GSEB Class 9 Social Science Notes Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

This GSEB Class 9 Social Science Notes Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ covers all the important topics and concepts as mentioned in the chapter.

નૂતન વિશ્વ તરફ પ્રયાણ Class 9 GSEB Notes

→ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના અનેક દેશોમાં લોકોની અવદશા સુધારવામાં તે સમયની સરકારો નિષ્ફળ ગઈ. તેથી એ દેશોમાં લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઊઠી ગયો. લોકશાહી નિષ્ફળ બની.

→ એ દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદને ઉત્તેજન મળતાં સરમુખત્યારશાહીનો ઉદય થયો.

→ સમગ્ર યુરોપના રાજકારણમાં પરિવર્તન આવ્યું, તે દ્વિતીય વિશ્વનું સર્જનાત્મક પરિબળ બન્યું.

→ વર્સેલ્સની સંધિમાં ઇટાલીની થયેલી ઉપેક્ષાથી પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો હતો. ઇટાલીના લોકો દેશને થયેલા અપમાનનો બદલો લેવા ઇચ્છતા હતા. આ સંજોગોમાં બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ‘ફાસિસ્ટ પક્ષ’ની સ્થાપના કરી. ‘લાકડાંની ભારી અને કુહાડી’ આ પક્ષનું પ્રતીક હતું. લશ્કરી તાલીમ પામેલા પક્ષના સ્વયંસેવકો કાળા રંગનો પોશાક પહેરતા.

→ ‘એક પક્ષ અને એક નેતા એ મુસોલિનીનો મુદ્રાલેખ હતો.

→ મુસોલિનીએ રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને જર્મની તથા જાપાનના સહયોગથી ‘રોમ-બર્લિન-ટોકિયો’ ધરીનું નિમણિ કર્યું.

→ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતાં જર્મનીમાં ઘોર નિરાશા અને અસંતોષ ફેલાયાં હતાં.

→ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સ મુકામે અત્યંત કડક શરતો સાથેની સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી.

GSEB Class 9 Social Science Notes Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

→ વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી.

→ ઈ. સ. 1919માં ઍડોલ્ફ હિટલર “રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ’માં જોડાયો. આ પક્ષ “નાઝી પક્ષ’ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો.

→ જર્મનીના રાષ્ટ્રપતિ હિઝેનબર્ગ મૃત્યુ પામતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું. તેણે જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. જર્મન પ્રજા હિટલરને ક્યુહરર (તારણહાર) માનતી હતી.

→ નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગનું સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતા.

→ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જાપાને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. જાપાને ઈ. સ. 1932માં મંચુરિયા કબજે કર્યું. ઈ. સ. 1933માં જાપાન રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયું.

→ 24 ઑક્ટોબર, 1929ના રોજ અમેરિકામાં એકાએક ‘વૉલ સ્ટ્રીટ’ ગૅરબજાર તૂટી પડ્યું. વૉલ સ્ટ્રીટ સંકટે સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ અસ્થિર બનાવી. ગ્રેટબ્રિટન અને અમેરિકાનાં અર્થતંત્રો પ્રભાવિત થતાં વૈશ્વિક મહામંદીનું સર્જન થયું.

→ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનાં મુખ્ય પરિબળોઃ
ઉગ્ર રાષ્ટ્રવાદઃ વર્સેલ્સની સંધિને કારણે જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે અને ઇટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજામાં ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રવાદ જન્માવ્યો. જાપાને પણ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી.

→ જૂથબંધીઓઃ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સ, ઇટાલી અને રશિયાએ જુદા જુદા દેશો સાથે મૈત્રીકરારો કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું અલગ જૂથ રચ્યું. ભિન્ન ભિન્ન દેશોનાં સત્તાજૂથો સામસામી છાવણીઓમાં મુકાતાં વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જાયું.

→ લશ્કરવાદ: યુરોપનાં બધાં રાષ્ટ્રો એકબીજાથી ચડિયાતાં શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યાં. દરેક રાષ્ટ્ર લશ્કરની ત્રણે પાંખોમાં સૈનિકોની સંખ્યા વધારીજાપાન અને અમેરિકાએ પણ લશ્કરવાદની દોડમાં ઝંપલાવ્યું. લશ્કરવારે વિશ્વને યુદ્ધકીય વાતાવરણમાં પલટી નાખ્યું.

→ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા જર્મની, ઇટાલી અને જાપાન જેવા દેશો તેમની સામ્રાજ્ય-લાલસા સંતોષવા નાનાં અને નબળાં રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યાં. રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી એ આક્રમણો રોકવામાં તેને નિષ્ફળતા મળી.

GSEB Class 9 Social Science Notes Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

→ વર્સેલ્સની સંધિ વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત કડક અને અપમાનજનક હતી. જર્મનીના સરમુખત્યારે હિટલરે વર્સેલ્સની સંધિને ‘કાગળનું ચીંથરું’ કહીને ફગાવી દીધી. આ સંધિ દ્વારા જર્મનીને આર્થિક, રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ ક્યડી નાખવામાં આવ્યું હતું.

→ જાપાનને પણ વસેંડસની સંધિથી અસંતોષ થયો હતો. આ સંધિથી કોઈ ને કોઈ પ્રકારે કેટલાંક રાષ્ટ્રોને અન્યાય થયો હતો.

→ આમ, વર્સેલ્સની અન્યાયી સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

→ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદ મહત્ત્વાકાંક્ષા : એડોલ્ફ હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સામ્રાજ્યવાદી હતો. 12 માર્ચ, 1938માં તેણે ઑસ્ટ્રિયા પર અને 1 ઓક્ટોબર, 1938માં ઝેકોસ્લોવેકિયા પર આક્રમણ કરી ત્યાં પોતાની સત્તા જમાવી. માર્ચ, 1939માં તેલે લિથુઆનિયાના મેમેલ, (Manal) બંદર પર કબજો જમાવ્યો.

→ જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવા માટેનું તાત્કાલિક કારણ હતું.

→ 1 સપ્ટેમ્બર, 1939ના રોજ હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું બ્રિટન અને ફ્રાન્સે પોલૅન્ડના રક્ષણ માટે જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.

→ દ્વિતીય વિશ્વયુદ્ધમાં એક પક્ષે “મિત્રરાણે” તરીકે ઓળખાતાં બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા તથા તેમના મિત્રરાષ્ટ્ર હતાં; બીજા પક્ષે “ધરી રાષ્ટ્રો” તરીકે ઓળખાતાં જર્મની, ઇટાલી, જાપાન અને તેમનાં સાથીરા હતાં.

→ જાપાને અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથક પર્લહાર્બર પર હુમલો કરી અમેરિકન નૌકાદળની ભારે ખુવારી કરી. આથી રોષે ભરાઈને અમેરિકાએ જાપાન સામે યુદ્ધ જાહેર ક્યું.

→ અમેરિકાએ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંકી જાપાનમાં મહાવિનાશ સર્યો.

→ જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારતાં 11 ઑગસ્ટ, 1945ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

→ વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર બધાં રાષ્ટ્રોને અબજો ડૉલરનો જંગી ખર્ચ થયો અને તેટલી જ કિંમતની મિલકતોનો નાશ થયો. બધા દેશોનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું. લોકોની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ.

→ ઈ. સ. 1949માં માઓ-સે-તુંગે ચીનમાં સામ્યવાદી સરકારની
સ્થાપના કરી,

→ વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા-તરફી અને સામ્યવાદી દેશ રશિયા-તરફી બે પરસ્પર વિરોધી વિચારસરીવાળાં સત્તાજૂથો રચાયાં. તેનાથી જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું તેને ઠંડું યુદ્ધ’ (Cold War) કહેવામાં આવે છે.

→ દ્વિતીય વિશ્વયુદ્ધ પદ્ધ વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ માટે 24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની સ્થાપના કરવામાં આવી. આથી જ દર વર્ષે 24 ઑક્ટોબરનો દિવસ વિશ્વભરમાં યુ.એન. ડે તરીકે ઉજવાય છે. હોલ સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યો છે.

→ સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્ય ઉ અંગો છે: 1, સામાન્ય સભા, 2, સલામતી સમિતિ, 3. આર્દિક અને સામાજિક સમિતિ, 4. વાલીપણા સમિતિ, 5. આંતરરાષ્ટ્રીય અદાલત તથા 6, સચિવાલય,

GSEB Class 9 Social Science Notes Chapter 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ

→ સામાન્ય સભા: તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. દરેક સભ્યરાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના પાંચ પ્રતિનિધિઓ મોક્લી શકે છે, પરંતુ દરેક સભ્યરાષ્ટ્રને એક જ મત આપવાનો
અધિકાર છે.

→ સલામતી સમિતિઃ તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું અંગ છે. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન – આ પાંચ તેના કાયમી સભ્યો છે. બીજા દસ બિનકાયમી સભ્યો છે.

→ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે.

→ સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે પાંચ કાયમી સભ્યોને કરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. એ અધિકારને “નિષેધાધિકાર’ કે “વી” (Veto) કહેવામાં આવે છે.

→ આર્થિક અને સામાજિક સમિતિ તે ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસો કરે છે. આ સમિતિની દેખરેખ નીચે અનેક પેટા સમિતિઓ કામ કરે છે : વિશ્વ- મારોગ્ય સંસ્થા (WHO); આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF); આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા (FAO); આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા (ILLO); બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ (UNICEF – યુનિસેફ); શૌક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા (UNESCO-યુનેસ્કો) વગેરે.

→ વાલીપણા સમિતિ : આ સમિતિ વિદેશી શાસન હેઠળ ગુલામી ભોગવતા દેશોને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે મદદ કરે છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિદેશી શાસન હેઠળના દેશોને વાલીપણા (મેટ) સમિતિની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા હતા, એ દેશો સ્વતંત્ર બને ત્યાં સુધી તેમનું સઘળું સંચાલન વાલીપજ્ઞા સમિતિ કરે છે.

→ આંતરરાષ્ટ્રીય અદાલત : સભ્યરાષ્ટ્રના રાજકીય કે અન્ય પ્રકારના ઝઘડાને આંતરરાષ્ટ્રીય ધોરણે ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલતનું કાયમી મથક નેધરલૅઝના હેગ શહેરમાં છે. આ અદાલત 15 ન્યાયમૂર્તિઓની બનેલી છે. ન્યાયમૂર્તિઓના હોદાની મુદત 9 વર્ષની હોય છે.

→ સચિવાલય: તે સંયુક્ત રાષ્ટ્રોનું મહત્ત્વનું વહીવટી અંગ છે. સચિવાલયના વહીવટી વડા ‘મહામંત્રી’ કહેવાય છે. તેમની નિમણૂક સામાન્ય સભા સલામતી સમિતિની ભલામણથી 5 વર્ષ માટે કરે છે. સચિવાલયનું વડું મથક ન્યૂ યોર્કમાં છે. હાલના મહામંત્રી બાન-કી-મૂન છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *