GSEB Class 10 Social Science Notes Chapter 8 કુદરતી સંસાધનો

This GSEB Class 10 Social Science Notes Chapter 8 કુદરતી સંસાધનો covers all the important topics and concepts as mentioned in the chapter.

કુદરતી સંસાધનો Class 10 GSEB Notes

→ સંસાધનઃ જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને કુદરતી, સંસાધન’ કહેવાય.

→ કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બે ગુણધર્મો હોવા જરૂરી છે.

→ સંસાધનોને માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાને આધારે અને વિતરણક્ષેત્રને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

→ સંસાધનોના વિતરણને આધારે તેના આ ચાર પ્રકાર બને છે:

  • (1) સર્વસુલભ સંસાધન
  • સામાન્ય સુલભ સંસાધન
  • વિરલ સંસાધન અને
  • એક્લ સંસાધન.

GSEB Class 10 Social Science Notes Chapter 8 કુદરતી સંસાધનો

→ જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ તે અખૂટે હોય છે, તેને ‘નવીનીકરણીય (Renewable) અથવા પુનઃપ્રાપ્ય’ સંસાધનો કહેવાય, ઘ. ત., સૂર્યપ્રકાશ.

→ જે કુદરતી સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતાં નથી કે ઉત્પન્ન કરી શકાતાં નથી, તે ‘અનવીનીકરણીય’ (Nonrenewable) અથવા “પુનઃઅપ્રાપ્ય” સંસાધનો કહેવાય. દા. ત., ખનીજો,

→ કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને “સંસાધનનું સંરક્ષણ’ કહે છે, સંસાધનોના સંરક્ષણથી વર્તમાન પેઢીને સંસાધનોનો લાંબા સમય સુધી એકધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે.

→ પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કક્કોથી બનેલું હોય છે અને જેમાં ખનીજો, ભેજ, ઘુમસ, હવા વગેરે તત્ત્વો ભળેલાં હૉય છે, તેને “જમીનકહે છે.

→ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીન નિમણિ થાય છે.

→ જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

→ “ભારતીય કૃષિ સંશોધન પરિષદ’ (ICAR) ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી

→ કાંપની જમીન (Alluid soil): ભારતમાં પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં; દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં કાંપની જમીન આવેલી છે. કાંપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શાણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે.

→ રાત જમીન (Red soil): ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહેલની ટેકરીઓ તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત, તે રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. રાતી, અથવા લાલ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાય વગેરે પાક લેવાય છે.

→ કાળી જમીન (Black soil): ભારતમાં કાળી જમીન સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કન્નટિકના કેટલાક વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ વગેરે પાક લેવાય છે,

→ વેરાઇટ જમીન (Latedte soil): લેટેરાઇટ જમીનનું નામ લૅટિન ભાષાના શબ્દ “Later’ એટલે કે ઈટ પરથી પડ્યું છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. લેટેરાઇટ કે પડખાઉ જમીનનું નિમન્નિ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે. તે ઓછી ફળદ્રુપ હોવાથી તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે.

→ પર્વતીય જમીન (Mountain soil): આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોનાં ક્ષેત્રોમાં 2700થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.

→ રણપ્રકારની જમીન (Desert soil): ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનમાં સિંચાઈની સુવિધાઓથી જુવાર અને બાજરીનો પાક લઈ શકાય છે,

→ જંગલપ્રકારની જમીન (Forest sol): ભારતમાં જંગલપ્રકારની જમીન હિમાલયનાં શૈક્મ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં અને સહ્યાદ્રિ, પૂર્વધાટ અને મધ્યહિમાલયનાં તરાઈશ્રેત્રોમાં આવેલી છે. આ જમીનમાં ચા, કૉફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાક લેવાય છે.

GSEB Class 10 Social Science Notes Chapter 8 કુદરતી સંસાધનો

→ દલદલ કે પીટપ્રકારની જમીન (Marshy or Peaty soil): ભારતમાં દલદલ કે પીટપ્રકારની જમીન ઓડિશા, તમિલનાડુના કિનારાના વિસ્તારો, ઉત્તર બિહારના મધ્યભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે.

→ જમીન-ધોવાણ: વહેતું પાણી અને પવન જેવાં કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું જમીન-ધોવાણ’ કહેવાય છે. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાંની તરાહથી વાવેતર કરવાથી જમીન-ધોવાણ અટકાવી શકાય. તદુપરાંત, ચરાણ પ્રવૃત્તિનું નિયંત્રણ, પડતર જમીન પર વૃક્ષોનું વાવેતર, પહોળામાં આડબંધ બાંધવા, ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ વગેરે દ્વારા જમીન-ધોવાણ અટકાવી શકાય.

→ ભૂમિ-સંરક્ષણ ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે.

→ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને ફળદ્રુપ બનાવવા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ.

→ પડતર જમીન, નદીનાં કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવાથી, રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા બનાવવાથી, અનિયંત્રિત ચરાણને અટકાવવાથી તેમજ ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો બનાવવાથી જમીનધોવાણ અટકાવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *