GSEB Solutions Class 7 Social Science Chapter 2 દિલ્લી સલ્તનત

Gujarat Board GSEB Textbook Solutions Class 7 Social Science Chapter 2 દિલ્લી સલ્તનત Textbook Exercise and Answers.

દિલ્લી સલ્તનત Class 7 GSEB Solutions Social Science Chapter 2

GSEB Class 7 Social Science દિલ્લી સલ્તનત Textbook Questions and Answers

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
દિલ્લી સલ્તનતના ‘ચહલગાન'(ચારગાન)ની સ્થાપના કોણે કરી હતી?
A. રઝિયા સુલતાનાએ
B. કુતુબુદ્દીન ઐબકે
C. બલ્બને
D. ઇસ્તુત્મિશે
ઉત્તર:
D. ઇસ્તુત્મિશે

પ્રશ્ન 2.
દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?
A. રઝિયા સુલતાના
B. નૂરજહાં
C. અર્જુમંદબાનુ
D. મહેરુનીશા
ઉત્તર:
A. રઝિયા સુલતાના

GSEB Solutions Class 7 Social Science Chapter 2 દિલ્લી સલ્તનત

પ્રશ્ન 3.
દિલ્લીના ક્યા શાસકની યોજના ‘તરંગી યોજના’ તરીકે ઓળખાય છે?
A. ઇસ્તુત્મિશની
B. કુતુબુદીન ઐબકની
C. મુહમ્મદ તુગલકની
D. ફિરોજશાહ તુગલકની
ઉત્તર:
C. મુહમ્મદ તુગલકની

પ્રશ્ન 4.
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
A. અહમદશાહે
B. હરિહરરાયે અને હુક્કારાયે
C. કૃષ્ણદેવરાયે
D. ઝફરખાને
ઉત્તર:
B. હરિહરરાયે અને હુક્કારાયે

2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:

1. ઢાઈ દિનકા ઝોંપડા ……………………. શહેરમાં આવેલ છે.
2. દિલ્લી સલ્તનતની શાસનવ્યવસ્થાના કેન્દ્રમાં ……………………. હતો.
3. દિલ્લી સલ્તનતનો અંતિમ શાસક ……………………. હતો.
4. સીરી નગર ……………………. એ વસાવ્યું હતું.
ઉત્તર:
1. અજમેર
2. સુલતાન
૩. ઇબ્રાહીમ લોદી
4. અલાઉદ્દીન ખલજી

3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે શબ્દોમાં આપો:

પ્રશ્ન 1.
કુતુબમિનાર ક્યાં આવેલ છે?
ઉત્તર:
દિલ્લીમાં

પ્રશ્ન 2.
પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું?
ઉત્તર:
ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે

GSEB Solutions Class 7 Social Science Chapter 2 દિલ્લી સલ્તનત

પ્રશ્ન 3.
અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું?
ઉત્તર:
અલાઉદ્દીન ખલજીના

પ્રશ્ન 4.
બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર:
ઝફરખાને

4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
તુગલક સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ કયાં કયાં શહેરો વસાવવામાં આવ્યાં?
ઉત્તર:
તુગલકવંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો (નગરો) વસાવવામાં આવ્યાં.

પ્રશ્ન 2.
સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન કરો.
ઉત્તર:
સલ્તનત સમયનાં સ્થાપત્યો નીચે પ્રમાણે છે:
GSEB Solutions Class 7 Social Science Chapter 2 દિલ્લી સલ્તનત 1
GSEB Solutions Class 7 Social Science Chapter 2 દિલ્લી સલ્તનત 2

  1. સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી.
  2. તેણે દિલ્લીમાં મશહૂર કુતુબમિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇસ્તુત્મિશે કુતુબમિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું.
  3. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.
  4. સુલતાન ઇસ્તુત્મિશના સમયમાં હોજ-એ-શમ્મી, શમ્મી ઇદગાહ અને જુમા મસ્જિદ નામનાં સ્થાપત્યો બંધાયાં હતાં.
  5. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, સીરી નગર અને હોજએ-ખાસ નામનાં સ્થાપત્યો બંધાવ્યાં હતાં.
  6. તુગલકવંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યાં હતાં.
  7. સૈયદવંશ અને લોદી વંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા

ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું.

આમ, સલ્તનતના શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ. મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું.

GSEB Solutions Class 7 Social Science Chapter 2 દિલ્લી સલ્તનત

પ્રશ્ન 3.
કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
GSEB Solutions Class 7 Social Science Chapter 2 દિલ્લી સલ્તનત 3
કૃષ્ણદેવરાય તુલવવંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો કૃિષ્ણદેવરાય ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે ‘આંધ્રના ભોજ’ તરીકે જાણીતા બન્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *