GSEB Class 10 Social Science Notes Chapter 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર

This GSEB Class 10 Social Science Notes Chapter 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર covers all the important topics and concepts as mentioned in the chapter.

પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર Class 10 GSEB Notes

→ પરિવહન એટલે માલસામાન અને મુસાફરોની એક સ્થળેથી બીજે સ્થળે હેરફેર. પ્રારંભમાં માનવી પોતે અને પછી ભારવાહક પશુઓ દ્વારા પરિવહન કરતો હતો. હવે મહદંશે વિવિધ વાહનો દ્વારા પરિવહન થાય છે.

→ પરિવહન પદ્ધતિનો પ્રકાર પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ તથા તે પ્રદેશની માનવ-સંસ્કૃતિના વિકાસના તબક્કા પર આધાર રાખે છે. પરિવહન પદ્ધતિને પ્રદેશનાં સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીનનો પ્રકાર માનવવસ્તીનું પ્રમા વગેરે અસર કરે છે. આ ઉપરાંત તનિકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર ક્ષેત્રે મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો વગેરે સાંસ્કૃતિક પરિબળો અસર કરે છે.

→ આજે પણ માનવી બોજવાહક તરીકે કામ કરે છે તેમજ બાજવહન માટે ધોડા, ગધેડા, ખચ્ચર, ઊંટ, હાથી વગેરે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. યાંત્રિક વાહનોમાં કુદરતી વાયુ, કોલસો, ખનીજ તેલ, વિદ્યુત જેવી સંચાલનશક્તિનો ઉપયોગ થાય છે.

→ પરિવહન દેશના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસનો માપદંડ છે, તેના અનેકવિધ ઉપયોગો છે.

GSEB Class 10 Social Science Notes Chapter 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર

→ પરિવહન પદ્ધતિ સ્થળ કે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, માનવસમૂહો અને તેઓનો સાંસ્કૃતિક વિકાસ, સમયગાળા તથા સંચાલનશક્તિ પર આધાર રાખે છે. ભારતમાં

  • જમીન પરના સડક અને રેલમાર્ગે
  • જળમાર્ગે
  • હવાઈ માર્ગે તથા
  • પાઇપલાઇનો તેમજ
  • રોપ-વે દ્વારા પરિવહન થાય છે, આ માટે વિવિધ સાધનોનો ઉપયોગ થાય છે,

→ સડકમાર્ગ : દેશમાં જ્યાં રૅલમાર્ગો કે હવાઈ માગ વિક્સાવવાનું શક્ય હોતું નથી, ત્યાં મોટા ભાગે સડકમાર્ગે પરિવહન કરવામાં આવે છે. ભારતના સડકમાગ વિશ્વમાં પૂ.એસ.એ. અને ચીન પછી ત્રીજા ક્રમે છે.

→ ભારતમાં સડકમાગના મુખ્ય પ્રકારોમાં

  • રાષ્ટ્રીય ધોરી માર્ગો
  • રાજ્ય ધોરી માગ
  • જિલ્લા માગ
  • ગ્રામીણ માગ અને
  • સરહદી (સીમાવર્તી) માગનો સમાવેશ થાય છે.

→ રાષ્ટ્રીય ધોરી માર્ગો: તે દેશનાં અગત્યનાં મહાનગરો, બંદરો, પાટનગરો, વહીવટી મથકે અને ભૂહાત્મક સ્થાનોને જોડે છે, તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે, તે ભારતને પાડોશી દેશો સાથે જોડે છે શ્રીનગર – કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબી રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. આ માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે. ગુજરાતમાંથી 27, 41, 47, 48, 143, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે.

→ રાજ્ય ધોરી માર્ગો: તે રાજ્યના પાટનગર જિલ્લાનાં મુખ્ય મથકો તથા મહત્ત્વનાં અન્ય શહેરો સાથે સાંકળે છે. તેનું નિર્માણ અને જાળવણી જે-તે રાજ્ય સરકાર કરે છે.

→ જિલ્લા માર્ગો તે જિલ્લાના મુખ્ય મથકને જિલ્લાનાં મુખ્ય ગામો સાથે જોડે છે, તેનું નિર્માણ અને જાળવણી જે-ને જિલ્લા પંચાયત કરે છે.

→ ગ્રામીણ માર્ગો: તે ગામને ગામ પાસેથી પસાર થતા હોય માગ સાથે જોડતા “અપ્રોચ રોડ છે. તેનું નિર્માણ અને તેની દેખભાળ ગ્રામપંચાયત કરે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય માગને પાકી સડકોમાં ફેરવવામાં આવી રહ્યા છે.

→ સરહદી માર્ગો ટ્યૂહાત્મક દષ્ટિએ મહત્ત્વના આ માગનું નિમણિ સંરક્ષણના હેતુથી કરવામાં આવ્યું છે. તેનું નિમણિ સરહદ માર્ગ સંસ્થાન (Border Road Organization) કરે છે.

→ એક્સપ્રેસ ધોરી માર્ગઃ દેશના આર્થિક વિકાસને વૈગ આપવા માટે દેશના રાષ્ટ્રીય ધોરી માર્ગોને 4થી 6 લેનવાળા ધોરી માગમાં ફેરવી નાખવાની એક યોજના તૈયાર કરવામાં આવી છે.

→ ટ્રાફિક સમસ્યાઃ મોટાં શહેરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઓવર બ્રિજ, બાયપાસ રોડ અને શહેરની ફરતે રિંગરોડ બનાવવામાં આવે છે. આમ છતાં, વધતી જતી વાહનોની સંખ્યાને કારણે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે.

→ રેલમાર્ગો: લાંબા અંતરની મુસાફરી અને વજનદાર તેમજ મોટા કંદના પઘર્ષોની હેરફેર માટે રેલમાગ પ્રમાણમાં સસ્તા, ઝડપી, સરળ અને અનુકૂળ છે. દેશના ઔદ્યોગિક વિકાસ, આંતરરાજ્ય વ્યાપાર, સંરક્ષણ અને આપત્તિકાળમાં રાહત પહોંચાડવાની બાબતમાં રેલવેનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં દ્વિતીય છે. ભારતનો પહેલો રેલમાર્ગ ઈ. સ. 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થયો હતો. ગીચ વસ્તીવાળા મૈધની પ્રદેશોમાં રેલમાર્ગોનાં ગીચ જાળાં. જોવા મળે છે, જ્યારે ઓછી વસ્તીવાળાં દુર્ગમ પર્વતીય ક્ષેત્રો, ગીચ જંગલો, રણપ્રદેશો અને વેરાન પ્રદેશોમાં રેલમાર્ગો બહુ ઓછા છે. રેલવેના બે પાય વચ્ચેના અંતર પરથી રેલવેના ત્રણ પ્રકાર પડે છે :

  • જોડગેજ
  • મીટરગેજ અને
  • નેરોગેજ.

હાલમાં મીટરગેજ રેલમાર્ગો બ્રોડગેજમાં ફેરવાઈ રહ્યા છે. એકમાર્ગી રેલમાર્ગોને દિમાગ બનાવવાના કાર્યક્રમો પત્ત ચાલે છે, ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન “વિવેક એક્સપ્રેસ’ છે. તે દિબ્રુગઢથી કન્યાકુમારીની વચ્ચે દોડે છે. પશ્ચિમઘાટની કોંકણપટ્ટીમાંથી જતી કોંકણ રેલવે ઈજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. ગુજરાતમાં મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં રેલવેનો સારો વિકાસ થયો છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું જંક્શન છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક મીટરગેજ રેલમાર્ગો બ્રોડગેજમાં ફેરવાયા છે.

GSEB Class 10 Social Science Notes Chapter 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર

→ જળમાર્ગ નદી, સરોવરો કે નહેરો દ્વારા દેશના અંદરના ભાગોને જોડતા જળમાર્ગને આંતરિક જળમાર્ગ કહે છે. જુદા જુદા દેશોને જોડતા સમુદ્ર કે મહાસાગરના માર્ગને આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળમાર્ગ કહે છે, વજનમાં ભારે, વધારે જગ્યા રોકતા, કિંમતમાં સસ્તા અને જલદી બગડી ન જય તેવા માલને લાંબા અંતરે લઈ જવા જળમાગ ઘણા અનુકૂળ અને સૌથી સસ્તા છે. આંતરિક જળપરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જવા માગોને રાષ્ટ્રીય ધોરી માર્ગોનો દરજ્જો આપ્યો છે :

  • રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી – હલ્દિયા – અલાહાબાદ (1620 કિમી)
  • રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી – ધૂણી – સાદિયા (891 કિમી)
  • રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેર – કોલમ – કોકાપુરમ (250 કિમી)
  • રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોઘવરી-કૃષ્ણા નદી – કાકીનાડ – પુડુચેરી (1078 કિમી)
  • રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણી નદી – ગોએનબલી – તાલચેર (588 કિમી)

→ દરિયાઈ જળમાર્ગ : ભારતના 7516 કિમી લાંબા ધરિયાકાંઠે 13 મોટાં અને 200 નાનાં બંદરો છે. મુંબઈ દેશનું સૌથી મોટું બંદર અને પ્રવેશદ્વાર છે, પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, નહાવા શવા, મામગિોવા, ન્યૂ મેંગલોર અને કોચી તથા પૂર્વ કિનારે કોલકાતા, હદિયા, પારાદ્વીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ અને તુતીકોરીન મુખ્ય બંદરો છે, ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારે કંલ્લા, મુંદ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, નવલખી, સલાયા, પીપાવાવ, પૌશિત્રા, ઓખા, હજીરા વગેરે અગત્યનાં બંદરો છે. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે,

→ હવાઈ માર્ગો : હવાઈ પરિવહન સૌથી ઝડપી, પરંતુ સૌથી મોંઘું છે. દુર્ગમ સ્થળોએ ઝડપથી પહોંચવા માટે તે ઉપયોગી છે. ભારતમાં ઇન્ડિયન એરલાઇન્સ અને કેટલીક ખાનગી કંપનીઓ દેશનાં શહેરો વચ્ચે તથા કેટલાક પડોશી દેશો વચ્ચે વિમાનસેવા આપે છે. ‘એર ઇન્ડિયા’ વિદેશોનો વિમાનવ્યવહાર સંભાળે છે, “પવનહંસ દુર્ગમ વિસ્તારોમાં તથા ONGCને અને રાજ્ય સરકારોને હેલિકોપ્ટર સેવા આપે છે. ભારતમાં “ભારતીય વિમાન મથક સત્તામંડળ’ દ્વારા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ સહિત હવાઈ મથકોનું સંચાલન કરે છે, દિલ્લી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, તિરુવનંતપુરમ, પણજી, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, કોચી અને અમૃતસર મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે,

→ પાઇપલાઇનો ભારતમાં ખનીજ તેલ, કુદરતી વાયુ અને અન્ય પ્રવાહી પદાર્થોને પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે. દેશમાં અસમ, ગુજરાત, બોંમ્બે હાઈ વગેરે ક્ષેત્રોમાં પાઇપ લાઇનો કાર્યરત છે.

→ રજ માર્ગ (રોપવે): કેટલાકે પર્વતીય વિસ્તારોમાં માલસામાન, શ્રમિકો, મુસાફરો, પર્યટ કે યાત્રિકોની હેરફેર માટે રજજુ માર્ગ પર સરકતી ટ્રોલીનો ઉપયોગ થાય છે. ભારતમાં 100થી વધુ રોપ-વે છે. ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજુ માર્ગો આવેલા છે.

→ સંદેશાવ્યવહાર : તાર-ટપાલ, બિનતારી સંદેશા, ટેલિફૉન, કૅલિમિંટર, ફેંક્સ, કમ્યુટર, ઇ-મેઇલ, ઇન્ટરનેટ, રેડિયો, ટૅલિવિઝન, સમાચારપત્રો, પત્રિકાઓ, સામયિકો, પુસ્તકો, વિવિધ પ્રકારની ફિલ્મો, કેસેયે, સેટેલાઈટ વગેરે સંદેશાવ્યવહારનાં સાધનો છે. વ્યક્તિગત સંચારતંત્ર : ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રનાં સૌથી અસરકારક સાધનો છે. ઈ-મેઈલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યાં છે. – સામુહિક સંચારતંત્ર તેના બે માધ્યમો છે: 1. મઢિત , માધ્યમ: જેમાં અખબારો, ટપાલ અને પત્રિકાઓનો અને 2. ઈલેક્ટ્રોનિક માધ્યમઃ જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. તેના આકાશવાણી અને દૂરદર્શન એમ બે વિભાગો છે. દેશમાં આકાશવાણીનાં 41s સ્ટેશનો છે. તે દેશની 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે. દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચારો, હવામાનની વિગતો તેમજ શિક્ષણ અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે.

→ ઉપગ્રહો : ભારત સરકારે અવકાશમાં છોડેલા કૃત્રિમ ઉપગ્રહો પણ દેશનાં સંચાર સાધનોનું નિયમન કરે છે. તે દૂરસંચાર, સંશોધન તેમજ કુદરતી આપત્તિઓમાં મદદરૂપ બને છે.

→ આંતરિક કે રાષ્ટ્રીય વ્યાપાર: તે રાજ્યો વચ્ચે થતી પંઘશની લે-વેચ છે, તેનાથી દેશના બધા પ્રદેશોને એકબીજાનાં ઉત્પાદનોનો લાભ મળે છે.

→ આંતરરાષ્ટ્રીય વ્યાપાર: તે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચેનો વ્યાપાર છે. આ વ્યાપારનાં બે પાસાં છે : આયાત અને નિકાસ. દેશમાં આયાત થયેલા માલની કિંમત અને દેશમાંથી નિકાસ થયેલા માલની કિંમત સરખી હોય તો દેશની વ્યાપારની તુલા સંતુલિત છે એમ કહેવાય. જે દેશ ઉત્પાદિત વસ્તુઓની નિકાસ વધારે કરે અને માથાત મૌછી કરે ત્યારે તે દેશની વ્યાપારતુલા હકારાત્મક છે એમ કહી શકાય. ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નિકાસ કરતાં આયાતની કિંમત વધારે રહે છે. તેથી વ્યાપારતુલા નકારાત્મક રહે છે. આ કારણે વિદેશવ્યાપારમાં વિદેશી હૂંડિયામણની ખાધ રહે છે.

→ ભારતનો આયાત વ્યાપાર ભારત ખનીજ તેલ અને તેની પેદાશો, યંત્રસામગ્રી, સોનું, ચાંદી, હીરા અને કીમતી પથ્થરો, પોલાદ, ધાતુઓ, રસાયણો, ખાતરો, કાગળ, દવાઓ, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો વગેરેની આયાત કરે છે. ભારતનો સૌથી વધુ વ્યાપાર યુ.એસ.એ. સાથે થાય છે. ઈરાન, સાઉદી અરેબિયા વગેરે પશ્ચિમ એશિયાના દેશો, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ વગેરે યુરોપના દેશો, રશિયા અને જાપાનમાંથી પણ મોટી આયાત થાય છે.

→ ભારતનો નિકાસ વ્યાપાર : ભારત સુતરાઉ કાપડ અને વસ્ત્રો, ઝવેરાત અને આભૂષણો, ઇજનેરી સામાન, શણ, શણનું કાપડ, વાહનો, પંખા, સિલાઈ મશીનો, રેલવેના ડબ્બા, ચા, કૉફી, તેજાના, તમાકુ, ખોળ, ચામડાં અને ચામડાનો સામાન, કાચું લોખંડ, યંત્રો, રસાયણો, માછલી અને તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ વગેરેની નિકાસ કરે છે. આ નિકાસ મુખ્યત્વે એશિયા અને યુરોપના દેશો તથા યુ.એસ.એ.માં થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *