GSEB Class 10 Social Science Notes Chapter 11 ભારત : જળ સંસાધન

   

This GSEB Class 10 Social Science Notes Chapter 11 ભારત : જળ સંસાધન covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારત : જળ સંસાધન Class 10 GSEB Notes

→ “જળ છે તો જીવન છે.” જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે. તમામ જીવોના આધારે જળ જ છે. દરેક દેશની સમૃદ્ધિનો આધાર ખેતી અને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા જળ પર જ છે.

→ વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યો માટે જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તેનાથી જળની અછત સર્જાતી જાય છે. જળ એ મર્યાદિત સંસાધન છે, તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.

→ જળસ્ત્રોત : જળ સોતોના મુખ્ય ત્રણ પ્રકાર છે :

  • વૃષ્ટીય જળ
  • પૃષ્ઠીય જળ અને
  • ભૂમિગત જળ,

→ વૃષ્ટીય જળ: “વૃષ્ટિ’ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે, નદીઓ, સરોવરો, ઝરણાં, કૂવા, માનવનિર્મિત જળાશયો વગેરે વૃષ્ટિને આભારી છે.

→ પૃષ્ઠીય જળ : તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરલાં અને બંધથી બનેલાં જળાશયોમાં જોવા મળે છે, નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સોત છે.

GSEB Class 10 Social Science Notes Chapter 11 ભારત : જળ સંસાધન

→ ભૂમિગત જળ : જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. તેનો જથ્થો અમર્યાદિત છે. ભારતના ભૂમિગત જળનો મોટો ભાગ મેદાની વિસ્તારોમાં જમા થયેલો જોવા મળે છે. તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

→ જળ સંસાધનો અને તેમનો ઉપયોગ : ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો “રૅન્ડ નિકટ’ (ભવ્ય બંધ) અને ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેર તેનાં ઉઘહરણો છે. આજે ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે વપરાય છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ પર થવા પૂરો સંભવ છે.

→ ભારતમાં સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છે, તેમાં

  • કૂવા અને ટયુબવેલ મુખ્ય માધ્યમો છે, જ્યારે
  • નહેરો અને
  • તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

→ નહેરોનો મહત્તમ વિકાસ સમતલ મેદાની વિસ્તારોમાં થયો છે. આ મેદાનોમાં પુષ્કળ કૂવા અને ટયૂબવેલ પણ છે, તળાવો દ્વારા મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં સિંચાઈ થાય છે.

→ બહુહેતુક યોજનાઓ નદીઓ પર બંધ બાંધી મૌર્ય જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂર-નિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક જળપરિવહન, મસ્યઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. સ્વતંત્રતા બાદ ભારતમાં અનેક નદીઓ પર બહુહેતુક યોજનાઓ કરવામાં આવી છે.

→ સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ : ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘડ્યો તફાવત છે. આઝાદી પછી ભારતમાં કુલ સિંચાઈક્ષેત્ર ચાર ગણું વધ્યું છે, ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38 % ભાગમાં સિંચાઈ થાય છે.

→ ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. મિઝરમમાં તેનું પ્રમાણ માત્ર 7.3%, તો પંજાબમાં 90.8% છે. નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

→ જળસંકટ: પાણીની તંગી માનવીની સુખાકારી, આજીવિકા અને તેના આર્થિક વિકાસ પર મોટી અસર કરે છે. દેશનાં શુષ્ક ક્ષેત્રોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે. આજે પણ દેશનાં 8% શહેરમાં પીવાલાયક પાણી મળતું નથી. દેશનાં લગભગ 50 % ગામડાંઓમાં પણ આ જ હાલત છે. દેશમાં સિંચાઈની સગવડો વધવા છતાં આજે પણ દેશનું કૃષિક્ષેત્ર માત્ર વરસાદ પર નભે છે. કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુ પડતું પાન્ની ખેંચાવાથી ભૂમિગત જળસપાટી નીચી ગઈ છે. તેનાથી કેટલાંક રાજ્યોમાં વિકાસ કાર્યક્રમોને અસર પહોંચી છે. વિવિધ ઉપયોગો માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ કથળી છે. પાણીના પ્રદૂષણ માટે ઘરગથ્થુ અને ઔદ્યોગિક કચરાથી મલિન થયેલું પાણી જવાબદાર છે.

→ જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન : જળ સંસાધનના સંરક્ષણ માટે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ, વધુમાં વધુ જળાશયોનું નિમણ, વધારાના જળનું એક નદી ખીજ્ઞવિસ્તારમાંથી બીજા નદી ખીણવિસ્તારમાં સ્થળાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે.

GSEB Class 10 Social Science Notes Chapter 11 ભારત : જળ સંસાધન

→ જળ-સંરક્ષણ ક્ષેત્રે જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય” જરૂરી છે.

→ જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એક નદીમાં તેની આસપાસના જેટલા વિસ્તારનું વરસાદનું પાણી આવે છે, તે વિસ્તારને તે નદીનું “જળપ્લાવિત ક્ષેત્ર” કે “ખીણ-ક્ષેત્ર’ કહે છે.

→ વૃષ્ટિજળ સંચયઃ કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેમાં વરસાદનું પાણી એકઠું કરવાની પ્રવૃત્તિને “વૃષ્ટિજળ સંચયકહે છે. તેનાથી જળ-સંચય થાય છે અને ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે.

→ વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા, મકાનોની છતનું પાણી એકઠું કરવા મકાનના પરિસરમાં વરસાદી ટાંકા બનાવવા વગેરે જરૂરી છે.

→ યોગ્ય જળવ્યવસ્થાપન માટે લોકોમાં જાગરૂકતા લાવવી, જળાશયોનું પ્રદૂષણ અટકાવવું, શુદ્ધ કરેલા પાણીનો ખોટો ઉપયોગ થતો અટકાવવો, પાણીની કરકસર કરવી, પાણી-પુરવઠાની પાઇપલાઈનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને સુકાવા ન દેવી તથા તેમાં ભંગાણ પડ્યું તેનું તાત્કાલિક સમારકામ કરી તેમાંથી પાણી વહી જતું અટકાવવું વગેરે બાબતો ઘણી મહત્ત્વની છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *