GSEB Class 10 Social Science Notes Chapter 7 આપણા વારસાનું જતન

This GSEB Class 10 Social Science Notes Chapter 7 આપણા વારસાનું જતન covers all the important topics and concepts as mentioned in the chapter.

આપણા વારસાનું જતન Class 10 GSEB Notes

→ આપણા દેશનો વારસો ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અનેક દષ્ટિએ અદ્વિતીય છે.

→ વારસો દેશની ઓળખ છે. વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.

→ વિદેશી પ્રજાના આક્રમો અને આપણી જાગૃતિના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે.

→ વિદેશી પર્યટકો ભારતનાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનાં સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા માટે ભારતમાં આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગ અને પરિવહન ઉદ્યોગનો વિકાસ થાય છે. દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે.

→ શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શક(ટુરિઝમ ગાઇડ)નો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે.

→ વિદેશી પર્યટકોને લીધે દેશને વિદેશી હૂંડિયામણ મળે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશાવ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળી રહે છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલાકારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે.

→ આપણા પ્રાકૃતિક વારસાની જાળવણી માટે ઈ. સ. 1952માં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી.

→ ઈ. સ. 1972ના વન્ય જીવોને લગતા કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ ઈ. સ. 1883માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિ દેશના પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષશ્વનું કાર્ય કરે છે.

→ આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કર્યો છે.

→ આપણા પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ઈ. સ. 1958માં “પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવ્યો છે.

GSEB Class 10 Social Science Notes Chapter 7 આપણા વારસાનું જતન

→ ભારત સરકારે દેશનાં મહત્ત્વનાં ઐતિહાસિક તથા પુરાતત્ત્વીય વારસાનાં સ્થળોને “રાષ્ટ્રીય સ્મારકો જાહેર કરીને તેમની સારસંભાળ અને સંરક્ષનું કાર્ય આપણા દેશના પુરાતત્ત્વ ખાતા(ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી)ને સોંપ્યું છે.

→ ઐતિહાસિક સ્મારકના સમારકામ વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કંદ, સ્થિતિ, રંગ વગેરે યથાવતું જળવાઈ રહેવાં જોઈએ, “ભારતીય yidra wae (Archaeological Survey of India)’ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ નીચેનાં લગભગ 5000 સ્મારકો અને સ્થળોના સંરક્ષણનું કાર્ય કરે છે,

→ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી પર આવેલી નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતાં સંગમેશ્વર અને પાપનાશમ્ મંદિર સમૂહને ભારતીય પુરાતત્ત્વ ખાતાએ આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર નામના સુરક્ષિત સ્થળે સ્થાનાંતરિત કર્યા છે.

→ તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઈનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાવને લીધે થતા વાયુ-પ્રદૂષને કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા અને પીળા પડી ગયા હતા.

→ તાજમહાલને વાયુ-પ્રદૂષણથી બચાવવા પુરાતત્ત્વ ખાતાએ તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ-પ્રદૂષણ ફેલાવતા ઉઘોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતની નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી.

→ ઈ. સ. 1876ના ભારતીય નિધિ વ્યાપાર કાનૂન પ્રમાણે કોઈ પણ નાગરિકને ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતાં ખોદકામ દરમિયાન અચાનક કોઈ પ્રાચીન મૂલ્યવાન ક્લાકારીગરીવાળી વસ્તુ મળી આવે તો તેની જાણ પુરાતત્વ ખાતાને કરવાની હોય છે.

→ પુરાતત્ત્વીય અથવા અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના 1972ના કાયદા અન્વયે સરકારે વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી, વગેરે ઇરસ્તપ્રતોની જાળવણી અને તેનો સંગ્રહ થાય છે.

→ ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’, નવી દિલ્લી: ‘ભારતીય સંગ્રહાલય’, કોલકાતા; “છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંચાલય (પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ)’, મુંબઈ; “સાહારગંજ સંગ્રહાલય’, હૈદરાબાદ; ‘રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’, ભોપાલ; ‘લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય’, અમદાવાદ; “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કૌભા-ગાંધીનગર; “શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય’, પાટણ; ‘વડોદરા મ્યુઝિયમ અને પિશ્ચર ગેલેરી’, વડોદરા વગેરે દેશનાં મહત્ત્વનાં સંગ્રહાલયો છે.

→ ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો, કલાકારીગરીના નમૂનાઓ વગેરે એક વાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી, તેથી તેનો નાશ ન થવા દેવાય. તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયનાં વાવ, ઝરણાં, તળાવો, સરોવરો વગેરે આવેલાં છે. તેની વર્ષાઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે.

→ આપણા દેશનાં પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર ‘ અને રાજ્ય સરકારો મહત્ત્વનાં પગલાં લઈ રહી છે. એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્ત્વ ધરાવતાં પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે. તેથી આપણી સરકાર આવાં સ્થળોની જાળવણી માટે પ્રયાસો કરી રહી છે.

→ પ્રવાસન સ્થળોનું સૌદર્ય, સ્વચ્છતા અને જતન ભારતને વિશ્વમાં નામના અપાવે છે. પ્રાચીન સમયના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે વિજ્ઞાન અને ટેકનોલૉજીના સહારે તેનું જતન કરવું જોઈએ.

→ ભારતે “વસુધૈવ કુટુમ્’ની ભાવનાને જગતમાં સાકાર કરી છે. સમગ્ર દુનિયા એક વિશાળ કટુંબ છે એવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ’નો ઋગ્વદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વ્યાપતાનું દર્શન કરાવે છે.

→ યુ.એસ.એ.ના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતના ધર્મની સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વની ભાવનાનાં જગતને દર્શન કરાવ્યાં હતાં. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.

GSEB Class 10 Social Science Notes Chapter 7 આપણા વારસાનું જતન

→ પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘ભારતવર્ષ’ એવું વિશાળ નામ આપ્યું હતું, કારણ કે તેમણે ભારતની સાંસ્કૃતિક એકતા પર ભાર મૂક્યો હતો.

→ ભારતના ઋષિમુનિઓ, સૂફી-સંતો અને સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગપુરુષોએ શાંતિ, સમન્વય, વિશ્વબંધુત્વ વગેરે બાબતો પર ભાર મૂક્યો છે.

→ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. બધા ભારતીય સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *