GSEB Class 9 Social Science Notes Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

   

This GSEB Class 9 Social Science Notes Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન covers all the important topics and concepts as mentioned in the chapter.

આપત્તિ-વ્યવસ્થાપન Class 9 GSEB Notes

→ આપત્તિ-વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે :

  • કુદરતી આપત્તિઓ અને
  • માનવસર્જિત આપત્તિઓ.

→ પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે; જ્યારે આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે માનવસર્જિત આપત્તિઓ છે.

→ કુદરતી આપત્તિઓ :
1. પૂરઃ વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં એકધારો ભારે વરસાદ પડવાથી નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહ ‘પૂર’ કહેવાય છે. પૂરને લીધે કિનારાના જમીન વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે. પૂર આવે ત્યારે પોતાની કીમતી અને અંગત વસ્તુઓ લઈ સલામત સ્થળે જતા રહેવું; સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, ફાનસ, મીણબત્તી, દીવાસળીની પેટી, રેડિયો, મોબાઇલ વગેરે પોતાની પાસે રાખવાં; બાળકોને ભૂખ્યાં ન રાખવાં; પાણી ઉકાળીને જ પીવું; સાપ અને અન્ય જીવજંતુઓને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી. ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો તેમજ રસ્તાઓ અને પૂરની પરિસ્થિતિની ચોક્કસ માહિતી મેળવ્યા વિના સલામત સ્થળેથી નીકળવું નહિ.

2. વાવાઝોડું (ચક્રવાત) : હવાના અસમાન દબાણથી સર્જાતું વિનાશકારી વાવાઝોડું ભારતમાં ચક્રવાત, યુ.એસ.એ.માં હરિકેન અને ટૉર્નેડો તથા ચીન અને જાપાનમાં ટાઇકૂનના નામે ઓળખાય છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે ચક્રવાત ત્રાટકે છે. વાવાઝોડું ફેંકાય ત્યારે ટી.વી.ના સમાચાર જોવા; રેડિયો પરથી પ્રસારિત થતા સમાચારો સાંભળવા અને તેનો અમલ કરવો; મોબાઇલ ચાર્જ કરી લેવા; અફવાઓને અનુસરવું નહિ; વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી વગેરેનો સંગ્રહ કરવો; બધાં માટે દવાની જોગવાઈ કરવી; બચાવતંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું; પીવા માટે શુદ્ધ પાણી વાપરવું; પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી દેવાં વગેરે. વાવાઝોડું ફૂંકાય ત્યારે ઊડી શકે એવી ચીજવસ્તુઓ છૂટી ન રાખવી; હવામાન વિભાગ દ્વારા અપાતી ચેતવણી

સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં ન લેવી; ખુલ્લામાં બહાર નીકળવું નહિ; વીજળીના થાંભલા કે વીજળીના છૂટા વાયરને એડકવું નહિ; જાહેરાતનાં મોટું પાટિયાં કે મોટાં વૃક્ષો નીચે ઊભા રહેવું નહિ વગેરે.

GSEB Class 9 Social Science Notes Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

3. ભૂકંપ: પૃથ્વીના પેટાળમાં થતી ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાર્ટનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઊઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ‘ભૂકંપ કહે છે. ભૂકંપ થાય ત્યારે તમે શાળામાં હો તો પાટલીઓ કે ટેબલની નીચે બેસો, ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીના થાંભલા અને લાઇનોથી દૂર રહેવું, વાહન ચલાવતા હો તો પુલની નીચે કે ઉપર, વીજળીના થાંભલા કે વીજળીની લાઇન અને ટ્રાફિક સિગ્નલથી વાહન દૂર ઊભું રાખવું તથા વાહનમાં જ બેસી રહેવું, ભૂકંપના આંચકા પછી ઘરમાં નીચે પડી જાય એવી વસ્તુઓથી દૂર ઊભા રહેવું; રેડિયો પરથી પ્રસારિત થતા સમાચાર સાંભળવા વગેરે.

ભૂકંપ સમયે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી; ઘરમાં નીચે પડતી વસ્તુઓને અટકાવવી નહિ; બહુમાળી મકાનમાંથી નીચે ઉતરવા લિફટનો ઉપયોગ ન કરવો; તમે ઘરમાં હો તો લાકડાનાં કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ન રહેવું; રસોઈ માટેના ગેસ લીકેજની ખાતરી કર્યા વિના ઘરમાં ધ્રવાસળી, લાઈટર કે વીજળીનાં સાધનો ચાલુ ન કરવાં, કારણ કે તેનાથી વિસ્ફોટ થઈ શકે છે; તબીબી સારવારની મદદ માટે અને આગની કટોકટી સિવાય ફોન ન કરવા વગેરે.

4. સુનામી ત્સુનામી શબ્દ જાપાનીઝ ભાષાનો છે, તેનો અર્થ વિનાશક મોજાં એવો થાય છે. સમુદ્રના પેટાળમાં જવાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે, તેને ‘સુનામી’ કહેવામાં આવે છે.

સુનામી સમયે સૂચના મળતાં જ ક્વિારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું તેમજ રેડિયો પાસે રાખવો અને તેના દ્વારા મળતી સૂચનાઓ મુજબ વર્તવું. સુનામી સમયે સમુદ્રકિનારે આવેલાં ઊંચાં મકાનોમાં આશ્રય ન લેવો, કારણ કે તે વિનાશક મોજાથી ધરાશયી થઈ શકે છે. સુનામી ઓસરી જાય એ પછી તંત્ર દ્વારા સુચના મળે તે પહેલાં કિનારા તરફ ન જવું.

5. દુકાળ : વ સ્તુમાં વરસાદ આવે જ નહિ કે નહિવતુ વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને ‘દુકાળ’ કહે છે. દુષ્કાળનો સામનો કરવા માટે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો; અનાજની માપબંધી કરવી તેમજ સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા કરવી; ઉપલબ્ધ પાન્નીના પુરવઠાની વપરાશનું આયોજન કરવું; રાહતકામ શરૂ કરવાં; તાકીદનાં કામો સિવાયનાં બાંધકામનાં બીજાં કામો બંધ કરવાં વગેરે. અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજનસમારંભો બંધ કરવા તેમજ સુખી અને સમૃદ્ધ લોકોએ અનાજ કે ઘાસચારાનો સંગ્રહ ન કરવો.

6. દાવાનળ : જંગલોમાં લાગતી ભયાનક અને વિનાશકારી આગ ‘દાવાનળ’ કહેવાય છે. ઘવાનળની ધટના માટે વીજળી પડવી સિવાયનાં બધાં કારણો માટે માણસ જ જવાબદાર છે. હવા અને જલદી સળગી શકે એવું ઈંધણ હને સૂકાં હોય તો દાવાનળ પ્રગટી શકે છે. ઘવાનળ ન પ્રગટે એ માટે જંગલની આસપાસ રહેતા લોકોએ વનવિભાગની સૂચનાઓ મુજબ જ વર્તવું; સૂકી ઋતુ દરમિયાન જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવવું તેમજ વનવિભાગના કર્મચારીઓને ઘવાનળ બુઝાવવાની વિશેષ તાલીમ આપવી.

દાવાનળ ન લાગે એ માટે વન વિસ્તારમાં પ્રવાસ કરતા લોકોએ સળગતી ચીજો તેમજ સિગરેટ-બીડીનાં ટૂંઠાં ગમે ત્યાં ન ફેંકવાં તથા જંગલ વિસ્તારની નજીક રહેતા લોકોએ વનવિભાગની સૂચનાઓ અવગણવી નહિ.

GSEB Class 9 Social Science Notes Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

→ માનવસર્જિત આપત્તિઓઃ
1. ઔધોગિક અકસ્માત : સીદ્યોગિક વસાહતો, મિલો, કારખાનાં વગેરેમાં અકસ્માતો થાય છે. તેના માટે માનવીની ભૂલો જવાબદાર છે. ઔદ્યોગિક અકસ્માતોથી માણસો અને પશુઓની જાનહાનિ થાય છે તેમજ પર્યાવરણને મોટું નુકસાન થાય છે. ભોપાલ ગેંસકાંડ: મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલમાં આવેલા યુનિયન કાર્બાઇડ નામના જંતુનાશક દવાઓ બનાવતા કારખાનાની ટાંકીઓમાંથી 3 ડિસેમ્બર, 1984ના રોજ મીક નામનો અત્યંત ઝેરી વાયુ લગભગ 45 મિનિટ સુધી લીક થતો રહ્યો. તેની જીવલેણ અસરથી કાઢેરના લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. લગભગ 10,000 જેટલા લોકો કાયમી વિકલાંગ બન્યા હતા, જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક વિકલાંગ બન્યા હતા.

ગેસ ગળતરની ઘટના ન બને તે માટે કારખાનામાં આધુનિક વૉર્નિગ સિસ્ટમ લગાડવી; સલામતીનાં ઉચ્ચ ધોરøનું ચુસ્તપણે પાલન કરવું; ગૅસ ગળતર શરૂ થાય તો ગૅસટેન્કરોને માનવવસાહતોથી દૂર લઈ જવાં : પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું, શારીરિક તક્લીફો માટે નજીકના ડૉક્ટર પાસે જવું, બેહોશ કે અશક્ત બનેલી વ્યક્તિઓને તાત્કાલિક દૂર લઈ જવી; ફાયરબ્રિગેડ અને પોલીસતંત્રને જાણ કરવી; બચાવ કામગીરીમાં રોકાયેલાં વાહનોને અવરોધે નહિ તેમ લોકોએ પોતાનાં વાહનો મુક્વાં, બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ એકઠા ન થવું, ગેસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણ સલામત જાહેર ન થાય ત્યાં સુધી એ વિસ્તારમાં જવું નહિ; બચાવ કામગીરીનું પ્રશિક્ષણ અને તે માટેનો જરૂરી સરંજામ લીધા વિના બચાવ કામગીરીમાં જોડવું નહિ,

2. વિષાણુજન્ય રોગઃ ડેગ્ય, ઇબોલા, સ્વાઇન ફ્લ, ઇલુએન્ઝા વગેરે વિષાણુજન્ય રોગોથી હજારો લોકોનાં મૃત્યુ થયાં છે. અગાઉના સમયમાં પ્લેગ જેવા રોગથી લાખો લોકો અવસાન પામ્યા હતા. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગપ્રતિકારક રસીઓ તેમજ બચાવ માટેનો શ્રેષ્ઠ સાધનોને લીધે રોગચાળાના પ્રકોપનો સામનો કરી શકાય છે, સપ્ટેમ્બર, 1994માં સુરત શહેરમાં પ્લેગના રોગચાળાને અને ઈ. સ. 2015માં ગુજરાત તથા દિલ્લી સહિત દેશના અન્ય ભાગોમાં પ્રસરેલા સ્વાઇન ફ્લના રોગચાળાને આરોગ્યતંત્રે ચાંપતાં પગલાં ભરી મોટી જાનહાનિ રોકવામાં સફળતા મેળવી હતી. વિષાણુજન્ય રોગોથી બચવા માટે રોગપ્રતિકારક રસી મુકાવવી; પ્રચાર માધ્યમો દ્વારા રોગોનાં તમામ પાસાંથી લોકોને માહિતગાર કરવા; હૉસ્પિટલોમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વૉર્ડની વ્યવસ્થા કરવી; વિશ્વ-આરોગ્ય સંસ્થાએ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સુચનાઓ અને માર્ગદર્શન પ્રમાણે પગલાં લેવાં વગેરે.

3. આતંકવાદી હુમલો : જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શાસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ “આતંકવાદીઓ’ કહેવાય છે. તેમ ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ” કહેવાય છે. આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ આ પ્રવૃત્તિઓ કરે છે :

  • આત્મઘાતી હુમલા કરવા
  • માનવબૉમ્બનો ઉપયોગ કરવો
  • બૉમ્બ ફેંકવા, રોકેટો છોડવાં અને સુરંગો બિછાવવી
  • હિટલિસ્ટ બનાવવું
  • વિમાનો હાઇજેક કરવાં
  • વ્યક્તિઓનું અપહરલ કરવું અને તેમને મારી નાખવી
  • માદક દ્રવ્યોની હેરાફરી કરી નાલ્લાં એકઠાં કરવાં
  • ધાર્મિક સ્થળો પર હુમલા કરવા
  • રેલગાડી કે બસમાં બોંબુ મૂકવા વગેરે.

આતંકવાદી હુમલાથી બચવા માટે કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરવી, જાહેર સ્થળોએ જોવા મળતી બિનવારસી વસ્તુઓને અડકવું નહિ, આ બાબતની જાણ એ સ્થળના સુરક્ષાકર્મીને કરવી, સુરકાના હેતુથી કરવામાં આવતી તપાસ કે અંગજડતીની પ્રક્રિયામાં સહકાર આપવો, ઘરના ભાડુઆત વિશેની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવી, જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા, બસ કે ટ્રેનમાં કોઈ બિનવારસી સામાન જોવા મળે તો તેની તાત્કાલિક રૅલતંત્રની જવાબદાર વ્યક્તિને જાણ કરવી, પાડોશમાં રહેતી એકલી વ્યક્તિ મોડી રાત સુધી કમ્યુટર પર શંકાસ્પદ કામ કરતી જોવા મળે તો તેની પોલીસતંત્રને જાણ કરવી, બિનવારસી વાહનોની પોલીસને જાણ કરવી.

આતંકવાદીઓને કોઈ તક ન મળે એ માટે અજાણી વ્યક્તિ કોઈ વસ્તુ કે પાર્સલ આપે તો લેવું નહિ, અજાણી વ્યક્તિને પૂરતી તપાસ ર્યા વિના ઘર ભાડે આપવું નહિ તેમજ અજાણી વ્યક્તિ સાથે ઘર, વાહન કે મોબાઇલની લે-વેચ કરવી નહિ.

GSEB Class 9 Social Science Notes Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ:

  • 11 સપ્ટેમ્બર, 2001ના રોજ સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જૅટ વિમાનોનું અપહરણ કર્યું. તેમાંના બે વિમાનોને ન્યૂ યૉર્ક શહેરના વન . યવર (PTC) સાથે અથડાવ્યાં, તેનાથી લગભગ ત્રણ હજાર નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા; જ્યારે લગભગ છ હજારથી વધારે નાગરિકો ઘાયલ થયા.
  • 13 ડિસેમ્બર, 2001ના રોજ 5 આતંકવાદીઓએ રાજધાની દિલ્લીમાં ભારતના સંસદભવન પર સશસ્ત્ર હુમલો કર્યો. સંસદના સુરક્ષાદળના જવાનોએ જાનને હોડમાં મૂકી હુમલાને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 8 જવાનો શહીદ થયા; જ્યારે 16 જવાનો ઘાયલ થયા.
  • 26 નવેમ્બર, 2008ની મોડી રાત્રે આતંકવાદીઓએ મુંબઈની જાણીતી હૉટલો પર અને ભારે ભીડવાળાં સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટે તથા અંધાધૂંધ ગોળીબાર કર્યા. તેમાં 166 જેટલા લોકો મૃત્યુ પામ્યા; જ્યારે 137 જેટલા લોકો ઘાયલ થયા.
  • ડિસેમ્બર 2014માં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવર શહેરની આર્મી સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરી 132 જેટલાં નિર્દોષ બાળકો સહિત 141 જેટલા લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા.
  • 13-14 નવેમ્બર, 2015ના દિવસો દરમિયાન આતંકવાદીઓએ ફ્રાન્સની રાજધાની પેરિસ શહેરમાં 7 સ્થળોએ વિસ્ફોટો ક્યું. તેમાં 130 જેટલા માણસો મૃત્યુ પામ્યા; જ્યારે 368 જેટલા માણસો ઘાયલ થયા.

4. હુલ્લડ બુલડ સમયે અફવાઓથી દોરવાવું નહિ તેમજ તેને ફેલાતી અટકાવવી; મહોલ્લા કે પોળોમાં શાંતિ સમિતિઓ રચવી તેમજ અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ પહોંચાડવી, હુલ્લડ સમયે અફવાઓ ફેલાવવામાં નિમિત્ત ન બનવું, સત્તાવાળાઓના આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન કરવું નહિ તેમજ સોશિયલ મીડિયામાં આવતી આધારહીન અને ભ્રામક વાતો માનવી નહિ. તથા તેને ફેલાવવી નહિ,

5. ટ્રફ્રિક-સમસ્યા મોટાં શહેરોની સડકો પર એકબીજાની અડોઅડ ચાલતાં અને ગોકળગતિએ આગળ વધતાં વાહનોની પરિસ્થિતિ ‘ટ્રફિકજામ” કહેવાય છે. જ્યારે વાહનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાને લીધે વાહનચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે,

સૂફિકજામ થતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતાં મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજનું પ્રદૂષણ જન્મે છે. પરિણામે તે વિસ્તારના લોકોના આરોગ્ય પર માઠી અસરો પડે છે તેમજ વનસ્પતિનો વિકાસ જોખમાય છે.

સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણને લીધે લગભગ બધાં મોટાં શહેરોમાં ‘ગ્રાફિકજામની સમસ્યા જોવા મળે છે.
ભારતની સડકો પર થતા અકસ્માતોમાં થતાં મૃત્યુનો આંક ઘણો ઊંચો છે, કેટલીક વાર સડક દુર્ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ બને છે, ધોરી માર્ગો પર વાહનોના અતિશય ભારણથી અને અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે.

વધુ પડતા ટ્રાફિકથી સમય અને ઈંધલનો મોટી માત્રામાં બગાડ થાય છે. સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા – આ બાબતોથી ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવી શકાય છે. નહિતર આ સમસ્યાથી આગામી દિવસોમાં અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાશે એ ચોક્કસ છે,

→ આપત્તિઓની માનવજીવન પર થતી અસરો :
1. ભૌતિક અસરો :

  • મિલકતોને ભારે નુકસાન થાય છે.
  • આંતરમાળખાકીય સગવડોને ક્ષતિ પહોંચે છે, તેમના પુનઃનિર્માસ્ત્રમાં ખર્ચનું નવેસરથી આયોજન કરવું પડે છે.
  • પૂરને લીધે ઊભો પાક ધોવાઈ જાય છે. ફળદ્રુપ જમીનનું ધોવાણ થતાં ખેતીનું ઉત્પાદન ધટી જાય છે. કિનારા પરની માલમિલકતને અતિ નુક્સાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે.

2. જનજીવન પર થતી અસરો :

  • આબાલવૃદ્ધનું અકાળે અવસાન થાય છે; કેટલાય લોકો વિકલાંગ બને છે. તંદુરસ્ત માણસોનું વાસ્થ બગડે છે.
  • સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો માનસિક સ્વસ્થતા ગુમાવે છે.
  • અનાથ બાળકોની અને નિરાધાર વૃદ્ધોની હાલત કફોડી બને છે.
  • સામાન્ય લોકોને મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે.

GSEB Class 9 Social Science Notes Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

3. આર્થિક અસરો :

  • નવેસરથી બાંધકામો કરવા માટે નાણાંની જરૂર પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામ બંધ કરવાં પડે છે. ચાલ યોજનાઓ વિલંબમાં મુકાય છે.
  • ઔદ્યોગિક એકમો બંધ થતાં કામદારોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે.
  • અસરગ્રસ્ત લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે,

4. સામાજિક અસરોઃ

  • ભયભીત બનેલા લોકોનું સ્થળાંતર થતાં સામાજિક સંબંધોના તાણાવાણા કમજોર બને છે.
  • ધાર્મિક ઉત્સવોની ઉજવણી નીરસ બને છે, લોકોમાં તહેવારનો આનંદઉત્સાહ પ્રગટૅ થતાં સમય લાગે છે. સામાજિક સંબંધોમાં પરિવર્તન આવતાં સામાજિક સંસ્થાઓનું માળખું શિથિલ બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *