GSEB Solutions Class 7 Social Science Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો

   

Gujarat Board GSEB Textbook Solutions Class 7 Social Science Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો Textbook Exercise and Answers.

રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો Class 7 GSEB Solutions Social Science Chapter 1

GSEB Class 7 Social Science રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:

પ્રશ્ન 1.
રાણીની વાવ કોણે બંધાવી હતી?
ઉત્તર:
રાણીની વાવ (રાણકી વાવ) પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતિએ બંધાવી હતી.

પ્રશ્ન 2.
ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા?
ઉત્તર:
ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી (અજમેરની ઉત્તરે આવેલ સાંભર) નામના સ્થળે શાસન કરતા હતા.

GSEB Solutions Class 7 Social Science Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો

પ્રશ્ન 3.
અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તરઃ
પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ (સરસ્વતી નદીના કિનારે) અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.

પ્રશ્ન 4.
વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?
ઉત્તરઃ
કર્ણદેવ વાઘેલા વાઘેલાવંશનો છેલ્લો શાસક હતો.

2. (અ) ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
રાજપૂતોના ગુણો
ઉત્તરઃ
રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતાઃ

  1. રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા.
  2. તેઓ રણભૂમિમાં કદાપિ પાછી પાની કરતા નહિ. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયાં કરતા અર્થાત્ મૃત્યુને ભેટતા.
  3. તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા.
  4. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા.
  5. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહિ.

પ્રશ્ન 2.
રાજપૂતયુગનો વેપાર-વાણિજ્ય
ઉત્તરઃ

  1. રાજપૂતયુગમાં રાજ્યની વેપાર-વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો.
  2. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો.
  3. એ સમયે જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂતયુગમાં જમીન પરનો કર ‘ભાગ’ નામથી ઓળખાતો હતો.
  4. રાજપૂતયુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાનાં થાણાં પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો.

GSEB Solutions Class 7 Social Science Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો

(બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1.
ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં નામ જણાવો.
ઉત્તરઃ
ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોનાં નામ આ પ્રમાણે છે:

  1. ગઢવાલવંશ
  2. ચંદેલવંશ
  3. પરમારવંશ
  4. ચૌહાણવંશ
  5. સોલંકીવંશ
  6. ચૌહાણ વંશ
  7. ચાવડાવંશ
  8. સોલંકીવંશ
  9. વાધેલાવંશ
  10. પાલવંશ
  11. સેનવંશ વગેરે.

[વિદ્યાર્થીઓએ પ્રશ્નના ઉત્તરમાં ઉપર્યુક્ત રાજવંશોમાંથી કોઈ પણ ત્રણ રાજવંશોનાં નામ લખવાં.]

પ્રશ્ન 2.
દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં છે નામ જણાવો.
ઉત્તર:
દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોનાં નામ આ પ્રમાણે છે:

  1. ચાલુક્યવંશ
  2. રાષ્ટ્રકૂટવંશ
  3. યાદવવંશ
  4. હોયસલવંશ
  5. વરંગલવંશ
  6. પલ્લવવંશ
  7. ચોલવંશ
  8. પાંડ્યવંશ
  9. ચેરવંશ વગેરે.

[વિદ્યાર્થીઓએ પ્રશ્નના ઉત્તરમાં ઉપર્યુક્ત રાજવંશોમાંથી કોઈ પણ ત્રણ રાજવંશોનાં નામ લખવાં.]

પ્રશ્ન 3.
ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?
ઉત્તરઃ
ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહ હતો. તેનું મૂળ નામ ઝફરખાન હતું.

પ્રશ્ન 4.
રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં કયાં કયાં કાર્યો કર્યા હતાં?
અથવા
કારણો આપોઃ મીનળદેવી આદર્શ રાજમાતા હતાં.
ઉત્તરઃ
રાજમાતા મીનળદેવી પ્રજાવત્સલ હતાં. તે પ્રજાના કલ્યાણનાં કામો કરવા માટે હંમેશાં તત્પર રહેતાં હતાં. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્રો કામો કર્યા હતાં. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં.

ખરેખર, મીનળદેવી આદર્શ રાજમાતા હતાં.

GSEB Solutions Class 7 Social Science Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો

3. (અ) નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?
A. પુલકેશી બીજાના
B. હર્ષવર્ધનના
C. મિહિરભોજના
D. અશોકના
ઉત્તરઃ
B. હર્ષવર્ધનના

પ્રશ્ન 2.
બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?
A. જેજાકભુક્તિ
B. ઉજ્જયની
C. પ્રતિહારો
D. ચૌલુક્ય
ઉત્તરઃ
A. જેજાકભુક્તિ

પ્રશ્ન ૩.
માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
A. કુમારપાળ
B. ભોજ
C. સીયક
D. મુંજ
ઉત્તરઃ
A. કુમારપાળ

પ્રશ્ન 4.
આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
A. ચંદેલવંશનું
B. પરમારવંશનું
C. પાલવંશનું
D. પ્રતિહારોનું
ઉત્તરઃ
C. પાલવંશનું

પ્રશ્ન 5.
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
A. ચાવડાવંશના
B. સોલંકીવંશના
C. વાઘેલાવંશના
D. મૈત્રકવંશના
ઉત્તરઃ
B. સોલંકીવંશના

GSEB Solutions Class 7 Social Science Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો

(બ) યોગ્ય જોડકાં જોડો:

વિભાગ ‘અ’ (રાજ્યો) વિભાગ બ’ (શાસકો)
(1) સેનવંશ (A) નરસિંહ વર્મન બીજો
(2) સોલંકીવંશ (B) ગોવિંદ ત્રીજો
(3) પાલવંશ (C) વિજયસેન પ્રથમ
(4) રાષ્ટ્રકૂટવંશ (D) ગોપાલ
(5) પલ્લવવંશ (E) કુમારપાળ
(F) ભોજા

ઉત્તરઃ

વિભાગ ‘અ’ (રાજ્યો) વિભાગ બ’ (શાસકો)
(1) સેનવંશ (C) વિજયસેન પ્રથમ
(2) સોલંકીવંશ (E) કુમારપાળ
(3) પાલવંશ (D) ગોપાલ
(4) રાષ્ટ્રકૂટવંશ (B) ગોવિંદ ત્રીજો
(5) પલ્લવવંશ (A) નરસિંહવર્મન બીજો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *