GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
પૂરની ઘટના ………………………. સાથે જોડાયેલી છે.
A. પર્વત
B. નદી
C. ભૂકંપ
ઉત્તરઃ
B. નદી

પ્રશ્ન 2.
વાવાઝોડું જાપાનમાં ………………………….. નામે ઓળખાય છે.
A. હરિકેન
B. ટૉર્નેડો
C. ટાઈફૂન
ઉત્તરઃ
C. ટાઈફૂન

પ્રશ્ન 3.
ભૂકંપથી બચવા માટે નવાં મકાનો ભૂકંપ ……………………… તરાહનાં બનાવવાં જોઈએ.
A. પ્રતિરોધક
B. પ્રતિશોધક
C. નિરોધક
ઉત્તરઃ
A. પ્રતિરોધક

પ્રશ્ન 4.
સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ……………………………. થાય છે.
A. તોફાની મોજ
B. વિનાશક મોજાં
C. ઝડપી મોજ
ઉત્તરઃ
B. વિનાશક મોજાં

પ્રશ્ન 5.
જંગલોમાં લાગી આગ ……………………… કહેવાય છે.
A. દાવાનળ
B. જંગલી આગ
C. જ્વલનશીલ આગ
ઉત્તરઃ
A. દાવાનળ

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 6.
યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં ………………………….. નામનો ઝેરી વાયુ વપરાતો હતો.
A. નીક
B. કાર્બન
C. મીક
ઉત્તરઃ
C. મીક

પ્રશ્ન 7.
13 ડિસેમ્બર, 2001ના રોજ 5 આતંકવાદીઓએ દિલ્લીમાં ………………………….. પર હુમલો કર્યો હતો.
A. લાલ કિલ્લા
B. ભારતીય સંસદ
C. ગેઇટ વે ઑફ ઇન્ડિયા
ઉત્તરઃ
B. ભારતીય સંસદ

પ્રશ્ન 8.
આપત્તિઓ પછીનું …………………………… આ એક પડકારજનક કાર્ય છે.
A. પુનઃસ્થાપન
B. વિસ્થાપન
C. નિર્માણ
ઉત્તરઃ
A. પુનઃસ્થાપન

પ્રશ્ન 9.
અમેરિકામાં વાવાઝોડું …………………….. અને ……………………….. નામે ઓળખાય છે.
A. હરિકેન, ટાઇફૂન
B. હરિકેન, ટૉર્નેડો
C. ટાઈફૂન, ટૉર્નેડો
ઉત્તરઃ
B. હરિકેન, ટૉર્નેડો

પ્રશ્ન 10.
બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ……………………….. ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે.
A. ભૂકંપીય
B. ભૂકંપનીય
C. ભૂગર્ભિક
ઉત્તરઃ
C. ભૂગર્ભિક

પ્રશ્ન 11.
સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાંને ……………………………. કહે છે.
A. સુસુકી
B. સુત્સુકી
C. સુનામી
ઉત્તરઃ
C. સુનામી

પ્રશ્ન 12.
…………………………… ની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે.
A. ભૂખમરા
B. અછત
C. જાનહાનિ
ઉત્તરઃ
B. અછત

પ્રશ્ન 13.
વધુ પડતા ટ્રાફિકથી ………………………. અને ……………………. નો મોટી માત્રામાં બગાડ થાય છે.
A. સમય, ઈંધણ
B. સમય, નાણાં
C. ઈંધણ, નાણાં
ઉત્તરઃ
A. સમય, ઈંધણ

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 14.
આપત્તિ બાદ ……………………… માટે મોટા પ્રમાણમાં નાણાંભંડોળની વ્યવસ્થા કરવી પડે છે.
A. સુવિધાઓ
B વ્યવસ્થા
C. પુનઃનિર્માણ
ઉત્તરઃ
C. પુનઃનિર્માણ

પ્રશ્ન 15.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતીય ઉપમહાદ્વીપમાં કયા નામે ઓળખાય છે?
A. ટાઈફૂન
B. ચક્રવાત
C. હરિકેન
D. ટૉર્નેડો
ઉત્તર:
B. ચક્રવાત

પ્રશ્ન 16.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકાયૂ.એસ.એ.)માં કયા નામે ઓળખાય છે?
A. હેરિઝોન
B. હરિકેન
C. ટાઈફૂન
D. હોનાવર
ઉત્તર:
B. હરિકેન

પ્રશ્ન 17.
વાતાવરણના વિક્ષોભથી-રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે?
A. ટૉર્નેડો
B. હરિકેન
C. ટાઈફૂન
D. ટેરેરિઝના
ઉત્તર:
C. ટાઈફૂન

પ્રશ્ન 18.
સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે …
A. સમુદ્રતળના ભૂકંપો દ્વારા જ થાય છે.
B. સમુદ્રી ટાપુ ડૂબી જવાથી જ થાય છે.
C. ધોધમાર વર્ષોથી જ થાય છે.
D. પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્વારા જ થાય છે.
ઉત્તર:
B. સમુદ્રી ટાપુ ડૂબી જવાથી જ થાય છે.

પ્રશ્ન 19.
26 ડિસેમ્બર, 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા છે મહાવિનાશક સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો?
A. પૅસિફિક મહાસાગર
B. હિંદ મહાસાગર
C. ઉત્તર ઍટલૅટિક મહાસાગર
D. દક્ષિણ ઍટલૅટિક મહાસાગર
ઉત્તર:
B. હિંદ મહાસાગર

પ્રશ્ન 20.
પાણીના અભાવને લીધે કઈ પરિસ્થિતિ સર્જાય છે?
A. અનાજના બગાડની
B. અછતની
C. છતની
D. તબીબી સારવારની
ઉત્તરઃ
B. અછતની

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 21.
ભોપાલ ગૅસકાંડ ક્યા રાજ્યમાં બન્યો હતો?
A. મહારાષ્ટ્ર
B. ઉત્તર પ્રદેશ
C. હરિયાણા
D. મધ્ય પ્રદેશ
ઉત્તરઃ
D. મધ્ય પ્રદેશ

પ્રશ્ન 22.
નીચેનામાંથી ક્યો રોગ વિષાણુજન્ય રોગ નથી?
A. ઇન્ફલુએન્ઝા
B. ઇબોલા
C. ડે…
D. પ્લેગ
ઉત્તરઃ
D. પ્લેગ

પ્રશ્ન 23.
11 સપ્ટેમ્બર, 2001ના રોજ કયા દેશમાં આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાઓ થયા હતા?
A. સંયુક્ત રાજ્ય અમેરિકામાં
B. ગ્રેટબ્રિટનમાં
C. ફ્રાન્સમાં
D. ભારતમાં
ઉત્તરઃ
A. સંયુક્ત રાજ્ય અમેરિકામાં

પ્રશ્ન 24.
એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો?
A. 13 ડિસેમ્બર, 2005ના રોજ
B. 26 જાન્યુઆરી, 2001ના રોજ
C. 26 નવેમ્બર, 2008ના રોજ
D. 13 ડિસેમ્બર, 2001ના રોજ
ઉત્તરઃ
D. 13 ડિસેમ્બર, 2001ના રોજ

પ્રશ્ન 25.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. ટ્રાફિક સમસ્યા
B. ભૂકંપ
C. હુલ્લડ
D. આગ
ઉત્તરઃ
B. ભૂકંપ

પ્રશ્ન 26.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
A. સુનામી
B. દાવાનળ
C. જ્વાળામુખી
D. ટ્રાફિક સમસ્યા
ઉત્તરઃ
D. ટ્રાફિક સમસ્યા

પ્રશ્ન 27.
પૂર ઓસર્યા પછી ક્યો ખોરાક ન ખાવો?
A. ઉકાળેલા પાણીથી બનાવેલ .
B. ગાળેલા પાણીથી બનાવેલ
C. પૂરના પાણીથી બનાવેલ
D. ચોખા દેખાતા પાણીથી બનાવેલ
ઉત્તરઃ
C. પૂરના પાણીથી બનાવેલ

પ્રશ્ન 28.
ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની વિધ્વંસક અસરો અનુભવાય છે?
A. કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે
B. મલબાર કિનારે
C. કોંકણ કિનારે
D. ખંભાતના અખાતમાં
ઉત્તરઃ
A. કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે

પ્રશ્ન 29.
આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે?
A. દુકાળ
B. ભૂકંપ
C. દાવાનળ
D. ઔદ્યોગિક અકસ્માત
ઉત્તર:
A. દુકાળ

પ્રશ્ન 30.
માનવસર્જિત આપત્તિ કઈ છે?
A. પૂર
B. બૉમ્બ વિસ્ફોટ
C. દાવાનળ
D. દુકાળ
ઉત્તર:
B. બૉમ્બ વિસ્ફોટ

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 31.
નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
A. સ્વાઇન ફ્લ
B. મલેરિયા
C. ટાઇફૉઇડ
D. કૉલેરા
ઉત્તર:
A. સ્વાઇન ફ્લ

પ્રશ્ન 32.
વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે…
A. રોગની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવી.
B. તેના માટેની રોગપ્રતિકારક રસી લેવી.
C. ચેપ ન લાગે તેની સાવચેતી રાખવી.
D. હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અલાયદા (અલગ). વૉર્ડની વ્યવસ્થા કરવી.
ઉત્તર:
D. હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અલાયદા (અલગ). વૉર્ડની વ્યવસ્થા કરવી..

પ્રશ્ન 33.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. ઔદ્યોગિક અકસ્માત
B. જ્વાળામુખી
C. હુલ્લડ
D. આગ
ઉત્તર:
B. જ્વાળામુખી

પ્રશ્ન 34.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?
A. સુનામી
B. પૂર
C. ઔદ્યોગિક અકસ્માત
D. જ્વાળામુખી
ઉત્તર:
C. ઔદ્યોગિક અકસ્માત

પ્રશ્ન 35.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. આગ
B. ટ્રાફિક-સમસ્યા
C. ઔદ્યોગિક અકસ્માત
D. દાવાનળ
ઉત્તર:
D. દાવાનળ

પ્રશ્ન 36.
ટ્રફિકથી શાનો મોટી માત્રામાં વ્યય થાય છે?
A. સમય અને સાધનોનો
B. વાહનો અને સમયનો
C. સમય અને ઈંધણનો
D. ઈંધણ અને રસ્તાનો
ઉત્તર:
C. સમય અને ઈંધણનો

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
પૂર એક કુદરતી ઘટના છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 2.
સુનામી એક માનવસર્જિત ઘટના છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 3.
ભૂકંપની ચોક્કસ આગાહી કરી શકાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 4.
જંગલમાં દાવાનળ વર્ષાઋતુ દરમિયાન પ્રગટે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
હુલ્લડો દેશની એકતા અને અખંડિતતા માટે પડકારરૂપ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
ટ્રાફિકજામની સમસ્યા લગભગ બધાં મોટાં શહેરોમાં જોવા મળે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 8.
બૉમ્બ વિસ્ફોટ એ કુદરતી આપત્તિ નથી.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 9.
પૂર ઓસર્યા પછી ઉકાળેલા પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં ટાઈફૂનના નામે ઓળખાય છે.
ઉત્તર:
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 11.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં હરિકેનના નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતમાં ટૉર્નેડોના નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજાં એવો થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 14.
પાણીના અભાવને લીધે અછતની પરિસ્થિતિ સર્જાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 15.
ભોપાલ ગેસકાંડ ગુજરાત રાજ્યમાં બન્યો હતો.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 16.
સ્વાઇન ફ્યૂ વિષાણુજન્ય રોગ નથી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 17.
13 ડિસેમ્બર, 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર હુમલો કર્યો હતો.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 18.
ડિસેમ્બર, 2014માં પાકિસ્તાનના લાહોર શહેરમાં આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: 

પ્રશ્ન 1.
લોકો પૂરની ઘટનાને મોટા ભાગે કોની સાથે જોડે છે?
ઉત્તર:
નદી સાથે

પ્રશ્ન 2.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો યુ.એસ.એ.માં કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
હરિકેન અને ટૉર્નેડો

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 3.
ચીન અને જાપાનના દરિયાકિનારે કયા તોફાની પવનો ત્રાટકે છે?
ઉત્તર:
ટાઈફૂન

પ્રશ્ન 4.
મહાસાગર કે સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાને ? શું કહે છે?
ઉત્તર:
ત્સુનામી

પ્રશ્ન 5.
સૂનામીની ઉત્પત્તિ મોટા ભાગે કોના દ્વારા જ થાય છે?
ઉત્તર:
સમુદ્રતળના ભૂકંપો

પ્રશ્ન 6.
સૂનામીને કયાં મોજાં તરીકે પણ ઓળખવામાં આવે છે?
ઉત્તર:
ભૂકંપીય સાગરમોજાં

પ્રશ્ન 7.
કઈ આપત્તિ એ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે?
ઉત્તર:
દુષ્કાળ

પ્રશ્ન 8.
કઈ કુદરતી આપત્તિ સમયે મોટા ભોજન-સમારંભો ન યોજવા જોઈએ?
ઉત્તર:
દુષ્કાળ

પ્રશ્ન 9.
જંગલોમાં લાગતી આગને શું કહેવાય?
ઉત્તર:
દાવાનળ

પ્રશ્ન 10.
ભોપાલ ગૅસકાંડમાં કયો ઝેરી વાયુ ગળતર થયો હતો?
ઉત્તર:
મીક છે

પ્રશ્ન 11.
પ્લેગ એ કયા પ્રકારનો રોગ છે?
ઉત્તર:
વિષાણુજન્ય

પ્રશ્ન 12.
ડેગ્યુ, ઇબોલા, સ્વાઈન ફ્લ, ઇન્ફલુએન્ઝા વગેરે કયા પ્રકારના રોગો છે?
ઉત્તર:
વિષાણુજન્ય

પ્રશ્ન 13.
માનવતાનો દુશ્મન કોણ છે?
ઉત્તર:
આતંકવાદ

પ્રશ્ન 14.
ભારતમાં 13 ડિસેમ્બર, 2008ના રોજ આતંકવાદીઓએ કોની પર હુમલો કર્યો હતો?
ઉત્તર:
ભારતની સંસદ પર

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 15.
સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી કઈ સમસ્યા સર્જાઈ છે?
ઉત્તર:
ટ્રાફિકજામની

પ્રશ્ન 16.
આપત્તિ પછી કઈ કામગીરી પ્રથમ ક્રમે આવે છે?
ઉત્તર:
બચાવની

પ્રશ્ન 17.
આપત્તિ પછી કઈ કામગીરીનો ક્રમ છેલ્લો આવે છે?
ઉત્તર:
પુનઃસ્થાપનની

નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપો :

પ્રશ્ન 1.
વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓની માહિતી આપો.
ઉત્તર:
વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ નીચે મુજબ છે :
(1) 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે એક આતંકવાદી સંગઠને યૂ.એસ.એ.માં શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલા કર્યા.
તે દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જેટ વિમાનોનું અપહરણ કર્યું. તેમાંનાં બે વિમાનોને તેમણે ન્યૂ યૉર્ક શહેસ્ના ટ્વીન ટાવર (UTC) સાથે અથડાવ્યાં. તેનાથી ટાવરમાં કામ કરતા લગભગ ત્રણ હજાર જેટલા નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા. મકાનો ધરાશાયી થવાથી લગભગ છ હજારથી વધારે નાગરિકો ઘવાયા. હું બાકીનાં બે વિમાનો પૈકી એક વિમાનને પેંટાગોન સાથે અથડાવ્યું અને બીજું વિમાન પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ પડ્યું.

(2) 13 ડિસેમ્બર, 2001ના રોજ એક આતંકવાદી સંગઠનના 5 આતંકવાદીઓએ રાજધાની દિલ્લીમાં ભારતના સંસદભવન પર સશસ્ત્ર હુમલો કર્યો. – લગભગ 45 મિનિટ સુધી તેમણે સંસદના પરિસરમાં આડેધડ ગોળીબાર કર્યા, પરંતુ સંસદના સુરક્ષાદળના જવાનોએ જાનને જોખમમાં મૂકી આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 8 જવાનો શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા.

(3) 26 નવેમ્બર, 2008ની મોડી રાત્રે આતંકવાદીઓએ મુંબઈની જાણીતી હૉટલો પર અને ભારે ભીડવાળાં સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટો તથા અંધાધૂંધ ગોળીબાર કર્યા. – આ આતંકવાદી હુમલામાં 166 જેટલા લોકો અકાળે મોતને ભેટ્યા અને 137 જેટલા લોકો ઘાયલ થયા.

(4) ડિસેમ્બર, 2014માં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવર શહેરની લશ્કરી છાવણીમાં આવેલ આર્મી સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરી 132 જેટલાં નિર્દોષ બાળકો સહિત 141 જેટલા લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા.

(5) 13– 14 નવેમ્બર, 2015ના દિવસો દરમિયાન એક આતંકવાદી સંગઠને ફ્રાન્સની રાજધાની પૅરિસ શહેરમાં 7 સ્થળોએ વિસ્ફોટો કર્યા. તેમાં 130 જેટલા માણસો મોતને ભેટ્યા; જ્યારે 368 જેટલા માણસો ઘાયલ થયા.

(6) 24 સપ્ટેમ્બર, 2002ના રોજ 2 આતંકવાદીઓએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરની મુલાકાતે આવેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમાં 30 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી હતી; જ્યારે 80 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.

નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો :

પ્રશ્ન 1.
વાવાઝોડા વખતે શું કરવું?
ઉત્તરઃ
વાવાઝોડા વખતે નીચે મુજબ સાવધાની રાખવી જોઈએ:

  • આવનાર વાવાઝોડાનો ચોક્કસ સમય જાણવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમાચારો સાંભળતા તથા જોતા રહેવું.
  • રેડિયો માટે વધારાની એક બૅટરી પાસે રાખવી.
  • મોબાઇલ ફોન અને પાવર બૅન્ક જેવાં સાધનો ચાર્જ કરી લેવાં.
  • રેડિયો પરથી પ્રસારિત થતી સૂચનાઓ અને ચેતવણીઓ ધ્યાનથી સાંભળવી અને તેનો ચુસ્તપણે અમલ કરવો.
  • અફવાઓ પર ધ્યાન ન આપવું.
  • ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી, વગેરેનો જરૂરિયાત પ્રમાણે સંગ્રહ કરવો. વૃદ્ધો અને બાળકો માટે જરૂરી ખોરાક અને દવાઓની જોગવાઈ રાખવી.
  • બચાવતંત્રે ઘર છોડી દેવા જણાવ્યું હોય તો તેનું તાત્કાલિક પાલન કરી તરત જ સલામત જગ્યાએ જતા રહેવું.
  • પીવા માટે શુદ્ધ અને સલામત પાણી વાપરવું.
  • સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓના આશ્રયસ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.
  • ઢોરઢાંખરને ખીલેથી છોડી મૂકવાં.
  • ઘરની વીજળીની સ્વિચ બંધ કરવી. વીજળીના થાંભલા, મોટાં વૃક્ષો, મકાનો વગેરેથી દૂર ઊભા રહેવું.

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 2.
વાવાઝોડા વખતે શું ન કરવું?
ઉત્તરઃ
વાવાઝોડા વખતે –

  • ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી.
  • પ્લાસ્ટિક કે પતરાના ડબ્બા કે ડબ્બીઓ છૂટાં ન રાખવાં, કારણ કે પવનથી ઊડીને તે ઈજા પહોંચાડી શકે છે.
  • હવામાન વિભાગ દ્વારા રેડિયો પર આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ પર ધ્યાન ન આપવું.
  • એકાએક વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરસાદ બંધ થઈ જાય તેમજ પવન બંધ થઈ જાય તોપણ ઘરની બહાર ખુલ્લામાં જવું નહિ, અચાનક પવન કે વરસાદ આવી શકે છે.
  • વીજળીના થાંભલા તેમજ વીજળીના છૂટા તારને અડકવું નહિ. તેમનાથી દૂર ઊભા રહેવું.
  • જાહેરાતનાં મોટાં પાટિયાં (હૉર્ડિંગ્સ) અને મોટાં વૃક્ષો પાસે ઊભા ન રહેવું.

પ્રશ્ન 3.
ભૂકંપ (ધરતીકંપ) સમયે શું કરવું?
ઉત્તરઃ
ભૂકંપ (ધરતીકંપ) સમયે –

  • તમે શાળામાં હો તો મોટી પાટલીઓ કે ટેબલ નીચે બેસી જવું.
  • તમે બહાર ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીના થાંભલા અને વીજળીની લાઇનોથી દૂર ઊભા રહેવું.
  • જો તમે વાહન ચલાવતા હોય તો પુલ (બ્રિજ), વીજળીના થાંભલા કે તેની લાઈનો અને ટ્રાફિક સિગ્નલથી તમારું વાહન દૂર ઊભું રાખવું.
  • ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી વાહનમાં જ બેસી રહેવું.
  • ભૂકંપના આંચકા પૂરા થઈ જાય પછી પણ ઘરમાં ફ્રીઝ, દીવાલ પર લગાવેલા ફોટા, છત પરના પંખા (સિલિંગ ફેન) વગેરેથી દૂર ઊભા રહેવું, કારણ કે તે પાછળથી પણ નીચે પડી શકે છે.
  • માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સ્ટેશનથી આવતા સમાચારો સાંભળવા.
  • ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. ઘરની બહાર સલામત જગ્યાએ પહોંચવું.
  • ઘરમાં વીજળી, ગેસ વગેરે બંધ કરવાં.

પ્રશ્ન 4.
ભૂકંપ (ધરતીકંપ) સમયે શું ન કરવું?
ઉત્તર:
ભૂકંપ (ધરતીકંપ) સમયે આ ન કરવું:

  • ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબૂમ કે નાસભાગ ન કરવી.
  • ભૂકંપના આંચકાથી નીચે પડતી વસ્તુઓને રોકવાનો પ્રયાસ ન કરવો.
  • બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફટનો ઉપયોગ ન કરવો.
  • ભૂકંપ સમયે ઘરમાં લાકડાના કબાટ, તિજોરી અને અરીસાની બાજુમાં કે કાચનાં ઝુમ્મર નીચે ઊભા ન રહેવું.
  • ઘરમાં વીજળી, ગૅસ વગેરે ચાલુ ન રાખવાં. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે.
  • તબીબી સારવારની મદદ માટે કે આગ લાગી હોય ત્યારે જ સત્તાવાળાઓને ફોન કરવા. આ સિવાયની બાબતો માટે ફોન ના કરવા, કારણ કે ટેલિફોન નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવની કામગીરી અવરોધાય છે.
  • ખોટી માન્યતાઓ કે અફવાઓથી દોરવાવું નહિ.

પ્રશ્ન 5.
સુનામી સમયે શું કરવું અને શું ન કરવું તે જણાવો.
ઉત્તરઃ
સુનામી સમયે શું કરવું

  • ત્સુનામીના સમાચારો કે સૂચનાઓ સાંભળતાં જ સમુદ્રકિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું.
  • રેડિયો પોતાની પાસે રાખવો, જેથી સરકારી તંત્ર દ્વારા મળતી સૂચનાઓનો તુર્ત અમલ કરી શકાય.
  • મૅન્ગ્રોવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઓછી કરે છે, તેથી તેનો વિસ્તાર વધારવા પ્રયત્નો કરવા. સુનામી સમયે શું ન કરવું
  • દરિયાકિનારે આવેલાં ઊંચાં મકાનોમાં આશ્રય ન લેવો, કારણ કે તે સુનામીનાં વિનાશક મોજાંથી તે ધરાશાયી થઈ શકે છે.
  • ત્સુનામી ઓસર્યા પછી સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ મળે તે પહેલાં : દરિયાકિનારે જવું નહિ.

પ્રશ્ન 6.
દુષ્કાળ સમયે શું કરવું અને શું ન કરવું તે જણાવો.
ઉત્તરઃ
દુષ્કાળ સમયે શું કરવું –

  • ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વિસ્તાર વધારવો.
  • સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી.
  • ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું.
  • રાહતકામો શરૂ કરવાં.
  • સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા ઊભી કરવી.
  • જરૂરિયાત સિવાયનાં અન્ય કામો બંધ કરવાં. દા. ત., બાંધકામ પ્રવૃત્તિ બંધ કરવી.

દુષ્કાળ સમયે શું ન કરવું-

  • અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન-સમારંભો યોજવા નહિ.
  • સુખી અને સમૃદ્ધ નાગરિકોએ અનાજ કે ઘાસચારાની સંગ્રહખોરી ન કરવી.

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 7.
દાવાનળ એટલે શું? દાવાનળ માટેનાં કારણો જણાવો.
ઉત્તર:
જંગલમાં લાગતી વિકરાળ અને વિનાશકારી આગ ‘દાવાનળ’ કહેવાય છે.
દાવાનળનાં કારણોઃ

  • જંગલમાં વીજળી પડે છે ત્યારે આગ ઉત્પન્ન થાય છે.
  • બીડી-સિગરેટ પીતી વ્યક્તિઓએ ફેંકેલાં હૂંઠાંથી તેમજ પર્યટકો યાત્રિકોએ કે માલધારીઓએ જંગલમાં છોડી દીધેલી સળગતી ચીજવસ્તુઓથી જંગલમાં આગ લાગે છે.
  • પાનખર ઋતુમાં જંગલમાં એકઠાં થયેલાં સૂકાં પાંદડાં અને સૂકું ઘાસ આગના ઈંધણનું કામ કરે છે.
  • સૂકી હવા અને સળગી જાય એવું ઈંધણ દાવાનળ માટે પાયાનું કારણ છે.
  • વાતાવરણમાં ગરમી હોય, ભેજ ઓછો હોય તેમજ પવનવાળા દિવસો હોય તો જંગલમાં આગ ઝડપથી ફેલાય છે.
  • જંગલનાં કેટલાંક વૃક્ષોમાંથી તૈલીય પદાર્થ ઝરતો હોય છે. તે જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી પ્રસરે છે.

પ્રશ્ન 8.
જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું?
ઉત્તર:
જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે-

  • જંગલ વિસ્તારમાં વનવિભાગની સૂચનાઓ પ્રમાણે વર્તવું.
  • પાનખર ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવી.
  • વનવિભાગના કર્મચારીઓને દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ આપવી.
  • જંગલ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે સળગતી ચીજવસ્તુઓ કે બીડી-સિગરેટનાં ઠૂંઠાં ફેંકવાં નહિ.
  • જંગલ વિસ્તારોની નજીક વસવાટ કરતા લોકોએ વનવિભાગે આપેલી સૂચનાઓ મુજબ જ વર્તવું.

પ્રશ્ન 9.
ઔદ્યોગિક અકસ્માત વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
ઔદ્યોગિક વસાહતો (GIDC), મિલો, કારખાનાઓ વગેરેમાં ઘણી તકેદારી રાખવા છતાં અકસ્માતો થાય છે.

  • ઔદ્યોગિક પ્રક્રિયામાં નાનાં-મોટાં યંત્રોનું સંચાલન અને સારસંભાળ તથા ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણ માણસો જ કરે છે. આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના રહેલી છે.
  • ઔદ્યોગિક અકસ્માતોથી ઉદ્યોગમાં કામ કરતા દરેક કક્ષાના કર્મચારીઓની અને કામદારોની જાનહાનિ થાય છે.
  • ઔદ્યોગિક અકસ્માતોથી પર્યાવરણને ઘણું નુક્સાન થાય છે. તેનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે.

પ્રશ્ન 10.
ભોપાલ ગૅસકાંડ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભોપાલ ગેસકાંડ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ઈ. સ. 1984માં બન્યો હતો.

  • ભોપાલમાં આવેલ યુનિયન કાર્બાઇડ નામનું કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું.
  • કારખાનાની ઉત્પાદનની પ્રક્રિયામાં મીક નામનો અત્યંત ઝેરી વાયુનો ઉપયોગ થતો હતો. આ વાયુનો સંગ્રહ કારખાનાની મોટી ટાંકીઓમાં થતો હતો.
  • 3 ડિસેમ્બર, 1984ના રોજ વહેલી સવારે કારખાનાની ટાંકીઓમાંથી મીક વાયુનું ગળતર થયું. તે લગભગ 45 મિનિટ સુધી ચાલુ રહ્યું. મીક વાયુ પલકારામાં ભોપાલ શહેરના ગીચ વિસ્તારોમાં પ્રસરી ગયો તેની જીવલેણ અસરથી આશરે 2500 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી. આ ઉપરાંત, ઝેરી વાયુથી પીવાનું પાણી, જળાશયો, જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો વગેરે અસરગ્રસ્ત બન્યાં. આશરે 10,000 જેટલી વ્યક્તિઓ કાયમી વિકલાંગ બની; જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગ બની.
  • આ ઉપરાંત, હજારો પશુ-પક્ષીઓ પણ મૃત્યુ પામ્યાં.

પ્રશ્ન 11.
ગેસ ગળતર ન થાય તે માટે અને ગેસ ગળતર થાય તો શું કરવું તે જણાવો.
ઉત્તરઃ
ગેસ ગળતરની ચેતવણી માટે કારખાનામાં આધુનિક વૉર્નિગ સિસ્ટમનો પ્રબંધ કરવો.

  • કારખાનાના સંચાલન માટે સલામતીના ઉચ્ચ માપદંડો નક્કી કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવું.
  • ગૅસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગૅસટેન્કરને તાબડતોબ માનવવસાહતોથી દૂર લઈ જવું.
  • ગેસ ગળતર સમયે પવનની દિશા જોઈને તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું.
  • શ્વાસ લેવામાં તકલીફ પડે અને આંખોમાં બળતરા થાય તો તેનો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકના ડૉક્ટર પાસે પહોંચી જવું.
  • બેહોશ કે અશક્ત થયેલા લોકોને ગેસના અસરગ્રસ્ત વિસ્તારથી તાત્કાલિક દૂર લઈ જવા.
  • ફાયરબ્રિગેડ અને પોલીસતંત્રને જાણ કરવી.
  • રસ્તામાં બચાવ કામગીરીનાં વાહનોને આપણાં વાહનો અવરોધે નહિ તેમ મૂકવાં.

પ્રશ્ન 12.
આતંકવાદ એટલે શું? આતંકવાદ ફેલાવવા આતંક્વાદીઓ ? શું કરે છે?
ઉત્તર:
જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ “આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ ‘આતંકવાદ’ કહેવાય છે. આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ નીચેની પ્રવૃત્તિઓ કરે છે :

  • આત્મઘાતી હુમલા કરવા.
  • માનવબૉમ્બનો હુમલો કરવો.
  • બૉમ્બ ફેંકવા, રૉકેટો છોડવા અને સુરંગો બિછાવવી. હિટલિસ્ટ બનાવવું.
  • ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેમનો ઉપયોગ કરવો.
  • વિમાનો હાઇજેક કરવાં.
  • વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અપહૃત વ્યક્તિઓને અમાનુષી રીતે મારી નાખવી.
  • માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવાં.
  • ધાર્મિક સ્થળો પર હુમલા કરવા.
  • બસ કે રેલગાડીમાં બૉમ્બ મૂકવા વગેરે.

પ્રશ્ન 13.
આતંકવાદી હુમલાથી બચવા માટે શું કરવું જોઈએ? ?
ઉત્તર:
આતંકવાદી હુમલાથી બચવાના ઉપાયો નીચે મુજબ છે:

  • કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરવી.
  • શૉપિંગ મોલ્સ, સિનેમાગૃહો, ધાર્મિક સ્થળો વગેરે જાહેર સ્થળોએ જોવા મળતી બિનવારસી વસ્તુઓને અડકવું નહિ. આ બાબતની એ સ્થળના સુરક્ષાકર્મીને જાણ કરવી.
  • સુરક્ષાના હેતુથી થતી તપાસ કે અંગજડતીની પ્રક્રિયામાં સહકાર આપવો.
  • કાયદાકીય જોગવાઈ મુજબ ઘરના ભાડુઆત વિશેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવવી. જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા.
  • મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ બિનવારસી સામાન જોવા મળે તો તેની તાત્કાલિક રેલ સત્તાવાળાઓને જાણ કરવી.
  • પાડોશમાં કોઈ વ્યક્તિ એકલો રહેતો હોય, સ્થાનિક લોકો સાથે ભળતો ન હોય કે મોડી રાત સુધી કમ્યુટર પર શંકાસ્પદ કામ કરતો હોય તેની પોલીસતંત્રને જાણ કરવી.
  • બિનવારસી વાહનોની પોલીસને જાણ કરવી.

પ્રશ્ન 14.
હુલ્લડ સમયે શું કરવું અને શું ન કરવું તે જણાવો.
ઉત્તર:
હુલ્લડ સમયે શું કરવું:

  • હિંસાત્મક વાતો કે અફવાઓથી દોરવાવું નહિ તેમજ અફવાને ફેલાતી અટકાવવી.
  • મહોલ્લા / શેરીઓ કે પોળોમાં શાંતિ સમિતિઓ રચવી અને તેમાં સક્રિય ભાગ લેવો.
  • હુલ્લડના અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ પહોંચાડી નાગરિક ધર્મ બજાવવો. હુલ્લડ સમયે શું ન કરવું
  • ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહિ.
  • સત્તાવાળાઓ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા આપેલા આદેશો કે સંચારબંધી(કરફ્યુ)નું ઉલ્લંઘન ન કરવું.
  • ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં આવતી આધારહીન અને ભ્રામક વાતો માનવી નહિ તેમજ તેને ફેલાવવી નહિ.

પ્રશ્ન 15.
વાહન-અકસ્માત ન થાય એ માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ?
ઉત્તર:
વાહન-અકસ્માત ન થાય એ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

  • ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહિ.
  • ખૂબ જૂનાં વાહનો વપરાશમાં ન લેવાં.
  • માલસામાનની હેરફેર રાત્રે કે વહેલી સવારના સમય સિવાય ન કરવી.
  • વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારુઓનું સ્થળાંતર કરવું નહિ.
  • વાહનચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓનાં બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવાં નહિ.
  • વાહનોની ડિઝાઇન સાથે ચેડાં કરવાં નહિ.
  • વાહન હાંકતી વેળા વાહનચાલકે મોબાઇલનો ઉપયોગ ન કરવો.
  • સીટબેલ્ટને પહેર્યા વિના વાહન હાંકવું નહિ.
  • રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીએ ઇયરફોન છે કે મોબાઇલ વાપરવો નહિ.
  • ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષાકર્મીઓનાં સૂચનો બાબતે દલીલબાજીમાં ઊતરવું નહિ.
  • વાલીઓએ પોતાનાં સગીર વયનાં બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહનો ચલાવવા આપવાં નહિ.
  • અકસ્માત સમયે કુતૂહલવશ ટોળે વળીને કે પોતાનાં વાહનોમાંથી ઊતરી રાહત અને બચાવ કામગીરીને અવરોધવી નહિ. ગક

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
આપત્તિઓના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
આપત્તિ-વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે:
1. કુદરતી આપત્તિઓ અને
2. માનવસર્જિત આપત્તિઓ.
1. કુદરતી આપત્તિઓઃ પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે. કુદરતી આપત્તિઓના બે પેટાવિભાગ છે:

  • આગાહી કરી શકાય તેવી આપત્તિઓ, પૂર, વાવાઝોડું, ત્સુનામી, દુકાળ વગેરે.
  • આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ; ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ.

2. માનવસર્જિત આપત્તિઓઃ આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે.

પ્રશ્ન 2.
આતંકવાદીઓને તક ન મળે એ માટે શું ન કરવું જોઈએ?
ઉત્તર:

  • કોઈ અજાણી વ્યક્તિ વસ્તુ કે પાર્સલ આપે તો લેવાં નહિ.
  • અજાણી વ્યક્તિ વિશે પૂરી જાણકારી મેળવ્યા વિના તેને ઘર ભાડે આપવું નહિ.
  • અજાણી વ્યક્તિ સાથે મકાન, મોબાઇલ, વાહન વગેરેની લે-વેચ કરવી નહિ.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા(યુ.એસ.એ.)એ જાપાનનાં ક્યાં બે શહેરો પર પરમાણુ બૉમ્બ ફેંક્યા હતા?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા-.એસ.એ.)એ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર પરમાણુ બૉમ્બ ફેંક્યા હતા.

પ્રશ્ન 2.
કુદરતી આપત્તિઓનાં નામ આપો.
ઉત્તર:
કુદરતી આપત્તિઓનાં નામઃ

  • પૂર,
  • વાવાઝોડું,
  • સુનામી,
  • દુકાળ,
  • ભૂકંપ (ધરતીકંપ),
  • જ્વાળામુખી,
  • દાવાનળ અને
  • ભૂસ્મલન.

પ્રશ્ન 3.
આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ (1) પૂર, (2) વાવાઝોડું, (3) સુનામી અને (4) દુકાળ.

પ્રશ્ન 4.
આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ – કઈ છે?
ઉત્તરઃ
આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ :

  1. ભૂકંપ,
  2. જ્વાળામુખી,
  3. દાવાનળ અને
  4. ભૂસ્મલન.

પ્રશ્ન 5.
માનવસર્જિત આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તર:
માનવસર્જિત આપત્તિઓઃ

  • ઔદ્યોગિક અકસ્માત,
  • બૉમ્બ વિસ્ફોટ,
  • હુલ્લડ અને
  • ટ્રાફિક-સમસ્યા.

પ્રશ્ન 6.
પૂર’ એટલે શું? પૂરની અસર ક્યાં વધારે થાય છે?
ઉત્તર:
વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં એકસામટો ભારે વરસાદ પડવાથી, નદી પરનો બંધ તૂટવાથી કે હિમક્ષેત્રમાં બરફ પીગળવાથી નદીમાં આવતા ધસમસતા પ્રવાહને “પૂર’ કહે છે. નદીકિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની વધારે અસર થાય છે. પરિણામે ત્યાં મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થાય છે.

પ્રશ્ન 7.
વાવાઝોડું ભારત, યૂ.એસ.એ. અને જાપાનમાં કયાં કયાં નામે ઓળખાય છે?
ઉત્તર:
વાવાઝોડું ભારતમાં ચક્રવાત, યૂ.એસ.એ.માં હરિકેન 3 અને ટૉર્નેડો તથા ચીન અને જાપાનમાં ટાઈફૂનના નામે ઓળખાય છે.

પ્રશ્ન 8.
વાવાઝોડું શાથી સર્જાય છે?
ઉત્તર:
વાવાઝોડું હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. જ્યારે દરિયાકિનારાના પ્રદેશોમાં હવાનું ભારે દબાણ અને સમુદ્ર કે મહાસાગર પર હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 9.
ભારતમાં વાવાઝોડાની અસર ક્યાં અનુભવાય છે?
ઉત્તર:
ભારતમાં વાવાઝોડાની અસર દેશના પૂર્વકિનારે અને કચ્છ તથા સૌરાષ્ટ્રના કિનારે અનુભવાય છે.

પ્રશ્ન 10.
ભૂકંપ એટલે શું?
ઉત્તર:
પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીસપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રૂજી ઊઠે છે. તેને ‘ભૂકંપ’ કે “ધરતીકંપ’ કહે છે.

પ્રશ્ન 11.
સુનામી (Tsunami) એટલે શું?
ઉત્તર:
‘સુનામી’ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. “સુ” એટલે બંદર અને “નામી’ એટલે મોજાં. સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે. તેમને “સુનામી’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 12.
સુનામીની મહાવિનાશક અસરનું એક દાંત આપો.
ઉત્તર:
26 ડિસેમ્બર, 2004ના રોજ હિંદ મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિતના દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો.

પ્રશ્ન 13.
દુકાળ એટલે શું?
ઉત્તર:
વર્ષાઋતુના સમયમાં વરસાદ આવે જ નહિ અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે , તેને ‘દુકાળ’ કે ‘દુષ્કાળ’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 14.
દુષ્કાળના સમયે ખેતીમાં કઈ સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જોઈએ?
ઉત્તર:
દુષ્કાળના સમયે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જોઈએ.

પ્રશ્ન 15.
દાવાનળ એટલે શું?
ઉત્તર:
જંગલોમાં ફેલાયેલી આગને ‘દાવાનળ’ કહે છે.

પ્રશ્ન 16.
માનવસર્જિત આપત્તિઓ કોને કહે છે?
ઉત્તર:
માનવે પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણતાં કે અજાણતાં કરેલ ભૂલોથી તેમજ તેની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનને લીધે ઉદ્ભવતી દુર્ઘટનાઓથી જાનમાલને ભારે નુકસાન થાય છે. આવી દુર્ઘટનાઓને – ‘માનવસર્જિત આપત્તિઓ કહે છે.

પ્રશ્ન 17.
ભોપાલ ગૅસકાંડ ક્યારે બન્યો હતો?
ઉત્તર:
ભોપાલ ગેસકાંડ 3 ડિસેમ્બર, 1984ની વહેલી સવારે બન્યો હતો.

પ્રશ્ન 18.
યુ.એસ.એ.માં એક આતંક્વાદી સંગઠને ક્યારે આત્મઘાતી હુમલાઓ કર્યા હતા?
ઉત્તર:
યુ.એસ.એ.માં એક આતંકવાદી સંગઠને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ આત્મઘાતી હુમલાઓ કર્યા હતા.

પ્રશ્ન 19.
એક આતંકવાદી સંગઠનના આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો?
ઉત્તરઃ
એક આતંકવાદી સંગઠનના આતંકવાદીઓએ ભારતની સંસદ પર 13 ડિસેમ્બર, 2001ના રોજ હુમલો કર્યો હતો.

પ્રશ્ન 20.
આતંકવાદીઓએ ક્યારે અને ક્યાં કરેલ હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી?
ઉત્તર:
ડિસેમ્બર, 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરના લશ્કરી છાવણીમાં આવેલી આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.

પ્રશ્ન 21.
આપત્તિઓની એક ભૌતિક અસર જણાવો.
ઉત્તરઃ
આપત્તિઓની એક ભૌતિક અસર: સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે અથવા નાશ પામે છે.

પ્રશ્ન 22.
આપત્તિઓની જનજીવન પર થતી એક અસર જણાવો.
ઉત્તર:
આપત્તિઓની જનજીવન પર થતી એક અસર : અનેક લોકો મૃત્યુ પામે છે અને કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે.

પ્રશ્ન 23.
આપત્તિઓની એક આર્થિક અસર જણાવો.
ઉત્તર:
આપત્તિઓની એક આર્થિક અસર : આપત્તિ પછી પુનઃનિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. પરિણામે વિકાસનાં ચાલુ કામોની ગતિ મંદ પડે છે.

પ્રશ્ન 24.
આપત્તિઓની એક સામાજિક અસર જણાવો.
ઉત્તર:
આપત્તિઓની એક સામાજિક અસર : આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી લોકો સ્થળાંતર કરી જાય છે. પરિણામે તે વિસ્તારનો સામાજિક ઢાંચો નબળો પડે છે.

પ્રશ્ન 25.
ટ્રાફિકજામની પરિસ્થિતિ કોને કહે છે?
ઉત્તર:
મોટાં શહેરોની સડકો પર વાહનોને અડોઅડ ચાલતાં અને ગોકળગાયની જેમ આગળ વધતાં હોય એવી પરિસ્થિતિને ‘ટ્રાફિકજામ’.

પ્રશ્ન 26.
ટ્રાફિકની સમસ્યા ક્યારે સર્જાય છે?
ઉત્તર:
જ્યારે વાહનવ્યવહારનાં સાધનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 27.
ટ્રાફિકજામ થતાં શું થાય છે?
ઉત્તર:
ટ્રાફિકજામ થતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતાં મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજ પ્રદૂષણ જન્મ છે. પરિણામે તે વિસ્તારમાં રહેતા લોકોનું આરોગ્ય જોખમાય છે તેમજ વનસ્પતિનાં વૃદ્ધિ-વિકાસ જોખમાય છે.

પ્રશ્ન 28.
ટ્રાફિકજામની સમસ્યા ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ટ્રાફિકજામની સમસ્યા લગભગ મોટાં શહેરોમાં જોવા ‘ મળે છે.

પ્રશ્ન 29.
વધુ પડતા ટ્રાફિકજામથી શું થાય છે?
ઉત્તરઃ
વધુ પડતા ટ્રાફિકજામથી સમય અને ઈંધણનો બગાડ થાય છે.

પ્રશ્ન 30.
ટ્રાફિકની સમસ્યા કઈ રીતે હળવી કરી શકાય?
ઉત્તર:
સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા – આ બાબતોથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાય.

કારણો આપી વિધાનો પૂરાં:

પ્રશ્ન 1.
નદીમાં પૂર આવે છે, કારણ કે.
ઉત્તર:
વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં એકસામટો ભારે વરસાદ પડવાથી કે નદી પરનો બંધ તૂટવાથી કે હિમક્ષેત્રમાં બરફ પીગળવાથી નદીમાં ખૂબ પાણી આવે છે.

પ્રશ્ન 2.
વાવાઝોડું સર્જાય છે, કારણ કે.
ઉત્તર:
વાવાઝોડું હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. જ્યારે દરિયાકિનારાના પ્રદેશોમાં હવાનું ભારે દબાણ અને સમુદ્ર કે મહાસાગર પર હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે.

પ્રશ્ન 3.
ભૂકંપ થાય છે, કારણ કે.
ઉત્તર:
પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રૂજી ઊઠે છે.

પ્રશ્ન 4.
સુનામી (Tsunami) ઉત્પન્ન થાય છે, કારણ કે…
ઉત્તર:
સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે. તેને “સુનામી’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 5.
ધોરી માર્ગો પર વાહનોની મોટી દુર્ઘટનાઓ સર્જાય છે, કારણ કે….
ઉત્તર:
ધોરી માર્ગો પર વાહનોનું અતિશય ભારણ હોય છે તેમજ વાહનોની ગતિ પણ અનિયંત્રિત હોય છે.

યોગ્ય જોડકાં જોડો:

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કુદરતી આપત્તિ 1. ટૉર્નેડો
2. માનવસર્જિત આપત્તિ 2. 13 ડિસેમ્બર, 2001
3. યૂ.એસ.એ.માં વાવાઝોડું 3. જ્વાળામુખી
4. હિંદ મહાસાગરમાં સુનામી 4. 26 ડિસેમ્બર, 2004
5. બૉમ્બ વિસ્ફોટ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કુદરતી આપત્તિ 3. જ્વાળામુખી
2. માનવસર્જિત આપત્તિ 5. બૉમ્બ વિસ્ફોટ
3. યૂ.એસ.એ.માં વાવાઝોડું 1. ટૉર્નેડો
4. હિંદ મહાસાગરમાં સુનામી 4. 26 ડિસેમ્બર, 2004

GSEB Class 9 Social Science Important Questions Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કુદરતી આપત્તિ. 1. 26 નવેમ્બર, 2008
2. માનવસર્જિત આપત્તિ 2. 9 સપ્ટેમ્બર, 2001
3. મુંબઈમાં આતંકવાદી હુમલો 3. સુનામી
4. ન્યૂ યૉર્કમાં આતંકવાદી હુમલો 4. 13 ડિસેમ્બર, 2001
5. ઔદ્યોગિક અકસ્માત

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કુદરતી આપત્તિ. 3. સુનામી
2. માનવસર્જિત આપત્તિ 5. ઔદ્યોગિક અકસ્માત
3. મુંબઈમાં આતંકવાદી હુમલો 1. 26 નવેમ્બર, 2008
4. ન્યૂ યૉર્કમાં આતંકવાદી હુમલો 2. 9 સપ્ટેમ્બર, 2001

પ્રશ્ન 3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. માનવસર્જિત આપત્તિ 1. 24 સપ્ટેમ્બર, 2002
2. કુદરતી આપત્તિ 2. 13 ડિસેમ્બર, 2001
3. દિલ્લીમાં સંસદભવન પર 3. ડિસેમ્બર, 2014 આતંકવાદી હુમલો
4. હુલ્લડ 4. ગાંધીનગરમાં અક્ષરધામ
5. ભૂકંપ મંદિર પર આતંકવાદી હુમલો

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. માનવસર્જિત આપત્તિ 4. ગાંધીનગરમાં અક્ષરધામ
2. કુદરતી આપત્તિ 5. ભૂકંપ મંદિર પર આતંકવાદી હુમલો
3. દિલ્લીમાં સંસદભવન પર 2. 13 ડિસેમ્બર, 2001
4. હુલ્લડ 1. 24 સપ્ટેમ્બર, 2002

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *