Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ Textbook Questions and Answers

સંસ્કારની શ્રીમંતાઈ અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના [ ] માં દર્શાવો :

પ્રશ્ન 1.
જગમોહનદાસ એમના વર્તુળમાં “રાજા” નામથી ઓળખાતા હતા કારણ કે….
(ક) તેઓ સોહામણા હતા
(ખ) તેઓ શ્રીમંત હતા
(ગ) તેઓ બુદ્ધિશાળી હતા.
(ઘ) તેઓ પ્રતિભાશાળી હતા.
ઉત્તરઃ
(ખ) તેઓ શ્રીમંત હતા

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

પ્રશ્ન 2.
જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે…
(ક) તેઓ સાદગીભર્યું જીવન જીવવા માગતા હતા.
(ખ) બંગલામાં રહેવું ગમતું ન હતું.
(ગ) શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા.
(ઘ) સટ્ટામાં ફટકો પડતાં નુકસાન થયું હતું.
ઉત્તરઃ
(ઘ) સટ્ટામાં ફટકો પડતાં નુકસાન થયું હતું.

પ્રશ્ન 3.
ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે?
(ક) ભગવાનની આશિષ
(ખ) ભગવાનનો શાપ
(ગ) પતિની કુટેવો
(ઘ) ભાગ્યવિહીનતા
ઉત્તરઃ
(ક) ભગવાનની આશિષ

પ્રશ્ન 4.
પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે?
(ક) પિતાજીના
(ખ) પતિના
(ગ) દીકરીના
(ઘ) દાદાજીના
ઉત્તરઃ
(ઘ) દાદાજીના

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા? એક વાર એમને માથે કેવું સંકટ આવી પડ્યું?
ઉત્તર :
જગમોહનદાસ સટ્ટાનો ધંધો કરતા હતા. એક વાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું. એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડીઓ અને ઘરની અનેક કીમતી વસ્તુઓ વેચી નાખવી પડી.

એમનાં સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા જોતજોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયાં.

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

પ્રશ્ન 2.
જગમોહનદાસે લેખિકાની હાજરીમાં નિઃશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત મનોમન ખૂંચતી હતી?
ઉત્તરઃ
દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિઃશ્વાસ નાખ્યો; કારણ કે સુખસાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયાં; પરંતુ તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કોઈ કરી શકતા ન હતા.

આ વાત તેમને મનોમન ખૂંચતી હતી. તેમને આ ઉંમરે કોણ કામ આપે? આ વાતનું એમને દુઃખ હતું.

(નોંધઃ પાઠ્યપુસ્તક પૃષ્ઠ 42 પર દર્શન અને દયાળજીભાઈ વચ્ચે સંવાદ ચાલે છે. એટલે આ પ્રશ્નમાં જગમોહનદાસે લેખિકાની હાજરીમાં… નહિ, પણ દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં વાંચવું..

પ્રશ્ન 3.
સુમોહનને કઈ વાત કઠતી હતી? તેણે લેખિકાને શું કહ્યું?
ઉત્તરઃ
સુમોહનની ઇચ્છા પોતાની નાની વહાલી બહેન પ્રીતિને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી, પણ હવે એ પરિસ્થિતિ રહી નહોતી. એ વાત તેને કઠતી હતી. તેણે દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાંય હોશિયાર છે.

એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી અપાવશે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી. એને કારણે બહેનને જ સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે… આટલું કહેતાં તેનો અવાજ ભીનો થઈ ગયો.

પ્રશ્ન 4.
ઉત્પલાભાભી સુખની શી વ્યાખ્યા આપે છે?
ઉત્તરઃ
[ઉત્પલાભાભીએ સુખની વ્યાખ્યા આપી નથી, તેમને શેમાં આનંદ મળે છે તેની વાત છે. એ માટે જુઓ પૃષ્ઠ 89 પ્રશ્ન 1 (3)નો ઉત્તર)

પ્રશ્ન 5.
પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે?
ઉત્તરઃ
પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

પ્રશ્ન 6.
લેખિકા જેને કર્તવ્યભાવના કહે છે, એ પ્રીતિને મન શું છે? શા માટે?
ઉત્તરઃ
દર્શના જેને કર્તવ્યભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે; કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે.

સંસ્કારની શ્રીમંતાઈ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે, તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે? શા માટે?
ઉત્તરઃ
‘વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે. તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે; કારણ કે જગમોહનદાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલી હતી.

પ્રશ્ન 2.
આ કુટુંબકથાનાં પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
આ કુટુંબકથાનાં પાત્રોની વિશેષતા :
જગમોહનદાસઃ વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી.

દાદા દયાળજીભાઈઃ આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે. હવે તેમને ચાલવાની કસરત મળે છે એનો એમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી. એ વાત તેમને મનમાં ખૂંચે છે.

સુમોહનઃ સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશય વહાલી છે. એની ઇચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી; પરંતુ પરિસ્થિતિ બદલાતાં તે પોતાની ઇચ્છા પૂરી કરી શકે તેમ નથી. એનું એને દુઃખ છે.

ઉત્પલાભાભીઃ આ પરિસ્થિતિને ઉત્પલાભાભીએ હસતે મુખે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે.

તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એનો તેને અફસોસ નથી. તે આશાવાદી છે. તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે. ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘરખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે.

પાર્વતીબહેનઃ જગમોહનદાસનાં પત્ની પાર્વતીબહેન પોતાને ભાગ્યશાળી માને છે. પુત્રવધૂ ઉત્પલા એમને ઘરકામ કે મિલન – મૃણાલને તૈયાર કરવાનું કામ કરવા દેતી નથી. તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ વહુ મળી છે એ દાદાજીના પુણ્યના પ્રતાપે.

એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે. ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાનના આશિષ ગણે છે. તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈ કામ કરે છે ને તેઓ તેમાં કોઈ મદદ કરી શકતાં નથી.

પ્રીતિ જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્યભાવનાને જ શ્રીમંતાઈ માને છે. તેની દષ્ટિએ સુખસંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે.

આર્થિક દષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય, પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા છે એનો એને ગર્વ છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

પ્રશ્ન 3.
પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે, એવું પ્રીતિ માને છે. શા માટે?
ઉત્તરઃ
પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે; કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે.

આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ.

પ્રશ્ન 4.
આ કુટુંબકથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તે વિશે તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
આ કુટુંબકથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જોઈ છે. એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારનાં સુખ – સંપત્તિ છિનવાઈ ગયાં, તેઓ બેઘર થઈ ગયાં.

એ વખતે સગાસંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું. આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે “જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે શું કરવું એનો વિચાર સો કરતાં થયાં. પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની.

ભાડાના ઘરમાં રહેવા ગયાં અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું.

2. પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો :

પ્રશ્ન 1.
“મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.” – જગમોહનદાસના આ વિધાનને સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
“મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.” – દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી. એ દુઃખી કે નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

પ્રશ્ન 2.
“ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે” – વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કેવો સૂર પ્રગટે છે?
ઉત્તરઃ
“ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે.” – આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. આ વાક્યમાંથી એ સૂર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહિ. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું.

Std 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ Additional Important Questions and Answers

સંસ્કારની શ્રીમંતાઈ પ્રસ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
દર્શનાના પ્રશ્નનો દાદા દયાળજીભાઈએ શો જવાબ આપ્યો?
ઉત્તરઃ
દર્શનાના પ્રશ્નનો જવાબ આપતાં દાદા દયાળજીભાઈએ કહ્યું કે એમને કોઈ દુઃખ નથી. પહેલાની જેમ આજે પણ તેઓ બેઠા બેઠા રોટલા ખાય છે. એમને કોઈ વાતની તકલીફ નથી. રોજ સવારે ઊઠતાં જ મસાલો નાખેલી ગરમ ચાનો કપ એમની સામે હાજર થઈ જાય છે.

વહુ એમને પૂછીને રસોઈ બનાવે છે. એમની તબિયતને અનુકૂળ પડે એ માટે જુદુ રાંધે છે. રોજ બપોરે છાપું વાંચે છે ને સાંજે ફરવા જાય છે. મોટર નથી એટલે તેમને ચાલવાની કસરત મળે છે એટલે શરીરે સારું રહે છે.

[નોંધઃ પ્રશ્ન 1માં લેખિકા શબ્દ મૂક્યો છે પણ ત્યાં લેખિકા’ નહિ ‘દર્શના’ શબ્દ જોઈએ અને જગમોહનદાસને બદલે દાદા દયાળજીને બદલે શબ્દ હોવો જોઈએ.]

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
જગમોહનદાસ શેઠમાંથી નાના’ બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો.
ઉત્તર :
જગમોહનદાસ શેઠમાંથી નાના’ બની ગયા પછી તેમણે ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. ઘરનું કામ કરવા કેવળ એક જ ઘાટી રાખ્યો. રસોઈનું કામ સ્ત્રીવર્ગે ઉપાડી લીધું. તેમના ઘરમાં પહેલાં ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓની અવરજવર રહેતી.

એને બદલે હવે સામાન્ય માણસોની અવરજવર વધી હતી.

પ્રશ્ન 2.
પાર્વતીબહેન ઘરમાં શી રીતે મદદરૂપ થવા માગતાં હતાં? તેમની ઇચ્છા પૂરી થઈ?
ઉત્તરઃ
પાર્વતીબહેન સીવણકામ શીખીને અને ઘરમાં સંચો વસાવીને પરિવારને મદદરૂપ થવા માગતાં હતાં, પણ એમની એ ઇચ્છા પૂરી થઈ નહિ; કારણ કે એમને આંખે ઝાંખપ આવવા માંડી હતી. ડૉક્ટરે એમને આંખનું એક પણ કામ કરવાની ના પાડી હતી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

પ્રશ્ન 3.
દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી?
ઉત્તરઃ
દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કહી; કારણ કે એના ઘરનાં લોકોમાં કર્તવ્યભાવના હતી, પોતાની જાતને કુટુંબ માટે ઘસી નાખવાની ઝંખના હતી. દરેક વ્યક્તિમાં પ્રેમની સુવાસ જોઈને દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કહી.

3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા? કયા કયા?
ઉત્તર :
જગમોહનદાસના કુટુંબમાં કુલ આઠ સભ્યો હતા : જગમોહનદાસ, તેમનાં પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, છવ્વીસ વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધૂ ઉત્પલા, તેમનાં બે બાળકો મિલન તથા મૃણાલ અને તેમની સોળ વર્ષની પુત્રી પ્રીતિ.

પ્રશ્ન 2.
જગમોહનદાસના વૈભવ વિશે જણાવો.
ઉત્તરઃ
જગમોહનદાસ પાસે સાઠ લાખ રૂપિયાના ખર્ચે દરિયાકિનારે બંધાવેલો “આનંદ મહેલ’ નામનો આસમાની બંગલો હતો. એ બંગલો રાત્રે દીવાના ઝળહળાટમાં દેવોની અલકાપુરી જેવો લાગતો હતો. તેમને ઘેર છ મોટરગાડીઓ હતી અને અનેક નોકરચાકરો હતા.

પ્રશ્ન 3.
માણસના સ્વભાવમાં સમતુલા અને ઉદારતાનું નિરીક્ષણ ક્યારે કરવું જોઈએ?
ઉત્તર :
માણસના જીવનમાં જ્યારે આફતો આવી પડે છે ત્યારે એને પાઈપાઈના હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે. આવે વખતે એના સ્વભાવમાં કેટલી સમતુલા અને ઉદારતા રહે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ.

4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
લક્ષ્મીદેવીએ જગમોહનદાસ પર પોતાની કૃપા વરસાવવા શું કર્યું હશે?
ઉત્તરઃ
લક્ષ્મીદેવીએ જગમોહનદાસ પર પોતાની કૃપા વરસાવવા બેય હાથે તેમની આરતી ઉતારી હશે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

પ્રશ્ન 2.
જગમોહનદાસ પર આવી પડેલી વિપત્તિ કઈ કહેવતને સાર્થક કરે છે?
ઉત્તરઃ
જગમોહનદાસ પર પડેલી વિપત્તિ આ કહેવતને સાર્થક કરે છે. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને પણ લાવે છે.

પ્રશ્ન 3.
વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા?
ઉત્તર :
વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ પચાસ રૂપિયાના ભાડાના એક નાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા.

પ્રશ્ન 4.
વૈભવના ઊંચા આસને બેઠેલા માણસના સ્વભાવમાં શું જોવા મળે છે?
ઉત્તરઃ
વૈભવના ઊંચા આસને બેઠેલા માણસના સ્વભાવમાં અમીરી લાપરવાઈ જોવા મળે છે.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
જગમોહનદાસની પુત્રી પ્રીતિની બહેનપણીનું નામ શું છે?
A. ઝંખના
B. દીપ્તિ
C. પદ્મિની
D. દર્શના
ઉત્તરઃ
D. દર્શના

પ્રશ્ન 2.
જગમોહનદાસનાં બાળકો કેવા પારણામાં ઝૂલ્યાં હતાં?
A. લાકડાના
B. ચાંદીના
C. સોનાના
D. વાંસના
ઉત્તરઃ
C. સોનાના

પ્રશ્ન 3.
શ્રીમંતાઈ માણસના સ્વભાવને કેવો બનાવી દે છે?
A. અક્કડ
B. કોમળ
C. કઠોર
D. ઉદાર
ઉત્તરઃ
A. અક્કડ

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

પ્રશ્ન 4.
દર્શનાના મતે પ્રીતિ શેની સ્વામિની બની છે?
A. વિદ્યાની
B. ઘણા મોટા ધન(સંસ્કાર)ની
C. શૂરવીરતાની
D. અસંસ્કારની
ઉત્તરઃ
B. ઘણા મોટા ધન(સંસ્કાર)ની

6. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો : (પુણ્ય, ઉત્પલા, સ્વામિની, ખેલ)

(1) વિધાતાના ………………………….. માંયે અજબ વળાંકો રહ્યા હોય છે.
(2) ………………………….. તો ઘરકામમાં મને અડવા સુધ્ધાં દેતી નથી.
(3) એ તો છે દાદાજીના ………………………….. ના બળે.
(4) ઘણા મોટા ધનની ………………………….. બની છો, પ્રીતિ!
ઉત્તરઃ
(1) ખેલ
(2) ઉત્પલા
(3) પુણ્ય
(4) સ્વામિની

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) જગમોહનદાસ લોખંડનો વેપાર કરતા હતા.
(2) જગમોહનદાસના બંગલાનું નામ “આનંદ મહેલ’ હતું.
(3) સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ.
(4) દાદા એમનું મીઠું પણ કરમાયેલું હાસ્ય હસ્યા.
(5) તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા?
(6) ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું
(3) ખરું
(4) ખોટું
(5) ખરું
(6) ખરું

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

સંસ્કારની શ્રીમંતાઈ વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  • ઘર્ષણ = તકરાર, બોલાચાર્લી
  • વિપત્તિ = દુઃખ, આફત
  • ભાગ્યવિધાતા = બ્રહ્મા
  • આઘાત = પ્રહાર, ફટકો
  • ઔદાર્ય = ઉદારતા
  • નિઃશ્વાસ = નિસાસો
  • સાહેબી = સમૃદ્ધિ
  • આશ્વાસન = સાંત્વન, દિલસોજી
  • સરવાણી = ઝરણું
  • આડંબર = ડોળ, દંભ

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  • નોકર ✗ શેઠ
  • પરાજય ✗ વિજય
  • નુકસાન ✗ ફાયદો
  • શ્રીમંતાઈ ✗ ગરીબાઈ
  • હાજર ✗ ગેરહાજર
  • હોશિયાર ✗ ઠોઠ
  • હકારાત્મક ✗ નકારાત્મક
  • હર્ષ ✗ શોક

3. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:

  1. શંસ્કાર
  2. શ્રિમંતાઈ
  3. પુત્રવધુ
  4. અતીશયોકતિ
  5. વિસાદ
  6. આસવાસન
  7. કર્તવિય
  8. આરથીક

ઉત્તરઃ

  1. સંસ્કાર
  2. શ્રીમંતાઈ
  3. પુત્રવધૂ
  4. અતિશયોક્તિ
  5. વિષાદ
  6. આશ્વાસન
  7. કર્તવ્ય
  8. આર્થિક

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવોઃ

  • જગમોહનદાસ – જગને મોહનાર – ઉપપદ, જગમોહનનો દાસ – તપુરુષ
  • લક્ષ્મીદેવી – લક્ષ્મી જ દેવી – કર્મધારય
  • નોકરચાકર – નોકર અને ચાકર – દ્વન્દ્ર
  • ઘરકામ – ઘરનું કામ – તપુરુષ
  • કર્તવ્યભાવના – કર્તવ્યની ભાવના – તત્પરુષ
  • સુવાસ – સુ (સારી) વાસ – કર્મધારય

5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

વિધાતા, અવરજવર, સ્વામિની, ભાગ્યવાન, હોશિયાર, દીકરી
ઉત્તરઃ
અવરજવર, દીકરી, ભાગ્યવાન, વિધાતા, સ્વામિની, હોશિયાર

6. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત શબ્દો શોધીને લખો:

  1. લક્ષ્મીદેવી
  2. અવરજવર
  3. બેપરવાઈ
  4. અવારનવાર
  5. પારાવાર
  6. મિજલસ
  7. પાઈપાઈ
  8. નોકરચાકર

ઉત્તર :

  1. અવરજવર
  2. અવારનવાર
  3. પારાવાર
  4. પાઈપાઈ
  5. નોકરચાકર

7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • જગતને મોહિત કરનાર પરમાત્માનો સેવક – જગમોહનદાસ
  • પુત્રની પત્ની – પુત્રવધૂ
  • દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય – લાવલશ્કર
  • હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી – અતિશયોક્તિ
  • મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા – વરંડો, ઓસરી

8. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરોઃ

(1) બેય હાથે આરતી ઉતારવી – મહેરબાની કરવી
વાક્ય : સુયશની સમૃદ્ધિ જોતાં લાગે છે કે સાક્ષાત્ લક્ષ્મીજીએ સુયશની બેય હાથે આરતી ઉતારી હશે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

(2) ફટકો પડવો – નુકસાન થવું
વાક્ય : તુષારના ભાગીદારે વેપારમાં દગો દીધો એનાથી એને બહુ મોટો ફટકો પડ્યો.

(૩) પાણીના રેલા માફક વહી જવું – ઝડપથી નાશ પામવું
વાક્ય : શૈરબજારમાં અચાનક મંદી આવે ત્યારે ભલભલાની સંપત્તિ પાણીના રેલાની માફક વહી જાય છે.

(4) દિવસો ખેંચવા – સમય જેમતેમ વિતાવવો
વાક્ય : ભીષણ મોંઘવારીમાં મધ્યમવર્ગના લોકો માંડમાંડ દિવસો ખેંચતા હોય છે.

(5) વિષાદની રેખાઓ દોરાવી – દિલગીરી કે અફસોસનો ભાવ દેખાવો
વાક્ય : પરીક્ષામાં નાપાસ થતાં વસંતના ચહેરા પર વિષાદની રેખાઓ દોરાઈ.

(6) અવાજ ભીનો થઈ જવો – દુઃખથી હૈયું ભરાઈ આવતાં ગળગળા થઈ જવું
વાક્ય : માના મૃત્યુથી પાયલનો અવાજ ભીનો થઈ ગયો.

(7) બોજ હલકો કરવો – જવાબદારી ઓછી કરવી
વાક્યઃ મનહરે વ્યવસાયને સારી રીતે સંભાળી લઈને પિતાનો બોજ હલકો કરી નાખ્યો.

(8) પોતાને ઘસી નાખવું – ખૂબ કામ કરવું
વાક્ય : પતિના અવસાન પછી પત્નીએ પોતાને ઘસી નાખીને સંતાનોને સારું શિક્ષણ આપ્યું.

9. નીચે આપેલાં વાક્યોમાંથી સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવોઃ

  1. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા.
  2. મને તો એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ.
  3. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે “રાજા’ નામથી જ સંબોધાતા.
  4. પ્રીતિ કૉલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધ્ધાં દેતી નથી.
  5. પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત.
  6. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે.
  7. હું તો એને શ્રીમંતાઈ કહું છું.
  8. તે તું શું માને છે કે એ મારું નસીબ છે?

ઉત્તરઃ

  1. સાદું વાક્ય
  2. સંયુક્ત વાક્ય
  3. સંકુલ વાક્ય
  4. સંયુક્ત વાક્ય
  5. સંકુલ વાક્ય
  6. સાદું વાક્ય
  7. સાદું વાક્ય
  8. સંયુક્ત વાક્યો

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

સંસ્કારની શ્રીમંતાઈ Summary in Gujarati

સંસ્કારની શ્રીમંતાઈ પાઠપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ 1
કુન્દનિકા કાપડિયા [જન્મ ઈ. સ. 1927].

માનવીના જીવનમાં હંમેશાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી આવતાં જ હોય છે. આવે સમયે માનવી સહેજ પણ વિચલિત થયા વગર સ્વસ્થ ચિત્તે પરિસ્થિતિને સ્વીકારી લે અને એ પરિસ્થિતિમાં શાંતિથી જીવન જીવવાનો માર્ગ અપનાવે તો એ જ સાચા સંસ્કાર છે.

એને જ સંસ્કારની શ્રીમંતાઈ કહે છે. આ કુટુંબકથામાં લેખિકાએ જગમોહનદાસના જીવનમાં આવી પડેલી વિપત્તિની વાત કરી છે. એક સમય એવો હતો કે જગમોહનદાસ અને એમના પરિવારના સભ્યો સુખસંપત્તિમાં આળોટતા હતા, પરંતુ અચાનક ભાગ્યનું પાંદડું ફર્યું અને એમના પરિવાર પર ગરીબાઈનું મોજું ફરી વળ્યું.

આવે સમયે કુટુંબના તમામ સભ્યોએ કોઈનો પણ વાંક કાઢ્યા વગર, સહેજ પણ નિરાશ થયા વગર કે અફ્સોસ કર્યા વગર પરિસ્થિતિને શાંતિથી સ્વીકારી લીધી. તેઓ એકબીજાને મદદરૂપ થવાની ફરજ નિભાવતા રહ્યાં. આમ, જગમોહનદાસે અને એમના પરિવારના સભ્યોએ આવી પડેલી ગરીબાઈમાં પણ સંસ્કારની શ્રીમંતાઈ જાળવી રાખી.

ભાષાસજજતા

આ વાર્તામાં લેખિકાએ વિવિધ ભાષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે. ડૉક્ટર, પાર્ટી (અંગ્રેજી), મિજલસ, નસીબ (અરબી), જિંદગી, ચશ્માં (ફારસી). ઉપરાંત ગુજરાતી ભાષામાં મૂળ સંસ્કૃત શબ્દ જેને તત્સમ કહે છે અને તેના પરથી ઊતરી આવેલા તદ્ભવ શબ્દો પણ વપરાતા હોય છે. દા. ત.,
Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ 2

વિચારવિસ્તાર :

સૌપ્રથમ આપેલી પંક્તિઓ ધ્યાનથી વાંચવી. પછી એના અર્થને બરાબર સમજી લેવો. એમાંથી પ્રગટતા ભાવાર્થને અલગ તારવવો. ઘણી વાર ભાવાર્થને સ્પષ્ટ કરવા દષ્ટાંત, રૂઢિપ્રયોગ કે કહેવત મૂક્યા હોય છે. એના અર્થને સમજી એના આધારે ભાવાર્થને મનમાં ગોઠવવો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ

ત્યાર પછી વિચારવિસ્તારનો મુખ્ય વિચાર એક – બે વાક્યોમાં રજૂ કરવો. પછી આ મુખ્ય વિચારને વિચારવિસ્તારમાં આપેલાં દષ્ટાંત, રૂઢિપ્રયોગ કે કહેવત દ્વારા સ્પષ્ટ કરવો. અંતમાં એનું તાત્પર્ય દર્શાવવું.

છેલ્લે એ લખાણને એક વાર ધ્યાનથી વાંચી જવું અને ક્યાંક કોઈ ભાષાકીય ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી લેવી.

સંસ્કારની શ્રીમંતાઈ શબ્દાર્થ

  • આસમાની – આકાશ જેવા ભૂરા રંગનું, (અહીં) અદ્ભુત.
  • ઝળહળાટ – પ્રકાશ.
  • અલકાપુરી – સ્વર્ગ.
  • પાર નહિ – અપાર, પુષ્કળ.
  • પુત્રવધૂ – પુત્રની પત્ની. વૈભવી વૈભવવાળું, વૈભવશાળી.
  • ઘર્ષણ – તકરાર, બોલાચાલી,
  • વિધાતા – બ્રહ્મા,
  • વિધાતાના ખેલ – ભાગ્યની લીલા.
  • અજબ – આશ્ચર્યજનક.
  • સટ્ટો – તેજીમંદીનો ધંધો.
  • ભયંકર – ભયાનક.
  • વિપત્તિ – દુઃખ, આફત,
  • લાવલશ્કર – દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય, (અહીં) ચારે બાજુથી.
  • આઘાત – પ્રહાર, ફટકો.
  • પરાજય – હાર.
  • આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં – આંખના પલકારામાં, જોતજોતામાં.
  • સુધ્ધાં – સહિત, સાથે.
  • અતિશયોક્તિ – હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી.
  • અક્કડતા – તોર, ગર્વ.
  • અમીરી – શ્રીમંતાઈ.
  • બેપરવાઈ – પરવા વિનાનું.
  • અંચળો – કશુંક છુપાવવા માટેનું સાધન, પાલવ.
  • આફત – મુશ્કેલી.
  • પાઈ – પૈસો. Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ
  • સમતુલા – સમતા, સમજણ.
  • ઔદાર્ય – ઉદારતા.
  • અગવડ – મુશ્કેલી, જરૂરી સાધનો ન હોય તેવી સ્થિતિ.
  • પારાવાર – પુષ્કળ.
  • નિભાવવું – સાચવવું, ટકી રહેવું, (અહીં) સહન કરવું.
  • વરંડો – ખુલ્લી પડસાળ, ઓસરી.
  • નિઃશ્વાસ – નિસાસો.
  • સાહેબી – સમૃદ્ધિ.
  • જોશભેર – વધારે જુસ્સાથી.
  • બુઢ્ઢો – ઘરડો માણસ.
  • ખેંચવું – ખટકવું, ન ગમવું.
  • અવસ્થા – (અહીં) ઘડપણ.
  • વિલાવું – કરમાવું.
  • સરવાણી – ઝરણું.
  • કરુણા – દયા.
  • સંયોગ – પરિસ્થિતિ.
  • પરાજિત થવું – હારી જવું.
  • ઝૂકી જવું – નમી જવું.
  • પુરુષાર્થી – મહેનત કરનાર.
  • સુભગ – સુંદર, રમણીય.
  • સ્મિત – મંદ હાસ્ય.
  • શીળું – ઠંડું.
  • મિજલસ – જલસો, મેળાવડો.
  • રંજ – દુઃખ, દિલગીરી.
  • શોક – દુઃખ. Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ
  • ફાવટ – અનુકૂળતા, આદત.
  • સંપત્તિ – ધનદોલત.
  • આશિષ – આશીર્વાદ.
  • નિવારવું – દૂર કરવું.
  • ઝંખના – વારંવાર સ્મરણ, આતુરતા.
  • ખરે ટાંકણે – અણીને સમયે.
  • મા – (અહીં) નકારના અર્થમાં.
  • વિદન – અડચણ.
  • આડંબર – દંભ, ડોળ.
  • પતન – પડતી.
  • સંવાદિતા – એકરાગ, સહમતિ.
  • સ્વામિની – માલિકણ.

રૂઢિપ્રયોગ

  • બેય હાથે આરતી ઉતારવી – મહેરબાની કરવી.
  • ફટકો પડવો – નુકસાન થવું.
  • ખોઈ બેસવું – ગુમાવી દેવું.
  • પાણીના રેલા માફક વહી જવું – ઝડપથી નાશ પામવું.
  • સોનાના પારણામાં ઝૂલવું – શ્રીમંતાઈમાં ઉછરવું.
  • અક્કડતાથી સજાવી રાખવું – તોર કે ગર્વમાં જીવવું.
  • અંચળો પહેરવો – કશુંક છુપાવવા માટે સારા હોવાનો દેખાવ કરવો.
  • દિવસો ખેંચવા – જેમતેમ સમય વિતાવવો.
  • વિષાદની રેખાઓ દોરાવી – દિલગીરી કે અફ્સોસનો ભાવ દેખાવો.
  • અવાજ ભીનો થઈ જવો – દુઃખથી હૈયું ભરાઈ આવતાં ગળગળા થઈ જવું.
  • કરુણા ઊભરાઈ આવવી – અતિશય દયા આવવી.
  • લડત આપવી – સામનો કરવો. Class 8 Gujarati Textbook Solutions Chapter 17 સંસ્કારની શ્રીમંતાઈ
  • બોજ હલકો કરવો – જવાબદારી ઓછી કરવી.
  • ઘરકામમાં અડવા ન દેવું – ઘરકામ કરવા ન દેવું.
  • આંખે ઝાંખપ આવવી – આંખેથી ઓછું દેખાવું.
  • પોતાને ઘસી નાખવું – ખૂબ કામ કરવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *