GSEB Class 8 Social Science Notes Chapter 11 ખેતી

   

This GSEB Class 8 Social Science Notes Chapter 11 ખેતી covers all the important topics and concepts as mentioned in the chapter.

ખેતી Class 8 GSEB Notes

→ વિશ્વના આશરે 50 % લોકો કૃષિ પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. દેશના આશરે બે તૃતીયાંશ લોકો ખેતી પર નિર્ભર છે. ભારતમાં થતા ધાન્ય પાકો ખોરાક તરીકે અને રોકડિયા પાકો કૃષિ આધારિત ઉદ્યોગોના કાચા માલ તરીકે ઉપયોગમાં આવે છે. ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે.

→ જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને “ખેતી’ કહેવામાં આવે છે. ખેતીને કૃષિ” પણ કહેવામાં આવે છે,

→ ખેતી માટે અનુકૂળ જમીન, પાણી, બિયારણ, ખાતરો, જેતુનાશકો અને આબોહવા આવશ્યક છે.

→ બીજ, ખાતરો, મશીનરી (યંત્રો), જંતુનાશકો, ગોદામો, મજૂર (શ્રમ) વગેરે કૃષિમંત્રનાં અગત્યનાં રોકાણો છે.

GSEB Class 8 Social Science Notes Chapter 11 ખેતી

→ ખેડ કરવી, વાવણી, સિંચાઈ, નીંદણ, કાપણી, લણણી વગેરે કષિતંત્રની ક્રિયાઓ છે.

→ કૃષિમંત્રની ઊપજ અંતર્ગત પાક, ઊન, ડેરી, મરઘા ઉછેર વગેરે આવે છે.

→ જમીનના પ્રકાર (Types of soil) :
1. કાંપની જમીન (Alluvia soil) : તે નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તે ચીણી અને ઘેરા રંગની હોય છે. દેશના ઘણા મોટા વિસ્તારમાં કાંપની જમીન ફેલાયેલી છે. ગુજરાતમાં લગભગ 50 % કરતાં વધુ વિસ્તારમાં કાંપની જમીનો આવેલી છે. તેની ફળદ્રુપતા જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જોવા મળે છે. કાંપની જમીન ખૂબ જ ઉપજાઉં હોય છે. તેમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે.

2. રાતી જમીન (Red soil): તે આગ્નેય (અગ્નિકૃત) અને રૂપાંતરિત ખડકો ધરાવતા વિસ્તારોમાં આવેલી છે. લોહતત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે તે રાતા રંગની દેખાય છે. ઊંડાઈએ જતાં તે પીળા રંગની બની જાય છે, તે પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. તેમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે.

3. કાળી જમીન (Black soil) : તે ચીકણી, કસવાળી અને ફળદ્રુપ હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંઘરી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકુળ હોવાથી તે ‘કપાસની કાળી જમીન’ તરીકે ઓળખાય છે. તે રેગુર’ નામે પણ જાણીતી છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાકો તેમજ અડદ જેવો કઠોળ વર્ગનો પાક લેવામાં આવે છે.

4. પડખાઉ કે લેટેરાઇટ જમીન (Laterite soil) : વધારે વરસાદને કારણે તીવ્ર ધોવાણના વિસ્તારોમાં પડખાઉ કે લેટેરાઇટ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને લીધે જમીનના ઉપરના સ્તરમાંથી પોષકતત્ત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઊતરે છે. તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન (લોહ) ઑક્સાઇડને આભારી છે. કેટલાક વિસ્તારોમાં તેની ઉપલી સપાટી સુકાઈ જાય છે ત્યારે તે સખત બની જાય છે. આ પરિસ્થિતિમાં એ જમીન ખેતીલાયક રહેતી નથી. પડખાઉ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે.

5. રણપ્રકારની જમીન (Desert soil) : આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારમાં આવેલી છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. આ પ્રકારની જમીન ભારતમાં રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબ તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવેલી છે.

6. પર્વતીય જમીન (Mountain soil) : પર્વતીય જમીન મુખ્યત્વે હિમાલયના સામાન્ય ઊંચાઈના વિસ્તારોમાં તેમજ દેવદાર, ચીડ અને પાઇનનાં વૃક્ષોનાં વિસ્તારમાં આવેલી છે. તેનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે.

7. જંગલ પ્રકારની જમીન (Forest soil) : આ જમીન દેશમાં મર્યાદિત ક્ષેત્રોમાં આવેલી છે. જંગલોનાં વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી અર્ધીની જમીન ઢંકાયેલી હોય છે. પાંદડાં સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતાં જમીનનો ઉપરનો ભાગ કાળો પડી જાય છે, જમીન-તળમાં નીચેની તરફ જતાં આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે.

8. દલદલ કે પીટ પ્રકારની જમીન (Marshy and Peaty soil) : આ પ્રકારની જમીન પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુના દરિયાકિનારાના ભાગોમાં જોવા મળે છે. તે ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. તેમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિક્તા હોય છે, વષત્રિનું દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. જ્યારે પાણી ઓસરી જતાં જમીન ખુલ્લી થાય છે ત્યારે તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. – ભૌગોલિક પરિસ્થિતિઓ, ઉત્પાદનની માંગ, સિંચાઈની પદ્ધતિ, ખેતપેદાશો, આર્થિક વળતર, મજૂર, તનિકના સ્તરો વગેરેના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે.

1. જીવનનિર્વાહ ખેતી (subsistence Farming) જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને ‘જીવનનિર્વાહ’ ખેતી કહે છે. આર્થિક સ્થિતિ નબળી હોય અને નાના કદનાં ખેતરો ધરાવતા હોય એવા ખેડૂતો આ પ્રકારની ખેતી કરે છે, આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો જ વાવવામાં આવે છે.

2. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી (Zoom Farming) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી જંગલોમાં કરવામાં આવે છે. તેમાં જંગલોનાં વૃક્ષોને કાપીને, તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવીને ખેતી કરવામાં આવે છે. બેત્રણ વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. સ્થળાંતરિત ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. તેને ઝૂમ ખેતી’ પણ કહે છે.

3. સઘન ખેતી (Intensive Farming) : સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતનાં બિયારણ, ખેતીની નવી ટેક્નોલૉજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાનાં યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને ‘સઘન ખેતી’ કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે. તેમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી” પણ કહે છે.

4. સુકી ખેતી (Dry Farming) : જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને “સુકી ખેતી કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે.

5. આર્વ ખેતી (wet Farming) : જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી ‘આર્દ્ર ખેતી’ કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડુંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે,

6. બાગાયતી ખેતી (Plantation Farming) : બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને કરવામાં આવતી ખેતી ‘બાગાયતી ખેતી’ કહેવાય છે. એક્વાર વાવણી બાદ વર્ષો સુધી તે ચોક્કસ સતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે છે એવા પાકો બાગાયતી પાકો કહેવાય છે. બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. આ ખેતીમાં રબર, ચા, કૉફી, કોકો, નાળિયેરી વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે. તદુપરાંત, અહીં સફરજન, કેરી, સંતરાં, દ્વા, આંબળાં, લીંબુ, જામફળ, બોર, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે.

GSEB Class 8 Social Science Notes Chapter 11 ખેતી

→ ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે દેશના જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પાકનું વાવેતર કરવામાં આવે છે.

→ ભારતની ખેતીના મુખ્ય પાક :
1. ડાંગર (Paddy) : ડાંગર એ વિશ્વનો અને ભારતનો ખૂબ મહત્ત્વનો અને મુખ્ય ખાઘપાક છે. ડાંગરના પાકને ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા તથા 100 સેમી કે તેથી વધારે વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતી માટે વધુ માણસોની જરૂર પડે છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે. ભારત, જાપાન, શ્રીલંકા વગેરે ડાંગરના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઓડિશા વગેરે ડાંગરનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં થાય છે.

2. ઘઉં (wheat) : ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે. ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન, 75 સેમી જેટલો વરસાદ અને લણણી સમયે તડકાની જરૂર હોય છે.
→ યુ.એસ.એ., કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેઇન, ઑસ્ટ્રેલિયા, ભારત વગેરે દેશોમાં ઘઉં મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે, પંજાબમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે, તેથી તેને “ઘઉંનો કૌઠાર’ કહેવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ,
ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઘઉં વધુ થાય છે. અમદાવાદનો ભાલ પ્રદેશ તેના ભાલિયા ઘઉંના ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

3, બાજરી (Millet) બાજરીના પાકને રેતાળ અને ગોરાડુ જમીન માફક આવે છે. બાજરી માટે ઓછો વરસાદ, મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. બાજરી જાડું ધાન્ય ગણાય છે. બાજરીનો પાક ભારત, નાઇજીરિયા, ચીન, નાઇજર વગેરે દેશોમાં થાય છે, બાજરીના ઉત્પાદનમાં રાજસ્થાન ભારતમાં પ્રથમ ક્રમે અને ગુજરાત દ્વિતીય સ્થાને છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે.

4. મગફળી (Groundnut) : મગફળીના પાકને કાળી, કસવાળી, ગૌરાડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી “ભરાઈ ન રહે તેવી જમીન, 20થી 25° સે જેટલું તાપમાન અને 50થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી. બીજું છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. તદુપરાંત, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં પણ મગફળીનો પાક થાય છે. ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું સિંગતેલ ખાદ્યતેલ તરીકે વધારે વપરાય છે.

5. દિવેલા (Castor) : દિવેલા એટલે એરંડા. દિવેલા એ તેલીબિયાંનો પાક છે. દિવેલાના પાકને મધ્યમ કાળી, સારી નિતારવાળી અને રેતાળ જમીન વધુ માફક આવે છે. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે. તે પછી અનુક્રમે ચીન અને બ્રાક્લિનો ક્રમ આવે છે. ભારતમાં દિવેલા સૌથી વધારે ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં થાય છે,

6. કપાસ (Cotton) : કપાસના પાકને કાળી જમીન, ઓછું તાપમાન અને હળવો વરસાદ માફક આવે છે. કપાસ ચોમાસું (ખરીફ) પાક છે. તેના પાકનો સમયગાળો 6થી 8 મહિનાનો હોય છે. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ સ્વચ્છ હોવું જોઈએ. કપાસમાંથી મળતું રૂ એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. વિશ્વમાં ચીન, યૂ.એસ.એ., ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ, ઇજિપ્ત વગેરે કપાસના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા વગેરે કપાસનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો “કાનમ પ્રદેશ” લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ગુજરાતમાં લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન થાય છે.

→ વિશ્વના મોટી સંખ્યામાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો સઘન ખેતી કરે છે.

→ ખેતીનો વિકાસ એ દેશની વધતી જતી વસ્તીની અનાજની માંગને પહોંચી વળવા માટે કૃષિ-ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નો સાથે જોડાયેલ છે. ખેતીનો વિકાસ વિવિધ રીતે કરી શકાય છે. જેમ કે, વાવેલા ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેલા પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સગવડોમાં સુધારાઓ કરીને, ખાતરોનો ઉપયોગ કરીને, વધારે ઊપજ આપતાં બિયારણોનો ઉપયોગ કરીને તેમજ કૃષિલક્ષી યંત્રોનો ઉપયોગ કરીને ખેતીનો બહોળો વિકાસ કરી શકાય છે. લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવો એ ખેતીના વિકાસનું અંતિમ લક્ષ્ય છે.

→ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકારે ખેતપેદાશોનો સંગ્રહ કરવા માટે દેશના જુદા જુહ્ય ભાગોમાં ગોદામોની વ્યવસ્થા કરી છે. હાલમાં સરકાર વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતોને કૃષિની નવી માહિતી, નવી તકનિકો અને માર્ગદર્શન પૂરાં પાડે છે. ગુજરાતમાં સરકાર કૃષિમેળાઓ યોજીને ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપે છે,

→ ખેતી વિકાસનાં પરિબળો :

  • સુધારેલાં બિયારણોઃ સુધારેલાં બિયારણો એ કૃષિપેદાશોની વધુ ઊપજ મેળવવા માટેનું મહત્ત્વનું પરિબળ છે. ખેતીમાંથી વધુ ઊપજ મેળવવા આજે સુધારેલાં અને પૃથક્કરણ કરેલાં બિયારણોનો ઉપયોગ થાય છે. સરકારે બિયારણ વૃદ્ધિ કેન્દ્રો સ્થાપ્યાં છે. એ કેન્દ્રોમાં બાયોટેકનિક પદ્ધતિ દ્વારા બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે. સુધારેલાં બિયારણોને લીધે ભારત ધાન્ય પાકોની બાબતમાં વધુ ઉત્પાદન મેળવી અન્નક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. દેશમાં ‘હરિયાળી ક્રાંતિ’ સર્જાઈ છે
  • જંતુનાશકો: વધુ પડતા રાસાયણિક જંતુનાશકોનો અવિવેકી, અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી, ખેતપેદાશોમાં જંતુનાશકોના ઝેરી તત્ત્વો રહી જાય છે, જે મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે.

→ કષિપાકોને નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ બિરિયા), વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુઓ લગભગ 90 % હિસ્સો ધરાવે છે. જીવાત નિયંત્રણ માટે બિજાણુ ઉત્પન્ન કરતા જીવાણુઓનો ઉપયોગ થાય છે. એ જીવાણુઓમાં બેસીલસ જાતિના જીવાણુઓ મોખરે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગો લાગુ પાડે છે. પરિણામે એ જીવાતો નાશ પામે છે.

→ રાસાયણિક કીટનાશકોથી થતી આડઅસરોથી બચવા માટે તેને બદલે વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ કરવો હિતાવહ છે. વનસ્પતિજન્ય કીટનાશકોમાં મુખ્યત્વે લીમડો, કરજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલાં, તમાકુ, સેવંતી વગેરે છે, જેનો ઉપયોગ જીવાત નિયંત્રણમાં થાય છે. . સિંચાઈની ઉન્નત સગવડો સામાન્ય રીતે કૂવાઓ, પાતાળ કૂવાઓ (બોર), નાના-મોટા બંધોનાં જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે, તેને “સિંચાઈ’ કહે છે.

GSEB Class 8 Social Science Notes Chapter 11 ખેતી

→ સિંચાઈનાં માધ્યમો :
1. નહેરો નદીઓ પર બંધો ડિમ) બાંધી મોટાં જળાશયો તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી નહેરો કાઢીને ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજના, ઉકાઈ યોજના, ધરોઈ યોજના જેવી અન્ય કેટલીક મહત્ત્વની સિંચાઈ યોજનાઓ કાર્યરત છે.

2. ખેત-તલાવડી : ખેત-તલાવડી ખેતરમાં ઢોળાવવાળી જમીનમાં રોતાઓ વચ્ચે બનાવવામાં આવે છે, તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂર હોય ત્યારે તેના પાણીને સિંચાઈ માટે વાપરવામાં આવે છે.

૩. ચેકડેમ નાની નદીઓ, ઝરણાં કે વહોવાના પાણીને નકામું વહી જતું અટકાવવા માટે તેમના વહેણની વચ્ચે જે પાકો આડબંધ બાંધવામાં આવે છે, તેને “ચેકડેમ’ કહે છે. ચેકડેમ બાંધવાથી કૂવા અને બોરનાં તળ ઊંચા આવે છે.

4. ટપક સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. ટપક સિંચાઈ પદ્ધતિનું મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી, પોષકતત્ત્વો સાથે પાણીને છોડના છેક મૂળ સુધી પહોંચાડવાનું છે. આ સિંચાઈ પદ્ધતિમાં વાવ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરીને છોડને પાણી પહોંચાડવામાં આવે છે, આ સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર તેની બનાવટ, જાળવણી અને તેને કેવી રીતે કાર્યરત કરવામાં આવી છે તેની પર રહેલો છે. બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોને ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ છે. જેમ કે, કપાસ, એરંડા, શેરડી અને તમાકુ જેવા પાકોને તેમજ ટામેટાં, રીંગણ, કોબીજ, ફુલેવર, બટાટા, ભીંડા, મરચાં વગેરે શાકભાજીના પાકોને અને કેરી, ચીકુ, લીંબુ, નાળિયેરી, દાડમ, પપૈયા, જામફળ, બોર જેવાં ફળોના પાકોને તથા સાગ વગેરેને અનુકૂળ છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40 %થી 60 % સુધી, ખાતરની 25 %થી 30 % અને વીજળીની આશરે 30 થી 35 % બચત તથા મજૂરી ખર્ચ ઓછો થાય છે. ખેડૂતો દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ વધે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

5. ફુવારા પિયત પદ્ધતિ : તે ખેતીના પાકો, લૉન, કુદરતી ઢોળાવો લિંન્ડસ્કેપ), ગોલ્ફકોર્સ (ગોલ્ફ રમવાનું મેદાન) વગેરે જગ્યાએ ઉપયોગી છે. તેનો ઉપયોગ ઠંડક અને ધૂળની ડમરીઓને ડામવા (બેસાડવા માટે પણ થાય છે. આ સિંચાઈ પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીત સમાન છે. તેમાં પાણીને વહેંચવા માટે પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં કાટખૂણે ગોઠવેલ પાઇપ, તેની ઉપર ફરતી નોઝલ, જે મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલ હોય છે. આ પિયત પદ્ધતિમાં નૌક્ત દ્વારા હવામાં ફુવારા વડે જમીનની શૌષણ-ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદરૂપે પાડવામાં આવે છે. ફુવારા સિંચાઈનો ઉપયોગ મુખ્યત્વે રહેઠાણના વિસ્તારો, ઔદ્યોગિક એકમો અને કૃષિક્ષેત્રે થાય છે. આ પિયત પદ્ધતિ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, શેરડી, ચણા, ડુંગળી, રજકો અને ઘાસચારાનાઅન્ય પાકોને તેમજ મેથી, ચોળી, ફુલેવર, કોબીજ, ભંડા, બટાટા વગેરે પાકોને અનુકૂળ રહે છે. ખેતીમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે અને જમીનની ગુણવત્તા જાળવી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *