GSEB Class 6 Social Science Notes Chapter 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

This GSEB Class 6 Social Science Notes Chapter 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ Class 6 GSEB Notes

→ ભૂપૃષ્ઠ: ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 3214 કિલોમીટર અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે.

→ ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે.

→ આબોહવા, વનસ્પતિ, ભાષા, રિવાજો, પરંપરાઓ વગેરેની વિવિધતા તેમજ સંસ્કૃતિ અને એક રાષ્ટ્રની ભાવના (વિવિધતામાં એકતા) એ વિશ્વમાં ભારતની વિશિષ્ટ ઓળખ છે.

→ ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓ પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, રણપ્રદેશો, સમુદ્રકિનારો, સમુદ્રકિનારાનાં મેદાનો વગેરે.

GSEB Class 6 Social Science Notes Chapter 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

→ ભૂપૃષ્ઠની દષ્ટિએ ભારતના પાંચ વિભાગો પડે છે :

  • ઉત્તરનો પર્વતીય પ્રદેશ
  • ઉત્તરનો મેદાન પ્રદેશ
  • મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ (દખ્ખણનો ઉચ્ચપ્રદેશ),
  • દરિયાકિનારાનાં મેદાનો અને
  • દ્વીપસમૂહો.

→ હિમાલયની છેક ઉત્તર તરફની પર્વતમાળા “મહા હિમાલય” કે ‘હિમાદ્રી’ના નામે, વચ્ચેની – મધ્યની પર્વતમાળા “મધ્ય હિમાલય” કે હિમાચલના નામે અને તેની દક્ષિણે ભારત તરફની પર્વતમાળા શિવાલિક કે “લઘુ હિમાલયના નામે ઓળખાય છે.

→ વિશ્વનું સૌથી ઊંચુ પર્વતશિખર માઉન્ટ એવરેસ્ટ છે. તે મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે.

→ ઉત્તરના વિશાળ મેદાન પ્રદેશની રચના હિમાલયમાંથી નીકળતી નદીઓ ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ તથા તેમને મળતી શાખા નદીઓના કાંપથી થઈ છે. (માઉન્ટ એવરેસ્ટ પર્વતશિખર નેપાલમાં છે.)

→ ઉત્તરનું વિશાળ મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ, ઉપજાઉ જમીનવાળું છે.

→ ઉત્તરનો નદીઓનાં સમતલ અને ફળદ્રુપ મેદાનનો પ્રદેશ ભારતનો ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.

→ ઉત્તરનો મેદાન પ્રદેશ સમતલ છે તેમજ અહીં ખેત-ઉત્પાદન વધુ થાય છે. તેથી તેમાં ગીચ વસ્તી જોવા મળે છે.

→ દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં – દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, નીલગિરિ વગેરે પર્વતમાળાઓ આવેલી છે.

→ દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં તેની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલા છે.

→ દક્ષિણનો ઉચ્ચપ્રદેશ જ્વાળામુખીના લાવાથી બનેલો છે. આથી અહીંથી ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.

→ દક્ષિણ ભારતની મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશો બનાવ્યા છે.

→ ગંગા અને બ્રહ્મપુત્ર નદીએ “સુંદરવન’ નામનો વિશાળ મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે.

→ ભારતમાં બંગાળાના ઉપસાગર(બંગાળની ખાડી)માં દક્ષિણ-પૂર્વ દિશામાં અંદમાન અને નિકોબાર ટાપુઓ તથા અરબ સાગરમાં ” કેરલના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે.

→ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે.

GSEB Class 6 Social Science Notes Chapter 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

→ આબોહવા : વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે.

→ કોઈ પણ સ્થળમાં હવામાન તત્ત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે.

→ ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન હોય છે.

→ ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિનાઓ દરમિયાન હોય છે.

→ ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે.

→ ભારતમાં નૈઋત્ય દિશા (દક્ષિણ-પશ્ચિમ દિશા) તરફથી વાતા મોસમી પવનો વરસાદ લાવે છે.

→ ગુજરાતમાં મોટા પર્વતો નથી. આમ, ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે.

→ ભારતની મોટા ભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. ભારતનો 80 % જેટલો વરસાદ ચોમાસા દરમિયાન પડતો હોવાથી ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણાય છે.

→ પાછા ફરતા મોસમી પવનો ઈશાન દિશા(ઉત્તર-પૂર્વ દિશા)માંથી જમીન તરફથી વાતા હોવાથી સૂકા હોય છે. તેથી તે વરસાદ આપતા નથી.

→ પાછા ફરતા મોસમી પવનો બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) પરથી પસાર થતાં ભેજવાળા બને છે. આથી તે ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં વરસાદ આપે છે.

→ ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. આથી ભારતની આબોહવાને “મોસમી આબોહવા’ કહે છે.

→ વનસ્પતિ : મુખ્યત્વે આબોહવા અને વરસાદનું પ્રમાણ – આ બે પરિબળોના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે.

→ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી સૂર્યનાં કિરણો જમીન સુધી પહોંચી શકતાં નથી.

→ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, પણ તે વર્ષભર અલગ અલગ સમયે આવે છે. તેથી ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો હંમેશાં લીલાંછમ દેખાય છે.

→ ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટના કિનારા – તરફના ઢોળાવો પર પટ્ટીરૂપે અને અંદમાન અને નિકોબાર ટાપુઓ તથા ઉત્તર-પૂર્વ ભારત(અસમના ઉપરી વિસ્તારો)ના કેટલાક ભાગોમાં આવેલાં છે.

→ ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં મુખ્ય વૃક્ષો મૅહોગની, રોઝવુડ, નેતર (અબનૂસ, રબર) વગેરે છે.

→ ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે, પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયાં દરમિયાન અહીંનાં વૃક્ષો પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે.

→ ભારતમાં ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને “મોસમી જંગલો’ના નામે પણ ઓળખવામાં આવે છે.

→ ભારતમાં ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોમાં (ખરાઉ જંગલો) સાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે.

→ ભારતમાં સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં જોવા મળે છે.

GSEB Class 6 Social Science Notes Chapter 13 ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

→ સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોમાં થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે વૃક્ષો થાય છે.

→ શંકુદ્રુમ જંગલોમાં ચીડ, દેવદાર, પાઇન (સિલ્વર ફર, ટ્યૂસ) વગેરે વૃક્ષો થાય છે.

→ ભારતમાં ભરતીનાં જંગલો (મૅન્ગવપશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના અને અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયાકિનારે આવેલાં છે.

→ભરતીનાં જંગલોમાં સુંદરી (પશ્ચિમ બંગાળ) અને ચેર(ગુજરાત)નાં વૃક્ષો જોવા મળે છે. ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે.

→ જંગલોના બે પર્યાવરણીય ફાયદાઃ

  • જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે.
  • જંગલો વરસાદ લાવે છે.

→ જંગલોના બે આર્થિક ફાયદાઃ

  • જંગલોમાંથી ઇમારતી લાકડું અને બળતણ માટેનું લાકડું મળે છે.
  • જંગલોમાંથી અનેક પ્રકારની ઔષધિઓ મળે છે.

→ વન્યજીવન :  આપણા દેશનાં જંગલોમાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કડાઓ વગેરે વન્યજીવો વસે છે.

→ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તે દેશના વિવિધ ભાગોમાં (ખાસ કરીને મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં) જોવા મળે છે.

→એકશિંગી ભારતીય ગેંડા અસમનાં જંગલોમાં જોવા મળે છે.

→ઘુડખર ભારતમાં કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકાં ક્ષેત્રોમાં જોવા મળે છે.

→ એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે.

→ ભારતમાં સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓની પ્રજાતિઓ વસે છે.

→ ભારતનાં ગુજરાત અને ઓડિશા રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે.

→ભારતનાં જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂરના ઠંડા પ્રદેશોમાંથી હજારો વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પાછાં જાય છે. આ પક્ષીઓ “યાયાવર પક્ષીઓ’ (ભટકતાં)ના નામે ઓળખાય છે.

→ અભયારણ્યની રચના જે-તે રાજ્ય સરકાર કરે છે.

→ રાષ્ટ્રીય ઉદ્યાનની રચના જે-તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે.

→ જૈવઆરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે.

→ ગુજરાતનાં અભયારણ્યો

  • બાલારામ અભયારણ્ય અને
  • નળ સરોવર પક્ષી અભયારણ્ય.

→ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો

  • ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને
  • વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન.

→ ગુજરાતમાં જેવઆરક્ષિત ક્ષેત્ર કચ્છના રણમાં આવેલું છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર ઈ. સ. 2008માં તેને જેવઆરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *