GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

Gujarat Board GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો Important Questions and Answers.

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ભારત કેવું રાજ્ય છે?
A. રૂઢિવાદી
B. બિનસાંપ્રદાયિક
C. સાંપ્રદાયિક
D. હિંદુવાદી
ઉત્તર:
B. બિનસાંપ્રદાયિક

પ્રશ્ન 2.
ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?
A. ખ્રિસ્તી
B. પારસી
C. શીખ
D. મુસ્લિમ
ઉત્તર:
D. મુસ્લિમ

પ્રશ્ન 3.
ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ..
અથવા
કયું પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે?
A. ભાષાવાદ
B. પ્રદેશવાદ
C. જ્ઞાતિવાદ
D. સાંપ્રદાયિક્તા
ઉત્તર:
D. સાંપ્રદાયિક્તા

પ્રશ્ન 4.
બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
A. અંતિમ જનજાતિઓ
B. લઘુમતી જાતિઓ
C. અનુસૂચિત જાતિઓ
D. અનુસૂચિત જનજાતિઓ
ઉત્તર:
D. અનુસૂચિત જનજાતિઓ

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 5.
બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
A. બહુમતી જાતિઓ
B. અનુસૂચિત જનજાતિઓ
C. અનુસૂચિત જાતિઓ
D. લઘુમતી જાતિઓ
ઉત્તર:
B. અનુસૂચિત જનજાતિઓ

પ્રશ્ન 6.
અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. રાજ્યપાલ
D. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
B. રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 7.
દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?
A. 10 %
B. 21 %
C. 7.5 %
D. 15 %
ઉત્તર:
D. 15 %

પ્રશ્ન 8.
દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?
A. 7.5 %
B. 12 %
C. 9 %
D. 15 %
ઉત્તર:
A. 7.5 %

પ્રશ્ન 9.
પછાત જાતિઓ માટે શની સ્થાપના કરવામાં આવી છે?
A. આંબેડકર આયોગની
B. ગાંધી આયોગની
C. રાષ્ટ્રીય આયોગની
D. ઇન્દિરા આયોગની
ઉત્તર:
C. રાષ્ટ્રીય આયોગની

પ્રશ્ન 10.
કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?
A. રાષ્ટ્રવાદીઓ
B. આતંકવાદીઓ
C. ક્રાંતિકારીઓ
D. સમાજસેવકો
ઉત્તર:
B. આતંકવાદીઓ

પ્રશ્ન 11.
ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને , નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?
A. માઓ-સે-તુંગના
B. ચી-હવાંગ-ટીના
c. ડૉ. સિયા-યાત-સુનના
D. સુમો-યાત-સેનના
ઉત્તર:
A. માઓ-સે-તુંગના

પ્રશ્ન 12.
ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?
A. આંધ્ર પ્રદેશ
B. ઓડિશા
C. પશ્ચિમ બંગાળ
D. બિહાર
ઉત્તર :
C. પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 13.
આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?
A. વિઘટન
B. સંગઠન
C. એક્તા
D. રાષ્ટ્રપ્રેમ
ઉત્તર :
A. વિઘટન

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 14.
ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?
A. ગુજરાત
B. ઉત્તર પ્રદેશ
C. મહારાષ્ટ્ર
D. જમ્મુ-કશ્મીર
ઉત્તર :
D. જમ્મુ-કશ્મીર

પ્રશ્ન 15.
એન.એલ.એફ.ટી. ત્રિપુરા , ઉલ્લાઃ
A. નાગાલેન્ડ
B. પંજાબ
C. આંધ્ર પ્રદેશ
D. અસમ
ઉત્તર :
D. અસમ

પ્રશ્ન 16.
ભારત એક અ ધમ દેશ છે.
A. ઇસ્લામ
B. એક
C. બહુ
D. હિંદુ
ઉત્તર :
C. બહુ

પ્રશ્ન 17.
નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને “અસમ’ રાજ્ય સાથે સંબંધ નથી?
A. ઉલ્ફા
B બી.એલ.ટી.એફ.
C.યુ.એમ.એફ.
D. એમ.સી.સી.
ઉત્તર :
D. એમ.સી.સી.

પ્રશ્ન 18.
ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને ……………………… ની વિશેષતા ધરાવે છે.
A. સાંપ્રદાયિક
B. સર્વધર્મસમભાવ
C. સહિષ્ણુતા
ઉત્તરઃ
B. સર્વધર્મસમભાવ

પ્રશ્ન 19.
ધર્મ એ ……………………………….. વિષય છે.
A. શ્રદ્ધા
B. સદ્ભાવ
C. માનસિક
ઉત્તરઃ
A. શ્રદ્ધા

પ્રશ્ન 20.
સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય ………………….. કરી ન શકે છે.
A. પ્રાર્થના
B. બંધારણ
C. શિક્ષણ
ઉત્તરઃ
C. શિક્ષણ

પ્રશ્ન 21.
ભારતની સામાજિક સંરચના ……………………. પર આધારિત છે.
A. ભાષા
B. જ્ઞાતિ
C. સંપ્રદાય
ઉત્તરઃ
B. જ્ઞાતિ

પ્રશ્ન 22.
ભારતના લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ ……………………….. માં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે.
A. માતૃભાષા
B. રાષ્ટ્રભાષા
C. પ્રાદેશિક
ઉત્તરઃ
A. માતૃભાષા

પ્રશ્ન 23.
સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી ……………………….. ના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
A. મુખ્ય ન્યાયમૂર્તિ
B. વડા પ્રધાન
C. રાખ્રમુખ
ઉત્તરઃ
C. રાખ્રમુખ

પ્રશ્ન 24.
અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે ……………………….. અને આધાર ગણવામાં આવે છે.
A. અસ્પૃશ્યતા
B. ધર્મ
C. સંપ્રદાય
ઉત્તરઃ
A. અસ્પૃશ્યતા

પ્રશ્ન 25.
બંધારણના આર્ટિકલ ……… પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
A. 25
B. 17
C. 29
ઉત્તરઃ
B. 17

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 26.
બંધારણનો આર્ટિક્લ ……………………. ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે.
A. 16(4)
B. 15
C. 29
ઉત્તરઃ
B. 15

પ્રશ્ન 27.
………………………… એક વૈશ્વિક સમસ્યા છે.
A. સાંપ્રદાયિક્તા
B. ભાષાવાદ
C. આતંકવાદ
ઉત્તરઃ
C. આતંકવાદ

પ્રશ્ન 28.
………………… એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.
A. જ્ઞાતિવાદ
B. ભાષાવાદ
C. આતંકવાદ
ઉત્તર:
C. આતંકવાદ

પ્રશ્ન 29.
………………………. સમાજને વિઘટન તરફ દોરી જાય છે.
A. જ્ઞાતિવાદ
B. આતંકવાદ
C. ભાષાવાદ
ઉત્તર:
B. આતંકવાદ

પ્રશ્ન 30.
15 ઑગસ્ટ, …….ના રોજ ભારત સ્વતંત્ર થયું.
A. 1947
B. 1945
C. 1950
ઉત્તર:
A. 1947

પ્રશ્ન 31.
ઈ. સ. …………………… પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.
A. 1980
B. 1985
C. 1988
ઉત્તર:
C. 1988

પ્રશ્ન 32.
ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ. ………માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.
A. 1962
B. 1967
C. 1982
ઉત્તર:
B. 1967

પ્રશ્ન 33.
ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ……………………………… રાજ્યમાં શરૂ થયું.
A. પશ્ચિમ બંગાળ
B. અસમ
C. બિહાર
ઉત્તર:
A. પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 34.
એન.એસ.સી.એન. એ …………………. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. નાગાલૅન્ડ
B. અસમ
C. ત્રિપુરા
ઉત્તર:
A. નાગાલૅન્ડ

પ્રશ્ન 35.
ભારતમાં શરૂ થયેલ નક્સલવાદી આંદોલન ………………………… ની ક્રાંતિમાંથી પ્રેરણા લીધી હતી.
A. ફ્રાન્સ
B. ચીન
C. રશિયા
ઉત્તર:
B. ચીન

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 36.
ચીનની ક્રાંતિ ……………………….. ના નેતૃત્વ નીચે થઈ હતી.
A. ચી-હવાંગ-ટી
B. સુમો-યાત-સેન
C. માઓ-સે-તુંગ
ઉત્તર:
C. માઓ-સે-તુંગ

પ્રશ્ન 37.
કે.એન.એફ. (કુકી નેશનલ ફ્રન્ટ) એ ……………………. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. અસમ
B. ત્રિપુરા
C. મણિપુર
ઉત્તર:
C. મણિપુર

પ્રશ્ન 38.
કે.એન.એ. (કુકી નેશનલ આર્મી) એ …………………….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. મણિપુર
B. અસમ
C. નાગાલૅન્ડ
ઉત્તર:
A. મણિપુર

પ્રશ્ન 39.
એન.એલ.એફ.ટી. એ ………………………… રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. અસમ
B. ત્રિપુરા
C. મણિપુર
ઉત્તર:
B. ત્રિપુરા

પ્રશ્ન 40.
એ.ટી.ટી.એફ. એ …………………… રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. ત્રિપુરા
B. અસમ
C. નાગાલેન્ડ
ઉત્તર:
A. ત્રિપુરા

પ્રશ્ન 41.
ટી.યુ.જે.એસ. એ ………………………… રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. અસમ
B. નાગાલૅન્ડ
C. ત્રિપુરા
ઉત્તર:
C. ત્રિપુરા

પ્રશ્ન 42.
ઉલ્ફા (યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) એ …………………………. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. ત્રિપુરા
B. અસમ
C. નાગાલેન્ડ
ઉત્તર:
B. અસમ

પ્રશ્ન 43.
યુ.એમ.એફ. (યુનાઈટેડ માઈનોરિટી ફ્રન્ટ) એ …………………………. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. અસમ
B નાગાલૅન્ડ
C. મણિપુર
ઉત્તર:
A. અસમ

પ્રશ્ન 44.
એન.ડી.એફ.બી. (નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) એ ……………………. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. નાગાલૅન્ડ
B. ત્રિપુરા
C. અસમ
ઉત્તરઃ
C. અસમ

પ્રશ્ન 45.
બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) એ ……………………. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. ત્રિપુરા
B. મણિપુર
C. અસમ
ઉત્તરઃ
C. અસમ

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 46.
નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સ વિકલ્પ પસંદ કરો:

રાજ્ય બળવાખોરી સંગઠન
1. અસમ a. એન.એસ.સી.એન.
2. ત્રિપુરા b. કે.એન.એ.
3. મણિપુર c. ટી.યુ.જે.એસ.
4. નાગાલૅન્ડ d. યુ.એમ.એફ.

A. (1 – a), (2 – c), (3 – d), (4-b).
B. (1-b), (2 – d), (૩-a), (4 – c).
C. (1 – c), (2 – d), (3-b), (4-a).
D. (1 – d), (2 – c), (3 – b), (4 – a).
ઉત્તર :
D. (1 – d), (2 – c), (3 – b), (4 – a).

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
ભારતની સંસ્કૃતિ વિઘટનકારી અને સર્વધર્મસમભાવની વિશેષતા ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
સાંપ્રદાયિક્તા દૂર કરવાનું અસરકારક કાર્ય ધર્મ કરી શકે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
ભારતીય લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ રાષ્ટ્રભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ રામ્રમુખના આદેશ દ્વારા કરવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 9.
બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 10.
બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
અનુસૂચિત જનજાતિઓ સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 13.
બંધારણની ક્લમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 14.
આતંકવાદ જે-તે રાષ્ટ્રની સમસ્યા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 15.
આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 16.
બળવાખોરી એક વૈશ્વિક સમસ્યા છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 17.
ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ. 1948માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 18.
એન.એસ.સી.એન. એ નાગાલેન્ડ રાજ્યનું બળવાખોરી આંદોલન છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 19.
કે.એન.એફ. એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 20.
કે.એન.એ. એ મણિપુર રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 21.
એન.એફ.ટી.એફ. એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 22.
એ.ટી.ટી.એફ. એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 23.
ટી.યુ.જે.એસ. એ મણિપુર રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 24.
ઉલ્ફા એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 25.
યુ.એમ.એફ. એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 26.
એન.ડી.એફ.બી. એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 27.
બી.એલ.ટી.એફ. એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 28.
15 ઑગસ્ટ, 1948ના રોજ ભારત સ્વતંત્ર થયું.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 29.
ઈ. સ. 1988 પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 30.
આતંકવાદ સમાજને પ્રગતિ તરફ દોરી જાય છે.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ધર્મની દષ્ટિએ ભારત કેવું રાજ્ય છે?
ઉત્તરઃ
બિનસાંપ્રદાયિક

પ્રશ્ન 2.
ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે?
ઉત્તરઃ
હિંદુઓ

પ્રશ્ન 3.
ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?
ઉત્તરઃ
મુસ્લિમ

પ્રશ્ન 4.
કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ?
ઉત્તરઃ
સાંપ્રદાયિક

પ્રશ્ન 5.
ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?
ઉત્તરઃ
જ્ઞાતિ પર

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 6.
પ્રાચીન ભારતની સામાજિક સંરચના શાના પર આધારિત હતી?
ઉત્તરઃ
વર્ણવ્યવસ્થા પર

પ્રશ્ન 7.
ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશમાં કઈ જાતિઓ વસવાટ કરે છે?
ઉત્તરઃ
અનુસૂચિત જનજાતિઓ

પ્રશ્ન 8.
કયું પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે?
ઉત્તરઃ
સાંપ્રદાયિકતા

પ્રશ્ન 9.
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે?
ઉત્તરઃ
ભારત

પ્રશ્ન 10.
સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કર્યું શિક્ષણ આપી શકાતું નથી?
ઉત્તરઃ
ધાર્મિક

પ્રશ્ન 11.
બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ ? જાતિઓ કહેવાય છે?
ઉત્તરઃ
અનુસૂચિત જાતિઓ

પ્રશ્ન 12.
બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
ઉત્તરઃ
અનુસૂચિત જનજાતિઓ

પ્રશ્ન 13.
અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખ

પ્રશ્ન 14.
અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?
ઉત્તરઃ
અસ્પૃશ્યતાને

પ્રશ્ન 15.
કેન્દ્રના કયા સંસદગૃહમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટે બેઠક અનામત રાખવામાં આવી નથી?
ઉત્તરઃ
રાજ્યસભા

પ્રશ્ન 16.
બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?
ઉત્તરઃ
આર્ટિકલ 17

પ્રશ્ન 17.
કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?
ઉત્તરઃ
આતંકવાદીઓ

પ્રશ્ન 18.
પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી કઈ પ્રવૃત્તિ – ચલાવવામાં આવે છે?
ઉત્તરઃ
બળવાખોરી

પ્રશ્ન 19.
ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ ક્યા રાજ્યમાં થયો હતો?
ઉત્તરઃ
પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 20.
આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?
ઉત્તરઃ
વિઘટન

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 21.
નક્સલબારી વિસ્તાર કયા રાજ્યમાં આવેલ છે?
ઉત્તરઃ
પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 22.
આતંકવાદની તાત્કાલિક અસર જે-તે પ્રદેશની કઈ વ્યવસ્થા પર પડે છે?
ઉત્તરઃ
આર્થિક

પ્રશ્ન 23.
ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?
ઉત્તરઃ
જમ્મુ-કશ્મીર

પ્રશ્ન 24.
હજારો પંડિત કુટુંબો પોતાનું કયું વતન છોડીને શરણાર્થી તરીકે જીવી રહ્યાં છે?
ઉત્તરઃ
કશમીર

પ્રશ્ન 25.
આતંકવાદ કયા પ્રકારની સમસ્યા છે?
ઉત્તરઃ
વૈશ્વિક

પ્રશ્ન 26.
એકવીસમી સદીમાં કઈ બાબત માનવસમાજ માટે એક સમસ્યા બનેલ છે?
ઉત્તરઃ
આતંકવાદ

પ્રશ્ન 27.
કઈ સમસ્યા સમાજને વિઘટન તરફ દોરી જાય છે?
ઉત્તરઃ
આતંકવાદ

પ્રશ્ન 28.
કોના પરિણામે કશ્મીરનાં અનેક પંડિત કુટુંબોએ નાછૂટકે વતન – છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે?
ઉત્તરઃ
(સીમા પરના) આતંકવાદના

પ્રશ્ન 29.
કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ હતી?
ઉત્તરઃ
માઓ-ત્સ-તુંગના

પ્રશ્ન 30.
કયા દેશની ક્રાંતિથી પ્રેરણા લઈ ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું?
ઉત્તરઃ
ચીનની

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે?
અથવા
જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ અને છે અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ શરૂ કરવામાં આવી છે?
ઉત્તરઃ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં નીચે પ્રમાણે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે:

  • બંધારણના આર્ટિકલ 46ના રાજનીતિના એક મહત્ત્વના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે રાજ્ય પ્રજાના પછાત વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનાં શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે તેમજ સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે.
  • બંધારણના આર્ટિકલ 16 (4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં નાગરિકોના અમુક પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણમાં જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમને માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો અધિકાર રહેશે. આ માટે અનુસૂચિત જાતિઓ માટે 15 ટકા અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5 ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. શરૂઆતમાં આ અનામત પ્રથા કામચલાઉ ધોરણે 10 વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ ત્યારપછી આ સમયગાળો વધારવામાં આવ્યો છે.]
  • બંધારણના આર્ટિકલ 330, 332 અને 394 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના લોકો માટે રાજ્યોની વિધાનસભાઓમાં અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી.
  • દરેક રાજ્યની ગ્રામપંચાયતો અને નગરપાલિકાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.
  1. પંચવર્ષીય યોજનાઓમાં તેમનાં બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યાં છે અને શિષ્યવૃત્તિઓની યોજના અમલમાં મુકાયેલી છે.
  2. તેમના માટે વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે છે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે.
  3. સરકારી નોકરીઓમાં આ બંને જાતિઓના ઉમેદવારો માટે ઉંમર, ફી અને લાયકાતના ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે.
  4. તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમશાળાઓ શરૂ કરવામાં આવી છે.
  5. તેમના માટે મેડિક્લ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કૉલેજ કક્ષાએ તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. કૉલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક બૅન્કની યોજના શરૂ કરવામાં આવી છે.
  6. માર્ચ, 1992માં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ શતાબ્દી – દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. આ સંસ્થા નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવગરિમા માટે કામ કરનાર વ્યક્તિને “ડૉ. આંબેડકર પુરસ્કારથી સન્માને છે.
  7. આ બંને જાતિઓના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ તથા કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે.
  8. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે.

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો આતંકવાદ–એક વૈશ્વિક સમસ્યા
ઉત્તરઃ
આતંકવાદ માનવસમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન છે.

  • વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બન્યો છે.
  • તે માનવઅધિકારોનો હ્રાસ કરે છે.
  • તે થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય છે.
  • આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે-તે પ્રદેશમાં રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ અને અરાજકતા ફેલાવે છે.
  • આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્ણ, ઘાતકી કૃત્યો કરે છે.
  • તે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે.
  • આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓ પ્રકૃતિના સિદ્ધાંત – “જીવો અને જીવવા દો’નું સરેઆમ ઉલ્લંઘન કરે છે.
  • આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા, બૉમ્બ ફેંકવા, ઘાતક શસ્ત્રો સંતાડવાં અને તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઈજેક કરવાં, વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અપહૃત વ્યક્તિઓને મારી નાખવી, માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવાં વગેરે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે.

પ્રશ્ન 3.
ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખોઃ ઉત્તર-પૂર્વ ભારતમાં ચાલતી બળવાખોરી
ઉત્તર:
સ્વાતંત્ર્ય બાદથી આજ સુધી ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ઉદ્ભવેલી બળવાખોરી એક કાયમી સમસ્યા બની છે.

  • ભારતમાં બળવાખોરીએ દેશની એક્તા, અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ સામે મોટું જોખમ ઊભું કર્યું છે.
  • ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોની અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદાં જુદાં બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળોએ આ વિસ્તારની બળવાખોરીની સમસ્યાને જટિલ બનાવી છે.

ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં બળવાખોરી સંગઠનોઃ
1. નાગાલૅન્ડઃ આ રાજ્યમાં ચાલતી બળવાખોરી એ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં સૌથી જૂની છે. અહીં એન.એસ.સી.એન. (નેશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલૅન્ડ) નામનું સંગઠન ખૂબ સક્રિય છે.

2. મણિપુરઃ આ રાજ્યમાં કે.એન.એફ. (કુકી નેશનલ ફ્રન્ટ) અને કે.એન.એ. (કુકી નેશનલ આર્મી) નામનાં બે સંગઠનો સક્રિય છે.

૩. ત્રિપુરાઃ ત્રિપુરામાં ગેરકાયદેસર રહેતા લોકોને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે એન.એલ.એફ.ટી. (નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા) અને એ.ટી.ટી.એફ. (ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સ) નામનાં બે બળવાખોર સંગઠનો સક્રિય છે.

તેની પ્રતિક્રિયા રૂપે ગેરકાયદેસર રહેતા લોકોએ પણ પોતાનું ૨ ટી.યુ.જે.એસ. (ત્રિપુરા ઉપનીસિ જુપા સમિતિ) નામનું બળવાખોર સંગઠન રચ્યું છે.

4. અસમઃ ઉલ્ફા (યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) અને યુ.એમ.એફ. (યુનાઈટેડ માઈનોરિટી ફ્રન્ટ) અસમનાં મુખ્ય બે બળવાખોર સંગઠનો છે. તેમાં વિદેશી વિરોધી આંદોલનથી જન્મેલું ઉલ્લા સંગઠન ખતરનાક હિંસક પ્રવૃત્તિઓ કરે છે. આ ઉપરાંત, એન.ડી.એફ.બી. (નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) અને બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) નામનાં બે બળવાખોર સંગઠનો અલગ બોડોલૅન્ડની માગણી કરી રહ્યાં છે.

આ બળવાખોર સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માગણી અને પોતાનાં રાજકીય તથા આર્થિક હિતો સ્થાપિત કરવા તેમજ ગેરકાયદેસર
વસવાટ વગેરે પ્રશ્નો અંગે સંઘર્ષ થાય છે.
એ સંઘર્ષોને કારણે ઉત્તર-પૂર્વ ભારતનાં આ રાજ્યોની આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ?
ઉત્તર:
ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓઃ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્ઞાતિવ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું હતું. પ્રાચીન સમયની જ્ઞાતિવ્યવસ્થા ચાતુર્વણવ્યવસ્થા પર આધારિત હતી. તે સમયમાં સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્ર – આ ચાર વણ હતા. પ્રત્યેક જ્ઞાતિ પોતાને ફાળવેલ વ્યવસાય કરતી હતી.

  • એ સમયમાં જ્ઞાતિ-આધારિત વસવાટો અને વ્યવસાયો હતા. દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાય પ્રમાણે આવક મેળવતી હતી.
  • આમ, આવક જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી. તેથી એ જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ.

ભારતીય સમાજની કેટલીક જાતિઓઃ ભારતમાં બ્રિટિશકાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, મોટે ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં અલગ વસતી હતી.

  • તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય સામાજિક સમૂહોથી અલગ હતું.
  • એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ વસવાટ અને એકાકી જીવન જીવતા હતા. તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહિ.
  • તેઓ તેમના વિસ્તારમાં મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા વળતરવાળી પ્રવૃત્તિઓ કરે છે.
  • આમ, ઉપર્યુક્ત કારણોને લીધે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી રહી ગઈ.

પ્રશ્ન 2.
ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરી છે?
ઉત્તર:
ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે નીચેની બંધારણીય જોગવાઈઓ કરી છે:

  • ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે.
  • દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી.
  • રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા, બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે.
  • ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે.
  • લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો આપવામાં આવ્યા છે.
  • દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

પ્રશ્ન 3.
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત. જનજાતિઓની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી.

  • જે-તે રાજ્યના રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા આ બંને જાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે.
  • ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત – નબળા – બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયો દૂર કરી તેમનું રક્ષણ કરવા, સમાનતા અને ભાઈચારાથી તેમનામાં રહેલી સંકુચિતતાઓ નાબૂદ કરી તેમને સામાજિક દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા એ વર્ગો માટે ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે.
  • બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ- (Schedules)માં સમાવિષ્ટ જાતિઓને “અનુસૂચિત જાતિઓ (Scheduled Castes) કહેવામાં આવે છે.
  • બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ(Schedules)માં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ (Scheduled Castes) કહેવામાં આવે છે.
  • મોટે ભાગે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશમાં રહેતી, સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી તેમજ આર્થિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત જાતિઓને અનુસૂચિત – જનજાતિઓની અનુસૂચિમાં સમાવવામાં આવી છે.

પ્રશ્ન 4.
ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ ? જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર:
ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે નીચે પ્રમાણે જોગવાઈઓ કરવામાં આવી છેઃ

  • બંધારણના આર્ટિકલ 17 મુજબ “અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. કોઈ પણ સ્વરૂપે “અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરમાવવામાં આવી છે. “અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર ગુનો ગણાય છે.
    [વિશેષઃ કેન્દ્ર સરકારે બનાવેલા અસ્પૃશ્યતા નાબૂદીના કાયદા -1955 મુજબ અસ્પૃશ્યતાના ગુનાઓ માટે જરૂર પડે દંડ અને જેલની શિક્ષા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.].
  • બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે, જાહેર ગણી શકાય તેવી હિંદુ ધાર્મિક સંસ્થાઓને હિંદુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો બનાવવાનો અથવા એ અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે.
  • તેમાં હિંદુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓનો તેમજ “હિંદુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બોદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.

પ્રશ્ન 5.
ટૂંક નોંધ લખોઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ
ઉત્તરઃ
15 ઑગસ્ટ, 1947ના રોજ ભારતને આઝાદી મળી એ સાથે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં. એ સમયે પાકિસ્તાને કશ્મીરમાં સૈનિકો મોકલીને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો.

  • જમ્મુ-કશ્મીર ભારતનું જ અભિન્ન અંગ છે એ હકીકત નિર્વિવાદ છે. આમ છતાં, પાકિસ્તાને તેને મેળવવા ભારત સાથે ઈ. સ. 1948, 1985, 1971 અને 1999(કારગિલ)માં ચાર વાર યુદ્ધ કર્યા. તેમાં દરેક વખત પાકિસ્તાનનો પરાજય થયો.
  • ઈ. સ. 1988 પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. જમ્મુ-કાશ્મીરના આતંકવાદને સીમાપારથી સતત સહાય મળે છે. એટલું જ નહિ, આ આતંકવાદની છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો પણ સીમાપાર આવેલા વિસ્તારોમાં છે, તેવા અહેવાલો વારંવાર પ્રસિદ્ધ થયા છે.
  • સીમાપારથી તાલીમ અને અતિઆધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ-કશ્મીરમાં હત્યા, અપહરણ, બૉમ્બવિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે.
  • આથી જમ્મુ-કશ્મીરનાં અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. આજે આવાં હજારો કુટુંબો શરણાર્થી તરીકે જમ્મુ-કશ્મીરની બહાર જીવી રહ્યાં છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે?
ઉત્તર:
ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણથી વિરુદ્ધ છે.

  • આમ છતાં, કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તનાવ પેદા થાય છે. પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે.
  • કોઈ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધમોંની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને પોતાનાં ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે ત્યારે સમાજમાં વર્ગવિગ્રહ થાય છે.
  • તેઓ અન્ય ધર્મોના લોકોને સાંપ્રદાયિક દૃષ્ટિથી જુએ છે.
  • તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા રહે છે.
  • વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના વિરોધી માને છે, તેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે.
  • આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાની ઉગ્રતા સમાજને વિભાજન તરફ લઈ જાય છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 2.
લઘુમતી કોને કહેવાય?
ઉત્તર:
ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી. ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોકસમૂહને લઘુમતી કહેવાય. સામાન્ય રીતે દેશ કે કોઈ પ્રદેશની કુલ જનસંખ્યાના અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય.

  • લઘુમતી વિષેનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી.
  • રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક કે પ્રાદેશિક લઘુમતીઓ પણ હોય છે. તેથી રાષ્ટ્રીય સ્તરની લઘુમતીઓની સંકલ્પના રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં તદ્દન જુદી છે.
  • એટલે કે, કોઈ એક લોકસમુદાય રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તોપણ તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે છે અને રાજ્યની લઘુમતીનો કોઈ લોકસમુદાય રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે.

પ્રશ્ન 3.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ(Schedules)માં સમાવિષ્ટ જાતિઓને “અનુસૂચિત જાતિઓ (Scheduled Castes) અને બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ(Schedules)માં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ’ (Scheduled Castes) કહેવામાં આવે છે.

પ્રશ્ન 4.
બંધારણનો આર્ટિકલ 19 (5) રાજ્યપાલોને કઈ સત્તા આપે છે?
અથવા
બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે ખાસ કઈ જોગવાઈ કરવામાં આવી છે?
ઉત્તર:
બંધારણનો આર્ટિકલ 19 (5) રાજ્યપાલોને નીચેની સત્તાઓ આપે છે:

  • અનુસૂચિત જનજાતિઓના હિતમાં બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવ-જા કરવાના, વસવાટ કરવાના, મિલકત સંપાદન કરવાના અથવા કોઈ પણ વેપાર કે ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે.
  • આ સત્તાની રૂએ રાજ્યપાલો અનુસૂચિત જનજાતિઓના વિસ્તારોમાં જમીનની ફેરબદલી, નાણાંની ધીરધાર તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને શોષણ સામે રક્ષણ કરવા ખાસ કાયદાઓ બનાવી શકે છે.

પ્રશ્ન 5.
બળવાખોરી કોને કહેવાય? ભારતમાં આતંકવાદ અને બળવાખોરીએ શી અસર કરી છે?
ઉત્તરઃ
પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે, પોતાની જ સરકાર વિરુદ્ધ, સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને બળવાખોરી કહેવાય. બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય.

ભારતમાં આતંકવાદ અને બળવાખોરીએ દેશની એકતા,. અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ સામે મોટું જોખમ ઊભું કર્યું છે.

પ્રશ્ન 6.
ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને કયાં પરિબળો ઉત્તેજિત રાખે છે?
ઉત્તર:
ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદાં જુદાં બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે.

પ્રશ્ન 7.
આતંકવાદ એટલે શું?
ઉત્તર:
જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ,હિંસા, અસલામતી કે અરાજક્તા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય ? છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ “આતંકવાદી કહેવાય છે.
આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે.

પ્રશ્ન 8.
જમ્મુ-કશ્મીરનાં અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે?
ઉત્તર:
સીમાપારથી તાલીમ અને અતિઆધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ-કશ્મીરમાં હત્યા, અપહરણ, બૉમ્બવિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે. આથી જમ્મુ-કશ્મીરનાં અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે.

નીચેના વિધાનો કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીને ધાર્મિક વિશ્વાસ અપાવે છે.
ઉત્તરઃ
ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા લઘુમતીઓને બહુમતીઓની જેમ જ જાહેર શાંતિ, સલામતી અને એકતાની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની, ધાર્મિક ક્રિયાઓ કરવાની, તેનો પ્રચાર કરવાની અને તેના પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
લઘુમતીઓ પોતપોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, મુક્તપણે તેમનું સંચાલન કરી શકે છે, ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ફંડફાળો એકઠો કરી શકે છે તેમજ મિલકત પણ ધરાવી શકે છે. આમ, ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીઓને ધાર્મિક વિશ્વાસ અપાવે છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 2.
નબળા વર્ગો માટે બંધારણમાં વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.
ઉત્તર:
ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત – નબળા – બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયો દૂર કરી તેમનું રક્ષણ કરવા, સમાનતા અને ભ્રાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતાઓ નાબૂદ કરી તેમને સમાન દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક વિકાસ કરવા સમાન તકો આપવા બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કેવા લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
ભૌગોલિક એકલતા, સામાન્ય સમાજથી અલગ જીવન, ભિન્ન સંસ્કૃતિ તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણું ભોગવતા લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 2.
બંધારણના આર્ટિકલ 330, 332 અને 334માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે?
ઉત્તર:
બંધારણના આર્ટિકલ 330, 332 અને 334માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભામાં અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રશ્ન 3.
ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનવામાં આવે છે?
ઉત્તરઃ
સમાજના નબળા વર્ગોના ઉદ્ધાર, કલ્યાણ, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવગરિમા માટે કામ કરનારને ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે.

પ્રશ્ન 4.
ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને કયાં પરિબળો ઉત્તેજિત રાખે છે?
ઉત્તર:
ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે.

પ્રશ્ન 5.
નક્સલવાદી પ્રવૃત્તિ કયાં કયાં રાજ્યોમાં ચાલે છે?
ઉત્તર:
નક્સલવાદી પ્રવૃત્તિ પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, રે કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં ચાલે છે.

પ્રશ્ન 6.
મણિપુરમાં ક્યાં બળવાખોર સંગઠનો વધુ સક્રિય છે?
ઉત્તર:
મણિપુરમાં કે.એન.એફ. (કુકી નેશનલ ફ્રન્ટ) અને રે કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) આ બે બળવાખોર સંગઠનો વધુ સક્રિય છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રશ્ન 7.
ત્રિપુરામાં કયાં બળવાખોર સંગઠનો સક્રિય છે?
ઉત્તરઃ
ત્રિપુરામાં એન.એલ.એફ.ટી. (નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા), એ.ટી.ટી.એફ. (ઑલ ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ) અને ટી.યુ.જે.એસ. (ત્રિપુરા ઉપનીસિ જુપા સમિતિ) આ ત્રણ બળવાખોર સંગઠનો સક્રિય છે.

પ્રશ્ન 8.
અસમમાં કયાં બળવાખોર સંગઠનો સક્રિય છે?
ઉત્તરઃ
અસમમાં ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ), યુ.એમ.એફ. (યુનાઈટેડ માઈનોરિટી ફ્રન્ટ), એન.ડી.એફ.બી. (નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) અને બી.એલ.ટી.એફ. (બોડોલેન્ડ 3 લિબરેશન ટાઈગર ફોર્સ) આ ચાર બળવાખોર સંગઠનો સક્રિય છે.

યોગ્ય જોડકાં જોડોઃ

પ્રશ્ન 1.

‘અ’ ‘બ’
1. ભારત a. જ્ઞાતિ
2. ભારતની સામાજિક સંરચના b. અસ્પૃશ્યતાની નાબૂદી
3. બંધારણની કલમ 341 c. અનુસૂચિત જનજાતિઓ
4. બંધારણની કલમ 342 d. ધર્મનિરપેક્ષ દેશ
e. અનુસૂચિત જાતિઓ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. ભારત d. ધર્મનિરપેક્ષ દેશ
2. ભારતની સામાજિક સંરચના a. જ્ઞાતિ
3. બંધારણની કલમ 341 e. અનુસૂચિત જાતિઓ
4. બંધારણની કલમ 342 c. અનુસૂચિત જનજાતિઓ

પ્રશ્ન 2.

‘અ’ ‘બ’
1. કુકી નેશનલ ફ્રન્ટ a. ત્રિપુરા
2. એન.એસ.સી.એન b. અસમ
3. એન.એલ.એફ.ટી. c. મણિપુર
4. ઉલ્ફા d. મેઘાલય
e. નાગાલૅન્ડ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. કુકી નેશનલ ફ્રન્ટ c. મણિપુર
2. એન.એસ.સી.એન e. નાગાલૅન્ડ
3. એન.એલ.એફ.ટી. a. ત્રિપુરા
4. ઉલ્ફા b. અસમ

GSEB Class 10 Social Science Important Questions Chapter 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોનાં બળવાખોર સંગઠનો:

રાજય બળવાખોર સંગઠન
નાગાલૅન્ડ એન.એસ.સી.એન. (નેશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ)
મણિપુર 1. કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ).
2. કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી)
ત્રિપુરા 1. એન.એલ.એફ.ટી. (નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા)
2. એ.ટી.ટી.એફ. (ઑલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ)
3. ટી.યુ.જે.એસ. (ત્રિપુરા ઉપનીસિ જુપા સમિતિ)
અસમ 1. ઉલ્ફા (યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ)
2. યુ.એમ.એફ. (યુનાઈટેડ માઈનોરિટી ફ્રન્ટ)
3. એન.ડી.એફ.બી. (નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલેન્ડ)
4. બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ).

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *