GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

Gujarat Board GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા Textbook Questions and Answers, Intext Questions, Textbook Activites Pdf.

અન્તસ્ત્રોતોમાં સુધારણા Class 9 GSEB Solutions Science Chapter 15

GSEB Class 9 Science અન્તસ્ત્રોતોમાં સુધારણા Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
પાક-ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો, જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય.
ઉત્તર:
વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક-ઉત્પાદનની એક રીતે સંકરણ દ્વારા સંકર જાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે.

એક જ જાતિની ઉચ્ચ પસંદગીનાં લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે. સંકરણ દ્વારા મળતી સંકરજાતમાં બંને પિતૃનાં ઉચ્ચ લક્ષણો આનુવંશિક રીતે વહન પામે છે.

સંકર જાતમાં ઊંચી રોગપ્રતિકારક ક્ષમતા, નીપજની વધારે ગુણવત્તા, ઝડપી વૃદ્ધિદર, વધારે ઉત્પાદન ક્ષમતા વગેરે લક્ષણો પ્રાપ્ત થાય છે. આવી સંકરજાત કે સુધારેલી જાત ઉગાડવાથી વધારે ઉત્પાદન મળે છે.

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

પ્રશ્ન 2.
ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે?
ઉત્તર:
ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા, ભૂમિમાં ખનીજ પોષકો ઉમેરવા, સારી વાનસ્પતિક વૃદ્ધિ (પોં, શાખાઓ અને પુષ્પો) દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે.

પ્રશ્ન 3.
આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીથી શો લાભ થાય છે?
ઉત્તર:
આંતરપાક કે આંતરખેડના લાભઃ

  • પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે.
  • મજૂરી અને સમયનો બચાવ થાય છે.
  • રોગો અથવા રોગકારકોને એક જ પાકની બધી વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય છે.
  • બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે.

પાક-ફેરબદલીના લાભઃ

  • ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય કે છે.
  • ભૂમિના રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકાવે છે.
  • એક જ વર્ષમાં બે અથવા ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે.
  • ભૂમિમાં ચોક્કસ પોષક દ્રવ્યને ઓછું થઈ જતું અટકાવે છે.

પ્રશ્ન 4.
જનીનિક ફેરબદલી શું છે? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તે કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તરઃ
જનીનિક ફેરબદલી કૃષિપાકની જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવાની પદ્ધતિ છે. અથવા સજીવમાં ઇચ્છિત લક્ષણોવાળા જનીન ઉમેરી, તેના મૂળભૂત જનીનબંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા જનીનિક ફેરબદલી છે.

ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં જનીનિક ફેરબદલી દ્વારા જનીનિક રૂપાંતરિત પાકો (GMCs) મળે છે. તે સારી ગુણવત્તા, વહેલો અને ટૂંકો પરિપક્વતાનો ગાળો, પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા અને વધારે ઉત્પાદકતા જેવાં લક્ષણો માટે ઉપયોગી છે.

પ્રશ્ન 5.
ભંડારગૃહો(ગોદામો)માં અનાજને નુકસાન કેવી રીતે ? થાય છે?
ઉત્તરઃ
ભંડારગૃહો(ગોદામો)માં અનાજને નુકસાન જેવિક કારકો ફૂગ, ઇતરડી, બૅક્ટરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે.

આ પરિબળોથી સંગૃહીત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા(બીજ)ની અંકુરણક્ષમતામાં ઘટાડો થાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

પ્રશ્ન 6.
ખેડૂતો માટે પશુપાલન-પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે?
ઉત્તર:
ખેડૂતો માટે પશુપાલન-પ્રણાલીઓ નીચેની રીતે લાભદાયક છે

  • પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય છે.
  • દૂધ, ઈંડાં, માંસ, માછલી, મધનું ઉત્પાદન વધારે મેળવાય છે.
  • પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાથ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે.
    આ બાબતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ બને છે.

પ્રશ્ન 7.
પશુપાલનથી શું લાભ થાય છે?
ઉત્તરઃ
પશુપાલનથી નીચેના લાભ થાય છે:

  • દુધાળાં પ્રાણીઓની દુગ્ધસવણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે.
  • ખેતી ઉપયોગી (હળ ચલાવવા, સિંચાઈ, ભારવહન) કાર્ય માટેનાં પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે.
  • સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે.

પ્રશ્ન 8.
મરઘાંપાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી-ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે શું સમાનતાઓ છે?
ઉત્તર:
મરઘાંપાલન, મત્સ્ય-ઉછેર અને મધમાખી-ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે જાતોમાં સુધારણા, વસવાટ, આહાર, સ્વચ્છતા, રોગોનું નિયંત્રણ વગેરે સમાનતાઓ છે.

પ્રશ્ન 9.
પ્રગ્રહણ મત્સ્ય-ઉછેર, મેરિકલ્ચર (દરિયાઈ મત્સ્ય-ઉછેર) અને જલ-સંવર્ધનમાં શું તફાવત છે? [3 ગુણ)
ઉત્તરઃ
GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 1

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

GSEB Class 9 Science અન્તસ્ત્રોતોમાં સુધારણા Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 204]

પ્રશ્ન 1.
આપણને અનાજ (ધાન્ય), દાળ (કઠોળ) અને ફળો, શાકભાજીમાંથી શું મળે છે?
ઉત્તર:
આપણને અનાજ(ધાન્ય)માંથી કાબોદિત, દાળ(કઠોળ)માંથી પ્રોટીન અને ફળો, શાકભાજીમાંથી વિટામિન અને ખનીજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 205]

પ્રશ્ન 1.
જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક3 ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે?
ઉત્તરઃ
જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાકઉત્પાદનને નુકસાન પહોંચે છે.

પ્રશ્ન 2.
પાક-સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે?
ઉત્તર:
ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ, જ્યારે અનાજ માટે વામન છોડ એ પાક-સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 206]

પ્રશ્ન 1.
બૃહદ્ કે ગુરુ પોષક તત્ત્વ કયાં છે? અને તેમને ગુરુ પોષક તત્ત્વ કેમ કહે છે? [1 ગુણ)
ઉત્તર:
બૃહદ્ કે ગુરુ પોષક તત્ત્વઃ નાઇટ્રોજન, પોટેશિયમ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ અને સલ્ફર.
તેઓને ગુરુ પોષક તત્ત્વ કહે છે, કારણ કે વનસ્પતિને આ પોષક તત્ત્વો વધારે માત્રામાં જોઈએ છે.

પ્રશ્ન 2.
વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે?
ઉત્તરઃ
વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્ત્વોનું શોષણ કરીને પોષણ મેળવે છે.
વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક 16 પોષક તત્ત્વોમાંથી કાર્બન અને ઑક્સિજન હવામાંથી, હાઇડ્રોજન પાણીમાંથી અને બાકીનાં 13 પોષક તત્ત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે.

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 207]

પ્રશ્ન 1.
જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરના ઉપયોગની તુલના કરો.
ઉત્તર:
જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા સેન્દ્રિય ખાતર અને ખાતરના ઉપયોગની તુલના નીચે મુજબ છે:

સેન્દ્રિય ખાતર  ખાતર
1. તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનીજ પોષકો ઉમેરે છે. 1. તે ભૂમિમાં માત્ર ખનીજ પોષકો ઉમેરે છે.
2. તેના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મ જીવો અને અળસિયાંને ખોરાક મળી રહે છે. 2. તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયાંને નુકસાન થાય છે.
3. તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે. 3. તેનો વધારે પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે.
4. તે રેતાળ જમીનની જલસંગ્રહ  – ક્ષમતા વધારે છે અને ચીકણી (કાંપ) જમીનમાં પાણી એકત્ર થતું રોકે છે. 4. તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જલ  – પ્રદૂષણ પ્રેરે છે.
5. તે ભૂમિનો ભેજ જાળવી રાખી, ભૂમિનું ક્ષરણ અટકાવે છે. 5. તે ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ ઝડપી બને છે.

આમ, સેન્દ્રિય ખાતર જૈવિક ખાતર હોવાથી ખાતરની તુલનામાં ભૂમિની ફળદ્રુપતા વધારવા અને લાંબો સમય જાળવી રાખવા ઉપયોગી છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 208]

પ્રશ્ન 1.
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે? કેમ? [1 ગુણ)
(a) ખેડૂત ઉચ્ચ કક્ષાનાં બીજનો ઉપયોગ કરે, સિંચાઈ ન કરે અથવા ખાતરનો ઉપયોગ કરતો નથી.
(b) ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે અને ખાતરનો પણ ઉપયોગ કરે છે.
(c) ખેડૂત સારી જાતનાં બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે, ખાતરનો ઉપયોગ કરે છે અને પાક-સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે.
ઉત્તરઃ
(c) કારણ કે, સારી જાતનાં બીજ સિંચાઈમાં મળતા પાણી અને ખાતરમાંથી મળતાં પોષક દ્રવ્યો મેળવી ઝડપથી અંકુરણ પામે છે. સ્વસ્થ વૃદ્ધિ, વિકાસ ધરાવતો પાક મેળવે છે. પાક-સુરક્ષાની પદ્ધતિઓથી પાકને થતું નુકસાન રોકી વધારે ઉત્પાદન મેળવે છે. આમ, પરિસ્થિતિ (c)માં સૌથી વધારે લાભ થશે.

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 209]

પ્રશ્ન 1.
પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવ-નિયંત્રણ શા માટે સારું સમજવામાં માનવામાં) આવે છે?
ઉત્તરઃ
પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવ-નિયંત્રણ સારું માનવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણ માટે સલામત, અન્ય સજીવ સ્વરૂપો માટે બિનહાનિકારક, ભૂમિની ગુણવત્તાને અસર કર્યા વગર ચોક્કસ લક્ષ્ય (જંતુ) પર અસર કરે છે.

પ્રશ્ન 2.
સંગ્રહની પ્રક્રિયા દરમિયાન કયા કારકો અનાજને થત નુકસાન માટે જવાબદાર ગણવામાં આવે છે
ઉત્તર:
જુઓ પ્રશ્ન 30ના ઉત્તરમાં પાક-ઉત્પાદનને નુકસાનકારા જૈવિક અને અજૈવિક પરિબળો (ઘટકો).

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 210]

પ્રશ્ન 1.
પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે? અને શા માટે?
ઉત્તર:
પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, સંકરણ માટે ઇચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતાં, સંતતિમાં બંને પિતૃનાં ઇચ્છિત લક્ષણો મળે છે અને સુધારેલી જાત મળે છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 211]

પ્રશ્ન 1.
નીચે આપેલા વિધાનનું વિવેચન કરો
“એ રસપ્રદ છે કે ભારતમાં મરઘાં, ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે. (જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે.)”
ઉત્તરઃ
મરઘાં-પાલનનો પાયાનો ઉદ્દેશ ઈંડાં તેમજ મરઘાંના માંસનું ઉત્પાદન વધારવાનો છે. ખેત-ઉત્પાદનની આડપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર ખાદ્ય પદાર્થ તરીકે મરઘાં માટે યોગ્ય છે, પરંતુ મનુષ્ય માટે અયોગ્ય છે. આ ઓછા રેસામય આહારનો ઉપયોગ કરી મરઘાં ઊંચી ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડાં સાથે પીંછાં અને પોષક દ્રવ્યોયુક્ત ખાતર ઉત્પન્ન કરે છે.

આમ, ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે. તેને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડાંમાં પરિવર્તન કરવા માટે મરઘાં સૌથી વધારે સક્ષમ છે.

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

પ્રશ્ન 2.
પશુપાલન અને મરઘાંપાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે?
ઉત્તર:
પશુપાલન અને મરઘાંપાલનની પ્રબંધન પ્રણાલીમાં નીચેની બાબતોમાં સમાનતા જોવા મળે છે?

  • નિવાસ ડેરી પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ, હવાઉજાસયુક્ત, જંતુ રહિત નિવાસસ્થાન જરૂરી છે.
  • આહાર સારી ગુણવત્તાયુક્ત પ્રાણી-ઉત્પાદન માટે પશુઓ અને મરઘાંને સંતુલિત પોષણક્ષમ આહાર જરૂરી છે.
  • સ્વાથ્યઃ ડેરી પશુઓ અને મરઘાને વાઈરસ, બૅક્ટરિયા, ફૂગ વગેરે રોગકારકો સામે રક્ષણ આપી સ્વાથ્ય જાળવણી જરૂરી છે.

પ્રશ્ન 3.
બ્રોઇલર અને ઇંડાં આપવાવાળી (લેયર) મરઘીઓમાં શું ભેદ હોય છે? તેમનાં પ્રબંધનના ભેદને પણ સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
માંસ-ઉત્પાદન માટેની બ્રોઇલર મરઘી કરતાં ઈંડાંઉત્પાદનવાળી લેયર મરઘી કદમાં નાની હોય છે.
બ્રોઇલરના નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો લેયરથી કેટલાક અંશે અલગ હોય છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 213]

પ્રશ્ન 1.
માછલીઓ કેવી રીતે મેળવાય છે?
ઉત્તર:
માછલીઓ બે રીતે મેળવાય છે:

  • પ્રાકૃતિક સ્રોતમાંથી માછલી પકડીને અને
  • મત્સ્ય-પાલન (માછલીનું સંવર્ધન) કરીને મેળવાય છે.

પ્રશ્ન 2.
મિશ્ર મત્સ્ય-સંવર્ધનના શું લાભ છે?
ઉત્તર:
મિશ્ર મત્સ્ય-સંવર્ધનના લાભઃ

  • તળાવના પ્રત્યેક ૨ ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે.
  • એકસાથે એક જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતઓિનું સંવર્ધન કરી શકાય છે.
  • આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

પ્રશ્ન 3.
મધ-ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયાં ઐચ્છિક લક્ષણો હોય છે?
ઉત્તર:
મધ-ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપૂડામાં લાંબા સમય સુધી રહેવું, મધ એકત્રિત કરવાની વધુ ક્ષમતા, ઓછા ડંખ મારે વગેરે ઐચ્છિક લક્ષણો હોય છે.

પ્રશ્ન 4.
ચરાણ (ચારાગાહ) શું છે અને તે મધ-ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે?
ઉત્તર: ચરાણ (ચારાગાહ) એ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો (પુષ્પો) છે. પુષ્પોની જાતો અને તેમાંથી પ્રાપ્ત ખોરાક (મધુરસ અને પરાગ) પર મધના સ્વાદ અને મધની ગુણવત્તા સંબંધિત છે.

GSEB Class 9 Science અન્તસ્ત્રોતોમાં સુધારણા Textbook Activities

પ્રવૃત્તિ 15.1 [ પા.પુ. પાના નં. 209].

પ્રશ્ન 1.
જુલાઈ અથવા ઑગસ્ટના મહિનામાં નીંદણથી અસરગ્રસ્ત ખેતરનું અવલોકન કરો. ખેતરમાં આવેલા નીંદણ અને કીટકોની એક યાદી બનાવો.
ઉત્તર:

નીંદણ  કીટકો
1. ગાજરઘાસ (Parthenium)  1. તીઠ (Grasshopper)
2. યુફોર્નિયા હિરતા (Euphorbia hirta)  2. ઊધઈ (Termits)
3. રુએલિયા ટુબરોસા (Ruellia tuberosa)  3. જંતુ (Moths)
4. બોરહેવિયા ડિક્યુસા (Boerhavia diffusa)  4. લોકસ્ટ (Locust)

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

પ્રવૃત્તિ 15.2 [ પા.પુ. પાના નં. 209].

પ્રશ્ન 1.
અનાજ, કઠોળ અને તેલીબિયાંનાં બીજ એકત્રિત કરી હર્બોરિયમ બનાવો તેમજ તેઓને કઈ ઋતુ ઉગાડી શકાય અને કાપણી કરી શકાય તે જણાવો.
ઉત્તર:
GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 2

પ્રવૃત્તિ 15.3 [પા.પુ. પાના નં. 210].

પ્રશ્ન 1.
પશુપાલન ક્ષેત્રની મુલાકાત લો અને નીચે આપેલ બાબતો નોંધો:
(1) પશુઓની સંખ્યા અને વિવિધ પ્રકારની જાતોની સંખ્યા નોંધો.
ઉત્તર
પશુઓની સંખ્યા: 68
GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 3

(2) વિવિધ જાતો દ્વારા દરરોજ મેળવાતા દૂધની માત્રાની નોંધ કરો.
ઉત્તર
GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા 4

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

પ્રવૃત્તિ 15.4 [પા.પુ. પાના નં 211]

પ્રશ્ન 1.
મરઘાં પાલન કેન્દ્રમાં જાઓ ત્યાં વિવિધ પ્રકારની જાતોનું અવલોકન કરો.
ઉત્તરઃ
મરઘાં પાલન કેન્દ્રમાં એસીલ, પીલા, યાકુબ અને કાજલ દેશી જાતો તેમજ લેહૉર્ન વિદેશી જાત છે.

પ્રશ્ન 2.
તેઓને આપવામાં આવતો આહાર, તેઓના નિવાસ અને પ્રકાશની સુવિધાઓને નોંધો. ઈંડાં આપવાવાળી લેયર અને બ્રોઇલરને ઓળખો.
ઉત્તર:
તેમનો આહાર પ્રોટીન અને ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો તથા
વિટામિન A અને K ધરાવતો હોય છે.
તેમનું નિવાસ સ્વચ્છ, યોગ્ય પ્રકાશ ધરાવતું, હવાઉજાસયુક્ત અને ખુલ્લું હોય છે.
ઈંડાં મૂકનાર લેયરનું કદ નાનું હોય છે. જ્યારે બ્રોઇલર થોડું મોટું કદ ધરાવે છે.

GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા

પ્રવૃત્તિ 15.5 [પા.પુ. પાના નં. 213]

  • માછલીઓના પ્રજનનકાળમાં મત્સ્ય-ખેતરની મુલાકાત લો અને નીચે લખેલાં સ્થાનોનું અવલોકન કરો.
  • તળાવોના પ્રકાર
  • ખેતર(ફાર્મ)માં પ્રયુક્ત આહારમાં આવેલાં તત્ત્વો

પ્રશ્ન 1.
જાણો કે ખેતરના મત્સ્ય-ઉત્પાદનની ક્ષમતા શું છે?
ઉત્તર:
ખેતરના મત્સ્ય-ઉત્પાદનની ક્ષમતા વધારે છે. મત્સ્ય-ખેતર સામાન્ય રીતે તળાવમાં મિશ્ર મત્સ્ય-સંવર્ધન પદ્ધતિથી કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *