GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

GSEB Class 11 Biology પાચન અને અભિશોષણ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
નીચેનામાંથી સાચા જવાબ પસંદ કરો.

(a) જઠરરસ ……………………….. ધરાવે છે.
(i) પેપ્સિન, લાઈપેઝ અને રેનિન
(ii) ટિપ્સીન, લાઈપેઝ અને રેનિન
(iii) ટ્રિપ્સીન, પેપ્સિન અને લાઈઝિ
(iv) ટ્રિપ્સીન, પેસિન અને રેનિન
ઉત્તર:
(i) પેસિન, લાઈપેઝ અને રેનિન

(b) સક્કસ એન્ટરીક્સ (Succus Enterious) નામ કોને આપવામાં આવે છે ?
(i) શેષાંત્ર અને મોટા આંતરડાના જોડાણને
(ii) આંત્રરસને
(iii) આંત્રમાર્ગના સોજાને
(iv) આંત્રપુચ્છને
ઉત્તર:
(ii) આંત્રરસ

પ્રશ્ન 2.
કોલમ ને કોલમ – II સાથે યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) બિલીરૂબીન અને બિલીવર્ડન (i) ઉપકર્ણક (Parotid)
(b) સ્ટાર્સનું જળવિભાજન (ii) પિત્તરસ
(c) ચરબીનું પાચન (iii) લાઇપેઝ
(d) લાળગ્રંથિ (iv) એમાયલેઝ

ઉત્તર:

કોલમ – I કોલમ – II
(a) બિલીરૂબીન અને બિલીવર્ડન (ii) પિત્તરસ
(b) સ્ટાર્સનું જળવિભાજન (iv) એમાયલેઝ
(c) ચરબીનું પાચન (iii) લાઇપેઝ
(d) લાળગ્રંથિ (i) ઉપકર્ણક (Parotid)

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

પ્રશ્ન 3.
ટૂંકમાં જવાબ આપો.
(a) રસાંકુરો આંતરડામાં જોવા મળે છે, જઠરમાં નથી હોતા. કેમ ?
ઉત્તર:
જઠરમાં ખોરાક વલોવાય છે. અંશતઃ પાચન થાય છે. માટે રસાંકુરો જોવા મળતા નથી.

આંતરડાનાં શ્લેષ્મ સ્તરના અધિચ્છદીય સૂક્ષ્મ રસાંકુરો દ્વારા શોષણ પામી પાચિત ખોરાક રૂધિરવાહિની કે લસિકાવાહિની વડે રૂધિરમાં ભળે છે.

(b) પેસિનોજેન તેના સક્રિય સ્વરૂપમાં કઈ રીતે ફેરવાય છે ?
ઉત્તર:
નિષ્ક્રિય પેપ્સિનોજેન HClના સંપર્કમાં સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે.

(c) પાચન નળીની દીવાલનાં પાયાનાં અસ્તરો (Layers) કયા છે ?
ઉત્તર:
પાચન માર્ગની દીવાલમાં અન્નનળીથી મળાશય સુધી ચાર સ્તર જોવા મળે’ છે. લસીસ્તર (Serosa) સ્નાયુસ્તર (Muscularis) અધ:શ્લેષ્મ (Submucosa) અને શ્લેષ્મસ્તર (Mucosa).

(d) ચરબીનાં પાચનમાં પિત્તરસ કઈ રીતે મદદ કરે છે ?
ઉત્તર:
પિત્તક્ષારો સોડિયમ ટોરોકોલેટ અને સોડિયમ – ગ્લાયકોકોલેટ તૈલોદીકરણ (Emulsification) દ્વારા ચરબીનું નાનાં નાનાં ગોલકોમાં રૂપાંતર કરે છે. જેના પર પાચક ઉત્સુચક લાઈપેઝ સહેલાઈથી ક્રિયા કરી પાચન થઈ શકે છે.

પ્રશ્ન 4.
પ્રોટીનના પાચનમાં સ્વાદુરસનો ફાળો જણાવો.
ઉત્તર:
સ્વાદુરસ નિષ્ક્રિય પ્રોટીએઝ ઉસેચકો ટ્રીસિનોજેન, કાયમોટ્રિપ્સીનોજન અને પ્રોકાર્બોક્સિપેપ્ટીડેઝ ધરાવે છે.

આંતરડાના આંત્રી શ્લેષ્મસ્તર દ્વારા એન્ટરોકાઈનેઝ સહઉન્સેચકનો સ્ત્રાવ થાય છે. જે ટ્રિપ્સીનોજેનને સક્રિય કરે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 1
સક્રિય બનેલો ટ્રિસીન, કાયોટ્રિપ્સીનોજન અને પ્રોકાર્બોક્સી પેપ્ટીડેઝને કાયમો ટ્રિપ્સીન અને કાર્બોક્સી પેપ્ટીડેઝમાં ફેરવે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 2

પ્રશ્ન 5.
જઠરમાં પ્રોટીનના પાચનની ક્રિયાનું વર્ણન કરો.
ઉત્તર:
જઠરમાં નિષ્ક્રિય પેસિનોજેન, HClની હાજરીમાં સક્રિય પેસિનમાં ફેરવાય છે.
પેપ્સિન, પ્રોટીનને પેપ્ટોન્સ અને પ્રોટીઝીસમાં ફેરવે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 3

પ્રશ્ન 6.
માનવનું દતસૂત્ર જણાવો.
ઉત્તર:
પુખ્ત માનવમાં દંતસંખ્યા 32 હોય છે. દરેક જડબામાં 16 દાંત હોય છે. જેનો ક્રમ – મધ્યમાં બે છેદક (Incisors-I) એક રાક્ષી (Canine -C) GU બે અગ્રદાઢ (Premolar-PM) અને ત્રણ દાઢ (Molars-M) છે.

દાંતના ઉપલા અને નીચલા જડબામાં અર્ધભાગમાં દાંતની ગોઠવણીનો ક્રમ I, C, PM અને M છે. જે \(\frac{2123}{2123}\) કે દતસૂત્રથી દર્શાવાય છે.

પ્રશ્ન 7.
પિત્તરસ, પાચક ઉન્સેચકો ના ધરાવતું હોવા છતાં પાચન ક્રિયામાં ઉપયોગી છે. શા માટે ?
ઉત્તર:
પિત્તરસમાં રહેલા અકાર્બનિક ક્ષારો (Na2CO3 અને NaHCO3) જઠરપાકની અસ્ફિયતા દૂર કરે છે. સ્વાદુરસના ઉસેચકો આલ્કલીય માધ્યમમાં જ સક્રિય હોય છે.

પિત્તરસનાં કાર્બનિક ક્ષારો (Na ટોરોકોલેટ અને Na ગ્લાયકો કોલેટ) તૈલોદીકરણ દ્વારા ચરબીને નાનાં ગોલકામાં ફેરવી તેની પાચનક્રિયા સરળ કરે છે. આમ, પાચક ઉન્સેચકો ના હોવા છતાં પિત્તરસ પાચન ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ન 8.
પાચન ક્રિયામાં ટ્રિપ્સિનોજેનનો ફાળો જણાવો. જે ગ્રંથિમાંથી તે સ્ત્રવે છે, તે શ્રેણીના બે અન્ય ઉન્સેચકો કયા છે ?
ઉત્તર:
કાયમોટ્રિપ્સીનોજન પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓએઝીસને ડાય પેપ્ટાઇડમાં ફેરવે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 4
ટ્રિપ્સિનોજેન અને કાર્બોક્સિ પેપ્ટીડેઝ આ શ્રેણીના અન્ય ઉન્સેચકો છે.

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

પ્રશ્ન 9.
પોલિસેકેરાઈડ અને ડાયસેકેરાઈડનું પાચન કઈ રીતે થાય છે ?
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 5

પ્રશ્ન 10.
જઠરમાં HClનો સ્ત્રાવ ન થાય તો શું થાય ?
ઉત્તર:
HCI નિષ્ક્રિય પેપ્સિનોજેનને સક્રિય કરી પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. ખોરાકમાં મુખ દ્વારા દાખલ થયેલા જીવાણુનો નાશ કરે છે. જો HCI નો સ્ત્રાવ ના થાય તો આ કાર્યો થતાં નથી.

પ્રશ્ન 11.
તમારા ખોરાકમાંનું માખણનું (Butter) કેવી રીતે પાચન અને આંત્રમાર્ગમાં શોષણ થાય છે ?
ઉત્તર:
(i) જઠરરસમાં રહેલ લાઇપેઝ ઉસેચક નહિવત્ પ્રમાણમાં ચરબી (માખણ)નું પાચન કરે છે.

(ii) પિત્તરસમાં રહેલા પિત્તક્ષારો તૈલોદીકરણ દ્વારા ચરબીનું નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. પકવાશયમાં, લિપીડ ડાય કે મોનોગ્લિસરાઇડમાં ફેરવાય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 6

(iii) શેષાંત્રમાં તે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 7

ફેટી એસિડ અને ગ્લિસરોલ પાણીમાં અદ્રાવ્ય હોવાના કારણે રૂધિરમાં શોષી શકાતા નથી. સૌપ્રથમ તે મિસેલ્સ (Micelles) સ્વરૂપે આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે. ત્યાં તેઓ પ્રોટીન આવૃત કાઇલો માઇક્રોન (Chylomicron) માં રૂપાંતરિત થાય છે. ત્યાંથી તે લસિકાવાહિનીઓ દ્વારા વહન પામે છે. આ લસિકાવાહિનીઓ શોષાયેલા ઘટકોને રૂધિરમાં ઠાલવે છે.

પ્રશ્ન 12.
પાચન માર્ગના વિવિધ ભાગોમાંથી પસાર થતા ખોરાકમાં પ્રોટીનના પાચનની ચર્ચા કરો.
ઉત્તર:
પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે.
(a) જઠરમાં પ્રોટીનનું પાચન
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 8

(b) પકવાશયમાં પ્રોટીનનું પાચન
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 9

(c) શેષાંત્રમાં પ્રોટીનનું પાચન
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 10

પ્રશ્ન 13.
શબ્દ સમજૂતી :
(i) કૂપદંતી
(ii) પ્રતિસ્થાપી દંતવિન્યાસ
ઉત્તર:
(i) કૂપદંતી દંતવિન્યાસ – (Thecodont) મનુષ્યમાં દાંત જડબાનાં અસ્થિઓનાં ખાડામાં ખૂપેલાં છે. આ પ્રકારના જોડાણને કૂપદંતી કહેછે.
(ii) પ્રતિસ્થાપી – લગભગ 5-6 વર્ષે, દુધિયા દાંત (Milky teeth)ને (Diphydont) સ્થાને કાયમી દાંત આવે છે. આ પ્રકારની વ્યવસ્થાને પ્રતિસ્થાપી કહે છે.

પ્રશ્ન 14.
પુખ્ત માનવમાં દાંતનાં વિવિધ પ્રકારના નામ અને સંખ્યા જણાવો.
ઉત્તર:

  1. છેદક (Incisors)
  2. રાક્ષી (Canines)
  3. અગ્રદાઢ (Pre molars)
  4. દાઢ (Molars)

– પુખ્ય માનવી 32 દાંત ધરાવે છે.
(ઉપલા અને નીચલા જડબામાં 16 – 16 દાંત)
– પ્રત્યેક અર્ધભાગમાં 2, 1, 2, 3 રીતે ગોઠવાયેલા હોય છે. I, C,
PM, M \(\frac{2123}{2123}\) દંતસૂત્રથી દર્શાવાય છે.
– મનુષ્યમાં દાંત કૂપદંતી, પ્રતિસ્થાપી અને વિષમદંતી છે.

પ્રશ્ન 15.
યકૃતનાં કાર્ય જણાવો.
ઉત્તર:
યકૃતનાં કાર્યો :

  1. યકૃત શરીરની સૌથી મોટી સહાયક પાચન ગ્રંથિ છે.
  2. યકૃત કોષો, સૂક્ષ્મ જીવાણુઓ અને ઝેરી દ્રવ્યોનું ભક્ષણ કરે છે. (Kupfer’s Cells)
  3. યકૃત દ્વારા સ્ત્રવતા પિત્તરસ મારફતે બિલીરૂબીન બિલીવર્ડન જેવા પિત્તરંજકોનો નિકાલ થાય છે.
  4. પિત્તરસના કાર્બનિક, અકાર્બનિક ક્ષારો પાચનક્રિયામાં મદદ કરે છે. (ચરબીનાં તૈલોદીકરણ અને માધ્યમનાં PH ને આલ્કલીય બનાવે છે.)
  5. પિત્તરસ દ્વારા નકામા ઉત્પાદનો, કોલેસ્ટેરોલ, Ca+ આયન્સ, ઝેરી દ્રવ્યોને મૂત્ર દ્વારા ઉત્સર્જિત થઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે.
  6. રક્ત કણોનું વિઘટન કરે છે. યુરિયાનું સંશ્લેષણ કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

GSEB Class 11 Biology પાચન અને અભિશોષણ NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
નીચેનામાંથી આંત્રીય રસાંકુરો માટે શું સત્ય નથી ?
(A) તેઓ સૂક્ષ્મ રસાંકુરો ધરાવે છે.
(B) તેઓ સપાટીય વિસ્તાર વધારે છે.
(C) તેઓ રૂધિરકેશિકાઓ અને પયસ્વિની ધરાવે છે.
(D) તેઓ ચરબીના પાચનમાં ભાગ લે છે.
ઉત્તર:
(D) તેઓ ચરબીના પાચનમાં ભાગ લે છે.
– આ વિધાન અસત્ય છે.

પ્રશ્ન 2.
સ્વાદુપિંડ – પિત્તનલિકા પકવાશયમાં ખૂલે છે અને …………………………….. નું વહન કરે છે.
(A) પિત્તરસ
(B) સ્વાદુરસ
(C) પિત્તરસ અને સ્વાદુરસ
(D) લાળરસ
ઉત્તર:
(C) પિત્તરસ અને સ્વાદુરસ

પ્રશ્ન 3.
નીચેનામાંથી કોઈ એક પાચનતંત્ર સાથે જોડાયેલ સામાન્ય અનિયમિતતા નથી.
(A) ટીટેનસ (ધનુર)
(B) ઝાડા
(C) કમળો
(D) મરડો
ઉત્તર:
(A) ટીટેનસ (ધનુર)
આ ચોક્કસ પ્રકારના બેક્ટરિયાના કારણે જોવા મળતો સ્નાયુ સંકોચનનો રોગ છે.

પ્રશ્ન 4.
પાચન માર્ગ સાથે સંકળાયેલી ના હોય તેવી ગ્રંથિ………………..
(A) સ્વાદુપિંડ
(B) એડ્રીનલ
(C) યકૃત
(D) લાળગ્રંથિ
ઉત્તર:
(B) એડ્રીનલ ગ્રંથિ – અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.

પ્રશ્ન 5.
નીચેની કોલમને યોગ્ય રીતે જોડો :

કોલમ – I કોલમ – II
(a) ખોરાકના જૈવ મહાઅણુ (1) પાચનમાર્ગ અને સહાયક ગ્રંથિઓ
(b) મનુષ્યનું પાચનતંત્ર (2) જડબાના અસ્થિમાં ખૂંપેલા
(c) જઠર (3) કોષ્ઠીય અંગોનું બાહ્ય આવરણ
(d) પ્રતિસ્થાપી (4) સરળ પદાર્થોમાં રૂપાંતર પામે
(e) લસીસ્તર (5) J આકારની કોથળી જેવી  રચના

(A) (a – 2); (b – 1) (c – 5); (d – 3); (e – 4)
(B) (a – 4), (b – 1) (c – 5); (d – 2); (e – 3)
(C) (a – 1); (b – 2) (c – 3); (d – 4); (e – 5)
(D) (a – 1); (b – 3) (c – 2); (d – 4); (e – 5)
ઉત્તર:
(B)

કોલમ – I કોલમ – II
(a) ખોરાકના જૈવ મહાઅણુ (4) સરળ પદાર્થોમાં રૂપાંતર પામે
(b) મનુષ્યનું પાચનતંત્ર (1) પાચનમાર્ગ અને સહાયક ગ્રંથિઓ
(c) જઠર (5) J આકારની કોથળી જેવી રચના
(d) પ્રતિસ્થાપી (2) જડબાના અસ્થિમાં ખૂંપેલા
(e) લસીસ્તર (3) કોષ્ઠીય અંગોનું બાહ્ય આવરણ

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

પ્રશ્ન 6.
નીચેના કોલમને યોગ્ય રીતે જોડો :

કોલમ – I કોલમ – II
(a) પકવાશય (1) કાસ્થિનો બનેલો ભાગ
(b) ઘાંટીઢાંકણ (Epiglottis) (2) નાનું, આંધળી કોથળી
(c) સ્વરપેટી (Larynx) (3) જઠરમાંથી નીકળતી ‘u’ આકારની રચના
(d) આંત્રપુચ્છ (4) શ્વાસનલિકાનું છિદ્ર (પ્રવેશદ્વાર)

(A) (a – 1); (b – 2) (c – 3); (d – 4)
(B) (a – 4), (b – 3) (c – 2); (d – 1)
(C) (a – 3), (b – 1) (c – 4); (d – 2)
(D) (a – 2); (b – 4) (c – 1); (d – 3)
ઉત્તર:
(C)

કોલમ – I કોલમ – II
(a) પકવાશય (3) જઠરમાંથી નીકળતી ‘u’ આકારની રચના
(b) ઘાંટીઢાંકણ (Epiglottis) (1) કાસ્થિનો બનેલો ભાગ
(c) સ્વરપેટી (Larynx) (4) શ્વાસનલિકાનું છિદ્ર (પ્રવેશદ્વાર)
(d) આંત્રપુચ્છ (2) નાનું, આંધળી કોથળી

પ્રશ્ન 7.
ઉલ્લેચકોને યોગ્ય પ્રક્રિયાર્થી સાથે જોડવા આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કોલમ – I કોલમ – II
(a) લાઈપેઝ (1) ડાયપેટાઈડ
(b) ન્યુક્લિએઝ (2) ચરબી
(c) કાર્બોક્સિપેપ્ટીડેઝ (3) ન્યુક્લિઈક એસિડ :
(d) ડાયપેપ્પીડેઝ (4) પ્રોટીન્સ, પેપ્ટોન્સ, પ્રોટીએઝીસ

(A) (a – 2); (b – 3) (c – 1); (d – 4)
(B) (a – 3); (b – 4) (c – 2); (d – 1)
(C) (a – 3); (b – 1) (c – 4); (d – 2)
(D) (a – 2); (b – 3) (c – 4); (d – 1)
ઉત્તર:
(D)

કોલમ – I કોલમ – II
(a) લાઈપેઝ (2) ચરબી
(b) ન્યુક્લિએઝ (3) ન્યુક્લિઈક એસિડ
(c) કાર્બોક્સિપેપ્ટીડેઝ (4) પ્રોટીન્સ, પેપ્ટોન્સ, પ્રોટીએઝીસ
(d) ડાયપેપ્પીડેઝ (1) ડાયપેટાઈડ

પ્રશ્ન 8.
મનુષ્યનું દંતસૂત્ર –
(A) \(\frac{3,2,2,3}{3,2,2,3}\)
(B) \(\frac{2,1,2,3}{2,1,2,3}\)
(C) \(\frac{1,2,3,2}{1,2,3,2}\)
(D) \(\frac{2,2,3,3}{2,2,3,3}\)
ઉત્તર:
(B) \(\frac{2,1,2,3}{2,1,2,3}\) I – 2, C – 1, PM – 2, M – 3

પ્રશ્ન 9.
યકૃત સૌથી મોટી, વિવિધ કાર્યો સાથે સંકળાયેલી છે. અસંગત કાર્ય શોધો.
(A) કાર્બોદિતોનું ચયાપચય
(B) ચરબીનું પાચન
(C) પિત્તરસનું નિર્માણ
(D) ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ
ઉત્તર:
(D) ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ગેસ્ટ્રીનનો સ્ત્રાવ જઠરના નિજઠર પ્રદેશમાંથી થાય છે.

પ્રશ્ન 10.
આપેલા વિધાનોમાં અંગત વિધાન પસંદ કરો.
(A) ટ્રિપ્સિનોજેન નિષ્ક્રિય ઉત્સુચક છે.
(B) ટ્રિપ્સિનોજેનનો સ્ત્રાવ શેષાંત્રના શ્લેષ્મ સ્તરમાંથી થાય છે.
(C) એન્ટરોકાઈનેઝનો સ્ત્રાવ સ્વાદુપિંડમાંથી થાય છે.
(D) પિત્તરસમાં ટ્રિપ્સિન રહેલું છે.
ઉત્તર:
(A) ટ્રિપ્સિનોજેન નિષ્ક્રિય ઉત્સુચક છે.

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
જઠરના અગ્લિય, જઠરરસ સાથે, જઠરની સ્નાયુલ દીવાલના વલોવવાના કારણે ખોરાક સંપૂર્ણ પણે ભળી જાય છે. આપણે આવા ખોરાકને શું કહીએ છીએ ?
ઉત્તર:
ખોરાક જઠરમાં 4-5 કલાક સંગ્રહ પામે છે અને અસ્લિય જઠરરસ સાથે ભળી જાય છે. આ ખોરાક જઠરપાક (Chyme) તરીકે ઓળખાયછે.

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

પ્રશ્ન 2.
ટ્રિપ્સિનોજેન, સ્વાદુરસનો નિષ્ક્રિય ઉત્સુચક છે. એન્ટરોકાઇનેઝ સહઉન્સેચક તેને સક્રિય કરે છે. કઈ પેશી/કોષ દ્વારા તેનો સ્ત્રાવ થાય છે ? તે સક્રિય કઈ રીતે થાય છે ?
ઉત્તર:
ટ્રિપ્સિનોજેન, એન્ટરોકાઈનેઝ સહઉન્સેચક દ્વારા સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય છે. આત્રિય શ્લેષ્મતર આ ઉત્સચકનો સ્ત્રાવ કરે છે.

પ્રશ્ન 3.
પાચન માર્ગના કયા ભાગમાં સરળ શર્કરા, આલ્કોહોલ અને પાણીનું શોષણ થાય છે ?
ઉત્તર:
પાણી, આલ્કોહોલ, સરળ શર્કરા અને કેટલીક ચરબી દ્રાવ્ય (Fat Soluble) દવાઓનું શોષણ જઠરીય દીવાલ દ્વારા થાય છે.

પ્રશ્ન 4.
ન્યુક્લિઓટાઈડ, શર્કરા અને બેઝીસ (નાઇટ્રોજન)માં વિઘટન કરાવવામાં ભાગ લેતા ઉત્સકનું નામ જણાવો.
ઉત્તર:
ન્યુક્લિઓટાઇડેઝ અને ન્યુક્લિઓસાઇડેઝ ઉન્સેચક.

પ્રશ્ન 5.
પાચનની વ્યાખ્યા એક વાક્યમાં જણાવો.
ઉત્તર:
ભૌતિક અને જૈવરાસાયણિક પ્રક્રિયાઓ વડે ખોરાકના જટિલ ઘટકોને સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં પરિવર્તન કરવાની ક્રિયાને પાચન કહે છે.

પ્રશ્ન 6.
જડબના અસ્થિના ખાડામાં ગોઠવાયેલા પ્રત્યેક દાંતના જોડાણને કેવા પ્રકારનું જોડાણ કહે છે ?
ઉત્તર:
પ્રતિસ્થાપી (Thecodont).

પ્રશ્ન 7.
જઠર દેહકોષ્ઠના ઉપરી ડાબા ભાગમાં આવેલું છે તે ત્રણ ભાગ ધરાવે છે. આ ભાગનાં નામ આપો. અન્નનળી
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 11
(a) ઉપરિજઠર
(b) હૃદયગામી જઠર
(c) નિજઠર

પ્રશ્ન 8.
શું પિત્તાશય પિત્ત બનાવે છે ?
ઉત્તર:
પિત્તાશય પિત્તરસ બનાવતું / સંશ્લેષણ કરતું નથી. તે યકૃત દ્વારા નિર્માણ પામતાં પિત્તરસનો સંગ્રહ કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

પ્રશ્ન 9.
આપેલા બેમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરો. (ગાઢા અક્ષર યુક્ત) નીચેના વાક્યોને સાચું બનાવો.

(a) શ્લેષ્મ સ્ત્રાવી કોષો આત્રિય શ્લેષ્મસ્તરના અધિચ્છદમાં આવેલા છે. કાયમોટ્રિપ્સીન / શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે.
ઉત્તર:
શ્લેષ્મ સ્ત્રાવી કોષો આંત્રિય શ્લેષ્મસ્તરના અધિચ્છદમાં આવેલા છે. શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે.

(b) ચરબીનું વિઘટન ડાય કે મોનોગ્લિસરાઇડમાં એમાયલેઝ / લાઇપેઝની મદદથી થાય છે.
ઉત્તર:
ચરબીનું વિઘટન ડાય કે મોનોગ્લિસરાઇડમાં લાઇપેઝની મદદથી થાય છે.

(c) જઠરનાં શ્લેષ્મ સ્તરની જઠરીય ગ્રંથિમાં ઓક્ઝિન્ટિક કોષ / ચીફ કોષો હોય છે જે HCનો સ્ત્રાવ કરે છે.
ઉત્તર:
જઠરનાં શ્લેષ્મ સ્તરની જઠરીય ગ્રંથિમાં ઓક્ઝિન્ટિક કોષ (Oxyntic / Cell) હોય છે જે HCીનો સ્ત્રાવ કરે છે.

(d) લાળમાં રહેલ ઉત્સુચક સ્ટાર્ચ / પ્રોટીનનું પાચન કરે છે.
ઉત્તર:
લાળમાં રહેલ ઉત્સુચક સ્ટાર્ચનું પાચન કરે છે.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
સ્વાદુપિંડ શું છે ? પાચનમાં મદદ કરતાં મુખ્ય સ્ત્રાવો જણાવો.
ઉત્તર:
સ્વાદુપિંડ આછા ગુલાબી / રાખોડી રંગની ગ્રંથિ છે. તે સંયુક્ત પુષ્પગુચ્છ જેવી દેખાય છે.

પાચન કાર્યમાં મદદ કરતાં પ્રોટીએઝીસ (ટ્રિસીનોજન, કાયમો ટ્રિપ્સિનોજેન અને પ્રોકાર્બોક્સિ પેપ્ટીડેઝ) એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિએઝ જેવાં ઉત્સચકો ધરાવે છે.

પ્રશ્ન 2.
પાચનમાર્ગના ભાગનું નામ જણાવો. જ્યાં મોટા ભાગના પાચિત ખોરાકનું શોષણ થાય છે. ખોરાકના જુદાં જુદાં ઘટકોના પાચિત સરળ ઘટકો કયા છે ?
ઉત્તર:
નાના આંતરડામાં (શેષાંત્રમાં) પાચન થયેલા પોષક દ્રવ્યોનું મોટા ભાગનું શોષણ કાર્ય થાય છે. પાચનની અંતિમ પેદાશોનું શોષણ શ્લેષ્મ સ્તર દ્વારા થઈ રૂધિરના પ્રવાહમાં ભળે છે.

કાર્બોદિત – ગ્યુકોઝ, પ્રોટીન – એમિનો એસિડ અને ચરબી – ફેટી એસિડ, DNA, RNA – નાઇટ્રોજન બેઇઝ + શર્કરા સ્વરૂપમાં ફેરવાય છે.

પ્રશ્ન 3.
મનુષ્યના પાચન માર્ગનાં ભાગનાં નામ આપો અને મુખ્ય પાચક ગ્રંથિઓના નામ તેમજ સ્થાન જણાવો.
ઉત્તર:
પાચન માર્ગનાં વિવિધ ભાગો – મુખ, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું (પકવાશય, મધ્યાંત્ર, શેષાંત્ર), મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર છે.

મુખ્ય પાચક ગ્રંથિઓના નામ અને સ્થાન નીચે પ્રમાણે છે :
લાળગ્રંથિ – મુખગુહા – લાળ રસનો સ્ત્રાવ
યકૃતગ્રંથિ – ઉરોદરપટલની નીચે, દેહકોષ્ઠ – પિત્તરસનો સ્ત્રાવ
સ્વાદુપિંડ- ‘U’ આકારના પકવાશયના ભાગ વચ્ચે – સ્વાદુરસનો સ્ત્રાવ .

પ્રશ્ન 4.
પિત્તાશય (Gall Bladder) શું કાર્ય કરે છે ? જો તે નિષ્ક્રિય થાય અથવા તેને ઓપરેશન દ્વારા દૂર કરાય તો શું પરિણામ જોવા મળે ?
ઉત્તર:
નાની ગોળાકાર રસના સંયોજક પેશી વડે યકૃતના પર્થ ભાગે આવેલી રચના પિત્તાશય તરીકે ઓળખાય છે.

  • યકૃત કોષો દ્વારા સ્ત્રાવ થતો પિત્તરસ પિત્તનલિકાઓ દ્વારા પિત્તાશયમાં સંગ્રહ પામે છે.
  • જો પિત્તાશય નિષ્ક્રિય બને તો પિત્તનો સતત સ્ત્રાવ આંતરડામાં થાય છે જે મંદ સ્વરૂપે હોય. શરીર ધીરે ધીરે આ સ્થિતિને અનુકૂલન સાધી શકે છે. પણ આ વ્યક્તિઓને ઓછો ચરબીયુક્ત ખોરાક લેવાની સલાહ અપાય છે. પિત્તાશય દૂર કરાયા બાદ ચરબીનું પાચન નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

પ્રશ્ન 5.
નીચે આપેલા વાક્યોને કૌંસમાં આપેલા યોગ્ય વિકલ્પની મદદથી સુધારો.

(a) એમિનો એસિડ અને ગ્લિસરોલનું શોષણ (નાના આંતરડા / મોટા આંતરડામાં) થાય છે.
ઉત્તર:
એમિનો એસિડ અને ગ્લિસરોલનું શોષણ નાના આંતરડામાં થાય છે.

(b) મળાશયમાં રહેલો મળ, તેના ત્યાગ માટેની ઇચ્છાની પ્રેરણા (ચેતાકીય / અંતઃસ્ત્રાવી) હોય છે.
ઉત્તર:
મળાશયમાં રહેલો મળ, તેના ત્યાગ માટેની ઇચ્છાની પ્રેરણા ચેતાકીય હોય છે.

(c) ………… તેના ચેપને કારણે ત્વચા અને આંખ પીળા રંગના થાય છે. (યકૃત / જઠર)
ઉત્તર:
યકૃત ના ચેપને કારણે ત્વચા અને આંખ પીળા રંગના થાય છે.

(d) રેનિન જઠરરસમાં આવેલ પ્રોટિયોલાયટિક ઉત્સુચક છે. (બાળકો / પુખ્ત)
ઉત્તર:
રેનિન બાળકોમાં જોવા મળતો પ્રોટિયોલાયટિક ઉત્સુચક છે.

(e) સ્વાદુરસ અને પિત્તરસ વહન પામે છે. (આંત્રીય સ્વાદુરસ પિત્ત સ્વાદુરસ નલિકા)
ઉત્તર:
સ્વાદુરસ અને પિત્તરસ પિત્ત-સ્વાદુરસ નલિકા દ્વારા વહન પામે છે.

(f) ડાયપેપ્ટાઇડસ, ડાયસેકેરાઈડસ અને ગ્લિસરાઇડનું સરળ પદાર્થોમાં રૂપાંતર નાના આંતરડાનાં (મધ્યાંત્ર / પકવાશય)માં થાય છે.
ઉત્તર:
ડાયપેપ્ટાઇડસ, ડાયસેકેરાઇડસ અને ગ્લિસરાઇડનું સરળ પદાર્થોમાં રૂપાંતર નાના આંતરડાનાં પકવાશયમાં થાય છે.

પ્રશ્ન 6.
જઠરીય ગ્રંથિમાં કયા મુખ્ય ત્રણ પ્રકારનાં કોષો જોવા મળે છે ? તેના સ્ત્રાવો કયા છે ?
ઉત્તર:

  1. શ્લેષ્મીય કોષો (Goblet Cells) – શ્લેખ (Mucous)
  2. પેપ્ટિક / ચીફ કોષો (Zymogenic cells) – પેસિનોજેન – પ્રોરેનિન
  3. ઓક્ઝિન્ટિક કોષો (Oxyntic / Parietal cells) – dil HCl

પ્રશ્ન 7.
આંતરડાના શ્લેષ્મ સ્તરનું જઠરમાંથી પ્રવેશતા અમ્લિય ખોરાકથી કેવી | રીતે રક્ષણ થાય છે ?
ઉત્તર:
શ્લેષ્મ સ્ત્રાવી કોષો દ્વારા નીકળતો ગ્લેષ્મ તેમજ સ્વાદુરસના બાયકાર્બોનેટસ સ્વાદુરસનું ઊંજણ (Lubrication) તેમજ રક્ષણ કરી મંદ HCIની વિપરીત અસરથી રક્ષણ આપે છે.

પ્રશ્ન 8.
જઠરાંત્રિય માર્ગની ગતિવિધિઓનું નિયમન કઈ રીતે થાય છે ?
ઉત્તર:
જઠરઆંત્રિય માર્ગની ગતિવિધિઓનું નિયમન બે પ્રકારે થાય છે.

  1. ચેતાકીય
  2. અંતઃસ્ત્રાવી. આના કારણે વિવિધ ભાગોનું યોગ્ય સંકલન જળવાઈ રહે છે. જઠરાંત્રિય માર્ગ બાહ્ય તેમજ આંતરિક ચેતાઓથી વીંટળાયેલો હોય છે.

પ્રશ્ન 9.
કબજિયાત અને અપચાની વચ્ચે શું તફાવત છે? તેના મુખ્ય કારણો દર્શાવો.
ઉત્તર:
કબજિયાતમાં મળત્યાગની ક્રિયા અનિયમિત થતાં મળ, મળાશયમાં લાંબો સમય સંગ્રહાયેલો રહે છે. મળત્યાગ વખતે તકલીફ, કેટલીક વાર નાની રૂધિરવાહિની ફાટતાં રક્તસ્ત્રાવ વગેરે ચિહ્નો જોવા મળે છે.

  1. તેના કારણોમાં પાણીની ઉણપ, ઓછો ફાઈબરવાળો ખોરાક, બેઠાડું જીવન, ચિંતા અને કેટલીક દવાઓ છે.
  2. અપચાની સ્થિતિમાં ખોરાકનું પૂરું પાચન થતું નથી. અપૂરતા ઉસેચકો, વધુ પડતો અને મસાલા/તેજાના યુક્ત ખોરાક, ખોરાકની વિષારતા વગેરે કારણે અપચો થઈ શકે છે.

પ્રશ્ન 10.
પકવાશયમાં ચરબી પર થતી ઉત્સુચકીય પ્રક્રિયા વર્ણવો.
ઉત્તર:
ચરબીનું પાચન પિત્તરસની મદદથી લાઈપેઝ ઉત્સુચક દ્વારા થાય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 12

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
કોઈ વ્યક્તિ તેના ભોજનમાં રોટલી અને દાળ લે છે. તેમાં પાચનમાર્ગથી પસાર થતા જોવા મળતા ફેરફારો સમજાવો.
ઉત્તર:
(1) રોટલી – (કાર્બોદિત) :
(a) મુખગુહામાં – રોટલી લાળરસ સાથે ચવાઈને ભળે છે. લાળરસનો એમાયલેઝ ઉત્સુચક સ્ટાર્ચને માલ્ટોઝમાં ફેરવે છે. 30% સ્ટાર્ચનું મુખગુહામાં પાચન થાય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 13
(b) જઠરમાં ખોરાક 4-5 કલાક રહે છે. અહીં કાર્બોદિતનું પાચન થતું નથી.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 14
લૂકોઝ, કોપરસ સ્તરમાંથી પસાર થઈ શકતું કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે.

(2) દાળ – પ્રોટીન : પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં આવેલા
પેસિનોજેન → પેપ્સિન (સક્રિય) ઉન્સેચક દ્વારા થાય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 15
કાયમોટ્રિપ્સીનોજન અને પ્રોકાર્બોક્સી પેપ્ટીડેઝને કાયમોટિસીન અને કાબૉક્સી પેપ્ટીડેઝમાં ફેરવે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 16

પ્રશ્ન 2.
(a) આપણા પાચન માર્ગમાં જોવા મળતાં વિવિધ પાચકરસો કયા છે ? ખોરાકના પૂર્ણ પાચન પછીની અંતિમ પેદાશો કઈ જોવા મળે છે?
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 17

(b) ખોરાકમાં પૂર્ણ પાચન બાદની અંતિમ પેદાશો કાર્બોદિત (સ્ટાર્ચ) → લૂકોઝ, પ્રોટીન → એમિનો એસિડ ચરબી → ફેટી એસિડ, ગ્લિસરોલ. DNAVRNA → શર્કરા + ગ્લિસરોલ

પ્રશ્ન 3.
શોષણની ક્રિયાવિધી સમજાવો.
ઉત્તર:
પાચિત ઉત્પાદનોનું અભિશોષણ (Absorption of Digested Products)

  • આ ક્રિયા દરમ્યાન પાચિત દ્રવ્યો આંત્રિય શ્લેષ્મ સ્તરમાંના રૂધિર અને લસિકા દ્વારા વહન પામે છે.
  • નાના આંતરડાની શ્લેષ્મ સ્તર સપાટી ઉપર રહેલા રસાંકુરો બધા જ પાચિત અંતિમ દ્રવ્યોનું અભિશોષણ કરી શકે છે.
    1. કાર્બોદિત : લૂકોઝ અને ગેલેકટોઝ – સક્રિય વહન દ્વારા અભિશોષણ પામે છે, શુકટોઝ અને મેનો – સાનુકૂલિત પ્રસરણ દ્વારા વહન પામે છે,
    2. એમિનો એસિડસ : મોટા ભાગના એમિનો એસિડ સક્રિય વહન દ્વારા અભિશોષણ પામે છે. કેટલાંક, સાનુકૂલિત પ્રસરણ દ્વારા વહન પામે છે,
    3. ચરબી : ફેટિ એસિડસ અને ગ્લિસરોલ પાણીમાં અદ્રાવ્ય છે. તેથી તેઓ રૂધિર સુધી સીધાં પહોંચી શકતા નથી. સૌપ્રથમ તે નાના, ગોળાકાર અને પાણીમાં દ્રાવ્ય બિંદુઓ સ્વરૂપે હોય છે. જેને મિશ્રણીય ઘટકો (Micelles) કહે છે. આ ધટકો પિત્તશારો અને ફોસ્ફોલિપીડસની મદદથી ત્રીય અવકાશમાં પ્રવેશે છે.
  • મિશ્રણીય ઘટકોમાંથી ફેટી એસિડસ, ગ્લિસરાઇટ્સ સ્ટેરોલ અને મેદ દ્રાવ્ય વિટામિન અત્રીય કોષોમાં પ્રસરણ દ્વારા અભિશોષણ પામે છે. જયાં તેઓ અંતઃકોષરસ જાળમાં પુનઃ સંશ્લેષણ પામે છે અને મેંદબિંદુઓ (Chylo microns) બનાવે છે.
    ત્યારબાદ તેઓ ત્રીય કોષમાંથી મુક્ત થઈ લસિકા કેશિકાઓ દ્વારા પય સ્વરૂપે હાજર હોય છે. આવી લસિકા વાહિનીઓને પસ્વિની Lactels કહે છે.

    • પાણી : પાણીનું વહન આકૃતિ ઢોળાંશ ઉપર આધારિત છે. સક્રિય વહન સાંદ્રતા ઢોળાશની
      વિરૂદ્ધ થાય છે, તેથી શક્તિની જરૂર પડે છે. 90% પાણીનું વહન આસુતિ દ્વારા થાય છે.
  • પદાર્થોનું શોષણ પાચનમાર્ગના વિવિધ ભાગોમાં થાય છે. જેવાં કે મુખ, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. જો કે મહત્તમ શોષણ નાના આંતરડામાં થાય છે.

પ્રશ્ન 4.
સ્વાદુપિંડ – પિત્તાશય સંકુલ – (Pancreatic – gallbladder complex)નો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીની પાચનક્રિયામાં ફાળો સમજાવો.
ઉત્તર:
સ્વાદુરસ અને પિત્તરસનો સ્ત્રાવ સામાન્ય યકૃત સ્વાદુરસવાહિની (Hepato – Panreatic duct) દ્વારા પકવાશયમાં થાય છે.
સ્વાદુરસ નીચે પ્રમાણે પાચન ક્રિયામાં ભાગ લે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 18

GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ

પ્રશ્ન 5.
મુખગુહામાં દાંતની ગોઠવણી સાથે પાચનની પ્રક્રિયાનું વર્ણન કરો.
ઉત્તર:
મુખગુહામાં દાંત અસ્થિના ખાડામાં ગોઠવાયેલા છે. આવા પ્રકારની દિતવ્યવસ્થાને કુપદંતી કહે છે.
ચાર પ્રકારનાં દાંત છે. વિષમદંતી છેદક, રાક્ષી, અગ્રદાઢ અને
દાઢ. દતસૂત્ર = \(\frac{2123}{2123}=\frac{8 \times 2}{8 \times 2}=\frac{16}{16}\) = 32.
દૂધિયા દાંત છ વર્ષની વયે નીકળી જાય છે. તેના સ્થાને કાયમી દાંત જોવા મળે છે. (પ્રતિસ્થાપી)
દાંતની મદદથી ખોરાકનું ચર્વણ થાય છે. લાળરસ તેમાં ભળે છે. લાળરસમાં રહેલો એમાયલેઝ 30% જેટલાં સ્ટાર્સનું જળવિભાજન કરી તેને લેક્ટોઝમાં ભેળવે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 16 પાચન અને અભિશોષણ 19
લાળરસ ચરબી કે પ્રોટીનના પાચન માટેનાં ઉત્સુચક ધરાવતો નથી. તેથી તેનું પાચન મુખગુહામાં થતું નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *