑક્સિજનનો ઉપયોગ કરે છે. જળાશયોમાં જૈવવિઘટનીય પ્રદૂષકો ઉમેરાતાં તેના વિઘટન (ઑક્સિડેશન) માટે દ્રાવ્ય ઑક્સિજન વપરાય છે. દ્રાવ્ય ઑક્સિજનનો ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર કરે છે. જળાશયોમાંથી બીજાં પોષક દ્રવ્યોનો પણ ઘટાડો થઈ શકે છે.

3. જળાશયોમાં રહેતા જળચર સજીવો ત્યાંના એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય છે. પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે તાપમાનમાં અચાનક પરિવર્તન તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે. તાપમાનના ફેરફારની અસર તેમની પ્રજનનક્રિયા પર પડે છે. વિવિધ પ્રકારના પ્રાણીનાં ઈંડાં અને ડિલ્મ તાપમાનના ફેરફાર પ્રત્યે ૩ સંવેદનશીલ હોય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 22.
ભૂમિ એટલે શું? તેનું નિર્માણ કેવી રીતે થાય છે તે જણાવો.
ઉત્તરઃ
પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. ભૂમિમાં રહેલાં ખનીજો સજીવોને જુદા જુદા પ્રકારનાં પોષક તત્ત્વો પૂરાં પાડે છે.
શરૂઆતમાં ખનીજ તત્ત્વો મોટા પથ્થરોરૂપે હોય છે. તેના પર આબોહવાનાં પરિબળો – સૂર્યપ્રકાશ, પાણી, પવનની અસરો થતાં પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય છે. ભૂમિ-નિર્માણમાં લાઈકેન જેવા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે. આમ, પિતૃખડકો પર અજેવ અને જૈવ પરિબળોની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 23.
ભૂમિ-નિર્માણ માટે જવાબદાર બાબતો (પરિબળો) સમજાવો.
અથવા
ભૂમિ-નિર્માણમાં અર્જવ અને જૈવ પરિબળોની ભૂમિકા સમજાવો.
ઉત્તરઃ
ભૂમિ-નિર્માણ માટે જવાબદાર બાબતો (પરિબળો)
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 4

1. સૂર્ય દિવસના સમયે સૂર્ય-ઉષ્મા પથ્થરને ગરમ કરે છે. ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે. રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડતાં તેમનું સંકોચન થાય છે. પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા નથી. આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તિત થાય છે.

2. પાણીઃ ભૂમિ-નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ છે:

  1. પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે છે.
  2. ઝડપથી વહેતું પાણી મજબૂત (કઠણ) પથ્થરોને તોડી નાખી શકે છે. તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે. આ કણો બીજા પથ્થરો સાથે ઘસાતા જઈ કદમાં નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણોમાં ફેરવાય છે. આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને મળી આવે છે.

3. પવન તીવ્ર પવનથી પથ્થરોને ઘસારો થતાં નાના કણો નિર્માણ પામે છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.

4. લાઈકેનઃ લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઊગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્રાવ કરે છે. આ સાવ પથ્થરોની સપાટીને તોડી પાઉડરમાં ફેરવે છે. આમ, ભૂમિનું પાતળું સ્તર બને છે. હવે આ સપાટી મૉસ (શેવાળ) જેવી બીજી નાની વનસ્પતિઓને ઊગવા માટે સક્ષમ હોય છે. તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટાં વૃક્ષોનાં મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે.
આ રીતે સજીવો પણ ભૂમિ-નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 24.
સમજાવો: પથ્થરો પર આબોહવાનાં પરિબળો અને સજીવો વડે પ્રેરાતી લાંબા ગાળાની વિઘટક અસરોથી ભૂમિનું નિર્માણ થાય છે.
ઉત્તરઃ
જુઓ પ્રશ્ન 26નો ઉત્તર.

પ્રશ્ન 25.
ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્ત્વ જણાવો.
અથવા
સમજાવોઃ ભૂમિ એક મિશ્રણ
ઉત્તરઃ
ભૂમિ એક મિશ્રણ છે. તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનીજ પોષક તત્ત્વો, હ્યુમસ, સૂક્ષ્મ જીવો, અળસિયાં વગેરે આવેલાં છે.
ભૂમિકણો(કાંપના કણો, માટીકણો, રેતીકણો)ના સરેરાશ પ્રમાણ 3 દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે.
ખનીજ પોષક તત્ત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ ભૂમિ કયા પથ્થરોમાંથી બનેલી છે, તેના પર આધાર રાખે છે. વનસ્પતિના વૃદ્ધિ-વિકાસ માટે ખનીજ પોષક તત્ત્વો અગત્યના છે.

ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ (સડતા કાર્બનિક પદાર્થો) કહે છે. ભૂમિમાં હ્યુમસના પ્રમાણ અને 3 તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય
છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવી, હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બને છે. હ્યુમસ અને સૂક્ષ્મ જીવો ભૂમિકણો સાથે ઉપરિ-ભૂમિસ્તર(ભૂમિના ઉપરના સ્તર)માં હોય છે. ઉપરિ-ભૂમિસ્તરની ગુણવત્તા જે-તે વિસ્તારની જૈવવિવિધતા નક્કી કરે છે.
અળસિયાં ભૂમિને ઉપર-નીચે કરી ભૂમિનું કુદરતી ખેડાણ કરે રે છે, તેમજ ભૂમિનાં પોષક તત્ત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે.

પ્રશ્ન 26.
ભૂમિ-પ્રદૂષણ શાનાથી થાય છે? તેનાથી ભૂમિ પર 3 શું અસર થાય છે? 2 ગુણ) ?
ઉત્તરઃ
આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો
વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ભૂમિ-પ્રદૂષણ 3 થાય છે. આ ઉપરાંત, ભૂમિ પરથી વનસ્પતિ આવરણો દૂર કરવાથી ભૂમિ-પ્રદૂષણ થાય છે.

વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ 3 જીવો નાશ પામે છે અને ભૂમિની સંરચનાનો નાશ થાય છે. હ્યુમસ B બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાંનો પણ નાશ થઈ શકે છે.

જો ટકાઉ (નિભાવપાત્ર) કૃષિ ન કરવામાં આવે, તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી પડતર (બિનઉપજાઉ) ભૂમિમાં પરિવર્તન પામે છે. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી અને અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાને કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. તેથી તેના પર આવેલી જૈવવિવિધતા નાશ પામે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 27.
કેવી રીતે ભૂમિ-નિર્માણ કરવા માટેનાં કેટલાંક પરિબળો – તેને નષ્ટ કરવા જવાબદાર બની શકે છે?
ઉત્તરઃ
એક સ્થળે જોવા મળતી ભૂમિ લાંબા સમયના અંતે ? નિર્માણ પામેલી હોય છે. પરંતુ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર કેટલાંક પરિબળો (દા. ત., પવન, પાણી) તેને કોઈ બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે.

ભૂમિ પર જ્યારે વનસ્પતિ આવરણો ન હોઈ ત્યારે તીવ્ર પવન કે પાણીના તીવ્ર પ્રવાહથી ભૂમિના કણો સ્થળાંતરિત થઈ શકે છે. આ રીતે ભૂમિના બધા કણો સ્થળાંતર થવાથી કઠણ (મજબૂત) પથ્થર બહાર આવે છે અને ભૂમિ નષ્ટ થાય છે. કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત્ થાય છે.

પ્રશ્ન 28.
ભૂમિ પર વનસ્પતિ આવરણો શું અગત્ય ધરાવે છે? આ આવરણો દૂર થતાં શું થાય છે?
ઉત્તરઃ
ભૂમિ પર આવેલા વનસ્પતિ આવરણો પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વનસ્પતિઓના મૂળ જમીનના ક્ષરણ(ધોવાણ)ને અટકાવવામાં અગત્ય ધરાવે છે.
સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા હોવાથી વનસ્પતિ આવરણો દૂર થાય છે. તેથી જૈવવિવિધતાનો નાશ થાય છે. તેમજ ભૂમિનું ધોવાણ થાય છે. વનસ્પતિવૃદ્ધિ માટે મદદરૂપ ઉપરિ-ભૂમિસ્તર ધોવાણની ક્રિયાથી દૂર થતાં ભૂમિ બિનઉપજાઉ બનતી જાય છે. વનસ્પતિ આવરણો વગર પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે.

પ્રશ્ન 29.
જીવાવરણ ગતિશીલ અને સ્થાયી શાના દ્વારા બને છે? તે દ્વારા શું થાય છે?
ઉત્તર:
જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે થતી આંતરક્રિયા દ્વારા જીવાવરણ ગતિશીલ અને સ્થાયી બને છે.
આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકોની વચ્ચે પદાર્થ (નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન, પાણી) અને ઊર્જાનું સ્થળાંતર થાય છે.

પ્રશ્ન 30.
ટૂંક નોંધ લખોઃ કુદરતમાં જલચક્ર
ઉત્તર:
જળસ્રોતમાંથી પાણીનું બાષ્પીભવન થતાં બાષ્પ વાતાવરણમાં જાય છે અને આ બાષ્પ ઠંડી પડી વરસાદના સ્વરૂપમાં પાણી પૃથ્વીની સપાટી પર પડે છે અને નદીઓ દ્વારા પાણી સમુદ્રમાં પહોંચે છે. તેને જલચક્ર કહે છે.
જલચક્ર એ ખરેખર મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ તથા સજીવો વચ્ચે થતું પાણીનું ચક્રીય વહન છે.

સપાટીય જળ સૂર્ય-ઉષ્માથી બાષ્પીભવન પામી બાષ્પમાં ફેરવાય છે. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અને સજીવોમાં શ્વસનની ક્રિયા દ્વારા પાણી બાષ્પરૂપે ગુમાવાય છે. આ બાષ્પ વાતાવરણમાં ઊંચે જઈ ઠંડી પડે છે. સંઘનન દ્વારા વરસાદ, બરફ, હીમ સ્વરૂપે પૃથ્વી પર પાણી પાછું ફરે છે.

વરસાદ સ્વરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ ભૂમિમાં શોષાઈ ભૂમીય જળ તરીકે રહે છે. કેટલુંક ભૂમીય જળ ઝરણાં દ્વારા સપાટી પર આવે છે. વરસાદરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ જળાશયો, નદી, કૂવા વગેરેમાં આવે છે. આપણા રોજિંદા ઉપયોગ માટે આ જળનો ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિઓ મૂળ દ્વારા ભૂમીય જળનું શોષણ કરે છે. અન્ય સજીવો, જીવજંતુઓ, સ્થળજ પ્રાણી વિવિધ ક્રિયાઓમાં પાણીનો ઉપયોગ કરે છે.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 5
પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ દ્રાવક છે. પાણી જ્યાં જ્યાંથી પસાર થાય છે તેમ તેમ તેમાં વિવિધ ખનીજો દ્રાવ્ય થાય છે. આ રીતે નદીના વહેતા પાણી દ્વારા ઘણાં પોષક દ્રવ્યો સપાટી પરથી દરિયા કે સમુદ્રમાં જાય છે અને દરિયાઈ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાય છે. દરિયા અને સમુદ્રમાં આવતું પાણી પુનઃબાષ્પીભવન પામે છે અને જલચક્ર ચાલતું રહે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 31.
નાઇટ્રોજનચક્ર સમજાવો.
અથવા
નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણચક્ર સમજાવો.
ઉત્તર:
નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણચક્ર નાઇટ્રોજનચક્ર છે.
નાઇટ્રોજનનું પ્રમાણ અને મહત્ત્વઃ વાતાવરણમાં 78 % નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે.
સજીવોમાં પ્રોટીનના બંધારણીય એકમ એમિનો ઍસિડ તેમજ ન્યુક્લિઇક ઍસિડ RNA અને DNA જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ માટે અને કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન પોષક તત્ત્વ અગત્યનું છે. જૈવિક રીતે અગત્યનાં સંયોજનો આલ્કલૉઇડ અને યૂરિયામાં બંધારણીય ઘટક નાઇટ્રોજન છે.

નાઇટ્રોજનનું સ્થાપન (N2 સ્થાપન): બધા સજીવો મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આથી વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહે છે.

નાઇટ્રોજન સ્થાપન બે રીતે જોવા મળે છે:
1. રાસાયણિક નાઇટ્રોજન સ્થાપનઃ આકાશમાં વીજળીના ચમકારા દ્વારા ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વાયુરૂપમાં N2નું તેના ઑક્સાઇડ NO2 માં સ્થાપન થાય છે. આ ઑક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક ઍસિડ અને નાઇટ્રસ ઍસિડરૂપે વરસાદના પાણી સાથે મૃદાવરણ અને જલાવરણમાં પ્રવેશે છે ત્યારે વિવિધ સજીવો દ્વારા તેનો ઉપયોગ થાય છે.

2. જૈવ નાઇટ્રોજન સ્થાપનઃ રાસાયણિક N2 સ્થાપન કરતાં જૈવ N2 સ્થાપન અનેક ગણું વધારે હોય છે. તેમાં સજીવો ભાગ લે છે.
શિમ્બી કુળની વનસ્પતિઓ(કઠોળ)ના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના – મૂળચંડિકામાં રહેલા સહજીવી બૅક્ટરિયા રાઇઝોબિયમ, ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બૅક્ટરિયા નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે. આ સજીવો વાતાવરણના N2નું એમોનિફિક્શન ક્રિયા દ્વારા એમોનિયા(NH3)માં રૂપાંતર કરે છે.

એમોનિયા (NH3) નાઇટ્રીકરણ (નાઇટ્રિફિકેશન) ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ (NO2) અને નાઇટ્રેટ(NO3)માં ફેરવાય છે.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 6

જૈવ ઘટકોમાં N2નું વહન: એમોનિયમ, નાઇટ્રેટ કે નાઇટ્રાઇટનું વનસ્પતિઓ શોષણ કરી તેમને એમિનો ઍસિડમાં ફેરવે છે. એમિનો ઍસિડનો ઉપયોગ પ્રોટીન-નિર્માણમાં થાય છે.
N2નો ભૌતિક પર્યાવરણમાં પુનઃપ્રવેશ: જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું મુત્યુ યાય છે ત્યારે મૃતદેહ મૂમિમાં ઉમેરાય છે. ભૂમિમાં રહેલા કેટલાક બૅક્ટરિયા વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રાઈટ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરી ભૂમિમાં પાછા મુક્ત કરાય છે. તેમનો વનસ્પતિ ફરી ઉપયોગ કરી શકે છે.

ડિનાઇટ્રિફિકેશન: કેટલાક (ટ્યુડોમોનાસ) પ્રકારના બૅક્ટરિયા નાઇટ્રાઇટ અને નાઈટ્રેટનું અણુ સ્વરૂપે નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. આમ, નાઇટ્રોજન પુનઃ વાતાવરણમાં પ્રવેશે છે.
આમ, વાતાવરણનો નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપમાંથી ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. તે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાઈ અંતે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 32.
કાર્બનચક્ર પર નોંધ લખો.
અથવા
કાર્બનના ચક્રીય વહનની સમજૂતી આપો.
ઉત્તર:
પૃથ્વી પર કાર્બન ઘણાં વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપે મળી આવે છે.
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડ તરીકે જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારનાં ખનીજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે કાર્બન મળી આવે છે.

સજીવોમાં કાર્બનનું મહત્ત્વઃ બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિઇક ઍસિડ અને વિટામિન છે.
વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ કાર્બોનેટ ક્ષારોનું બનેલું છે.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 7
વાતાવરણના co2નો ઉપયોગ ક્લોરોફિલ ધરાવતા બધા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું લૂકોઝમાં રૂપાંતર કરે છે.
આ લૂકોઝના અણુ અન્ય પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા સજીવોમાં મહત્ત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઊર્જા આપે છે.

વાતાવરણમાં co2નો ઉમેરોઃ જીવંત સજીવોમાં ઊર્જા મેળવવાની શ્વસન પ્રક્રિયામાં લૂકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયામાં
ઑક્સિજનનો ઉપયોગ કરીને કે કર્યા વગર ગ્યુકોઝમાંથી કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયૉક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે.

દહનની ક્રિયા જેમાં રસોઈ માટે, ઉષ્મા મેળવવા માટે, પરિવહન માટે અને ઉદ્યોગોમાં બળતણનો ઉપયોગ થાય છે. તેના દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયૉક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે.
ઔદ્યોગિક ક્રાંતિથી અને મોટા પ્રમાણમાં અશ્મી બળતણના ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે.
આમ, કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ થાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 33.
ગ્રીનહાઉસ એટલે શું? ગ્રીનહાઉસ અસર કોને કહે છે?
ઉત્તર:
ગ્રીનહાઉસ એટલે ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચના – બંધ આવરણો.
ગ્રીનહાઉસ અસર: કેટલાક વાયુઓ (દા. ત., CO2) પૃથ્વીમાંથી ઉખાને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના/વિશ્વના સરેરાશ તાપમાનને વધારે છે. આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.

પ્રશ્ન 34.
ઑક્સિજનચક્ર સમજાવો.
અથવા
નોંધ લખોઃ O2 ચક્ર
ઉત્તર:
સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા તેના ચક્રીયકરણને ઑક્સિજનચક્ર કહે છે.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 8

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 9

O2 નો ઉપયોગ કરતી ક્રિયાઓઃ વાતાવરણનો O2 ત્રણ પ્રક્રિયાઓ-દહનમાં, શ્વસનમાં અને નાઇટ્રોજનના ઑક્સાઇડના નિર્માણમાં વપરાય છે.
શ્વસનની ક્રિયામાં O2 જરૂરી છે. પરંતુ કેટલાક બૅક્ટરિયા માટે તત્ત્વીય ઑક્સિજન ઝેર સમાન છે.
O2 મુક્ત કરતી ક્રિયાઃ હરિતદ્રવ્ય ધરાવતા સજીવો દા. ત., લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા O2 વાતાવરણમાં પાછો મુક્ત કરાય છે.

પ્રશ્ન 35.
ઓઝોન શું છે? ઓઝોન ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભકારક છે તે જણાવો.
ઉત્તર:
વાતાવરણમાં તત્ત્વીય ઑક્સિજન સામાન્ય રીતે ઢિપરમાણ્વીય અણુ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઑક્સિજનના ત્રણ પરમાણુ ધરાવતો અણુ જોવા મળે છે. તેને ઓઝોન અણુ (O3) કહે છે.

ઑક્સિજનના દ્રિપરમાણ્વીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. પરંતુ ઓઝોન પૃથ્વીની સપાટીથી દૂર છે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો(UV – અસ્ટ્રાવાયોલેટ કિરણો)નું શોષણ કરી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે. આ રીતે સજીવો માટે લાભદાયક છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 36.
ટૂંક નોંધ લખો: ઓઝોનસ્તરનું વિઘટન
અથવા
ઓઝોન સ્તરના વિઘટનની સમસ્યા સમજાવો.
ઉત્તર:
ઓઝોન સ્તરનું વિઘટન હાલમાં એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે.
મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારનાં સંયોજનો પૈકી CFC ક્લોરોફ્યુરોકાર્બન વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય છે. CRC ક્લોરિન અને ફ્લોરિનયુક્ત સ્થાયી કાર્બનિક સંયોજન છે. તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. તે ઓઝોનના સ્તરની નજીક પહોંચી ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરી એક પછી એક અણુ દૂર કરે છે. તેના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 10

હાલમાં જાણવા મળ્યું છે કે ઍન્ટાર્કટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો (ગાબડાં) જોવાં મળ્યાં છે. ઓઝોન સ્તરના વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પરના સજીવો પર તેની ખૂબ ગંભીર અસરો જોવા મળે છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
પર્યાવરણના વિવિધ સ્તરોનાં નામ જણાવો.
ઉત્તરઃ
પર્યાવરણના વિવિધ સ્તરો : વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જૈવાવરણ.

પ્રશ્ન 2.
વાયુની અગત્ય જણાવો.
ઉત્તરઃ
વાયુ ઉષ્માનો મંદ વાહક હોવાથી પૃથ્વીના વાતાવરણના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન સ્થિર રાખે છે.

પ્રશ્ન 3.
પવન કેવી રીતે બને છે?
ઉત્તરઃ
પૃથ્વી પર તાપમાન અને દબાણના તફાવતને લીધે પવન (હવાની ગતિ) સર્જાય છે.

પ્રશ્ન 4.
શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલા પ્રમાણમાં હોય છે?
ઉત્તરઃ
શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ 95 – 97 % પ્રમાણમાં હોય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 5.
સજીવોમાં ઑક્સિજનની શું આવશ્યકતા છે?
ઉત્તરઃ
સજીવોમાં યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો માટે ગ્યુકોઝના અણુઓ તોડીને ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઑક્સિજનની આવશ્યકતા છે.

પ્રશ્ન 6.
ચંદ્ર પર તાપમાન કેટલું રહે છે?
ઉત્તર:
ચંદ્ર પર તાપમાન – 190 °C થી 110°Cની વચ્ચે રહે છે.

પ્રશ્ન 7.
ઘણાં દરિયાઈ પ્રાણીઓ તેમનું કવચ કેવી રીતે બનાવે છે?
ઉત્તર:
ઘણાં દરિયાઈ પ્રાણીઓ પાણીમાં ઓગળેલ CO2માંથી કાર્બોનેટ બનાવી, તેના વડે તેમનું કવચ બનાવે છે.

પ્રશ્ન 8.
હવાની બધા પ્રકારની ગતિ શાનું પરિણામ છે?
ઉત્તરઃ
હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે.

પ્રશ્ન 9.
શાનાથી હવા અવરોધાય છે?
ઉત્તરઃ
પૃથ્વીની પરિભ્રમણ ગતિથી અને પવનના માર્ગમાં આવતી પર્વતીય શૃંખલાઓથી હવા અવરોધાય છે.

પ્રશ્ન 10.
વાતાવરણમાં પાણીનાં ટીપાંને જમા કરવા કોણ કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરે છે?
ઉત્તર:
વાતાવરણમાં પાણીનાં ટીપાંને જમા કરવા હવામાં રહેલા ૨ ધૂળના રજકણ અને અન્ય નિલંબિત કણ કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં 5 કાર્ય કરે છે.

પ્રશ્ન 11.
અલાહાબાદથી ઉત્તર તરફ આવતા પવનોની દિશા શાના કારણે બદલાય છે?
ઉત્તરઃ
અલાહાબાદથી ઉત્તર તરફ આવતા પવનોની દિશા હિમાલયના કારણે બદલાય છે.

પ્રશ્ન 12.
પાણીનાં ટીપાં હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં ક્યારે અવક્ષેપિત = થાય છે?
ઉત્તર:
જ્યારે વાતાવરણની હવાનું તાપમાન ખૂબ ઓછું થઈ : જાય છે, ત્યારે પાણીનાં ટીપાં હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં અવક્ષેપિત થાય છે.

પ્રશ્ન 13.
ભારતમાં ભૂમિવિસ્તારમાં મોટા ભાગે વરસાદ શાના – કારણે થાય છે?
ઉત્તર:
ભારતમાં ભૂમિવિસ્તારમાં મોટા ભાગે વરસાદ દક્ષિણપશ્ચિમ કે ઉત્તર-પૂર્વી વરસાદી પવનોને કારણે થાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 14.
હવાના પ્રદૂષણમાં મુખ્યત્વે કયા ઑક્સાઇડનું વધારે પ્રમાણ જવાબદાર છે?
ઉત્તર:
હવાના પ્રદૂષણમાં મુખ્યત્વે નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડનું વધારે પ્રમાણ જવાબદાર છે.

પ્રશ્ન 15.
પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કયા રોગો થવાની સંભાવનાઓ વધે છે?
ઉત્તર:
પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કૅન્સર, હૃદયરોગ, ઍલર્જી જેવા રોગો થવાની સંભાવનાઓ વધે છે.

પ્રશ્ન 16.
વરસાદના પાણીમાં શું ભળવાથી ઍસિડવર્ષા થાય છે?
ઉત્તર:
વરસાદના પાણીમાં હવાઈ પ્રદૂષકો નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઈડ ભળવાથી ઍસિડવર્ષા થાય છે.

પ્રશ્ન 17.
કયો સજીવ હવાઈ પ્રદૂષકના નિર્દેશક તરીકે છે?
ઉત્તર:
લાઇકેન સજીવ (સહજીવી વનસ્પતિ સમૂહ) હવાઈ પ્રદૂષકના નિર્દેશક તરીકે છે.

પ્રશ્ન 18.
જૈવવિવિધતા માટે કયાં પરિબળો મહત્ત્વનાં છે?
ઉત્તર:
જૈવવિવિધતા માટે પાણીની પ્રાપ્યતા, તાપમાન, ભૂમિની પ્રકૃતિ વગેરે પરિબળો મહત્ત્વનાં છે.

પ્રશ્ન 19.
ઊંડા જળાશયમાં સપાટીના અને અંદરના સ્તરના પાણીમાં શો ફરક હોય છે? શા માટે?
ઉત્તરઃ
ઊંડા જળાશયમાં સપાટીના પાણી કરતાં અંદરના સ્તરનું પાણી ઠંડું હોય છે, કારણ કે સપાટીનું પાણી સૂર્ય-ઉષ્મા દ્વારા ગરમ થાય છે.

પ્રશ્ન 20.
પાણીના તાપમાનમાં અચાનક પરિવર્તન પ્રત્યે શું સંવેદનશીલ હોય છે?
ઉત્તરઃ
પાણીના તાપમાનમાં અચાનક પરિવર્તન પ્રત્યે વિવિધ પ્રકારનાં પ્રાણીનાં ઈંડાં અને ડિમ્ભ સંવેદનશીલ હોય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 21.
ભૂમિ-નિર્માણમાં કયાં અજૈવ પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવે છે?
ઉત્તરઃ
ભૂમિ-નિર્માણમાં સૂર્ય, પાણી, પવન જેવાં અજૈવ પરિબળો ૪ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પ્રશ્ન 22.
હ્યુમસ શું છે?
ઉત્તરઃ
હ્યુમસ ભૂમિમાં મળી આવતા સડેલા કે ગળી ગયેલા રે સજીવોના ટુકડા કે સડતા કાર્બનિક પદાર્થો છે.

પ્રશ્ન 23.
ભૂમિ-નિર્માણમાં મૉસ અને મોટાં વૃક્ષોના મૂળની શું ? ભૂમિકા છે?
ઉત્તરઃ
ભૂમિ-નિર્માણમાં મૉસ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટાં વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ તિરાડોને વધારે ને વધારે પહોળી કરે છે.

પ્રશ્ન 24.
ભૂમિની ગુણવત્તા શાના આધારે નક્કી કરવામાં આવે છે?
ઉત્તરઃ
ભૂમિની ગુણવત્તા તેમાં આવેલા હ્યુમસના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે નક્કી કરવામાં આવે છે.

પ્રશ્ન 25.
ભૂમિમાં મળી આવતાં ખનીજ પોષક તત્ત્વો શાના પર નિર્ભર છે?
ઉત્તર:
ભૂમિમાં મળી આવતાં ખનીજ પોષક તત્ત્વો ભૂમિ કયા ? પથ્થરોમાંથી બની છે, તેના પર નિર્ભર છે.

પ્રશ્ન 26.
ઉપરિ-ભૂમિ કોને કહે છે?
ઉત્તરઃ
ભૂમિકણો, હ્યુમસ અને સૂક્ષ્મ જીવો ધરાવતા ભૂમિના ઉપરના સ્તરને ઉપરિ-ભૂમિ કહે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 27.
અળસિયાં શામાં મદદરૂપ છે?
ઉત્તરઃ
અળસિયાં ભૂમિનાં પોષક દ્રવ્યોના પુનઃ ચક્રીયકરણમાં અને હ્યુમસ બનાવવામાં મદદરૂપ છે.

પ્રશ્ન 28.
મોટા પાયે જંગલોના નાશથી શું થાય છે?
ઉત્તરઃ
મોટા પાયે જંગલોના નાશથી જૈવવિવિધતાનો નાશ થાય છે અને ભૂમિનું ધોવાણ થાય છે.

પ્રશ્ન 29.
જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાથી કોનું સ્થળાંતર થાય છે?
ઉત્તર:
જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાથી વિવિધ દ્રવ્યો (પદાર્થો) અને ઊર્જાનું સ્થળાંતર થાય છે.

પ્રશ્ન 30.
નાઈટ્રોજન કયા કયા જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે?
ઉત્તરઃ
નાઇટ્રોજન એ પ્રોટીન, ન્યુક્લિઇક ઍસિડ (DNA અને RNA), કેટલાંક વિટામિન્સ, આલ્કલૉઇડ, યૂરિયા વગેરે જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે.

પ્રશ્ન 31.
મૂળચંડિકા કોને કહે છે?
ઉત્તરઃ
શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટરિયા (રાઇઝોબિયમ) એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે, તેને મૂળચંડિકા કહે છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 32.
ઓઝોનની અગત્ય શું છે?
ઉત્તર:
ઓઝોન સૂર્યમાંથી આવતાં હાનિકારક વિકિરણોને શોષી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે.

પ્રશ્ન 33.
ઓઝોન સ્તરમાં ગાબડાં ક્યાં મળી આવ્યાં છે?
ઉત્તર:
ઍન્ટાર્કટિક ઉપરના ઓઝોનસ્તરમાં ગાબડાં મળી આવ્યાં છે.

નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1 થી 10 શબ્દોની મર્યાદામાં) ઉત્તર આપો:

પ્રશ્ન 1.
પૃથ્વી માટે સૌથી મોટો ઊર્જાસ્રોત કયો છે?
ઉત્તર:
સૌર ઊર્જા

પ્રશ્ન 2.
શિમ્બી કુળની વનસ્પતિઓની મૂળચંડિકાઓમાં કયા બૅક્ટરિયા હોય છે?
ઉત્તર:
નાઇટ્રોજન સ્થાપન કરતા

પ્રશ્ન 3.
રાત્રે સમુદ્રના કાંઠે પવનની ગતિ કઈ તરફ હોય છે?
ઉત્તર:
જમીનથી સમુદ્ર તરફ

પ્રશ્ન 4.
લાઇકેન કઈ રીતે ભૂમિ-નિર્માણમાં મદદ કરે છે?
ઉત્તર:
તેની વૃદ્ધિ દરમિયાન સાવ ખડકોની સપાટીને પાઉડર સ્વરૂપમાં ફેરવી નાખે છે.

પ્રશ્ન 5.
સજીવશરીરની રચના કરતાં બધાં જ કાર્બનિક સંયોજનોના બંધારણનાં મૂળતત્ત્વો કયાં છે?
ઉત્તર:
કાર્બન, હાઈડ્રોજન, ઑક્સિજન

પ્રશ્ન 6.
ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણ કયું છે?
ઉત્તર:
CFC

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 7.
બૅક્ટરિયા કોની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી?
ઉત્તર:
ઑક્સિજન

પ્રશ્ન 8.
ચંદ્રની સપાટી પરનું તાપમાન કેટલું હોય છે?
ઉત્તર:
190°C થી 110°C

પ્રશ્ન 9.
વાતાવરણમાં ઑક્સિજન પાછો મેળવવાની એકમાત્ર ક્રિયા કઈ છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ

પ્રશ્ન 10.
વિશ્વના સરેરાશ તાપમાનનો વધારો દર્શાવતી અસરને શું કહે છે?
ઉત્તર:
ગ્રીનહાઉસ અસર

પ્રશ્ન 11.
કોના વધારે દહનથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું જાય છે?
ઉત્તર:
અશ્મી બળતણ

પ્રશ્ન 12.
ભૂમિમાં જોવા મળતા સડતા કાર્બનિક પદાર્થો શું છે?
ઉત્તર:
હ્યુમસ

પ્રશ્ન 13.
કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોમાં કોના ક્ષાર હોઈ શકે છે?
ઉત્તર:
પારા

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 14.
શિયાળામાં હવાના પ્રદૂષકો સાથે પાણી સંઘનિત થતાં શું સર્જાય છે?
ઉત્તર:
ધુમ્મસ છું

પ્રશ્ન 15.
કયા ગ્રહોના વાતાવરણમાં CO295% થી 97% સુધી હોય છે?
ઉત્તર:
શુક્ર અને મંગળ

ખાલી જગ્યા પૂરો

પ્રશ્ન 1.
શુક્ર અને મંગળના વાતાવરણનો મુખ્ય ઘટક ………………… છે.
ઉત્તર:
કાર્બન ડાયૉક્સાઇડ

પ્રશ્ન 2.
………………… સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકે છે.
ઉત્તર:
વાતાવરણ

પ્રશ્ન 3.
………………… પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે.
ઉત્તર:
વાતાવરણ

પ્રશ્ન 4.
હવા, ભૂમિ અને પાણી ………………… ના કારણે ગરમ થાય છે.
ઉત્તર:
ઉષ્મીય વિકિરણ

પ્રશ્ન 5.
હવામાં રહેલા ધૂળના રજકણ અને બીજા વિલંબિત કણ ………………… ના સ્વરૂપમાં કાર્ય કરે છે.
ઉત્તર:
કેન્દ્રસ્થ કણ

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 6.
સમુદ્રના કિનારે દિવસ દરમિયાન પવનની દિશા ………………… તરફ હોય છે.
ઉત્તર:
સમુદ્રથી જમીન

પ્રશ્ન 7.
સળગ્યા વગરના કાર્બન કણ વિલંબિત કણ તરીકે હોય તેને ………………… કહે છે.
ઉત્તર:
હાઇડ્રોકાર્બન

પ્રશ્ન 8.
લાઇકેન નામના સજીવ ………………… વનસ્પતિ સમૂહ છે.
ઉત્તર:
સહજીવી

પ્રશ્ન 9.
જળાશયોમાં ઉપરની સપાટીના પાણી કરતાં અંદરના સ્તરનું પાણી ………………… હોય છે.
ઉત્તર:
ઠંડું

પ્રશ્ન 10.
વીજળીના ચમકારાના સમયે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજન ………………… માં ફેરવાય છે.
ઉત્તર:
નાઇટ્રોજન ઑક્સાઇડ

પ્રશ્ન 11.
શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટરિયા ………………… નામની વિશિષ્ટ સંરચના બનાવે છે.
ઉત્તર:
મૂળચંડિકા

પ્રશ્ન 12.
ઘણાં પ્રાણીઓના બાહ્ય અને અંતઃકંકાલ ………………… ક્ષારોથી બનતા હોય છે.
ઉત્તર:
કાર્બોનેટ

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 13.
ઓઝોનસ્તરના વિઘટન માટે ………………… જવાબદાર છે.
ઉત્તર:
CFC

પ્રશ્ન 14.
કાર્બનના મૂળભૂત સ્વરૂપ ………………… છે.
ઉત્તર:
હીરો અને ગ્રેફાઇટ

પ્રશ્ન 15.
કાર્બન ડાયૉક્સાઇડના સ્થાપનની મુખ્ય રીત ………………… છે.
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ

પ્રશ્ન 16.
વાતાવરણમાં ધુમ્મસ ………………… તરફ સંકેત કરે છે.
ઉત્તર:
હવાના પ્રદૂષણ

પ્રશ્ન 17.
લાઇકેન હવામાં રહેલ ………………… ના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.
ઉત્તર:
સલ્ફર ડાયોક્સાઇડ

પ્રશ્ન 18.
વનસ્પતિમાં થતી ………………… કિયા જલચક્રમાં ફાળો આપે છે.
ઉત્તર:
ઉસ્વેદન

પ્રશ્ન 19.
………………… નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષક ચક્ર છે.
ઉત્તર:
નાઇટ્રોજનચક્ર

પ્રશ્ન 20.
વાતાવરણમાં એકત્રિત બાષ્પના ………………… થી વરસાદ પડે છે.
ઉત્તર:
સંઘનન

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો

પ્રશ્ન 1.
દરિયાઈ જળને મીઠા જળમાં રૂપાંતરિત કરતું ચક્ર જલચક્ર છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 2.
જીવાવરણ માત્ર જૈવિક ઘટકોથી બનેલું છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 3.
પૃથ્વી પરના જલાવરણમાં ભૂગર્ભીય જળ પણ સમાવેશિત છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 4.
દિવસે પવનની ગતિ જમીનથી દરિયા તરફની હોય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
ધુમ્મસ હવાના પ્રદૂષણનો સંકેત છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
બધા જ સજીવોની જીવંત અવસ્થા માટે શરીરમાં પાણીની માત્રા સંતુલિત રાખવી જરૂરી છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
શુષ્ક અને પથરાળ વિસ્તારમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ વધારે સંખ્યામાં હોય છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 8.
ખેતરોમાં ઉપયોગમાં લેવાતા ખાતરો અને કીટનાશકો પાણીના પ્રદૂષણ માટે કારણભૂત બને છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 9.
ઍસિડવર્ષા માટે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ જવાબદાર છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 10.
મોટાં વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોને વધારે પહોળી કરી, ભૂમિના ક્ષરણને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 11.
વીજળીના ચમકારા વડે સલ્ફરનું નીચા દબાણે તેના ઑક્સાઇડમાં રૂપાંતર થાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 12.
સજીવોમાં એમિનો ઍસિડનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 13.
દહનમાં અશ્મી બળતણના વધારાથી વાતાવરણમાં ઑક્સિજનની ટકાવારીમાં વધારો થયો છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

આકૃતિ – ચાર્ટ આધારિત પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 11
આપેલા ચાર્ટમાં 2 અને 6નાં નામ જણાવો.
ઉત્તર:
a – શ્વસન, b – પ્રકાશસંશ્લેષણ

પ્રશ્ન 2.
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 12
આપેલા ચાર્ટમાં a, b અને c સ્થાને યોગ્ય શબ્દ મૂકો.
ઉત્તર:
a- એમોનિફિકેશન, b – ડિનાઇટ્રિફિકેશન, c- નાઇટ્રિફિકેશન

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

માગ્યા મુજબ ઉત્તર આપો

પ્રશ્ન 1.
ક્લોરિન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજનનું નામ છે અને તેના દ્વારા શામાં ઘટાડો થાય છે?
ઉત્તર:
ક્લોરોફ્યુરોકાર્બન (CFC), ઓઝોન સ્તરમાં

પ્રશ્ન 2.
મને ઓળખો: હું પ્રકાશસંશ્લેષણની નીપજ અને શ્વસનના પ્રક્રિયક તરીકે મહત્ત્વનું કાર્બનિક સંયોજન છું.
ઉત્તર:
ગ્યુકોઝ

પ્રશ્ન 3.
અસંગત જોડ કઈ છે?
(i) મૂળચંડિકા – શિમ્બી કુળ
(ii) હ્યુમસ – સડતા કાર્બનિક પદાર્થો
(iii) લાઇકેન – જળપ્રદૂષણના નિર્દેશક
(iv) ચંદ્ર – તાપમાન – 190 °Cથી 110 °C
ઉત્તરઃ
(iii) લાઈકેન – જળપ્રદૂષણના નિર્દેશક

પ્રશ્ન 4.
ભૂમિ-નિર્માણમાં પાણીની ભૂમિકાનાં પગથિયાંનો સાચો દે ક્રમ જણાવો
a. પાણી પથ્થરોના કણોને તેની સાથે લઈ જાય છે.
b. પાણી મજબૂત પથ્થરોને તોડે છે.
c. પાણીમાં વહેતા પથ્થરો અથડાઈને નાના કણોમાં પરિવર્તિત થાય છે.
d. પથ્થરોની તિરાડોમાં એકત્રિત પાણી તિરાડોને વધારે પહોળી કરે છે.
ઉત્તર:
d → b → c → a

પ્રશ્ન 5.
ભૂમિક્ષરણ માટે આપેલાં પરિબળોમાં કર્યું અસંગત છે? પવન, વનસ્પતિઓ, પાણી, લાઇકેન
ઉત્તર:
વનસ્પતિઓ, લાઈકેન

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે?
A. CO
B. O3
C. O2
D. O4
ઉત્તર:
B. O3

પ્રશ્ન 2.
નાઇટ્રાઇટ અને નાઈટ્રેટની મુક્ત નાઇટ્રોજનમાં ફેરવવાની ક્રિયામાં કોણ અગત્ય ધરાવે છે?
A. બૅક્ટરિયા
B. લાઇકેન
C. મૉસ
D. આપેલ તમામ
ઉત્તર:
A. બૅક્ટરિયા

પ્રશ્ન ૩.
સૂર્યનાં કિરણો ……….
A. જળાશયો કરતાં જમીનને વધુ ઝડપથી ગરમ કરે છે.
B. જળાશયો કરતાં જમીનને ધીમી ગતિથી ગરમ કરે છે.
C. જળાશયો અને જમીન બંનેને સરખા પ્રમાણમાં ગરમ કરે છે.
D. જમીન અથવા પાણી બંનેમાં કોઈને પણ ગરમ કરતાં નથી.
ઉત્તર:
A. જળાશયો કરતાં જમીનને વધુ ઝડપથી ગરમ કરે છે.

પ્રશ્ન 4.
ગ્રીનહાઉસ કોના સાથે સંબંધિત છે?
A. ધાબા બાગકામ
B. વૈશ્વિક તાપમાનના વધારા
C. રસોડા બાગકામ
D. સુપોષકતારણ
ઉત્તર:
B. વૈશ્વિક તાપમાનના વધારા

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 5.
નીચે પૈકીનો કયો વાયુ વૈશ્વિક તાપમાનના વધારામાં મુખ્ય ભાગ ભજવે છે?
A. કાર્બન મોનૉક્સાઇડ
B. નાઇટ્રસ ઑક્સાઇડ
C. કાર્બન ડાયૉક્સાઇડ
D. સલ્ફર ડાયૉક્સાઈડ
ઉત્તર:
C. કાર્બન ડાયૉક્સાઇડ

પ્રશ્ન 6.
વાતાવરણમાં ઓઝોનનું પડ શું અગત્ય ધરાવે છે?
A. સૂર્યનાં હાનિકારક વિકિરણોનું શોષણ
B. પૃથ્વીના તાપમાનનું નિયમન
C. પૃથ્વી પરથી પરાવર્તિત ઉખાનું શોષણ
D. વાતાવરણમાં 02ના પ્રમાણની જાળવણી
ઉત્તર:
A. સૂર્યનાં હાનિકારક વિકિરણોનું શોષણ

પ્રશ્ન 7.
વાયુની ગતિ શેના તફાવતને લીધે હોય છે?
A. તાપમાન
B. વરસાદ
C. ભેજ
D. પવન
ઉત્તર:
A. તાપમાન

પ્રશ્ન 8.
વાતાવરણમાં CO2નું નિયંત્રણ કઈ દેહધાર્મિક ક્રિયા કરે છે?
A. શ્વસન
B. પ્રકાશસંશ્લેષણ
C. ઉત્સર્જન
D. દહન
ઉત્તર:
B. પ્રકાશસંશ્લેષણ

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 9.
ભૂમિ-નિર્માણમાં કયો જૈવ ઘટક સંકળાયેલો છે?
A. બૅક્ટરિયા
B. લીલ
C. લાઈકેન
D. પ્રજીવા
ઉત્તર:
C. લાઈકેન

પ્રશ્ન 10.
શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન નથી, કારણ કે ત્યાંના વાતાવરણનો મુખ્ય ઘટક …………… છે.
A. ઑક્સિજન
B. કાર્બન ડાયૉક્સાઇડ
C. નાઇટ્રોજન
D. ઓઝોન
ઉત્તર:
B. કાર્બન ડાયૉક્સાઇડ

પ્રશ્ન 11.
હવા એ શાનું મિશ્રણ છે?
A. નાઇટ્રોજન, ઑક્સિજન, મિથેન, કાર્બન ડાયૉક્સાઇડ
B. નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ, પાણીની બાષ્પ
C. નાઇટ્રોજન, કાર્બન ડાયૉક્સાઇડ, મિથેન, ઓઝોન
D. નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન મોનૉક્સાઇડ, પાણીની બાષ્પ
ઉત્તર:
B. નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ, પાણીની બાષ્પ

પ્રશ્ન 12.
લાઇકેન વાતાવરણમાં કોના સ્તર પ્રત્યે વધુ સંવેદનશીલ છે?
A. કાર્બન ડાયૉક્સાઇડ
B. ઓઝોન
C. નાઇટ્રિક ઍસિડ
D. સલ્ફર ડાયૉક્સાઇડ
ઉત્તર:
D. સલ્ફર ડાયૉક્સાઇડ

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 13.
ભૂમિ-નિર્માણનો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. પથ્થરો
B. બરફ આચ્છાદિત પહાડ
C. નદીકિનારો
D. દરિયાકિનારો
ઉત્તર:
A. પથ્થરો

પ્રશ્ન 14.
નીચેના પૈકી કયો રોગ પ્રદૂષિત પાણીથી થાય છે?
A. ક્ષય
B. કૉલેરા
c. સિફિલિસ
D. આપેલ તમામ
ઉત્તર:
B. કૉલેરા

પ્રશ્ન 15.
ભૂમિનું ક્ષરણ કોના દ્વારા થાય છે?
A. તીવ્ર પવનો
B. ભારે વરસાદ
C. A અને B
D. વનસ્પતિનાં મૂળ
ઉત્તર:
C. A અને B

પ્રશ્ન 16.
ઓઝોન સ્તરમાં છિદ્રો ક્યાં મળી આવ્યાં છે?
A. વિષુવવૃત્ત
B. કર્કવૃત્ત
C. મકરવૃત્ત
D. ઍન્ટાર્કટિકા
ઉત્તર:
D. ઍન્ટાર્કટિકા

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 17.
એમિનો ઍસિડનો ઉપયોગ કરી કોનું નિર્માણ કરવામાં આવે છે?
A. પ્રોટીન
B. લિપિડ .
C. કાબોદિત
D. ન્યુક્લિઇક ઍસિડ
ઉત્તર:
A. પ્રોટીન

પ્રશ્ન 18.
વૈશ્વિક તાપમાનમાં વધારા માટે શું જવાબદાર છે?
A. ઓઝોનસ્તરનું વિઘટન .
B. ગ્રીનહાઉસ અસર
C. ઍસિડવર્ષા
D. વીજળીના ચમકારા
ઉત્તર:
B. ગ્રીનહાઉસ અસર

પ્રશ્ન 19.
ભૂમિ-નિર્માણ સંદર્ભે સાચી જોડ પસંદ કરો:
A. સૂર્ય-ઉષ્મા → પથ્થરોનું ભૂમિકણોમાં રૂપાંતર
B. પવન → પથ્થરોની તિરાડો પહોળી કરે
C. પાણી → પથ્થરોનું સંકોચન અને વિસ્તરણ પ્રેરે
D. લાઈકેન → પથ્થરોની સપાટી નાના કણોમાં ફેરવે
ઉત્તર:
D. લાઈકેન → પથ્થરોની સપાટી નાના કણોમાં ફેરવે

પ્રશ્ન 20.
હ્યુમસ બનાવવામાં મદદરૂપ કોણ છે?
A. લાઈકેન
B. મૉસ
C. અળસિયાં
D. આપેલ તમામ
ઉત્તર:
C. અળસિયાં

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 21.
વાતાવરણના ઑક્સિજનનો ઉપયોગ કઈ પ્રક્રિયામાં થાય છે?
A. શ્વસન
B. દહન
C. નાઇટ્રોજન ઑક્સાઈડના નિર્માણ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 22.
કેટલાક નાઇટ્રોજન સ્થાપક બૅક્ટરિયા કોની હાજરીમાં નાઈટ્રોજન સ્થાપનની ક્રિયા કરતા નથી?
A. ઑક્સિજન
B. કાર્બન ડાયૉક્સાઈડ
C. પાણી
D. હ્યુમસ
ઉત્તર:
A. ઑક્સિજન

પ્રશ્ન 23.
એમોનિયાનું નાઇટ્રાઇટ અને નાઈટ્રેટમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
A. એમોનિફિકેશન
B. નાઇટ્રિફિકેશન
C. નાઈટ્રોજન સ્થાપન
D. ડિનાઇટ્રિફિકેશન
ઉત્તર:
B. નાઇટ્રિફિકેશન

પ્રશ્ન 24.
ડિનાઇટ્રિફિકેશન ક્રિયામાં શું થાય છે?
A. નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર
B. નાઇટ્રોજનનું નાઈટ્રિક ઍસિડમાં રૂપાંતર
C. નાઈટ્રેટનું મુક્ત નાઇટ્રોજનમાં રૂપાંતર
D. એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર
ઉત્તર:
C. નાઈટ્રેટનું મુક્ત નાઇટ્રોજનમાં રૂપાંતર

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 25.
હવાની ગતિ ……
A. ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે.
B. નીચા દબાણવાળા વિસ્તારથી ઊંચા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે.
C. ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા તાપમાનવાળા વિસ્તાર તરફ થાય છે.
D. નીચા તાપમાનવાળા વિસ્તારથી ઊંચા દબાણવાળા વિસ્તાર તરફ થાય છે.
ઉત્તરઃ
A. ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે.

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
તમારી શાળા છૂટવાના સમયે તમારી શાળાના મેદાનમાં પાર્ક થયેલી કારના વિન્ડો ગ્લાસ બંધ છે અને તમે તેમાં સૂતેલું બાળક જોયું. કારની આજુબાજુ તેનાં માતાપિતા દેખાતાં નથી. તમે આ સ્થિતિમાં તાત્કાલિક શું નિર્ણય લેશો?
(a) ખુલ્લામાં કારના બધા વિન્ડોગ્લાસ બંધ કરી કાર પાર્ક કરવાથી શું થશે?
(b) બંધ વિન્ડો ગ્લાસ ધરાવતી કારમાં સૂતેલું બાળક શા માટે સલામત નથી?
(c) આ સ્થિતિને તમે શાની સાથે સરખાવશો?
ઉત્તર:
આ સ્થિતિમાં શાળાના પટાવાળા કે મેદાનમાં વ્યાયામ શિક્ષક જે પણ મળે તેમને જાણ કરી, કારના દરવાજા તાત્કાલિક ખોલાવીશ.
(a) ખુલ્લામાં કારના બધા વિન્ડોગ્લાસ બંધ કરી કાર પાર્ક કરવાથી અંદરનું તાપમાન વધી જશે.
(b) બંધ વિન્ડો ગ્લાસ ધરાવતી કારમાં સૂતેલું બાળક સલામત નથી, કારણ કે અંદરના ઉષ્ણ તાપમાનને કારણે બાળકને ખૂબ પરસેવો વળે છે અને શરીરમાં પાણીનું સમતોલન ગુમાવી શકે છે.
(c) આ સ્થિતિને ગ્રીનહાઉસ અસર સાથે સરખાવી શકાય.

પ્રશ્ન 2.
ઉનાળામાં આપણા રાજ્યમાં પાણીની કટોકટી સર્જાઈ છે. રાજ્યની ઘણી નદીઓના સૂકાપટનાં ચિત્રો સમાચારપત્રોમાં આવે છે. તમારી શાળાએ “પાણી બચાવો” કાર્યક્રમ હેઠળ શાળાના વાલીઓની ચર્ચાપરિષદ યોજી છે. તમે આ ચર્ચાપરિષદમાં હાજરી આપી છે. તમે મેળવેલી જાણકારીના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો?
(a) પાણી બચાવવા માટે વ્યક્તિગત રીતે ક્યા ઉપાય હાથ ધરશો?
ઉત્તરઃ
વ્યક્તિગત રીતે પાણી બચાવવા શાવર(ફુવારા)ને બદલે ડોલ(બાલદી)માં પાણી લઈ નહાવા માટે ઉપયોગ કરીશું અને બ્રશ કરતી વખતે નળ બંધ રાખીશું.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

(b) તમારા ઘરે પાણી બચાવવા શું ઉપાય સૂચવશો?
ઉત્તરઃ
ઘરે પાણી બચાવવા માટે વાહનોની સફાઈ માટે પાણી ડોલમાં લઈશું. કપડાં-વાસણની સફાઈ માટે શક્ય એટલા ઓછા પાણીનો ઉપયોગ કરીશું.

(c) પાણી બચાવવું કેમ આવશ્યક છે?
ઉત્તરઃ
પૃથ્વી પર મોટા ભાગનું પાણી સમુદ્રમાં ખારા પાણી તરીકે છે. મીઠા પાણીનો જથ્થો ખૂબ ઓછો છે અને તે માટેનો આધાર વરસાદ છે. વરસાદ ઓછો થાય કે લંબાય તે સ્થિતિમાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે પાણી બચાવવું આવશ્યક છે.

પ્રશ્ન 3.
તમારા સંબંધી ઓઢવના ઔદ્યોગિક વિસ્તારની નજીક રહે છે. તેમને વારંવાર સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ રહે છે. તમે તેમને ઉદ્દભવતા નીચેના પ્રશ્નોના શું ઉત્તર આપશો?
(a) રહેઠાણ વિસ્તારમાં વારંવાર ધૂંધળું વાતાવરણ શા માટે થઈ જાય છે?
ઉત્તરઃ
રહેઠાણ વિસ્તારમાં હવાના પ્રદૂષણને કારણે ધુમાડા અને નિલંબિત કણોને કારણે વાતાવરણ વારંવાર ધૂંધળું થઈ જાય છે.

(b) આ વિસ્તારમાં લાંબો સમય રહેવાથી કઈ સ્વાથ્ય સમસ્યાઓ ઉદ્ભવવાની શક્યતા છે?
ઉત્તરઃ
આ વિસ્તારમાં લાંબો સમય રહેવાથી શ્વાસસંબંધી રોગો. હૃદયરોગ, ઍલર્જી જેવી સ્વાથ્ય સમસ્યાઓ ઉદ્ભવવાની શક્યતાઓ છે.

(c) ચોમાસામાં વરસાદના પાણીમાં પલળતાં ચામડી પર બળતરા શા માટે થાય છે?
ઉત્તરઃ
હવામાં સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઈડ્ઝ વરસાદના પાણી સાથે ઍસિડ બનાવે છે. આથી ચોમાસામાં વરસાદના ઍસિયુક્ત ર પાણીમાં પલળતાં ચામડી પર બળતરા થાય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 4.
તમારા રહેઠાણ વિસ્તારના બગીચામાં તમને ચોમાસામાં અને તે પછી થોડો સમય વૃક્ષોની શાખાઓની છાલ પર લીલા અને સફેદ રંગના સ્તર જોવા મળે છે. પરંતુ તમને દિવાળીના તહેવારના થોડા દિવસ પછી આ સ્તર જોવા મળતા નથી. તમારા અભ્યાસ આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
(a) વૃક્ષોની શાખાઓની છાલ પર લીલા અને સફેદ સ્તર શું છે?
ઉત્તરઃ
વૃક્ષોની શાખાઓની છાલ પર લીલા અને સફેદ – સ્તર લાઈકેન છે.

(b) દિવાળીના તહેવાર પછી આ સ્તર શા માટે જોવા મળતા નથી?
ઉત્તરઃ
દિવાળીના તહેવાર દરમિયાન દારૂખાનું ફૂટતાં તેમાંથી સલ્ફર ડાયૉક્સાઇડ પ્રદૂષણ તરીકે વાતાવરણમાં ઉમેરાય છે. લાઈકેન સલ્ફર ડાયૉક્સાઇડના સ્તર પ્રત્યે સંવેદનશીલ હોવાથી નષ્ટ પામે છે. આથી તહેવારો પછી આ સ્તર જોવા મળતા નથી.

(c) આ સ્થિતિમાં હવાની ગુણવત્તા વિશે શું કહેશો?
ઉત્તરઃ
આ સ્થિતિમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે અને તેનો શ્વાસમાં ઉપયોગ કરતાં શ્વાસસંબંધી સમસ્યાઓ સર્જાય છે.

પ્રાયોગિક કૌશલ્ય આધારિત પ્રશ્નોત્તર
Pratical Skill based Questions and Answers

કાંકરિયા તળાવ, ચંડોળા તળાવ, તમારા ઘરના નળ, ઘરના ઍક્વાગાર્ડમાં, ઘરમાંથી બહાર જતી ગટરના પાણીના નમૂના એકત્ર કરો. તમારા વિષયશિક્ષક દ્વારા આ દરેક નમૂનામાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ નક્કી કરો.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
(a) પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન સાથે પાણીની શુદ્ધતાને શો સંબંધ છે?
ઉત્તરઃ
પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન જેટલો વધારે તેટલું પાણી વધારે શુદ્ધ ગણાય.

(b) તમે એકત્ર કરેલા નમૂનામાં સૌથી વધુ પ્રદૂષિત પાણી કયું છે?
ઉત્તરઃ
ચંડોળા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત છે. તેના પાણીના નમૂનામાં દ્રાવ્ય ઑક્સિજન નથી.

(c) શહેરની ગટરોના પાણી તળાવમાં મુક્ત કરતાં શું થાય?
ઉત્તરઃ
શહેરની ગટરોના પાણી તળાવમાં મુક્ત કરતાં તળાવના પાણી પ્રદૂષિત થાય છે. તેમાં દ્રાવ્ય ઑક્સિજન ઘટતાં તેમાં વસતા જલીય સજીવોનું અસ્તિત્વ જોખમાય છે.

(d) શું તમે બજારમાં મળતા પાણીના પાઉચ કે પાણીની બંધ બૉટલનું પાણી ઉપયોગમાં લેવાનું યોગ્ય માનો છો?
ઉત્તરઃ
ના, આ પાણીની શુદ્ધતાની ખાતરી નથી. તેમાં ઘણી વખત ૩ જોખમકારક પ્લાસ્ટિક ભળેલું હોય છે.

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

Memory Map

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 13

GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો
GSEB Class 9 Science Important Questions Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 14

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *