GSEB Class 10 Social Science Notes Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

   

This GSEB Class 10 Social Science Notes Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો Class 10 GSEB Notes

→ ભારત વસ્તીની સંખ્યામાં ચીન પછી દ્વિતીય ક્રમે છે તેમજ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

→ ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મસમભાવની વિશેષતા ધરાવે છે. દેશમાં વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, રીત-રિવાજો ધરાવતા લોકો વસે છે.

→ સાંપ્રદાયિકતા : ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તનાવ ઉત્પન્ન થાય છે.

→ અન્ય ધમની તુલનામાં પોતાના ધર્મને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ, પોતાનાં ધાર્મિક હિતોને વધુ મહત્ત્વ આપવું અને દરેક નાગરિકને સાંપ્રદાયિક દૃષ્ટિથી જોવો – આ વિચારધારા સમાજને વિઘટન તરફ લઈ જાય છે.

→ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવા માટેની સ્વતંત્રતા આપે છે.

→ રાષ્ટ્રીય લઘુમતી પંચની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતના લઘુમતી વગના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે કામ કરવાનો છે.

GSEB Class 10 Social Science Notes Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

→ જાતિવાદઃ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. પ્રાચીન સમયમાં સમાજરચના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ષો – શાતિઓ પર આધારિત હતી. જ્ઞાતિ-આધારિત રહેઠાણો અને વ્યવસાયો હતા. સમાજમાં કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હોવાથી તેઓ અન્ય જ્ઞાતિઓની તુલનામાં આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ.

→ સમાજની કેટલીક જાતિઓ દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશમાં રહેતી હતી. તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવને અન્ય પ્રજાસમૂહોથી અલગ હતું. અલગ વસવાટ, એકાકી જીવન અને ઓછા વળતરવાળા વ્યવસાયોને કારણે તેઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ.

→ ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોનાં કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે.

→ બંધારણની કલમ 341માં જબ્રાવ્યા પ્રમાણેની અનુસૂચિ (Schedules)માં સમાવિષ્ટ જાતિઓને ‘અનુસૂચિત જાતિઓ” (Scheduled Castes) અને બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિતchedules)માં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ’ (Scheduled Castes) કહેવામાં આવે છે.

→ અનુસૂચિત જનજાતિના લોકો મોટે ભાગે જંગલો કે પહાડી વિસ્તારોમાં વસે છે.

→ રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનુસૂચિત જાતિઓ માટે 15 ટકા જગ્યાઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.

→ સમાજના નબળા વર્ગોના ઉદ્ધાર, ક્યાણ, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનારને ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે. હિંદુઓમાં હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે.

→ નક્સલવાદનો ઉદ્ભવ છે, સ, 1987માં પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો હતો. પિપલ્સ વૉર સૂપ અને માઓવાદી – સામ્યવાદી કેન્દ્ર આ બે નક્સલવાદી સંગઠનો છે.

→ જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ત્રાસ, હિંસા, ભય, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે સર્જેલું વાતાવરણ “આતંકવાદ’ કહેવાય છે.

→ માત્ર હિંસા કે કોઈ રાજનીતિ અથવા ચોક્કસ નીતિ-આધારિત વિચારધારાથી પ્રેરાઈને કરાતી પ્રવૃત્તિને “આતંકવાદી પ્રવૃત્તિ’ કહી શકાય.

→ પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે, પોતાની જ સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને બળવાખોરી’ કહેવાય. બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગલી શકાય.

→ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદાં જુદાં બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે.

→ ઈ. સ. 1988 પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. સીમાપારથી સતત સહાય મેળવતા આતંકવાદીઓ બૉમ્બવિસ્ફોટ, અપહરણ, હત્યા વગેરે દ્વારા ભય ફ્લાવી રહ્યા છે. પરિણામે અનેક પંડિત કુટુંબોએ નાછૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે.

GSEB Class 10 Social Science Notes Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

→ આતંકવાદની સામાજિક અસરો સમાજને વિઘટન તરફ લઈ જાય છે. સમાજમાં ભય, અવ્યવસ્થા અને શાંતિ ઉત્પન્ન થાય છે. શિક્ષણ કથળે છે. લોકોમાં ભાઈચારાની ભાવના ઓછી થાય છે. સાંપ્રદાયિક ઝઘડાઓ સમાજવ્યવસ્થાને છિન્નભિન્ન કરે છે. આંતરવ્યવહાર ખોરવાય છે.

→ આતંકવાદની આર્થિક અસરો જે-તે પ્રદેશના વિકાસ પર માઠી અસર થતાં લોકો રોજગાર માટે સ્થળાંતર કરે છે. આતંકવાદીઓ ભય ઉત્પન્ન કરી નાણાં પડાવે છે. તેઓ માદક દ્રવ્યોની હેરાફેરી, કાળાં નાણાં જેવાં અસામાજિક કાર્યો કરે છે. મિલકતોને નુકસાન થતાં તેના પુનઃસ્થાપન માટે કરોડોનો ખર્ચ કરવો પડે છે. પ્રદેશના પરિવહન અને પર્યટન ઉદ્યોગને નુકસાન થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *