GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

Gujarat Board GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ Important Questions and Answers.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 1.
ઉર્વિકાસ (evolution) કોને કહે છે?
ઉત્તર:

  1. ઉવિકાસીયજીવવિજ્ઞાન એટલે જીવંત સ્વરૂપોના પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ.
  2. લાખો વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થતા ફેરફારો સમજવા માટે જીવની ઉત્પત્તિ વિશેની જાણકારી જરૂરી બને છે.
  3. ઉવિકાસ (evolution) શબ્દનો સૌથી સરળ અર્થ છે ક્રમિક વિકસવું. સજીવોનાં લક્ષણોમાં પેઢી દર પેઢી થતા રહેતા ફેરફારોને ઉવિકાસ કહે છે.
  4. બીજા શબ્દોમાં, ઉવિકાસ એટલે સાદા અને સરળ સજીવોનું જટિલ સ્વરૂપમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન.
  5. બ્રહ્માંડ (universe)ના ઉવિકાસ સાથે પૃથ્વી અને ક્રમશઃ તેમાં જીવનની ઉત્પત્તિ અને તેનાં સ્વરૂપોમાં જૈવવિવિધતા, આ સમગ્ર ઉવિકાસના સંદર્ભમાં જોવા મળે છે.

પ્રશ્ન 2.
પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બીગબેંગવાદની માહિતી આપો.
ઉત્તર:

  1. હાલમાં આપણે જે વસ્તુઓ (તારા) જોઈ રહ્યાં છીએ તે એવી વસ્તુ (object) છે જેમાંથી પ્રસ્તુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષો પહેલાં શરૂ થઈ હતી, તે આપણાથી અબજો કિલોમીટર (1012) દૂર છે.
  2. આપણું બ્રહ્માંડ (universe) લગભગ 20 બિલિયન (billion) વર્ષ જૂનું છે. બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ (galaxies) આવેલી છે.
  3. આકાશગંગાઓમાં તારાઓ, વાયુઓ અને ધૂળનાં વાદળો હોય છે.
  4. બીગબેંગવાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમાં અકથ્ય ભૌતિકવિસ્ફોટ થતાં, બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને તાપમાન ઘટ્યું.
  5. થોડા સમય બાદ હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા. આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠાં થયા અને વર્તમાન સમયની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી.
  6. મિલ્ટીવે (milky way)નામની આકાશગંગામાં સૌરમંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 3.
પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે સમજાવો.
ઉત્તર:

  1. લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું. સૂર્યમંડળમાંથી કાળક્રમે ગ્રહો છૂટા પડ્યાં જેમાંથી આપણી પૃથ્વી પણ છૂટી પડી જે એક ગ્રહ છે.
  2. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું. પાણીની બાષ્પ (વરાળ), મિથેન, કાર્બન ડાયોક્સાઇડ તથા એમોનિયા જેવા પીગળેલાં દ્રવ્યો મુક્ત થયાં અને સપાટીને આવતાં ગયાં.
  3. સૂર્યમાંથી આવતાં UV કિરણોએ પાણીને હાઇડ્રોજન અને ઑક્સિજનમાં વિખંડિત કાર્ય અને હલકોH2 મુક્ત થયો.
  4. એમોનિયા અને મિથેન સાથે ઑક્સિજન જોડાઈને પાણી, કાર્બનડાયૉક્સાઇડ અને અન્ય સંયોજનોનું નિર્માણ કર્યું.
  5. ત્યાર બાદ ઓઝોન સ્તરનું નિર્માણ થયું. પૃથ્વી પરનું વાતાવરણ ઠંડુ થયું ત્યારે પાણીની વરાળ વરસાદ રૂપે પૃથ્વી પર આવેલા ખાડાઓમાં એકત્રિત થતાં મહાસાગરોનું નિર્માણ થયું.
  6. પૃથ્વીની ઉત્પત્તિના 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હોવાનું મનાય છે.

પ્રશ્ન 4.
જીવની ઉત્પત્તિ વિશેનાં અનુમાનિતવાદોનાં મંતવ્ય શુંહતાં?
ઉત્તર:

  • જીવનની શરૂઆત વિશે જુદાં જુદાં મતમતાંતર જોવા મળે છે.
  • (a) વિશિષ્ટ સર્જનવાદઃ કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના સજીવોનું નિર્માણ થયું હોવાનું મનાય છે.
  • (b) પેનસ્પર્મિયાવાદઃ ગ્રીક વિચારકોના માનવા પ્રમાણે જીવના એકમો જેને બીજાણુ (spores) કહે છે, જે પૃથ્વી સહિતનાં વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયાં. હજુ પણ કેટલાંક ખગોળશાસ્ત્રીઓ આ માન્યતા સાથે સહમત છે.
  • (c) અજીવજનનવાદઃ એવું માનવામાં આવતું કે નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએકસજીવો ઉત્પન્ન થયા. જીવ, સડતી અને કોહવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થયાં. (ઉદા., છાણમાંથી કીડા, માટીમાંથી અળસિયાં, માંસમાંથી માખીઓ)
  • (d) ઉલ્કાપાષાણવાદઃ પૃથ્વીના ઉદ્ભવ સમયે કે પછી ઉલ્કાવર્ષાઓ દરમિયાન પૃથ્વી પર જીવનનો પ્રવેશ અને વિકાસ થયો.
  • લૂઈ પાશ્ચરે તેના પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે જીવની ઉત્પત્તિ જીવનમાંથી જ થાય છે. તેના પ્રયોગોમાં તેણે જંતુરહિત ચંબુમાં મૃત યીસ્ટને રાખ્યા તો તેમાંથી નવાયીસ્ટસર્જાયા નહિ. બીજા ચંબુમાં ખુલ્લી હવા દાખલ થતાં નવાયીસ્ટની ઉત્પત્તિ જોવા મળી.

પ્રશ્ન 5.
ઓપેરિન-હાબેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો.
ઉત્તર:

  1. રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન તથા હાલેને (Oparin & Haldane) જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ (ઉદા., RNA,પ્રોટીન વગેરે)માંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું હશે.
  2. જીવની રચના રાસાયણિક ઉવિકાસ પછી નિર્માણ પામેલ હશે એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા હશે.
  3. પૃથ્વીનું તે સમયનું વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું જેમાં મિથેન, એમોનિયા વગેરે જોવા મળતા હતા.
  4. પૃથ્વી પર ઊંચું તાપમાન, જવાળામુખીના તોફાન અને સતત વરસાદ જેવી પરિસ્થિતિઓ જોવા મળતી હશે.

પ્રશ્ન 6.
કયાવૈજ્ઞાનિક પ્રયોગ દ્વારાપૃથ્વીના આદિવાતાવરણ જેવા વાતાવરણનું સર્જન કર્યું પ્રયોગસમજાવો.
અથવા
મિલરનો પ્રયોગઆકૃતિસહ સમજાવો.
ઉત્તર:

  • એસ. એલ. મિલર (S. L. Miller) નામના અમેરિકન વૈજ્ઞાનિકે 1953માં પૃથ્વીના આદિવાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી.
  • વિદ્યુત ચમકારા કરાવી શકાય તેવા એક હવાચુસ્ત પાત્ર (fask)માં તેણે પાણી (H2O), મિથેન (CH4), એમોનિયા (NH3) અને હાઇડ્રોજન (H2)વાયુનું મિશ્રણ લીધું. આ પાત્રને રિએક્શન ચેમ્બર કહે છે.
  • રિએક્શન ચેમ્બરમાં ગોઠવેલા ઇલેક્ટ્રૉડસ દ્વારા વીજ ચમકારા કરાવી શકાય છે. એક્શન ચેમ્બરને અન્ય પાત્ર સાથે સાંકળેલ હતું, જેમાં પાણી ઊકળતું (800° C) રાખી શકાય, વરાળ ઉત્પન્ન કરાય.
  • રિએક્શનચેમ્બરના બીજા છેડે કન્ડેન્સર જોડી, બહાર આવતા વરાળયુક્ત મિશ્રણને ઠારી એકત્રિત કરાય છે. આ મિશ્રણને વિવિધ રસાયણોની હાજરી માટે ચકાસી શકાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 1

  • અવલોકનઃલગભગ 18દિવસ બાદ મિશ્રણમાં એમિનો ઍસિડ અને પેપ્ટાઇડ શૃંખલાઓ જોવા મળી.
  • આવું જ બીજા વૈજ્ઞાનિકોના આ પ્રકારના પ્રયોગોમાં જોવા મળ્યું જેમાં શર્કરા, નાઇટ્રોજન બેઇઝ, રંજકદ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું.
  • પૃથ્વી પર પડેલી ઉલ્કાઓનું પૃથક્કરણ કરતાં આવાં દ્રવ્યો તેમાં પણ મળી આવે છે. જે દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હશે.
  • આમ, મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉવિકાસની વાતને પ્રાથમિક સંકલ્પના તરીકે સ્વીકારાઈ છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 7.
જીવનના ચયાપચયિક બીજકોષો (metabolic capsule) કઈ રીતે ઉદ્ભવ્યા હશે?
ઉત્તર:

  1. સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિકબીજકોષોની ઉત્પત્તિ વિશે કોઈ માહિતી નથી.
  2. પ્રથમઅકોષીય (non-cellular) જીવ 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે. આ મહાઅણુ હોવાની શક્યતા છે જેમ કે, RNA, પ્રોટીન કે પોલિસેકેરાઈડ.
  3. આ મહાઅણુ કદાચ બીજકોષ (capsule)સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોઈ શકે.
  4. 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. મોટા ભાગે તેઓ એકકોષીય હતા. બધાં જ જીવંત
    સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતાં.
  5. પાસ આમ, જૈવજનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે વિકાસ થઈ પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે.

પ્રશ્ન 8.
જીવંતસ્વરૂપના ઉર્વિકાસનાસિદ્ધાંતની ચર્ચા કરો.
ઉત્તર:

  • રૂઢિગત ધાર્મિક સાહિત્ય ઉદૂવિકાસ માટે વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે. પ્રથમ શક્યતા હાલ જોવા મળતા બધા જ સજીવો (જાતિ/પ્રકાર) આ જ સ્વરૂપે ઉત્પન્ન થયા હોવા જોઈએ.
  • બીજી શક્યતા પ્રમાણે, જે જૈવવિવિધતા ઉત્પત્તિ સમયે હતી તે ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે. ત્રીજી શક્યતા, પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની (old) છે.
  • મારા આ માન્યતાઓનો 19મી સદીમાં પુષ્કળ વિરોધ થયો હતો.
  • આ વિચારો ચાર્લ્સ ડાર્વિનના અવલોકનો પર આધારિત છે. તેમણે H.M.S.Beagleનામના યુદ્ધ જહાજમાં વિશ્વભરની દરિયાઈ
  • મુસાફરી કરી હતી.
    તેમના અનુમાન પ્રમાણે પૃથ્વી પરના બધા જ સજીવો એકમેક સાથે સામ્યતા દર્શાવે છે. તે ઉપરાંત વર્ષો પહેલાનાં સજીવો સાથે પણ તેમની સામ્યતા છે. – આમાંના ઘણા સજીવો હાલ લુપ્ત થયેલા છે, પૃથ્વીના ઇતિહાસમાં અમુક સજીવો લુપ્ત થયેલા છે, તેમની સામે નવા સજીવો પણ ઉમેરાયા છે.
  • જીવસ્વરૂપો ક્રમશઃ ઉવિકાસ પામેલા છે અને કોઈ પણ વસતિમાં લક્ષણોની વિવિધતાને કારણે સ્થાયી છે.
  • આ લાક્ષણિકતાઓ કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો સામે ટકી રહેવા યોગ્ય બનાવે છે જ્યારે ઓછાયોગ્ય સજીવો ટકી શકતા નથી. જે વસતિ વધુ યોગ્યતે પૃથ્વી પર ટકી શકે.
  • ડાર્વિનના મત પ્રમાણે યોગ્યતા એટલે સારી પ્રજનન ક્ષમતા. જે સજીવો પર્યાવરણમાં યોગ્યતા કેળવે છે, તે વધુ સંતતિ ઉત્પન્ન
    કરે છે અને ટકી રહે છે અને કુદરત તેને પસંદ કરે છે જેને નૈસર્ગિક પસંદગી (naturalselection) કહે છે.
  • આલ્ફડવાલેસે (પ્રકૃતિવિ) મલય આર્કિપેલાગો (ટાપુ) પર કાર્ય કરી આ જ તારણ આપ્યું.
  • હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવો સમાનતા દર્શાવે છે. તેમના પૂર્વજો સામાન્ય છે. જે પૃથ્વીના ઇતિહાસના વિવિધ સમયે અસ્તિત્વ ધરાવતા હતા (પ્રકલ્પયુગ (epochs), સમય અને કલ્પયુગ).
  • પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ તેના જૈવિક ઇતિહાસ સાથે ખૂબ જ સમાનતા ધરાવે છે. આમ, સામાન્ય તારણ છે કે પૃથ્વી હજારો વર્ષ નહિ પણ અબજો વર્ષ જૂની છે.

પ્રશ્ન 9.
ઉર્વિકાસના અશ્મિવિધાકીય(Paleontological) પુરાવાઓ આપો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 2

  • પૃથ્વી પર જીવોનો ઉવિકાસ થયો તે વાતના પુરાવા ઘણી દિશામાંથી મળે છે.
  • અશ્મિઓ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગો છે. ખડકો કાંપ (સેન્દ્રિય તત્ત્વો) (sediments) બનાવે છે. પૃથ્વીના સ્તરોનો છેદ દર્શાવે છે કે સેન્દ્રિય તત્ત્વોની એકસ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે.
  • વિવિધ વયના અવસાદી (sedimentary) ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે જે લગભગ આખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે. તેમાનાં કેટલાંક આધુનિક સજીવો સાથે સામ્યતા ધરાવે છે.
  • વિવિધ અવસાદીસ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિદર્શાવે છે.
  • આ સૂચવે છે કે જીવંત સ્વરૂપોમાં કાળક્રમે ફેરફાર જોવા મળે છે. કેટલાંક અમુક ભૂશાસ્ત્રીય (geographical) ગાળા સુધી ફેરફાર પામતાં નથી.
  • વૈજ્ઞાનિકોએ રેડિયોએક્ટિવવિઘટનની પદ્ધતિ ખડકો અને અશ્મિઓના અભ્યાસ માટે વિકસાવી છે.

પ્રશ્ન 10.
ઉર્વિકાસનો ગર્ભવિધાકીય આધાર સમજાવો.
ઉત્તર:

  • અર્નેસ્ટ હેકલના અવલોકન પ્રમાણે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાંક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે. જે તેમની સમાનપૂર્વકતા દર્શાવે છે.
  • પૂર્વજન્યાવર્તનવાદ કે બાયૉજીનેટિક સિદ્ધાંત : આ સિદ્ધાંત વોન બાયર દ્વારા પ્રતિપાદિત કરાયો જેને અર્નેસ્ટ હેકલ દ્વારા આ પૂર્વજન્યાવર્તનવાદ તરીકે ઓળખાયો. આ સિદ્ધાંત પ્રમાણે દરેક સજીવ તેના વિકાસ દરમિયાન તેની જાતિના વિકાસીય ઇતિહાસનું પુનરાવર્તન કરે છે.
  • માનવ સહિતના બધા પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલરફાટ જોવા મળે છે. તે ફક્ત મજ્યમાં ક્રિયાશીલ હોય છે, અન્યપૃષ્ઠવંશીઓમાં નહીં.
  • કેટલાંક ઉદાહરણો
    1. દેડકાનો ટપોલ જલજ અને મત્સ્ય જેવાં લક્ષણો ધરાવે છે. જે દર્શાવે છે કે દેડકા, મત્સ્ય જેવા પ્રાણીઓમાં વિકાસ પામ્યાં છે.
    2. અનાવૃત બીજધારી ફલન માટે પાણી પર આધારિત નથી પણ આદિ અનાવૃત બીજધારી કશાયુક્ત જન્યુકોષો ધરાવે છે જેના ફલન માટે પાણી જરૂરી હોય છે. આ અનાવૃત બીજધારી અને ત્રિઅંગી વચ્ચેની સામાન્ય પૂર્વજતા દર્શાવે છે.
  • GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 11.
તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહાકાર વિધાના આધારે ઉવિકાસ સમજાવો.
અથવા
સમજાવો:
(a) રચનાસદેશતા
(b) કાર્યસદેશતા.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 3

  • તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને અલગતાદર્શાવે છે.
  • આ સમાનતાના આધારે નક્કી કરી શકાય છે કે હાલના સજીવો સમાન પૂર્વજોમાંથી ઊતરી આવ્યા હશે.
  • (a) રચનાસદેશ્યતા | સમભૂલકતા (homology) : વ્હેલ, બોગનવેલ (2) કુકરબીટા ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં (બધાં જ સસ્તન) અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાત સરખી હોય છે પણ આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે. તેઓ અંતઃસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે.
  • આ પ્રાણીઓનાં અગ્ર ઉપાંગમાં ભૂજાસ્થિ, અરીયપ્રકોઠાસ્થિ, માનવ ચિત્તો મણિબંધાસ્થિઓ, પશ્ચમણિબંધાસ્થિઓ અને અંગુલ્યસ્થિઓ હોય છે.
  • આમ, આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતાં અંગોનો વિકાસ થયો પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. આને અપસારી (divergent) ઉવિકાસ કહે છે અને આ રચનાઓ સમમૂલક કે રચના દશ હોયછે.
  • સમમૂલકતા સમાન પૂર્વજો દર્શાવે છે.
  • વનસ્પતિઓમાં બોગનવેલનાં કંટક અને (કુકરબીટા) કોળાનાં પ્રકાંડસૂત્રરચના દશ અંગછે.
  • (b) કાર્યસદેશતા (Analogous): અંત:સ્થ રચનાઅલગ હોય પણ કાર્યની દષ્ટિએ સમાનતાદર્શાવતા હોય છે.
  • ઉદા., પક્ષી અને પતંગિયાની પાંખ. પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ છે, પતંગિયાની પાંખ અધિચર્મીય રૂપાંતરણ છે.
  • આવી કાર્યસદશ રચનાઓ કેન્દ્રાભિસારી ઉવિકાસ (convergentevolution) દર્શાવે છે.
  • કાર્યસદેશ રચનાઓનાં અન્ય ઉદાહરણ :
    1. ડોલ્ફિનની ફિલપર્સ, પેંગ્વિનના ફિલપર્સ
    2. ઓક્ટોપસની અને સસ્તનની આંખ
    3. બટાકા (પ્રકાંડ), શક્કરિયા (મૂળ).
  • આના પરથી કહી શકાય કે સમાન નિવાસસ્થાનોને કારણે સજીવોના જુદા જુદા સમૂહએક જ પ્રકારનાં અનુકૂલનો દર્શાવે છે.

પ્રશ્ન 12.
ઉદ્વિકાસના અભ્યાસમાં જૈવરાસાયણિક સમાનતાઓની ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:

  • પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં જોવા મળે છે. તે સમાનપૂર્વક ધરાવતા હોવાનું સૂચવે છે.
  • જૈવરસાયણિક સમાનતાઓ પણ સમાન પૂર્વજવાળી વાતને સમર્થન આપે છે. ઉદા. મનુષ્યના અને ચિમ્પાન્ઝીના DNAમાં ફક્ત 1.8% તફાવત છે અને તેમના સાયટોક્રોમ Cના અનુક્રમમાં કોઈ ફેર નથી. એક્ટિન અને ટ્યુબ્યુલીન પ્રોટીનની આણ્વીય રચના બધાં જ પ્રાણીઓમાં સમાન હોય છે જે સમાન પૂર્વકતા દર્શાવે છે.

પ્રશ્ન 13.
પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉર્વિકાસનું સમર્થન કરતી, ઇંગ્લેન્ડમાં ઔધોગિક વિસ્તારમાં જોવા મળતાં ફૂદાની ઘટનાનું વર્ણન કરો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 4

  • ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં એટલે કે ઔદ્યોગિકીકરણ પહેલાં સફેદ પાંખો ધરાવતાં ફૂદાં (બીસ્ટોન બીટુલેરિયા) ઘેરી પાંખો ધરાવતાં ફૂદાં (બીસ્ટોન કાર્બોનેરિયા) કરતાં વધુ પ્રમાણમાં જોવા મળતાં હતાં.
  • આનું કારણ હતું, કે વૃક્ષોના થડ પર આછા રંગની લાઈકેન્સ વૃદ્ધિ પામતી હતી જેની પશ્ચાભૂમિકામાં આછા રંગ ધરાવતાં ફૂદાં શિકારી પક્ષીઓને જલદી જોવા મળતા નહિ, તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી.
  • 1920માં ઔદ્યોગિકીકરણ પછી, ઝાડના થડ ધુમાડા અને મેશના કારણે કાળાં પડતાં ગયાં આ સ્થિતિમાં ઘેરા રંગનાં ફૂદાં શિકારી પક્ષી સામે રંગ અનુવર્તન દર્શાવતા હોઈ બચી શક્યાં. તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી જ્યારે આછા રંગનાં ફૂદાં ઘેરી પશ્ચાદ્ ભૂમિમાં સહેલાઈથી ઓળખાઈ જતા હોઈ ઝડપથી શિકાર પામતાં તેમની વૃક્ષોના થડ ઉપર સફેદ પાંખયુક્ત ફૂદાં અને ઘેરી સંખ્યામાં ઘટાડો થયો.
  • જે ફૂદાં રંગઅનુકૃતિ (camouflage) કરી શક્યા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા.
  • જ્યાં ઔદ્યોગિકીકરણ નથી થયું એવા ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા રંગવાળા દાંની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે મિશ્ર વસતિમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધી, અસ્તિત્વ ટકાવી શકે છે અને વસતિના કદમાં વધારો કરે છે.

પ્રશ્ન 14.
પ્રાકૃતિકપસંદગી માટે પેસ્ટીસાઇપ્રત્યેની કીટકોની પ્રતિકારકતાનું ઉદાહરણ સમજાવો.
ઉત્તર:

  1. કીટનાશકો (પેસ્ટીસાઇટ્સ કે ઇન્સેક્ટિસાઇટ્સ) વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામે ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ.
  2. આ જ પ્રમાણે સુકોષકેન્દ્રી સજીવો/કોષો સામે વપરાતી ઍન્ટિબાયૉટિક્સ સૂક્ષ્મજીવો સામે પણ સાચી સાબિત થઈ. તેથી પ્રતિરોધક સજીવો/કોષો ખૂબ જલદી એટલે કે મહિનાઓ/વર્ષોમાં દેખાવા લાગ્યા છે.
  3. આ માનવ પ્રેરિત ઉવિકાસનું ઉદાહરણ છે. આ સૂચવે છે કે ઉવિકાસ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી. પણ પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને તેમાં વિકૃતિની તકને આધારે સ્ટોકેસ્ટિક (stochastic) પ્રક્રિયા છે.

પ્રશ્ન 15.
અનુકૂલિતપ્રસરણ એટલે શું? તેના પ્રકારોવર્ણવો.
ઉત્તર:

  • સજીવો જીવવા માટે પર્યાવરણ પર આધાર રાખે છે. પર્યાવરણના ઘટકો સ્થિર નથી. તેઓ સમય અને સ્થળ પ્રમાણે બદલાતાં રહે છે.
  • તેથી સજીવો જયાં રહેતાં હોય ત્યાંના પર્યાવરણમાં પોતાની જાતને સુસંગત થાય છે. આમ, સજીવોની તેના પર્યાવરણ સાથેની સુસંગતતાને અનુકૂલન કહે છે.
  • જ્યારે એક જ જૂથના સજીવો જુદાં પર્યાવરણ અથવા નિવાસસ્થાનોમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારનાં અનુકૂલનો વિકસાવે છે તેને અનુકૂલિત પ્રસરણ કહે છે.
  • અનુકૂલિત પ્રસરણનાં મુખ્ય કારણોમાં
    1. ખોરાક
    2. સુરક્ષા
    3. સંવનન સ્થળોની જરૂરિયાત
    4. નવા નિવાસસ્થાન
    5. દુશ્મનોની ગેરહાજરી
    6. અલગતા વગેરે છે.
  • અનુકૂલિત પ્રસરણ ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત થાય છે:
  • (a) સ્થાનિક અનુકૂલિત શાખાઓઃ વિશાળ વિસ્તારવાળી જગ્યામાં વિવિધ દિશામાં થયેલા વિકાસનું નિર્દેશન કરે છે. ઉદા. આફ્રિકામાં બે પ્રકારના ગુંડા જોવા મળે છે :
    1. ચરનારા (grazing) જે ખુલ્લા મેદાનોમાં જીવે છે.
    2. કુમળાં પાંદડાં ચાવનારા (browsing)જે વૃક્ષાચ્છાદિત જંગલોમાં જોવા મળે છે.
  • (b) સમકાલીન પ્રસરણ: વિશ્વના મોટાં પ્રાણી ભૌગોલિક વિભાગોમાં અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 5

  • ડાર્વિન તેના પ્રવાસ દરમિયાનગેલાપાગોસ ટાપુ પર પહોંચ્યો જ્યાં તેણે નાનાં કાળાં પક્ષી (ફિન્ચ) માં વિવિધતાનું અવલોકન કર્યું. ત્યાર બાદ આ પક્ષી ડાર્વિન ફિન્ચ તરીકે ઓળખાયું.
  • ડાર્વિને આ જ ટાપુ પર ઘણી બધી ફિન્ચસ જોઈ તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ પર ઉવિકાસ પામીછે.
  • મૂળભૂત ફિન્ચના બીજઆહારી લક્ષણો સાથે સાથે તેણે અન્ય સ્વરૂપો માટે પણ તેની ચાંચો ઉદ્ભવી જેમણે તેમને કીટભક્ષી અને શાકાહારી ફિન્ચ બનાવી દીધી.
  • (c) ખંડીય અનુકૂલિત પ્રસરણ એક જ ભૌગોલિક ખંડમાં જીવતા ચોક્કસ વર્ગોના સજીવોમાં ઉવિકાસય પ્રસરણ રેખાઓ દર્શાવે છે. ઉદા., ઑસ્ટ્રેલિયન માસૃપિયેલ. મોટા ભાગના મારિયલ એકબીજાથી ભિન્ન હતા પણ તે બધાં ઑસ્ટ્રેલિયન ટાપુનાં મહાદ્વીપમાં જ વિકસ્યા હતા.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 6

  • જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને અપસારી (covergent) ઉવિકાસ કહે છે.
  • ઑસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનો પણ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. આ પ્રકારના દરેક જરાયુજ સસ્તનો, મારિયલ (ઉદા., જરાયુજ વરુ અને ટાસ્માનિયનવરુ)ને સમાન અનુરૂપ વિકાસદર્શાવે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 7

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 16.
જૈવિક ઉદ્વિકાસ અંગેના પ્રાકૃતિકપસંદગીવાદ અંગેનાડાર્વિનના મંતવ્યોની સ્પષ્ટતા કરો.
ઉત્તર:

  • જ્યારે વિવિધ ચયાપચયિક ક્ષમતા સાથેના સજીવોના કોષીય સ્વરૂપોની શરૂઆત થઈ ત્યારે પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી પર ઉવિકાસ થયો હશે.
  • ડાર્વિન ઉવિકાસ માટે પ્રાકૃતિક પસંદગીને મહત્ત્વ આપે છે.
  • સજીવોના નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર સાથે સંકળાયેલો હોય છે. ઝડપથી વિભાજન પામતાં સૂક્ષ્મજીવો ઊંચી ગુણનક્ષમતા ધરાવે છે અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે. ઉદા., આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બૅક્ટરિયાની વસાહત Aખાદ્ય ઘટકોના ઉપયોગ કરવાની ક્ષમતામાં વિવિધતા ધરાવે છે. માધ્યમમાં ફેરફાર કરાય તો વસતિનો તે જ ભાગ Bબાકી રહેશે જે નવી પરિસ્થિતિમાં ટકી રહેશે.
  • એક ચોક્કસ સમય દરમિયાન આ વસતિનું ભિન્નરૂપ બીજા કરતાં વધશે અને નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે.
  • આપણે કહી શકીએ કે Bની યોગ્યતા A કરતાં નવી પરિસ્થિતિમાં વધુ યોગ્ય છે. પસંદગી પામવા અને ઉવિકાસ માટે જનીનિક આધાર જરૂરી હોય છે. કેટલાંક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા વધુ અનુકૂલિત થયા હોયછે.
  • શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી ડાર્વિનના ઉવિકાસના સિદ્ધાંતના ચાવીરૂપ ખ્યાલ છે.

પ્રશ્ન 17.
શેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની બુટિઓ જણાવો.
ઉત્તર:
લેમાર્કવાદના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે હતા :

  1. સજીવો અને તેનાં અંગો સતત કદમાં વધારો કરતા હોય છે. પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ થાય, જળવાય છે.
  2. જે અંગનો વપરાશ થતો રહે તેનો વિકાસ થાય છે. ન વપરાતા અંગો ઘસારો / નિષ્ક્રિય થાય છે. આમ, સજીવ ઉપાર્જિત કરેલાં લક્ષણો સંતતિને વારસામાં આપે છે.

ત્રુટિઓ :

  1. સજીવોનાં અંગો કે કદમાં વધારો કેટલાકમાં સાચો છે. ઉદા. ઘોડો, હાથી. સપુષ્પીમાં છોડ અને ક્ષુપ નાનાં કદ ધરાવે છે. વૃક્ષ જૂના હોવા છતાં વધુ કદ હોય.
  2. તેના ઉદાહરણમાં જિરાફની ડોકનું ઉદાહરણ સ્વીકાર્ય નથી થતું. વળી જે અંગનો
    વપરાશ થાય, તેનો વિકાસ થાય. આ મુદ્દો પણ સાચો નથી.

પ્રશ્ન 18.
ઉર્વિકાસ એપ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે. વિધાનની સમજૂતી આપો.
ઉત્તર:

  1. આપણા વિશ્વમાં સજીવ કે નિર્જીવ માટે ઉવિકાસ સફળ કથા છે. જ્યારે આપણે આ ઘટનાને વર્ણવીએ છીએ ત્યારે આપણે તેને પ્રક્રિયા તરીકે વર્ણવીએ છીએ.
  2. પણ જ્યારે આપણે પૃથ્વી પરના સજીવોના જીવન અંગે વાત કરીએ છીએ ત્યારે ઉવિકાસને પ્રાકૃતિક પસંદગીના પરિણામ તરીકે ઓળખીએ છીએ.
  3. આપણે હજ સંપૂર્ણ રીતે ઉદ્દવિકાસના સંદર્ભ અને પ્રાકૃતિક પસંદગીના પરિણામો વિશે સ્પષ્ટતા ધરાવતા નથી.

પ્રશ્ન 19.
ભિન્નતાના ઉર્વિકાસમાંફાળા અંગે ડાર્વિનનો મત દર્શાવો.
ઉત્તર:

  • ડાર્વિન, થોમસ માલ્યુસના વસતિ પરના કાર્યથી ઘણા પ્રભાવિત હતા. પ્રાકૃતિક પસંદગી વાસ્તવિક અવલોકનો પર આધારિત છે.
  • વસતિનું કદ સ્થાયી છે (ઋતુકીય ફેરફારોને બાદ કરતાં). કુદરતી સ્રોતો મર્યાદિત છે. વસતિના સભ્યો બહારથી સમાન લાગતાં હોય પણ લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે.
  • જો દરેક સજીવમહત્તમદરે પ્રજનન કરે તો વસતિ વિસ્ફોટ થાય પણ હકીકતમાં વસતિનું કદ મર્યાદિત જ રહે છે.
  • આનો અર્થ છે કે કુદરતી સ્રોતો માટેની સ્પર્ધામાં જે ટકી રહ્યા તે પસંદગી પામ્યા. ભિન્નતા આનુવંશિક છે અને તે કુદરતી સ્રોતોનો વધુ સારો ઉપયોગ કેટલાક વસવાટમાં યોગ્ય રીતે અનુકૂલિત થયેલા માટે કરે છે જે ફક્ત તેમને જ પ્રજનન કરી વધુ સંતતિ ઉત્પન્ન કરવા પ્રેરે છે.
  • આમ, સમય જતાં કેટલીય પેઢીઓ પછી ફક્ત જે ટકી રહ્યા હશે તે જ વધુ સંતતિ ઉત્પન્ન કરશે અને તેનાથી વસતિની લાક્ષણિકતામાં ફેરફાર જોવા મળશે, નવા સ્વરૂપોનો વિકાસ થશે.

પ્રશ્ન 20.
ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિનિર્માણ વિશેમંતવ્યો રજૂકરો.
ઉત્તર:

  1. ભિન્નતાના ઉદ્ભવ અને જાતિનિર્માણ (speciation) માટે મેન્ડલે વારસાગમન થઈ શકે તે કારકો (allel)ની માહિતી આપી હતી. આ કારકો સજીવના સ્વરૂપ પ્રકારને અસરકર્તા છે.
  2. ડાર્વિને આ સંબંધી કોઈ અભિપ્રાય નહોતો આપ્યો.
  3. હ્યુગો – દુ -વિસે 20મી સદીના પૂર્વાર્ધમાં ઇવનિંગ પ્રાઈમરોઝ પર કાર્ય કરી વિકૃતિ (mutation)વિશે માહિતી આપી.
  4. તેમની માન્યતા પ્રમાણે વસતિમાં એકાએક જોવા મળતી ભિન્નતા વિકૃતિને કારણે હોય છે જે વિકાસને પ્રેરે છે.
  5. ડાર્વિન નાની અને દિશીય ભિન્નતા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા તે વિકૃતિ નથી. વિકૃતિ દિશાહીન અને અવ્યવસ્થિત છે. જ્યારે ડાર્વિનની ભિન્નતા નાની અને દિશીય છે.
  6. દુ – વિસના મત પ્રમાણે વિકૃતિ જાતિનિર્માણ માટેનું પરિબળ છે, જેને જેને સેલ્ટેશન (મોટી વિકૃતિ માટે એક પગલું)તરીકે ઓળખ્યું.

પ્રશ્ન 21.
હાર્ડો-વેઇનબર્ગ(hardy weinberg) સિદ્ધાંત બીજગણિતીય સૂત્ર દ્વારા સમજાવો.
અથવા
હાર્ડવેઈનબર્ગસિદ્ધાંત સમજાવો.
ઉત્તર:

  1. આપેલ વસતિમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે. આ આવૃત્તિઓ સ્થાયી અને પેઢીઓ સુધી સતત જળવાઈ રહે છે.
  2. હાર્ડ-વેઇનબર્ગસિદ્ધાંત દર્શાવે છે કે વસતિમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહે છે.
  3. જનીન સેતુ (gene pool) એટલે કે વસતિમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો અચળ રહે છે તેને જનીન સમતુલન કહે છે.
  4. બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિના સરવાળાને 1, વ્યક્તિગત આવૃત્તિઓને p, q નામ આપાય છે. દ્વિકીયમાં p અને q જે વૈકલ્પિક કારકતઅનેaની આવૃત્તિ ધરાવે છે.
  5. વસતિમાં AAવ્યક્તિગત સજીવોની આવૃત્તિp2ને છે. આ જ રીતેaqએ અનેq2અને Aaને 2pqતરીકે દર્શાવાય છે.
  6. આથી, P2 + 2pq + q2 = 1
  7. જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત કિંમતથી અલગ હોય તો તે ઉવિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે.
  8. આનું અર્થઘટન આ રીતે કરાય છે કે હાર્ડો-વેઇનબર્ગ સમતુલામાં ખલેલ એટલે એક વસતિમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપ વિકાસ થાય છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 22.
હાર્ડો-વેઇનબર્ગસમતુલાને અસરકર્તા પરિબળો વર્ણવો.
અથવા
સ્થાપક અસર (founder effect) સમજાવો.
ઉત્તર:

  1. હાર્ડી – વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા પાંચ પરિબળો છે : જનીન પ્રવાહ/જનીન સ્થળાંતરણ, જનીનિક વિચલન (genetic drift), વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી છે.
  2. જયારે વસતિના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસતિમાં સ્થળાંતર થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસતિની જનીન આવૃત્તિમાં ફેરફાર પામે છે. નવા જનીનો વૈકલ્પિક કારકો નવી વસતિમાંથી ઉમેરાય છે અને જૂની વસતિમાંથી દૂર થાય છે.
  3. જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીન પ્રવાહ છે. આ સમાન ફેરફારો જો તક દ્વારા થતાં હોય તો તેને જનીનિક વિચલન કહે છે.
  4. કેટલીક વાર નવી વસતિના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વર્તે છે. મૂળભૂત વિચલિત (drifted) વસતિસ્થાપક બને છે અને સ્થાપક અસર (founder effect) કહે છે.

પ્રશ્ન 23.
જાતિનિમણની ઘટનામાં અસરકર્તા પરિબળો જણાવો.
ઉત્તર:

  • સૂક્ષ્મજીવો પરના પ્રયોગો દ્વારા જણાયું છે કે પૂર્વઅસ્તિત્વ ધરાવતી લાભકારક વિકૃતિઓ જ્યારે પસંદગી પામે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. કેટલીક પેઢીઓ પછી તે જાતિનિર્માણમાં પરિણમે છે.
  • પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા દ્વારા આનુવંશિક ભિન્નતાઓ જીવનને ટકાવી શકે છે, વધુ પ્રજનન ક્ષમતા દ્વારા વિપુલ સંતતિ ઉત્પન્ન કરે છે.
  • જનીન પ્રવાહને કારણે જે જનીનિક વિચલનને કારણે અથવા જનનકોષના નિર્માણ દરમિયાન પુનઃ સંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભાવિ પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારમાં પરિણમે છે.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 8

  • પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનિક સફળતા વધારે છે અને નવી વસતિ તરીકે સ્થાપિત થાય છે. પ્રાકૃતિક પસંદગી સ્થિરતા (જેમાં ઘણા સજીવો સરેરાશ લક્ષણ પ્રાપ્ત કરે છે), દિશાકીય ફેરફાર (ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ ઉપરાંતનાં મૂલ્યો પ્રાપ્ત કરે છે, અથવા ભંગાણજનક (disruption) ઉવિકાસ વિતરણ વળાંકના બંને છેડાના લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યોમાં મેળવે) તરફ દોરે છે.

પ્રશ્ન 24.
ઉર્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં દર્શાવો.
ઉત્તર:
લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર કોષીય જીવનની શરૂઆત થઈ. આ ઘટનામાં અણુ, મહાઅણુ, અકોષી રચના અને છેવટે કોષોનું નિર્માણ થયું હોવાની માન્યતા છે.
GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 9
કેટલાક કોષો પ્રકાશગ્રાહી રંજકદ્રવ્યો દ્વારા O2, મુક્ત કરી શક્તિ મેળવતા (પ્રકાશસંશ્લેષણની જેમ જ) ધીમે – ધીમે બહુકોષીય
રચના ઉત્પન્ન થઈ.

500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા, 350 મિલિયન વર્ષ અગાઉ જડબાંવિહીન માછલી, સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતા હોવાની ધારણા છે.

જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યાં ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પ્રસરેલ હતી. ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી (350 મિલિયન વર્ષ પહેલાં).

1938 માં દ.આફ્રિકામાં લુપ્ત થયેલ મનાતી મત્સ્ય સલાકાW (coelacanth) મળી આવી હતી અને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવતી હતી જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉત્પન્ન થયા, (જમીન અને પાણી બંનેમાં જીવંત રહેતા) પણ તે દેડકા કે સાલામાન્ડરના પૂર્વજો હતા.

ઉભયજીવીઓમાંથી સરિસૃપ ઊતરી આવ્યાં જે જાડા કવચવાળાં ઈંડાં મૂકતાં, જે સૂર્યપ્રકાશમાં ઉભયજીવીના ઈંડાંની માફક સુકાઈ જતા ન હતા. ત્યાર બાદના 200 mya દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરિસૃપો પૃથ્વી પર પ્રભાવશાળી રહ્યા. તે સમયે વિશાળ ત્રિઅંગી હાજર હતા જે ધીરે ધીરે નાશ પામી કોલસાના ભંડારમાં ફેરવાઈ ગયા.

લગભગ 200 may દરમિયાન મત્સ્ય જેવા સરિસૃપો જમીનમાંથી પાણીમાં પાછા ફર્યા (ઉદા., ઇકથીઓસોરસ). જમીન પર રહેલા સરિસૃપો ડાયનોસોર્સ હતા જેમાં સૌથી મોટા એટલે કે ટાયરનોસોરસ રેક્સ જે આશરે 20 ફૂટ ઊંચાઈ અને કટાર જેવા દાંત ધરાવતા હતા.

65 મિલિયન વર્ષ પૂર્વે આબોહવાકીય ફેરફારોને કારણે ડાયનોસોર પૃથ્વી પરથી અદશ્ય થઈ ગયા. તેમાંના કેટલાંક પક્ષીઓમાં ઉવિકાસ પામ્યા. નાના કદના સરિસૃપોનું અત્યારે પણ અસ્તિત્વ જોવા મળે છે.

પહેલાં સસ્તન છછુંદર (shrews)જેવા હતા. તેમના અશ્મિઓ નાના કદના છે. સસ્તનો અપત્યપ્રસવી હતા. સસ્તનો સંવેદનશીલ અને ડરનો સામનો કરવા માટે બુદ્ધિશાળી હતા. સરિસૃપોની સંખ્યા ઓછી થતાં, સસ્તનો પૃથ્વી પર પ્રભાવશાળી બન્યા. દક્ષિણ અમેરિકામાં ઘોડા, હિપોપોટેમસ, રીંછ જોવા સસ્તનો જોવા મળતાં હતા. ખંડીય વિચલનને કારણે દ. અમેરિકા, ઉત્તર અમેરિકા સાથે જોડાતાં, આ પ્રાણીઓએ ત્યાં પ્રભુત્વ જમાવ્યું. ઑસ્ટ્રેલિયાઈ કોથળીધારી સસ્તનો અન્ય સસ્તનોથી સ્પર્ધાના અભાવને કારણે ટકી રહ્યા છે. કેટલાંક સસ્તનો જેવાં કે સીલ, ડોલ્ફિન, વ્હેલ સંપૂર્ણ પણે દરિયામાં રહેતા જોવા મળે છે.

જીવંતસ્વરૂપોનો ઉવિકાસ, ભૌગોલિક માપદંડ પરતે સમયના સંકેતો નીચેના રેખાચિત્રમાં દર્શાવાયા છે.
GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 10

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

પ્રશ્ન 25.
માનવ ઉર્વિકાસનો સંપૂર્ણ અહેવાલ ઉદાહરણ સાથે વર્ણવો.
ઉત્તર:
GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ 11
લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે પ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઇમેટ્સનું અસ્તિત્વ જોવા મળ્યું હતું. તેઓ આખા શરીરે વાળવાળા અને તેમની ચાલ ગોરિલા કે ચિમ્પાન્ઝી જેવી હતી. રામાપિથેક્સ માનવ જેવા હતા જ્યારે ડ્રાયોપિથેક્સ એપ જેવા લાગતા હતા.

ઇથિઓપિયા અને તાન્ઝાનિયામાંથી મળતાં અશ્મિઓથી જાણવા મળે છે કે 3-4 મિલિયન વર્ષ પહેલાં માનવ જેવાં પ્રાઇમેન્ટ્સ પૂર્વ આફ્રિકામાં રહેતા હશે. તેઓ લગભગ4 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા અને ટટ્ટાર ચાલતા હોવાનું મનાય છે.

લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વે ઑસ્ટ્રેલોપિથેસિન સંભવતઃ પૂર્વ આફ્રિકાના ઘાસનાં મેદાનમાં રહેતા હતા. શરૂઆતમાં તે પથ્થરોના ઓજારથી શિકાર કરતાં પણ મૂળભૂત રીતે ફળનો આહાર કરતા હતા.

કેટલાંક અશ્મિઓ અલગ હતા તેને પ્રથમ માનવ હોમો હેબિલિસ કહેવાયા. તેમના મગજની ક્ષમતા 650 – 800cc ના વચ્ચેની હતી. તેઓ સંભવતઃ માંસાહારી નહોતા.

1891માં જાવામાંથી 1.5 મિલિયન વર્ષ પૂર્વેના હોમો ઇરેટ્સના અશ્મિઓ મળી આવ્યાં. તેના મગજની ક્ષમતા 900 cc હતી. સંભવતઃ માંસાહારી હતા.

નિએન્ડરથલ માનવ 1400 cc મગજની ક્ષમતા ધરાવતા 1,00,000 થી 40,000 વર્ષ પહેલાં પૂર્વ-મધ્ય એશિયામાં રહેતા હતા. તેઓ શરીર પર ખાલ વીંટતા અને તેમના મૃતકોને જમીનમાં દાટતા હતા.

75,000- 10,000વર્ષ અગાઉહિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા. પ્રાગૈતિહાસિક ગુફાકલાનો વિકાસ લગભગ 18,000 વર્ષ અગાઉ કર્યો. આશરે 10,000 વર્ષ પૂર્વે કૃષિ વિદ્યાનો પ્રારંભ અને માનવવસાહતોની શરૂઆત થઈ.

તફાવત આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
ચના:દેશ અંગઅને કાર્યસદેશ અંગ
ઉત્તર:

રચનાદેશ અંગ કાર્યસદશઅંગ
(1) સમાન ઉત્પત્તિ કે રચના દર્શાવે છે, પણ કાર્યની દૃષ્ટિએ વિવિધતા જોવા મળે છે. (1) ઉત્પત્તિકે અંત:સ્થ રચનામાં ભિન્નતા હોય છે, પણ કાર્યની રીતે સમાનતા દર્શાવે છે.
(2) આને સમમૂલક કે રચના દશ અંગો કહે છે. (2) આને કાર્યસદેશ અંગો કહે છે.
(3) અપસારી પ્રકારના ઉવિકાસનું ઉદાહરણ છે. (3) કેન્દ્રાભિસારી પ્રકારના ઉવિકાસનું ઉદાહરણ છે.
(4) ઉદા. મનુષ્યના અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ. (4) ઉદા., ઑક્ટોપસ અને સસ્તનોની આંખ

પ્રશ્ન 2.
પ્રાકૃતિકપસંદગીવાદ અને ઉપાર્જિતલક્ષણવાદ
ઉત્તર:

પ્રાકૃતિક પસંદગીવાદ ઉપાર્જિત લક્ષણવાદ
(1) આ વાદના પ્રણેતા ડાર્વિન છે. (1) આ વાદલમાર્ક દ્વારા પ્રસ્થાપિત કરાયો હતો.
(2) બદલાતા વાતાવરણમાં જે સજીવો અનુકૂળતા મેળવે છે તે પ્રાકૃતિક રીતે પસંદ પામે છે. (2) સજીવો તેમના જીવનકાળ દરમિયાન કેટલાંક લક્ષણો મેળવે છે, જે વારસાગત રીતે વહન પામે છે.
(3) આવા પસંદગી પામેલા સજીવો પ્રજનન દ્વારા સંતતિમાં વૃદ્ધિ કરી અસ્તિત્વ ટકાવી રાખે છે. આને યોગ્યતમની ચિરંજીવિતા પણ કહે છે. (3) લેમાર્કે તેનાવાદના સમર્થનમાં જિરાફની ડોકના સ્નાયુનાવિકાસનું ઉદાહરણ આપ્યું હતું.

પ્રશ્ન 3.
હોમોઇરેટ્સ અને હોમો સેપિયન્સ
ઉત્તર:

હોમો ઇરેટ્સ હોમો સેપિયન્સ
(1) તેના અશ્મિઓ જાવામાં મળી આવ્યા હતા. તેને જાવા-મૅન પણ કહેવાય છે. (1) હોમોઇરેટ્સમાંથી ઊતરી આવ્યા હોવાનું મનાય છે.
(2) 5, 00, 000વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા. (2) 75,000વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા.
(3) ચહેરો હડપચી વગરનો છે. (3) ભ્રમર ભારે, બહાર ઊપસેલી હતી.
(4) આગ અને વિવિધ ઓજારોનો ઉપયોગ કરતા હતા. (4) ઓજારો વધુ કુશળતાપૂર્વક બનાવતા હતા.
(5) ગુફાવાસી હતા. (5) માનવવસાહતોની શરૂઆત કરી હતી.

GSEB Class 12 Biology Important Questions Chapter 7 ઉદ્વિકાસ

(વૈજ્ઞાનિક કારણો આપો. (2 ગુણ)

પ્રશ્ન 1.
જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.
ઉત્તર:
જીવની ઉત્પત્તિના સંદર્ભમાં વિવિધ વાદ જેવા કે વિશિષ્ટ સર્જનવાદ, ઉલ્કાપાષાણવાદ, અજીવજનનવાદ જેવા વિવિધ વાદ પ્રચલિત હતા. પણ આ વાદના સમર્થનમાં કોઈ નક્કર પુરાવાઓ પ્રાપ્ત ન હતા. રાસાયણિક ઉવિકાસના સમર્થનમાં યુરી અને મિલરે પ્રયોગશાળામાં કરેલ પ્રયોગ રાસાયણિક ઉવિકાસના વાદને સમર્થન આપે છે.

પ્રશ્ન 2.
સજીવ તેના વ્યક્તિગત વિકાસ દરમિયાન જાતિ વિકાસનું પુનરાવર્તન કરે છે.
ઉત્તર:
આ અર્નેસ્ટ હેકલ દ્વારા આપવામાં આવેલ પૂર્વજન્યાવર્તનવાદ છે. પૃષ્ઠવંશીઓ પ્રાણીઓનાં ગર્ભવિકાસના વિવિધ તબક્કાઓના અભ્યાસ દરમિયાન જોવા મળે છે. પ્રત્યેક પૃષ્ઠવંશી કોઈ એક તબક્કામાં કંઠનાલીયઝાલરફાટદર્શાવે છે. જે દર્શાવે છે કે તેઓ મત્સ્ય જેવા પૂર્વજોમાંથી ઊતરી આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *