GSEB Class 10 Social Science Notes Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

This GSEB Class 10 Social Science Notes Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો covers all the important topics and concepts as mentioned in the chapter.

ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો Class 10 GSEB Notes

→ અજંતાની ગુફાઓ : આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તેના બે ભાગ છે :

  • ચિત્રકલા (ભીંતચિત્રો) આધારિત ગુફાઓ અને
  • શિલ્યુક્લા આધારિત ગુફાઓ, ભીંતચિત્રો આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓનાં ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાનાં છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર છે(1) ચત્ય અને (2) વિહાર, અજંતાની ગુફાઓમાં ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 – આ પાંચ ગુફાઓ ચૈત્ય છે. ઈ. સ. 1819માં અંગ્રેજ કૅપ્ટન હૉન સ્મિથે અજંતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુક્લા, ગુફા ચિત્રક્ષા અને શિલ્પકલાનાં ઉષ્ટ ઉદાહરણો છે.

→ ઇલોરાની ગુફાઓ : આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની ગુફાઓ કુલ 34 છે, જેમાં 1થી 12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13થી 29 નંબરની ગુફાઓ હિંદુ ધર્મની અને 30થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મની છે. ઇલોરાની ગુફાઓમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ થયેલો છે, કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. તે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે.

→ એલિફન્ટાની ગુફાઓ મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયાની ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં એક નાના યપુ પર આવેલી છે. અરબ સાગરમાં આવેલી ગુફાઓ પાસે પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિ જોઈને પોર્ટુગીઝોએ એ ગુફાઓને ઍલિફન્ચ’ નામ આપ્યું. ઍલિફન્ટાની ગુફા નંબર 1માં ભગવાન શિવનાં ત્રણ સ્વરૂપો દર્શાવતી ‘ત્રિમૂર્તિ’ છે.

→ મહાબલિપુરમ્ શહેર તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. આ શહેર તેનાં ભવ્ય મંદિરો અને સાગરકિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલિપુરમ્ રાખવામાં આવ્યું છે.

GSEB Class 10 Social Science Notes Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

→ પટ્ટદકલ શહેર કર્ણાટક રાજ્યમાં બાદામીથી 16 ક્લિોમીટર દૂર આવેલું છે. પદક્ષનાં મંદિરોના નિર્માણમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલી નામની બે સ્થાપત્ય શૈલીઓનો ઉપયોગ થયો છે.

→ ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યાં હતાં. તે ગ્રેનાઈટ પથ્થરમાંથી નાગર ડીલીમાં બંધાયેલાં છે.

→ કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી (જગન્નાથપુરી) જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. તેનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. તે દિવ્ય, સાંસારિક અને સજાવટી – આ ત્રણ પ્રકારનાં શિલ્પોમાં થયેલું છે.

→ બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર(થંજાવુર)માં આવેલું છે. આ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમ બંધાવ્યું હતું. બૃહદેકાર મંદિરની લંબાઈ 500 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ લગભગ 200 ફૂટ છે.

→ કુતુબમિનારનું નિમણિકાર્ય દિલ્લીના સુલતાન કુતબુદીન ઐબકે શરૂ કરાવ્યું હતું અને તેના જમાઈ તથા ઉત્તરાધિકારી ઇસ્તુત્મિશે પૂરું કરાવ્યું હતું.

→ હમ્પી નગર કર્ણાટકના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. વિજયનગર રાજ્યના રાજા કુણદેવરાયના સમયમાં હમ્પીમાં સ્થાપત્યોનો વિકાસ થયો હતો. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ એ વિજયનગરની સ્થાપત્યકલાની મુખ્ય વિશેષતા છે. હમ્પીના મુરાદેવરાયના સમયનાં વિઠ્ઠલ મંદિર, હજારા રામમંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષણનું મંદિર, અયુતરાયનું મંદિર વગેરે ” મંદિરો સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.

→ હુમાયુના મકબરાનું નિમણિ હુમાયુના અવસાન પછી તેની પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.

→ આગરાનો (લાલ) કિલ્લો ઈ. સ. 1565માં યમુના નદીના કિનારે મુઘલ બાદશાહ અકબરે બંધાવ્યો હતો. તેનું નિર્માણ હિંદુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આગરાના કિલ્લાની અંદરના ‘જહાંગીર મહેલ’માં બંગાળી અને ગુજરાતી રોલીની અસર જણાય છે. શાહજહાંએ જિંદગીના છેલ્લા દિવસો આગરાના (લાલ) ફ્લિામાં ગુજાર્યા હતા,

→ મુસ્લિમ સ્થાપત્યો પૈકી તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યું છે. શાહજહાંએ પોતાની પ્યારી બેગમ મુમતાજ મહલ(અર્જુમંદબાનું)ની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો. તાજમહાલના એક મહેરાબ પર આ ઉક્તિ કંવરેલી છે : સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.

→ લાલ કિલ્લો દિલ્લીમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ઈ. સ. 1638માં બંધાવ્યો હતો. લાલ કિલ્લાદિલ્લી)માં દીવાન-એ-આમ, દીવાનએ-ખાસ, મુમતાજનો શીશમહલ, રંગમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજો વગેરે ઇમારતોનો સમાવેશ થાય છે, ઈરાનનો નાદીરશાહ લાલ કિલ્લાની ‘મયૂરાસન’ નામની કલાત્મક વસ્તુ ઈરાન લઈ ગયો હતો. દર વર્ષે 15મી ઑગસ્ટ – સ્વાતંત્ર્યદિને અહીં ધ્વજવંદન કરવામાં આવે છે.

→ મુઘલ બાદશાહ અકબરે ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર “ફતેહપુર સિકરી” નામની નવી રાજધાની બનાવી હતી. એમ્બરે સૂફી સંત સલીમ ચિતીની યાદમાં ફતેહપુર સિકરી નામના નવા શહેરનું નિર્માણ કર્યું હતું. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો 50 મીટર ઊંચો અને 41 મીટર પહોળો છે. તે દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે.

→ ગોવામાં બેસાલીકા ઑફ બોમ જીસસ (બેસાલીકા ઑફ ગુડ જીસસ) દેવળ આવેલું છે. અર્ધી સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયરનો પાર્થિવ દેહ સાચવીને રાખવામાં આવ્યો છે. ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે જાણીતું છે.

→ ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઈ. સ. 2004માં યુનેસ્કોએ ચાંપાનેર વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે.

→ ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. તે તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વાલિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.

→ લોથલ પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ધમધમતું અને અનેક સગવડોવાળું, હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું.

→ જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા-કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈનમંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, નવઘણ કૂવો, બહાઉદીન વઝીરની કબર વગેરે જોવાલાયક સ્થળો છે. મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોયે મેળો ભરાય છે,

→ અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગરહતું. અમદાવાદમાં ભદ્રનો લિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, ઝૂલતા મિનારા, હઠીસિંગના દેરાં, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થળો છે.

GSEB Class 10 Social Science Notes Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો

→ પાટણમાં રાણીની વાવ પાટણના ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે બંધાવી હતી. પાટણમાં ઈ. સ. 140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.

→ શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન યાત્રાસ્થળ છે.

→ ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.

→ ગુજરાતમાં બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડ, તળાજા, સામ્રા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.

→ ગુજરાતમાં તારંગા તીર્થ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે.

→ ભારતમાં ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા, પ્રચલિત છે. ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ્ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપુરી(ઓડિશા)નો સમાવેશ થાય છે. ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે.

→ યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં 32 જેટલાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોને સમાવિષ્ટ ક્યાં છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *