GSEB Class 10 Social Science Notes Chapter 10 ભારત : કૃષિ

   

This GSEB Class 10 Social Science Notes Chapter 10 ભારત : કૃષિ covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારત : કૃષિ Class 10 GSEB Notes

→ ખેતી ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. ભારતની શ્રમશક્તિના લગભગ 60 % જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો લગભગ 22 % જેટલો છે. ભારતની નિકાસમાં કૃષિ-પદ્યશોનો હિસ્સો લગભગ 18 % જેટલો છે.

→ ભારતમાં કૃષિ માટે વિશાળ ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી આબોહવા, મહેનતુ ખેડૂતો વગેરે હોવા છતાં સિંચાઈની અપૂરતી સગવડો, ગરીબ અને અભણ ખેડૂતો, વસ્તીવધારો, નાનાં કદનાં ખેતરો, રાસાયલિક ખાતરો અને સુધારેલાં બિયારબ્બો તથા આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ શિક્ષિત વર્ગનો કૃષિ પ્રત્યે રસનો અભાવ, સમાજમાં ખેતીનો કહેવાતો ઊતરતો દરજજો વગેરે કારણોને લીધે ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી.

→ ભારતમાં ખેતીના છ મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:

  • જીવનનિર્વાહ ખેતી
  • સૂકી ખેતી
  • આર્ટ્સ ખેતી
  • સ્થળાંતરિત (ઝૂમ) ખેતી
  • બાગાયતી ખેતી તથા
  • સધન ખેતી.

→ કૃષિ-પદ્ધતિઓ : ભારતનો ખેડૂત ખેત-ઉત્પાદનમાં વધારો કરવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વધુ પ્રચલિત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

→ સજીવ ખેતી : જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારનાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેને સજીવ ખેતી કહે છે.

GSEB Class 10 Social Science Notes Chapter 10 ભારત : કૃષિ

→ ટકાઉ ખેતી: આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ-સંરક્ષણ વગેરે બાબતોની ખૂબ કાળજી રાખવામાં આવે છે.

→ મિશ્ર ખેતી નાના ખેડૂતો આવની પૂર્તિ માટે ખેતી સાથે પશુપાલન, મરઘા-બતકાંઉછેર, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર વગેરે પ્રવૃત્તિઓ કરે છે. તેને ‘મિશ્ર ખેતી’ કહે છે.

→ ભારતમાં જમીન અને આબોહવામાં વિવિધતા હોવાથી કૃષિપાકોમાં પણ વૈવિધ્ય છે. ભારતમાં

  • (1) ગંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે ધાન્ય પાકો;
  • મગ, ચણા, તુવેર, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠેળ;
  • મગફળી, સરસવ, તલ, નાળિયેર, એરંડા વગેરે તેલીબિયાં;
  • ચા-કૉફી, કોકો જેવાં પીણાં;
  • કપાસ, શેરી, શ, તમાકુ, રબર જેવા રોકડિયા પાક અને
  • ફળો, શાકભાજી, ફૂલો, મરી-મસાલા અને ઔષધીય પાકો વગેરે અન્ય પાકો થાય છે.

→ પાકને તેમની ઋતુઓ પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચી શકાય ? ખરીફ (ચોમાસુ) પાક, રવી (શિયાળુ) પાક અને જાયદ (ઉનાળુ) પોકે, ખરીફ પાક: તે ચોમાસામાં લેવામાં આવે છે. ઉદા., ડાંગર, જુવાર, બાજરી, કપાસ, રવી પાક: તે શિયાળામાં લેવામાં આવે છે. ઉદા., ઘઉં, જવ, ચણો, સરસવ. જાયદ પાક : તે ઉનાળામાં લેવાય છે. ઉદા., વિવિધ શાકભાજી, કાકડી, તરબૂચ.

→ ભારતમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે ધાન્ય પાકો 75 % વાવેતર વિસ્તાર રોકે છે અને કુલ કૃષિ-ઉત્પાદનના 50 % આપે છે.

→ કઠોળ : ભારતનાં ભોય ભાગનાં રાજ્યોમાં જુદાં જુદાં કમૅળના પાક ઉગાડાય છે. ભારતમાં ચણા, મગ, મઠ, અડદ, તુવેર, મસૂર, વાલ, વટાણા વગેરે કઠોળ પાકે છે. અડદ અને મગ ખરીફ પાક છે, જ્યારે મસૂર અને ચત્તા રવી પાક છે.

→ ભારતમાં મગફળી, સરસવ, તલ, એરંડો, સોયાબીન વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે. ખાદ્ય તેલ તરીકે મગફળી, સરસવ અને કોપરાના તેલનો ઉપયોગ વિશેષ થાય છે. હાલમાં કપાસિયા અને સૂર્યમુખીના તેલનો ઉપયોગ વધતો જાય છે.

→ બધાં તેલીબિયામાં મગફળીનું મહત્ત્વ સૌથી વધુ છે, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં મગફળી વધુ પાકે છે. સૌરાષ્ટ્રમાં તેનું ઉત્પાદન થાય છે.

→ સરસવનો પાક ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, અસમ અને બિહારમાં વધુ થાય છે.

→ નાળિયૂરનો પાક કેરલ, કર્ણાટક, તમિલનાડુ અને અંદમાન નિકોબારમાં સારો થાય છે.

→ તલના પાકનો આધાર વરસાદ પર છે. તે ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે તથા દક્ષિણ ભારતમાં રવી પાકની ત્રાજુમાં ઉગાડવામાં આવે છે. તે ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં વધુ થાય છે.

→ એરંડો ખરીફ તેમજ રવી પાક છે. વિશ્વના કુલ ઉત્પાદનનો 64 % હિસ્સો ભારત ઉગાડે છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તે વધુ પાકે છે.

GSEB Class 10 Social Science Notes Chapter 10 ભારત : કૃષિ

→ ચા : તે અસમ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વધુ પાકે છે. ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરતું રાષ્ટ્ર છે.

→ કોંદી તે કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં વધુ થાય છે. કર્ણાટકનો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે પ્રખ્યાત છે,

→ કોક કોકો વૃક્ષનાં બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. તે પેય પદાર્થ છે. આફ્રિકાના દેશોમાં કોકોનું ઉત્પાદન થાય છે.

→ ક્યાસ : ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને હરિયાણામાં કપાસ સારો પાકે છે. કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ભારતનું સ્થાન બીજે છે.

→ શેરડી : ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં શેરડી વધુ પાકે છે. ગુજરાતમાં તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ થાય છે, શેરડીમાંથી ગોળ, ખાંડ અને ખાંડસરી બને છે, ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે.

→ શણ: ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં થાય છે.

→ તમાકુ તે ખરીફ પાક છે. ભારતમાં આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં તમાકુ વધુ પાકે છે. ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ તમાકુના ઊંચા . ઉત્પાદનના કારણે ‘સોનેરી પાનનો મુલક’ કહેવાય છે. તમાકુનું સેવન સ્વાથ્ય માટે નુકસાનકારક છે.

→ રબર તેનું ઉત્પાદન કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં થાય છે. તેના ઉત્પાદનમાં મલેશિયા વિશ્વમાં પ્રથમ સ્થાને છે.

→ ભારતમાં કેળાં, કેરી, સફરજન, દ્રાક્ષ, સંતરાં વગેરે ફળોની ખેતી થાય છે. કેળાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં, સફરજન જમ્મુકશ્મીર, લડાખ અને હિમાચલ પ્રદેશમાં, દ્રાક્ષ મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં વિશેષ થાય છે. દેશભરમાં વિવિધ પ્રકારનાં શાકપાન અને ગુલાબ, મોગરો, જુઈ, એસ્ટર જેવાં ફૂલોની ખેતી થાય છે. આ ઉપરાંત તજ, મરી, ઇલાયચી જેવા તેજાના અને ધાણા, જીરું, હળદર, મરચાં જેવા મસાલાઓની પણ ખેતી થાય છે.

→ ટેનિકલ સુધારા : આઝાદી પછી ભારતમાં કૃષિક્ષેત્રે ઘડ્યા સુધારા થયા છે. ખેતીમાં હવે પાણીના પંપ, ટ્રેક્ટર, ટ્રેઇલર, થ્રેશર જેવાં યાંત્રિક સાધનો વપરાવા લાગ્યાં છે. સિંચાઈની સગવડો વધી છે. ખેડૂતો સુધારેલાં બિયારણો, રાસાયણિક ખાતરો અને બાયોફર્ટિલાઇઝર વાપરવા લાગ્યા છે. ખેડૂતો પાકને ક્રીટકોથી બચાવવા જંતુનાશક દવાઓ અને બાયોકંટ્રોલરનો ઉપયોગ કરવા લાગ્યા છે, પ્રસાર માધ્યમો દ્વારા ખેતીને લગતાં સંશોધનો અને જ્ઞાનની માહિતી ખેડૂતોને અપાય છે. લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, જ્યાં કૃષિવિદ અને કૃષિવૈજ્ઞાનિકો તૈયાર થાય છે, જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રો સ્થપાયાં છે અને કૃષિને લગતી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામસેવકોની નિમણૂક કરવામાં આવી છે.

→ સંસ્થાગત સુધારા સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી જમીન ખેડનારને માલિકીનો હક આપ્યો છે. જમીન મૅચ મર્યાદાના કાયદા દ્વારા જમીનની માલિકીની અસમાનતા દૂર કરી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાનાં કદનાં ખેતરોને એકત્રિત કરવાના પ્રયાસો થયા છે. ખેડૂતોને મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. તે માટે સહકારી બૅન્કો, સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંયો, સહકારી ધોરણે ગૌદામો, શીતગૃહો અને પરિવહનની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

→ અસરો ઉપર્યુક્ત સુધારાના પરિણામે કૃષિ-ઉત્પાદનમાં મોઢે વધારો થયો છે અને ખેડૂતોની આવક વધી છે. અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી બન્યો છે અને થોડા અનાજની નિકાસ પણ કરી શકે છે. દેશમાં હરિયાળી ક્રાંતિ” થઈ છે.

→ રાષ્ટ્રીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાનઃ કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે ઉ0 % લોકોને રોજગારી પૂરી પાડે છે અને રાષ્ટ્રીય આવકનો 22 % હિસ્સો આપે છે. તે કાપડું, ખાંડ, કાગળ, જેવા કૃષિ-આધારિત ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, ચા, કૉફી, કપાસ, શિલ, તેજાના જેવા પાકોની નિકાસથી ભારતને વિદેશી હૂંડિયામણ મળે છે.

GSEB Class 10 Social Science Notes Chapter 10 ભારત : કૃષિ

→ કૃષિક્ષેત્રે રોજગારી અને પરિણામો : કૃષિક્ષેત્ર પર ભારતના 60 % લોકો નભે છે. આ બહુ મોટું ભારણ છે, કારણ કે ભારતની કૃષિ મોટા ભાગે વરસાદ પર આધારિત છે અને વરસાદ અનિયમિત તેમજ અનિશ્ચિત હોવાથી કૃષિ નિષ્ફળ જવાના સંજોગોમાં ઘણા લોકો બેકાર બને છે,

→ અનાજ-સંરક્ષણ ‘હરિયાળી ક્રાંતિથી દેશમાં અનાજનું ઉત્પાદન ઈ. સ. 2013-14માં 285.04 કરોડ ટન થયું હોવાથી અનાજ સ્વાવલંબન ક્ષેત્રે સારી સ્થિતિ ઊભી થઈ છે, પણ આ જ અરસામાં દેશની વસ્તી 38 કરોડથી વધીને 125 કરોડ થઈ ગઈ છે. હવે અનાજનું ઉત્પાદન ખાસ વધે તેમ નથી, પરંતુ વરની વળે જાય દુષ્કાળોનો સામનો કરવા અનાજનું ભંડોળ વધારવાની ખાસ જરૂર છે.

→ વૈશ્વિકીકરણની અસરોઃ ભારત સરકારે ખેતીક્ષેત્રે વૈશ્વિકીકરલ્સની નીતિ અપનાવી હોવાથી ખેતપેદાશોની આયાત-નિકાસ માટેની પ્રક્રિયા સરળ બની છે. તેના કારણે વિશ્વના બજારમાં આપણી ઊંચી ગુણવત્તાવાળી કૃષિપેદાશોનું “પેટન્ટ મેળવી લેવું હિતાવહ બન્યું છે, તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેક્નોલૉજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરી શકશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *