GSEB Class 10 Social Science Notes Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

This GSEB Class 10 Social Science Notes Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો Class 10 GSEB Notes

→ માનવીની વિકાસયાત્રામાં ખનીજ સંસાધનોનો ફાળો અમૂલ્ય છે. તેથી માનવીની વિકાસયાત્રાના કેટલાક મહત્ત્વના તબકકાઓ ખનીજોથી ઓળખાય છે. જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, બ્રેસ્યયુગ, લોહયુગ અને છેલ્લે અણુયુગ. તેથી જ કદાચ આધુનિક યુગને – “ખનીજયુગ” કહે છે.

→ આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજુ ગણાય છે. યુ.એસ.એ. અને રશિયા જેવી મહાસત્તાઓનો વિકાસ ખનીજોથી થયો છે.

→ દરેક ખનીજને તેનું ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે. જુદા જુદા પ્રકારના ખડકોમાંથી જુદા જુદા પ્રકારનાં ખનીજો મળે છે, જેમ કે

  • આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સૌનું, રૂપું વગેરે ધાતુમય ખનીજો મળે છે.
  • પ્રસ્તર ખડકોમાંથી ચૂનાના પથ્થર, જિસમ, કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે મળે છે,
  • રૂપાંતરિત ખડકીમાંથી પ્લેઇટ, આરસપહાણ, હીરા વગેરે મળે છે.

GSEB Class 10 Social Science Notes Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

→ ખનીજોનું સામાન્ય વર્ગીકરન્ન નીચે પ્રમાણે કરી શકાય? (1) ધાતુમય ખનીજો :

  1. કીમતી ધાતુમય ખનીજો સોનું, રૂપું (ચાંદી), પ્લેટિનમ વગેરે.
    • વજનમાં હલકી એવી ધાતુવાળાં ખનીજો મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, યઇટેનિયમ વગેરે.
    • સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો લોખંડ, તાંબું, સીસું, જસત, ક્લાઈ, નિલ વગેરે.
    • મિશ્રધાતુ બનાવવા વપરાતાં ખનીજો : મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે,
  2. અધાતુમય બનીજો ચૂનાના પથ્થર, ઍબ્રેસ્ટૉસ, અબરખ, ફ્લોરસ્પાર, જિસમ, સલ્ફર (ગંધક), હીરા વગેરે.
  3. સંચાલન શક્તિ માટે વપરાતાં ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.

→ લોખંડ (લોહ, અયસ્ક, Iron ore) : તે વિશ્વવ્યાપી મહત્ત્વ ધરાવતી સરતી, મજબૂત અને ટકાઉ ધાતુ છે. પોલાદરૂપે તેની મોટી માંગ છે. લોખંડની કાચી ધાતુઓના હેમેટાઇટ, મૅગ્નેટઈટ, લિમોનાઈટ અને સિડેરાઈટ એમ ચાર પ્રકારો છે. આ ખનીજોનું પહેલાં લોખંડના ઑક્સાઇડમાં રૂપાંતર કરી તેને મોટી વાતભઠ્ઠીમાં કોક અને ચૂના સાથે ગાળવામાં આવતાં તેમાંથી જે લોખંડ મળે છે, તે ઢળનું લોખંડ (ie Iron) કહેવાય છે. ઢાળના લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરતાં મળતું લોખંડ ઘડતરનું લોખંડ કહેવાય છે. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાં મળે છે. તેના પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે.

→ મેંગેનીઝ તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે, જે ઘડ્યું લવચીક, મજબૂત અને ઘસારા સામે ટકી શકે તેવું હોય છે. ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, ટિક, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી મળે છે. ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની ખામાંથી મેંગેનીઝ મળે છે.

→ તાંબું: તેને ટીપીને કોઈ પણ આકાર આપી શકાય છે. તેને જસત સાથે ભેળવતાં પિત્તળ અને કલાઈ સાથે ભેળવતાં કાંસું બને છે. સોના, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે. ભારતમાં ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તાંબાનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો છે. તે વિધુતનું સુવાહક છે. જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો રંગીન કાચ, સિક્કા, છાપકામ વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.

→ બૉક્સાઇટ: તે ઍલ્યુમિનિયમની કાચી ધાતુ છે. ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટરોધક તેમજ ટીપી શકાય તેવી હોવાથી તેનો ઉપયોગ વાસણો, વિમાનો, વીજળીના તાર, વિદ્યુત સાધનો, રંગો વગેરે બનાવવામાં થાય છે. ભારતમાં બૉક્સાઇટનું ઉત્પાદન ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં થાય છે. ગુજરાતમાં તે બીજા નંબરનું અગત્યનું ખનીજ છે. જામનગર અને કચ્છ જિલ્લાઓમાં તેનો મોટો જથ્થો છે.

→ અબરખ : વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તે પારદર્શક, અતુટ, સ્થિતિસ્થાપક, અગ્નિરક્ષક અને વિધુતનું અવાહક હોવાથી વીજસાધનો, રેડિયો, ટેલિકોન, વિમાન,મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન એબરખના ઉત્પાદનનો મુખ્ય રાજ્યો છે,

→ સીસું તેનું મુખ્ય ખનીજ શૈલેના નામે ઓળખાય છે, સૌનું નરમ પન્ન ભારે ધાતુ છે. તેનો ઉપયોગ મિશ્રધાતુ, ક્યૂઝ, સ્ટોરેજ બૅટરી, શસ્ત્રો, રંગ, કાચ, રબર વગેરે બનાવવામાં થાય છે, ભારતમાં સીસું મુખ્યત્વે રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાંથી મળે છે.

→ ચૂનાનો પથ્થર (લાઇમએન) : તેને ભઠ્ઠીમાં સખત તપાવવાથી તેમાંથી ચૂનો બને છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે. આ ઉપરાંત, તે લોખંડ-પોલાદ, કાગળ અને રંગ ઉઘોગોમાં, ખાંડના શુદ્ધીકરણમાં તેમજ ચૂનો, સોડા એંશ, કેલ્શિયમ કાર્બાઇડ વગેરે બનાવવા માટે વપરાય છે. ભારતમાં ચૂનાના પથ્થરના કુલ ઉત્પાદનના 70 % જેટલું ઉત્પાદન મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુમાં થાય છે. ગુજરાતના જૂનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી, ખેડા વગેરે જિલ્લાઓમાં ચૂનાનો પથ્થર વધુ પ્રમાણમાં મળે છે. જામનગર જિલ્લામાં મળતા ચૂનાના પથ્થરમાં ચૂનાનું તત્વ 07 % જેટલું છે.

→ સંચાલન શક્તિનાં ખનીજો દરેક રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધભક્ત રાખે છે, કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, અણુ – ખનીજો વગેરે સંચાલન શક્તિનાં ખનીજો છે.

GSEB Class 10 Social Science Notes Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

→ શક્તિ સંસાધનોને પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોમાં વહેંચવામાં આવે છે. પરંપરાગત શક્તિ સંસાધનો : કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ અને અશુ ખનીજો, બિનપરંપરાગત શક્તિ સંસાધનોઃ સૌરશક્તિ, પવનઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊજાં અને બાયોગેસ. શક્તિ સંસાધનોને ઉપયોગના આધારે તેમને વ્યાપારી (Commercial) 24 Butonu (Non-commercial) કહેવામાં આવે છે. ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે વ્યાપારી શક્તિ સંસાધનો છે; જ્યારે બળતણનું લાકડું, લક્કડિયો કોલસો, છાણાં વગેરે બિનવ્યાપારી શક્તિ સંસાધનો છે.

→ કોલસો : તે બળતણ તરીકે, કારખાનાંઓમાં ઊર્જાના સોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. ખનીજ કોલસો અશ્મીભૂત થયેલી વનસ્પતિ છે. આ કોલસાના નિમશિમાં અનેક સદીઓ લાગે છે. તેનો જથ્થો મર્યાદિત છે. તે નવેસરથી ઉત્પન્ન ન થઈ શકે તેવો ઊર્જાસ્ત્રોત છે. જળ અને જમીન પરનાં વરાળયંત્રથી ચાલતાં વાહનોમાં અને લોખંડ પિગાળવાની ભઠ્ઠીમાં તેનો બહોળો ઉપયોગ થવા લાગતાં કોલસાનું મહત્ત્વ ઘણું વધી ગયું. આજે તેનો મહત્તમ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાનાં કારખાનાંઓમાં થાય છે. કોલસો પ્રસ્તર ખડકોમાંથી મળે છે. તેમાં રહેલા કાર્બનના પ્રમાણ મુજબ તેના મુખ્ય ચાર પ્રકાર છે : (1) એન્થસાઇટ કોલસો, (2) બિટ્યૂમિનસ કોલસો, (3) લિગ્નાઇટ કોલસો અને (4) પીટ કોલસો. ભારતમાં મુખ્યત્વે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, જમ્મુ-કશ્મીર, લડાખ અને મધ્ય પ્રદેશમાં કોલસો મળે છે. (કોલસાની મુખ્ય ખાણો ઝરિયા, રાણીગંજ, બોકારો, ગિરિદિઠ અને કરણપુરમાં છે.) ગુજરાતમાંથી લિગ્નાઈટ કોલસો મળે છે.

→ ખનીજ તેલઃ તે પ્રસ્તર ખડકોમાં મળી આવે છે. તે પણ કોલસાની માફક જળચર જીવોના ટાવાથી બન્યું છે. ભારતના ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે :

  • ઉત્તર-પૂર્વનાં ક્ષેત્રો
  • ગુજરાતનાં તેલક્ષેત્રો
  • બૉમ્બે હાઈના તેલક્ષેત્રો
  • પૂર્વકિનારાનાં તેલક્ષેત્રો અને
  • રાજસ્થાનનાં તેલક્ષેત્રો.

ભારતમાં સૌપ્રથમ 1866માં અસમ રાજ્યના કૂવામાંથી તેલ મળી આવ્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલાં ખેડા જિલ્લાના લુણેજ ખાતે 1958માં તેલ મળ્યું હતું. આજે અંકલેશ્વર, મહેસાણા, ક્લોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમઘવાદ, ગાંધીનગર, વડેદરા, ભરૂચભાવનગર વગેરે સ્થળોએથી ખનીજ તેલ મળી આવે છે.

→ ખનીજ તેલનું શુદ્ધીકરણ : ભારતમાં ગુવાહાટી, બરીની, કોયલ, કોચીન, ચેન્નઈ, મથુરા, કોલકાતા, હલ્દિયા વગેરે સ્થળોએ ખનીજ તેલની રિફાઇનરીઓ કાર્યરત છે. વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ્લ ગુજરાતના જામનગર શહેરમાં આવેલું છે.

→ કુદરતી વાયુ તે ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયું છે. તે સસ્તો અને પ્રદૂષણ રહિત ઊર્જાસ્રોત ગવાય છે. ભારતમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, કાર્વરી બેસિન અને રાજસ્થાનમાં જેસલમેર ખાતે આવેલા છે. ગુજરાતમાં અંકલેશ્વર ખનીજ તેલ અને કુદરતી વાયુનો મોટો ભંવર ધરાવતું ક્ષેત્ર છે.

→ બિનપરંપરાગત ઊર્જાનાં સાધનો તેમાં સૌરઊર્જા, પવનઊર્જા, બાયોગેસ, ભૂતાપીય ઊર્જા અને ભરતી શક્તિનો સમાવેશ થાય છે.

19. સૌરઊર્જા પૃથ્વીનો મૂળ ઊર્જાસત સૂર્ય છે. ભારતમાં સૌરઊર્જા મેળવવામાં ઘણી પ્રગતિ થઈ છે. સૌરઊર્જાનો ઉપયોગ રસોઈ માટે, પાણી ગરમ કરવા માટે, રેફ્રિજરેટર ચલાવવા માટે અને રસ્તા પરની લાઇટમાં થઈ શકે છે. ગુજરાતમાં સૌરશક્તિથી ચાલતું એક શીતાગાર છાણી – વડોદરામાં સ્થાપવામાં આવ્યું છે. આ ઉપરાંત, વીજળી વગરનાં ગામોમાં દીવાબત્તી તેમજ ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભુજ પાસે માધોપુરમાં દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો સૌરઊજાં પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

→ પવનઊર્જા તે સૂર્ય ઊર્જાનું જ એક સ્વરૂપ છે. તે અખૂટ અને પ્રદૂષણ રહિત છે. આ ફેંકાયેલી ઉર્જાને પવનચક્કી દ્વારા એકઠી કરવામાં આવે છે. વિશ્વમાં ભારત પવનઊર્જા મેળવતો પાંચમો દેશ છે. ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરલ વગેરે પવનઊર્જા મેળવતાં રાજ્યો છે. ગુજરાતમાં કચ્છ-માંડવીમાં તથા જામનગર જિલ્લાના લાંબામાં વિન્ડ ફાર્મ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, જામનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓમાં પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.

→ બાયોગેસઃ ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, છાણ, માનવ મળમૂત્ર વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતો ગૅસ બાયોગૅસ’ કહેવાય છે. બાયોગૅસના પદાર્થો સડવાથી દહનશીલ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. ફક્ત છાણમાંથી મળતા ગૅસને ગોબર ગેસ’ કહે છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું કીમતી ખાતર બને છે. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં છે. અમદાવાદ નજીક રૂદાતલમાં અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.

→ ભૂતાપીય ઊર્જા ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જા ‘ભૂતાપીય ઊર્જા’ કહેવાય છે. ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, યુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. તેમાંથી ભૂતાપીય ઊર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છે.

→ ભરતીશક્તિ કેટલાક અખાતોમાં મોટી ભરતીના પાણીને બંધ વડે અવરોધીને ઓટ વખતે ધોધરૂપે ટર્બાઇન પર વહેવરાવવામાં આવે, તો વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ઈ. સ. 1968માં ફ્રાન્સે ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરી હતી. ભારતમાં વિશાળ દરિયાકિનારો હોવાથી ભરતીશક્તિ દ્વારા ઊર્જા મેળવવાની ઘણી શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં ભરતીશક્તિ દ્વારા ઊર્જા મેળવવાની યોજનાઓ અમલમાં મુકાઈ છે.

GSEB Class 10 Social Science Notes Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

→ ખનીજ સંરક્ષણ ખનીજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનીજ સંરક્ષણ. આજે દરેક દેશ નિકાસ વધારી હૂંડિયામણ મેળવવા ખનીજોનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. પરિણામે કેટલાંક ખનીજો ખૂટી જવાનો સંભવ ઊભો થયો છે. આથી ખનીજોનું સંરક્ષણ જરૂરી બન્યું છે.

→ ખનીજોનો ઉપયોગ વિવેકપૂર્ણ હોવો જોઈએ. તેમના ઉપયોગમાં નવીનીકરણ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી તે લાંબો સમય ચાલી શકે. ખલાસ થવાની અણી પર આવેલાં ખનીજોના વિકલ્પો શોધીને વાપરવા જોઈએ. ચોક્કસ અને અનિવાર્ય હોય ત્યાં જ ખનીજો વાપરવાં જોઈએ. ખનીજોનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખનીજોનો ફરી ફરીને અનેક વખત ઉપયોગ થાય તેવી પ્રક્રિયાને ઉત્તેજન આપવું જોઈએ. ખનીજોની જાળવણી અને સંવર્ધન અત્યંત આવશ્યક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *