GSEB Class 7 Science Notes Chapter 2 પ્રાણીઓમાં પોષણ

This GSEB Class 7 Science Notes Chapter 2 પ્રાણીઓમાં પોષણ covers all the important topics and concepts as mentioned in the chapter.

પ્રાણીઓમાં પોષણ Class 7 GSEB Notes

→ પ્રાણી પોષણમાં પોષકતત્ત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને શરીરમાં તેનો વપરાશ વગેરેનો સમાવેશ થાય છે.

→ કાર્બોદિત, ચરબી, પ્રોટીન જેવા ખોરાકના ઘટકો જટિલ હોય છે. આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાતાં નથી. તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે.

→ ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે.

→ ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ ચાવીને, ગળીને, ચૂસીને, નળી જેવાં મુખાંગો દ્વારા પકડીને.

GSEB Class 7 Science Notes Chapter 2 પ્રાણીઓમાં પોષણ

→ મનુષ્યમાં પાચનતંત્ર એ પાચનનળી અને સ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે છે. પાચનમાર્ગ મુખગુદાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છેઃ

  • મુખગુહા (Buccal cavity)
  • અનનળી (Oesophagus)
  • જઠર (Stomach)
  • નાનું આંતરડું Small intestine)
  • મોટું આંતરડું (Large intestine)
  • મળાશય અને મળદ્વાર.

→ લાળગ્રંથિ (Salivary glands), યકૃત (Liver) અને સ્વાદુપિંડ (Pancreas) પાચન ગ્રંથિઓ છે, જે અનુક્રમે લાળરસ, પિત્તરસ અને સ્વાદુરસ નામના પાચકરસોનો સ્ત્રાવ કરે છે.

→ જઠરની અને નાના આંતરડાની અંદરની દીવાલમાંથી અનુક્રમે જઠરરસ અને આંત્રરસ નામના પાચકરસોનો સ્ત્રાવ થાય છે.

→ પોષણ તે જટિલ પ્રક્રિયા છે. તેના તબક્કા પાંચ છે :

  • અંતઃગ્રહણ
  • પાચન
  • શોષણ
  • સ્વાંગીકરણ (પરિપાચન)
  • મળોત્સર્જન.

→ મનુષ્યમાં મુખગુહામાં કાબોદિતનું અંશતઃ પાચન, જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન અને નાના આંતરડામાં કાબોદિત, ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય છે.

→ પાચનને અંતે કાબૉદિતનું લૂકોઝમાં, ચરબીનું ફેટિ ઍસિડ અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું એમિનો ઍસિડમાં રૂપાંતર થાય છે.

→ ઘાસ ખાતાં પ્રાણીઓ ઘાસ ઝડપથી ખાઈ ગળી જાય છે અને આમાશય(Rumen)માં સંગ્રહ કરે છે. નવરાશના સમયે તે ખોરાકને આમાશયમાંથી ફરી મોંમાં લાવી ચાવે છે. આને “વાગોળવું’ કહે છે.

GSEB Class 7 Science Notes Chapter 2 પ્રાણીઓમાં પોષણ

→ અમીબા એકકોષી સૂક્ષ્મ જીવ છે. તે ખોટા પગ (Pseudopodia) દ્વારા સૂક્ષ્મ કણ જેવો ખોરાક ગ્રહણ કરે છે. અન્નધાનીમાં તેનું પાચન થાય છે. અપાચિત દ્રવ્યોનો શરીરમાંથી બહાર નિકાલ થાય છે.

→ તારામાછલી કૅલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગે છે. તે પ્રાણીના કવચને ખોલીને તેમાંના નરમ પ્રાણીને ખાય છે. આ માટે તે પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢે છે અને પ્રાણીને ખાઈ જઠર શરીરમાં પાછું લઈ જાય છે. આ રીતે તારામાછલી ખોરાક અંતઃગ્રહણ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *