GSEB Class 7 Science Notes Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

This GSEB Class 7 Science Notes Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો covers all the important topics and concepts as mentioned in the chapter.

ભૌતિક અને રાસાયણિક ફેરફારો Class 7 GSEB Notes

→ આપણી આસપાસ થતા કેટલાક ફેરફારો ભૌતિક ફેરફારો હોય છે, તો કેટલાક રાસાયણિક ફેરફારો હોય છે.

→ ભૌતિક ફેરફાર જે ફેરફારથી પદાર્થના આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય, તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. ઘ. ત., કાગળના ટુકડા કરવા, પાણીનો બરફ બનાવવો એ ભૌતિક ફેરફારો છે.

→ રાસાયણિક ફેરફાર જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે. દા. ત., મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું, લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફારો છે.

→ વનસ્પતિમાં થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયા, આપણા શરીરમાં થતી ખોરાકના પાચનની ક્રિયા, કોષોમાં થતી લૂકોઝમાંથી શક્તિ ઉત્પન્ન થવાની કોષીય શ્વસનની ક્રિયા, ફળો અને શાકભાજીની બગડવાની ક્રિયા વગેરે રાસાયણિક ફેરફારો દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે.

GSEB Class 7 Science Notes Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો

→ આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે. રાસાયણિક ફેરફારના પરિણામે જ બધા જ નવા પદાર્થોનું નિર્માણ થાય છે. દા. ત., ધાતુને તેના ખનીજમાંથી છૂટી પાડવી હોય, તો શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે છે. રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતે જ દવા (મેડિસિન) બને છે. પ્લાસ્ટિક અને ડિટર્જન્ટ જેવા ઉપયોગી પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા વડે જ બનાવવામાં આવે છે.

→ રાસાયણિક ફેરફાર સાથે વધારાની ઘટનાઓ પણ બને છે. દા. ત.,

  • ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે કે શોષાય છે.
  • ધ્વનિ ઉત્પન્ન થાય છે.
  • રંગમાં અને ગંધમાં પરિવર્તન થાય છે.
  • વાયુ ઉત્પન્ન થાય છે. વગેરે.

→ લોખંડ પુલોના નિર્માણમાં, જહાજમાં, વાહનોમાં તેમજ ઘરની ઘણીખરી વસ્તુઓમાં વપરાય છે. હવામાંના ભેજને લીધે લોખંડ કટાય છે અને તેનાથી ઘણું આર્થિક નુકસાન થાય છે આથી લોખંડને કટાતું અટકાવવું જરૂરી બને છે. લોખંડને રંગ કરવાથી, તેના પર જસત કે અન્ય ધાતુનું પાતળું પડ ચઢાવવાથી તેને કાટ લાગતો અટકાવી શકાય છે.

→ પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થના શુદ્ધ સ્વરૂપમાં મોટા સ્ફટિક મેળવી શકાય છે. આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ (Crystalisation) કહે છે. સ્ફટિકીકરણ એ ભોતિક ફેરફાર છે. મોરથૂથું, ફટકડી, મીઠું વગેરેના સ્ફટિક આ રીતથી મેળવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *